Tuesday 11 October 2011

મહારાજા સયાજીરાવ ગાયકવાડ

વડોદરાનો પ્રથમ ઐતિહાસિક ઉલ્લેખ ૮૧૨માં વટપદ્ર નામે થયેલો છે. આંકોટકા (આજનું અકોટા) નામના શહેરની સમીપનું આ વટપદ્ર ગામનું મહત્વ દસમી સદીમાં વઘ્યું.

૧૭૨૧માં પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા. મરાઠી પેશ્વાગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક્ક આપ્યો.

૧૭૬૧માં, મરાઠા સામ્રાજ્યના પેશ્વાનો અફધાનો સામે પાણીપતનાં યુધ્ધમાં પરાજય પછી વડોદરા નું શાસન ગાયકવાડો ના હસ્તક આવ્યું. 

૧૮૦૨ માં બ્રીટીશરો સાથે સંધિ પછી વડોદરા બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું.

વડોદરાના રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજ્યના સુપ્રસિઘ્ઘ શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે, ઇ. સ. ૧૮૭૫માં ગાદી સંભાળી. તેમણે વડોદરાનો શૈક્ષણિક વિકાસ - ફરજીયાત પ્રાથમિક શિક્ષણ, અધ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના દ્વારા કર્યો.. તેમણે ટેક્ષટાઇલ તથા અન્ય ઉદ્યોગોનો વિકાસ પણ કર્યો. ભારતનાં સ્વાતંત્ર્ય પછી તે સમયના વડોદરાના મહારાજાએ ભારત ગણરાજ્યમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વતંત્ર ભારતનાં મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ઇ. સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું.

सर श्री सयाजीराव गायकवाड महाराज 
सर श्री सयाजीराव गायकवाड महाराज 
सर श्री सयाजीराव गायकवाड महाराज
 
सर श्री सयाजीराव गायकवाड महाराज
 
सर श्री सयाजीराव गायकवाड महाराज
सर श्री सयाजीराव गायकवाड महाराज
 
सर श्री सयाजीराव गायकवाड महाराज
 सर श्री सयाजीराव गायकवाड महाराज
सर श्री सयाजीराव गायकवाड महाराज

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

સયાજીરાવ ગાયકવાડ (શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ, ૧૦ માર્ચ ૧૮૬૩- ૬ ફેબ્રુઆરી ૧૯૩૯) બરોડા રાજ્યના મહારાજા (૧૮૭૫ થી ૧૯૩૯ દરમ્યાન) હતાં અને તેઓ તેમના શાસન દરમ્યાન તેમના રાજ્યામાં શૈક્ષણિક અને સામાજીક સુધારાઓ લાવવા માટે જાણીતા છે.

શરુઆતનું જીવન

સયાજીરાવનો જન્મ "કાવલાના"માં ૧૧ માર્ચ ૧૮૬૩ના રોજ થયો હતો. તેમનું જન્મ સમયનું નામ ગોપાલરાવ ગાયકવાડ હતું. તેઓ શ્રીમંત કાશીરાવ ભિખાજીરાવ ગાયકવાડ અને ઉમાબાઇ સાહિબનાં બીજા સંતાન હતા.

ગાદી સત્તા

બરોડાની ગાદી ખાલી પડી હતી તેથી મહારાણી જમનાબાઈએ તેમના વંશના વડાઓને બરોડા હાજર થઈ તેમને અને તેમના પુત્રોને તેમની સમક્ષ ઉપસ્થિત થવા કહ્યુ, જેથી તે ગાદીનો વારસદાર નક્કી કરી શકે.
કાશીરાવ ને ૩ પુત્રો હતાં.
૧. આનંદરાવ
૨. ગોપાલરાવ
૩. સાંપ્રતરાવ

તેઓ ત્રણ પુત્રો સાથે કાવલાનાથી વડોદરા ૬૦૦ કિમી ચાલીને આવ્યાં હતાં. એ વાત જાણીતી છે કે, જ્યારે બધાં યુવકોને પુછવામાં આવ્યું કે તેમનો અહીં આવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે ગોપાલરાવે અચકાયા વગર પ્રત્યુત્તર આપ્યો કે "હું અહીંયા શાસન કરવા આવ્યો છુ."

 सर श्री सयाजीराव गायकवाड महाराज
 सर श्री सयाजीराव गायकवाड महाराज
सर श्री सयाजीराव गायकवाड महाराज
 सर श्री सयाजीराव गायकवाड महाराज
 सर श्री सयाजीराव गायकवाड महाराज
 सर श्री सयाजीराव गायकवाड महाराज
 सर श्री सयाजीराव गायकवाड महाराज
सर श्री सयाजीराव गायकवाड महाराजचे शिक्के
सर श्री सयाजीराव गायकवाड महाराजचे शिक्के
 सर श्री सयाजीराव गायकवाड महाराजचे शिक्के
सर श्री सयाजीराव गायकवाड महाराजचे शिक्के

 लक्ष्मि विलास पेलेस ~ वडोदरा.

લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરા માં આવેલ ગાયકવાડ વંશના મહેલ નું નામ છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો.. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મુર્તીઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. આ મહેલ જયારે બંધાયો હતો તયારે તેની અંદાજીત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી.
 लक्ष्मि विलास पेलेस ~ वडोदरा.
 लक्ष्मि विलास पेलेस ~ वडोदरा.
 
 लक्ष्मि विलास पेलेस ~ वडोदरा.
 लक्ष्मि विलास पेलेस ~ वडोदरा.
 
  लक्ष्मि विलास पेलेस ~ वडोदरा.
  लक्ष्मि विलास पेलेस ~ वडोदरा.
  लक्ष्मि विलास पेलेस ~ वडोदरा.
  लक्ष्मि विलास पेलेस ~ वडोदरा.
  लक्ष्मि विलास पेलेस ~ वडोदरा.
 सर श्री सयाजीराव गायकवाड महाराज

વડોદરાનું નામ પડતાં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું સ્મરણ થાય. વડોદરાને સંસ્કૃતિક્ષેત્રે તેમજ કલાક્ષેત્રે વિશ્વભરમાં નામના અપાવવાનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડને જાય છે.
1870માં વડોદરાના મહારાજા ખંડેરાવ અપુત્ર મૃત્યુ પામ્યા. તેમના ભાઈ મલ્હારરાવ ગાદી સંભાળી ન શક્યા. તેથી અંગ્રેજ શાસકોએ સ્વ. ખંડેરાવના મહારાણી જમનાબાઈને દત્તક પુત્ર લેવાની છૂટ આપી. રાજવી કુટુંબને છાજે તેવી ઉચિત વિધિ-કસોટીઓને અંતે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના મનમાડ પાસેના કવળાણા ગામના બાર વર્ષના કુમાર ગોપાળરાવની રાજ્યગાદીના વારસ તરીકે પસંદગી થઈ. 1863ના 17મી માર્ચે જન્મેલા ગોપાળરાવ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરીકે ઓળખાયા.

1875માં બાર વર્ષના સયાજીરાવ ની વડોદરાના ભાવિ રાજવી તરીકે શિક્ષા-કેળવણીની શરૂઆત થઈ. સયાજીરાવે ગુજરાતી-અંગ્રેજી ભાષાથી માંડીને ઈતિહાસ, અર્થશાસ્ત્ર, ગણિત-રસાયણશાસ્ત્ર તેમજ રાજ્યકારભાર જેવા વિષયોનો અભ્યાસ કર્યો.

ઓક્ટોબર 28, 1881. સયાજીરાવ ગાયકવાડ તૃતીયનો વડોદરાના મહારાજા તરીકે વિધિવત્ રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તે સમયે વડોદરા રાજ્યની સત્તા હેઠળ વડોદરા ઉપરાંત નવસારી, અમરેલી, પાટણ, વડનગર, કડી વગેરે પ્રદેશો હતા.

તમે જાણે છો કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ અને કર્મનિષ્ઠ રાજવી હતા. તેમણે વડોદરા રાજ્ય અને પ્રજાના કલ્યાણ માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિકાસયોજનાઓ હાથ ધરી. રાજ્યભરમાં રસ્તાઓ, ઈમારતો, શાળાઓ અને લાયબ્રેરીઓને પ્રાધાન્ય આપ્યું. સયાજીરાવે 1879માં વડોદરા ખાતે 113 એકરનો વિશાળ સયાજીબાગ પ્રજાને અર્પણ કર્યો. સુંદર ફૂલ-છોડથી સુશોભિત વડોદરાના સયાજીબાગ (કમાટીબાગ)ની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થઈ ચૂકી છે.

આ જ વર્ષમાં વડોદરા કોલેજનો પાયો નખાયો. વડોદરા કોલેજ આજે એમ. એસ. યુનિવર્સિટી (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી) તરીકે વિસ્તરેલ છે. 1890 સુધીમાં કોલેજમાં આર્ટસ, સાયંસ, એગ્રીકલ્ચરમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ થયા. લલિત કલાઓના વિભાગો શરૂ થયા. વડોદરાનું કલાભવન જગપ્રસિદ્ધ બન્યું.

વડોદરા સાથે કંઈ કેટલાય સુસંસ્કૃત મહાનુભાવો સંકળાયેલા છે. મહર્ષિ અરવિંદ, કવિ “કાંત”, દાદાસાહેબ ફાળકે, રાજા રવિવર્મા, યુરોપનો પ્રસિદ્ધ કલાકાર ફેલિચી …. અને બીજા ઘણા બધા!.
મહારાજા સયાજીરાવે નામી-અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. મહારાજા સયાજીરાવની નિશ્રામાં વિખ્યાત ઈટાલિયન કલાકાર ફેલિચી, બંગાળી શિલ્પી ફણીન્દ્રનાથ બોઝ, પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્મા, સંગીતજ્ઞ ઉસ્તાદ ફૈયાઝખાં વગેરે સમાવિષ્ટ છે. ફણીન્દ્રનાથ બોઝની કલાની પ્રશંસા તો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પણ કરી ચૂક્યા છે. મહારાજાએ વિશ્વના ચિત્તાકર્ષક શિલ્પ-તૈલચિત્રોની પ્રતિકૃતિઓ કરાવી. ઈટાલીના કલાધામ વેનિસના કલાકાર ફેલિચીએ વડોદરાના રાજમહેલમાં રહીને કાંસા અને સંગેમરમરનાં ખૂબસૂરત શિલ્પ રચ્યાં; મૂર્તિઓ બનાવી; મનોહર તૈલચિત્રો પણ રચ્યાં. તને ખબર છે, અનામિકા, કે રાજા રવિવર્માએ વડોદરામાં રહીને જ આપણા દેશના પ્રથમ પૌરાણિક તૈલચિત્રોના નિર્માણની શરૂઆત કરી હતી? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેએ વડોદરાના કલાભવન ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો.
મહર્ષિ અરવિંદને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા ને! સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક હતા. આપણા બંધારણના અગ્રગણ્ય ઘડવૈયા પૈકી એક બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (બી. આર. આંબેડકર)ની પ્રગતિમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડનો ફાળો મહત્ત્વપૂર્ણ છે.
સંસ્કારનગરી વડોદરા આવનાર જો તેનાં મુઝિયમ્સની મુલાકાતે ન જાય તો ફેરો અફળ જાય! પેલેસ મ્યુઝિયમ તથા સયાજીબાગ સ્થિત મ્યુઝિયમ અદભુત કલાકૃતિઓનો સંગ્રહ ધરાવે છે.
कालाघोडा
 
कालाघोडा

જ્યારે ‘પીઠ’ બતાવી મહારાજાએ ગૌરવ વધાર્યું !

મહારાજા સયાજીરાવ ગાયકવાડના રાજ્યાભિષેકને ૬૦ વર્ષ પૂરાં થયાના પ્રસંગે ૧૯૩૬માં હીરક મહોત્સવની ઉજવણી સમગ્ર બરોડા સ્ટેટમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરા સ્ટેટની પ્રજા દ્વારા પોતાના પ્રજાવત્સલ રાજવીને આદરના પ્રતીકરૂપે માનપત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમની તારીખ હતી ૩ જાન્યુઆરી, ૧૯૩૬. આ તારીખ જ બરોડા ડે તરીકે જાણીતી બની. તાજેતરમાં જ્યારે મહારાજા સયાજીરાવની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમો વડોદરા શહેર સહિત જુના બરોડા સ્ટેટનાં તમામ શહેરોમાં થઈ રહી છે ત્યારે આ ઉજવણીનો કટેંન રેઝર કાર્યક્રમ પણ આવતી કાલે એટલે કે ૩ જાન્યુઆરીએ જ યોજાવાનો છે.

વડોદરાના મહાન રા જવી શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજંયતીની ઉજવણીનો પ્રથમ દિવસ સંગીતના જલસાથી શરૂ થવાનો છે. આજે બરોડા ડે નિમિત્તે પ્રસ્તુત છે ૧૯૧૧ની સાલના સમયના ભારતના બ્રિટિશ શહેનશાહ કિંગ જયોર્જને અપમાનનો ઘૂંટ પીવડાવી દેનાર એ મહાન રાજવીની એ ખુદ્દ્દારી અને હિંમતના પ્રસંગની જેનો અહેવાલ ત્યાં હાજર રહેલી લીલાહ વિંગ ફિલ્ડ નામની બ્રિટિશ મહિલા ફોટોગ્રાફર-પત્રકારે પોતાની ડાયરીમાં નોંધ્યો હતો. પ્રસ્તુત છે એ પ્રસંગની કથા..

કિંગ જયોર્જને હિન્દુસ્તાનના એમ્પરર જાહેર કરવા માટે દિલ્હી ખાતે ૨,૦૦,૦૦૦ લોકોને દેશભરમાંથી એકત્ર કરાયા હતા. અંગ્રેજોની પ્રભુસત્તા સ્વીકારી ચૂકેલા મહારાજાઓ પોતાના કુટુંબ કબીલા સાથે દિલ્હી પધાર્યા હતા. તંબુઓમાં એમની વિશેષ વ્યવસ્થા હતી. કિંગ જયોર્જના રાજ્યાભિષેક માટે તમામ રાજા-મહારાજાઓને નિમંત્રણ અપાયાં હતાં. તમામ મહારાજાઓ, નવાબો અને ખાસ નાગરિકોની ઉપસ્થિતિમાં સૌ મહારાજાઓએ કિંગ જયોર્જ પંચમ સમક્ષ જઈ ત્રણવાર ઝૂકવું અને પછી પીઠ બતાવ્યા વિના ઊંધા પગે પાછા જવું એવી સૂચના હતી.

હૈદ્રાબાદના નિઝામ બાદ બીજું સ્થાન બરોડા સ્ટેટના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડનું હતું. સૌ જાણતા હતા કે મહારાજા અંગ્રેજોએ ૧૮૫૭માં સ્વાતંત્રય સૈનિકો પર ગુજારેલા બેફામ સિતમથી ભારે નારાજ અને વ્યથિત હતા. સયાજીરાવનું નામ પોકારાયું કે તરત જ મહારાજા પોતાની જગ્યાએથી ઊભા થયા અને લાકડી લઈ આગળ વધ્યા. મહારાજા લટખૂટ સંપિત્ત હોવા છતાં સાવ સાદાં સફેદ વસ્ત્રોમાં સજ્જ હતા. માત્ર બરોડા જવેલ્સનો હાર પહેર્યો હતો.

ધીમી પણ મક્કમ ચાલે મહારાજા સયાજીરાવ કિંગ જયોર્જની સામે પહોંચ્યા.. કમરેથી સહેજ ઝુકી ત્રણ વાર કુરનિસ બજાવી, બે ડગલાં પાછા હટયા અને એક લાખ લોકોના આશ્ચર્ય વચ્ચે ઊંધા ફરી કિંગને પીઠ બતાવી ચાલતા થયા ત્યારે વિંગ ફિલ્ડ લખે છે કે, આખા દરબારમાં સેપો પડી ગયો હતો. કિંગ જયોર્જનું આવું હળહળતું અપમાન કરાવાની કોઈ રાજાએ ક્યારેય હિંમત નહોતી કરી જે કામ સર સયાજીરાવ ગાયકવાડે કરી બતાવ્યું અને ગુલામ ભારતના કરોડો નાગરિકોની યાતનાનો પડઘો પાડ્યો.
મહારાજા એટલેથી ન અટક્યા.. લીલાહ લખે છે કે જતાં જતાં મહારાજા મલકાતા હતા જાણે કે દુનિયાના સૌથી શક્તિશાળી કિંગ જયોર્જની મજાક ઉડાડતા હોય ! મહારાજાની આ ચેષ્ટાથી અંગ્રેજો અને હાકેમો સમસમી ગયા. પરંતુ એક હરફ ન ઉચ્ચારી શક્યા.

લીલાહ વધુમાં લખે છે કે, મહારાજા સયાજીરાવ મુખ્ય શામિયાનાjમાં આવ્યા તે પૂર્વે શાહી લબિાસમાં સજજ હતા, પરંતુ શામિયાjનામાં આવતાં પૂર્વે શાહી લબિાસ ત્યજી માત્ર સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતાં. જે શોકનું પ્રતિબિંબ છે એ સૌ ભારતીયો જાણે જ છે.

લીલાહની આ રોજનીશી બાદમાં પુસ્તક સ્વરૂપે એમેની પૌત્રી મિસિસ ડગ્લાસ હોમે બહાર પાડી હતી. ઉલ્લેખનીય છે કે,૨૩ વર્ષીય લીલાહ વિંગફિલ્ડને કિંગ જયોજેઁ ફોટોગ્રાફી માટે વિશેષ આમંત્રણ આપ્યું હતું.

દિલ્હી દરબારની હીટ ફિલ્મ : વિથ અવર કિંગ એન્ડ ક્વિન થ્રૂ ઇન્ડિયા

બ્રિટિશ તાજના સવૌgચ્ચ વડા રાજા કિંગ જયોર્જના દિલ્હી દરબારની જાણીતી ફિલ્મ હતી, વિથ અવર કિંગ એન્ડ ક્વિન થ્રૂ ઇન્ડિયા. આ ફિલ્મ બ્રિટનમાં દરબાર ઇન દિલ્હીના નામે જાણીતી બની હતી. જેમાં દરબારના વિવિધ પ્રસંગો આવરી લેવામાં આવ્યા હતા. આ ફિલ્મ ૨ ફેબ્રુઆરી, ૧૯૧૨ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. ચાર્લ્સ અર્બન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બ્રિટનમાં સૌથી હીટ પુરવાર થઈ હતી. કારણ કે દિરબાર ઇન દિલ્હી તે સમયની કાઈનમેકલરમાં હતી. આ ડોકયુમેન્ટરી ફિલ્મના ૧૨૬ મિનિટના ફૂટેજની મૂળ કોપી આજે પણ મૌજુદ છે.

વડોદરાના રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજ્યના સુપ્રસિઘ્ઘ શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે, ઇ. સ. ૧૮૭૫માં ગાદી સંભાળી. તેમણે વડોદરાનો શૈક્ષણિક વિકાસ - ફરજીયાત પ્રાથમિક શિક્ષણ, અધ્યતન પુસ્તકાલય, ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના દ્વારા કર્યો.. તેમણે ટેક્ષટાઇલ તથા અન્ય ઉદ્યોગોનો વિકાસ પણ કર્યો. ભારતનાં સ્વાતંત્ર્ય પછી તે સમયના વડોદરાના મહારાજાએ ભારત ગણરાજ્યમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વતંત્ર ભારતના મુંબઈ રાજ્ય હેઠળ આવ્યું ઇ. સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું.

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જુનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત 'વટસ્ય ઉદરે' ઉપરથી ઉતરી આવ્યું હોવાનું પણ માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ (સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર 'વટસ્ય ઉદરે' કળક્રમે અપભ્રંશ થતા થતા વડોદરા થઇ ગયું છે. અંગ્રેજીમાં લોકો ઘણીવાર તેને બરોડા કહીને પણ બોલાવે છે. આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું. ગુજરાતના તમામ શહેરો પૈકી વડોદરામાં મરાઠીઓનો સૌથી મોટો સમાજ જોવા મળે છે.

વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગીક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમીકલ્સ, રાસાયણિક ટેક્ષટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઈન આર્ટસ કૉલેજ તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે.
વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અઘ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અધ્યતન શોપિંગ કોમ્પ્લેક્સો તથા મલ્ટીપ્લેક્ષ સિનેમાઘરો તેનો પુરાવો છે. આજે પણ વડોદરાને ભારતની 'સંસ્કાર નગરી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

No comments:

Post a Comment