Monday 10 October 2011

રૂપિયા કમાવા માટે માણસ શું નથી

આ રીતે લક્ષ્મીને પ્રસન્ન કરશો તો, બની જશો ધનવાન !

રૂપિયા કમાવા માટે માણસ શું નથી કરતો પરંતુ તેમ છતાં તે મુકામ પ્રાપ્ત નથી કરી શકતો જ્યાં તે પહોંચવા માંગે છે. જ્યારે નાના-નાના ઘરેલું ઉપાય દ્વારા જ ધનની દેવીને આસાનીથી પ્રસન્ન કરી શકાય છે. અહીં ધન પ્રાપ્ત કરવાના આસાન અને સરળ ઉપાય બતાવ્યા છે જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે...

-દરરોજ સવારે સ્નાન ઇત્યાદિ કરી એક લોટો જળ પીપળાને ચઢાવો.

-ઘરની મુખ્ય મહિલાએ સવારે વહેલા ઊઠી એક લોટો શુદ્ધ જળ લઈ આખા ઘરમાં છાટે અને બાકીનું જળ પ્રવેશ દ્વારા ઉપર નાંખી દે.

-ચોખાને લાલ રોળીમાં રંગ્યા બાદ પ્રત્યેક શુક્લ પક્ષના શુક્રવારે માતા લક્ષ્મીનું સ્મરણ કરી જળમાં વહાવી દો.

-બુધવારના દિવસે જો કોઈ કિન્નર જોવા મળે તો તેને માગ્યા વગર જ કેટલાક રૂપિયા ધન આપી દો.

-પ્રત્યેક શુક્રવારે શ્રીસૂક્ત અથવા લક્ષ્મીસૂક્તનો પાઠ કરો.

-જો ક્યાંક મોર નાચતા જોવા મળે તો તે સ્થાનની માટી ઘરે લઈ આવો તથા તેને લક્ષ્મી માતાનું સ્મરણ કરીને ધૂપ-દીપ પ્રગટાવી લાલ રેશમી કપડાંમાં બાંધી ધનના સ્થાને રાખી દો.

-માતા લક્ષ્મીને લાલ રંગ અતિ પ્રિય હોય છે આથી ઘરમાં દીવો પ્રગટાવી વખતે રુના સ્થાને મૌલીની બત્તી બનાવો.

આ ઉપાય શ્રાદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે તો તેમાં ખૂબ જ ફાયદો થાય છે. તેથી જ આ ઉપાય કરતા ક્યારેય અવિશ્વાસ કે શંકાનું સ્થાન મનમાં ન લાવવું.

No comments:

Post a Comment