Friday 27 January 2012

વસંત પંચમી


વસંત પંચમી

 




વસંત પંચમી પર મા સરસ્વતીની વિશેષ રૂપે પૂજા કરવામાં આવે છે. મા સરસ્વતીને વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન, સંગીત અને કળાની દેવી માનવામાં આવે છે.વ્યવહારિક રૂપે વિદ્યા તથા બુદ્ધિ વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી છે. શાસ્ત્રોના અનુસાર વિદ્યાથી વિન્રમતા, વિનમ્રતાથી પાત્રતા, પાત્રતાથી ધન અને ધનથી સુખ મળે છે.

વસંત પંચમીના દિવસે જો વિધિ- વિધાનથી દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે તો વિદ્યા અને બુદ્ધિની સાથે સફળતા પણ નિશ્ચિત મળે છે.

વસંત પંચમી પર મા સરસ્વતીની પૂજા આ પ્રકારે કરો -

- સવારે સ્નાન કરી પવિત્ર આચરણ, વાણીના સંકલ્પની સાથે મા સરસ્વતીની પૂજા કરો.

- પૂજામાં ગંધ, ચોખાની સાથે ખાસ કરીને સફેદ અને પીળા ફૂલ, સફેદ ચંદન તથા સફેદ વસ્ત્ર દેવી સરસ્વતીને ચઢાવો.

- પ્રસાદમાં ખીર, દૂધ, દહીં, માખણ, સફેદ તલના લાડુ, ઘી, નાળિયેર, ખાંડ અને મોસમી ફળ ચઢાવો.

- તેના પછી માતા સરસ્વતીની આ સ્તુતિથી બુદ્ઘિ અને સફળતા કામના કરી ઘીનો દીવો પ્રગટાવીને માતા સરસ્વતીની આરતી કરો 

આરતી

जय सरस्वती माता, मैया जय सरस्वती माता।
सद्गुण वैभव शालिनी, त्रिभुवन विख्याता।। जय सरस्वती...।।
चंद्रवदनि पद्मासिनी, द्युति मंगलकारी।
सोहे शुभ हंस सवारी, अतुल तेजधारी।। जय सरस्वती...।।
बाएँ कर में वीणा, दाएं कर माला।
शीश मुकुट मणि सोहे, गल मोतियन माला।। जय सरस्वती...।।
देवि शरण जो आए, उनका उद्धार किया।
पैठि मंथरा दासी, रावण संहार किया।। जय सरस्वती...।।
विद्या ज्ञान प्रदायिनि ज्ञान प्रकाश भरो।
मोह, अज्ञान और तिमिर का, जग से नाश करो।। जय सरस्वती...।।
धूप दीप फल मेवा, मां स्वीकार करो।
ज्ञानचक्षु दे माता, जग निस्तार करो।।।। जय सरस्वती...।।
मां सरस्वती जी की आरती, जो कोई नर गावे।
हितकारी सुखकारी, ज्ञान भक्ति पावे।। जय सरस्वती...।।

વિવેક બુદ્ધિ મેળવવા રોજ સવારે બોલો આ સરસ્વતી મંત્ર
સરસ્વત્યૈ નમો નિત્યં ભદ્રકાલ્યૈ નમો નમઃ|
વેદ વેદાન્ત વેદાંગ વિદ્યાસ્થાનેભ્ય એવ ચ ||
સરસ્વતિ મહાભાગો વિદ્યે કમલલોચને |
વિદ્યારૂપે વિશાલાક્ષી વિદ્યાં દેહિ નમોસ્તુતે ||

સંત પંચમી પર્વ, વિદ્યા અને બુદ્ધિના દેવી સરસ્વતીનું પર્વ છે. એ માટે મહા સુદ પાંચમના બધા લોકો પોતાના જ્ઞાનને વધારવા અને બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે મા સરસ્વતીનું પુજન કરે છે. પંચમીનું આ પર્વ વિદ્યાર્થીઓ દ્વારા ખાસ પ્રકારે ઉજવવામાં આવે છે. જો આ પર્વ પર જે લોકો પોતાની રાશિ પ્રમાણે કંઈક અચુક પ્રયોગ કરે તો તેને વિદ્યાના હરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.

જાણો કઈ રાશિના લોકો એ ક્યા ઉપાયો કરવા –

મેષ – આ રાશિના લોકો પોતાની રાશિ પ્રમાણે આ પર્વ પર વિદ્યા અને બુદ્ધિ માટે શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીની પૂજા કરે અને ડાબા પગનો સિંદૂર લઈ તિલક કરવું.

વૃષભ – આમલીના 22 પાન લઈ અને એમાંથી 11 માં સરસ્વતીને ચઢાવો અને બાકીના પાન પોતાની પાસે રાખવા. આ પ્રયોગથી આપને હરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

મિથુન – વિદ્યા અને બુદ્ધિ માટે આપ આપની રાશિ અનુસાર ભગવાન ગણેશજીને 21 દૂર્વા ચઢાવવો.

કર્ક – આ રાશિના વ્યકિતઓએ સફળતા માટે વિદ્યાના દેવી મા સરસ્વતીને કેરીના ફૂલ (મોર) ચઢાવવા જોઈએ.

સિંહ - આ વસંત પર્વ પર સિંહ રાશિવાળાએ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.

કન્યા – કોઈ કન્યાને પૂસ્તક અને સ્ટેશનરી દાન આપવું જોઈએ. આથી આપ પર માતા સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

તુલા – સરસ્વતીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તુલા રાશિના જાતકો એ કોઈ બ્રાહ્મણ કન્યાને સફેદ વસ્ત્રનું દાન કરવું.

વૃશ્ચિક - આ રાશિના વિદ્યાર્થી સફેદ ફૂલોથી મા સરસ્વતીની પૂજા કરે તો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.

ધન - ધનરાશિના જાતકોએ સળતા માટે દેવી સરસ્વતીને સફેદ ચંદન ચઢાવવું જોઈએ.

મકર – સૂર્યોદય પહેલા બ્રાહ્મી ઔષધિનું સેવન કરવાથી મકર રાશિ ધરાવનારને હરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

કુંભ - માં સરસ્વતીને પ્રસન્ન કરવા માટે કુંભ રાશીના વિદ્યાર્થીએ સરસ્વતી પૂજન કરી કન્યાઓને ખીરનો પ્રસાદ આપવો.

મીન – વસંત પંચમી પર્વ પર વિધારા અથવા અપામાર્ગના મૂળ જમણા હાથ પર બાંધવાથી આ રાશિવાળા હરેક ક્ષેત્રમાં સફળ થશે.


વસંતઋતુમાં પ્રકૃતિ ખીલવાથી માણસ તેની તરફ આકર્ષાય
- પ્રકૃતિ ખીલવાથી જાણે પૃથ્વીએ યૌવન ધારણ કરી લીધું ન હોય તેવું લાગે
- શ્રીકૃષ્ણે ગીતાજીના વિભૂતિ યોગમાં કહ્યું છે ‘ઋતુઓમાં વસંત હું છું
- માતાજીનું પૂજાવિધાન કરવાથી મૂર્ખ વ્યક્તિ પંડિત બની જાય છે

ઋતુકાળ પ્રમાણે આ દિવસથી વસંત પ્રવૃત્ત થાય છે. પ્રકૃતિ ખીલવાથી માણસ તેની તરફ આકષૉય છે. પ્રકૃતિ ખીલવાથી જાણે પૃથ્વીએ યૌવન ધારણ કરી લીધું ન હોય તેવું લાગે. જ્યાં જ્યાં નજર જાય ત્યાં ત્યાં હરિયાળી, રંગબેરંગી ફૂલો, વાતાવરણમાં પ્રફુલ્લિતતા, ફૂલગુલાબી ઠંડી. ખરેખર આ દિવ્ય વાતાવરણથી અસ્વસ્થ માનવ સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરતો જણાય છે.

ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ શાસ્ત્ર અને વેદોનાં વચન પ્રમાણે, એક એક દિવસનું મૂલ્ય સમજાવ્યું છે. આવો જ એક પવિત્ર અવસર એટલે મહા સુદ-પાંચમ, જેને આપણે વસંત પંચમી કહીએ છીએ.

વસંત પંચમી એટલે માનવી માટે કલ્યાણકારી ઉત્સવ. આ દિવસ એટલે વસંતઋતુનો પ્રારંભ, શ્રી સરસ્વતી માતાજીનો પ્રાદુભૉવ (જન્મ) તથા વિદ્યારંભ માટે ઉત્તમ તિથિ, એવો ત્રિવેણી સંગમ ઉત્સવ એટલે માનવજાતને, વિદ્યાર્થીને પ્રફુિલ્લતતા પ્રદાન કરનારો ઉત્સવ.

વસંતનો વૈભવ

ઋતુકાળ પ્રમાણે આ દિવસથી વસંત પ્રવૃત્ત થાય છે. પ્રકૃતિ ખીલવાથી માણસ તેની તરફ આકર્ષાય છે. પ્રકૃતિ ખીલવાથી જાણે પૃથ્વીએ યૌવન ધારણ કરી લીધું ન હોય તેવું લાગે. જ્યાં જ્યાં આપણી નજર જાય ત્યાં ત્યાં હરિયાળી, રંગબેરંગી ફૂલો, વાતાવરણમાં પ્રફુિલ્લતતા, ફૂલગુલાબી ઠંડી, ટાઢની વિદાય. ખરેખર આ દિવ્ય વાતાવરણથી અસ્વસ્થ માનવ સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરતો જણાય છે. જરૂર છે માત્ર આ નિસર્ગ સામે મીઠી દ્રષ્ટિ કરવાની.

વસંતમાં સરલતા, સહજતા અને નિખાલસતા છે. આવા પ્રાકૃતિક ગુણને કારણે જ માનવીને તે પ્રિય છે. શ્રીકૃષ્ણે ગીતાજીના વિભૂતિ યોગમાં કહ્યું છે ‘ઋતુઓમાં વસંત હું છું.’ આ વિધાન અનુસાર ભગવાન પોતે જ આ સમય દરમિયાન પૃથ્વી ઉપર આવીને માનવજાતને આનંદ આપવા પ્રકૃતિના રૂપમાં સર્વત્ર ફેલાઈ જાય છે.

વાલ્મીકિ રામાયણમાં પણ વસંતઋતુનું મનમોહક વર્ણન છે. આપણા કવિઓએ પણ વસંતને યૌવન તરીકે આલેખી છે. ‘યૌવન એ માનવજીવનની વસંત છે તો, વસંત એ સૃષ્ટિનું યૌવન છે.’ અથૉત્ પ્રભુસ્પર્શી જીવનમાં નિત્ય એક જ ઋતુ હોય છે અને તે વસંત! અથૉત્ જે વ્યક્તિએ જીવનમાં આખરી ધ્યેય તરીકે પ્રભુને સ્વીકારી લીધા છે તેના જીવનમાં હંમેશાં વસંત છે. અને તે વ્યક્તિ જ્ઞાનમાં હંમેશાં યૌવન ધારણ કરે છે.

વસંતમાં અનેક નવયુવાનો જીવનસાથીની પસંદગી કરીને લગ્નગ્રંથિથી જોડાય છે. આ રીતે નવપરિણીતોમાં સહજ આનંદ-પ્રેમનો ઊભરો આવે છે. આવો જ પ્રેમ ઉત્તમ રામચરિત માનસમાં શ્રીરામ અને સીતાજીનો વર્ણવ્યો છે. કહે છે કે રામ અને સીતાજીનો પ્રેમ સુખ અને દુ:ખ સર્વ અવસ્થામાં અદ્વૈત સાધનારો હતો. જ્યાં હૃદયને વિશ્રામ મળે તેમજ વાર્ધકય પણ જેના રસને હરી ન લે એવો તે પ્રેમ હતો.

અદ્વૈત સુખદુ:ખયોરનુગુણં સવૉષ્વવસ્થાષુ યદ્
વિશ્રામો હૃદયસ્ય યત્ર જરસા યિસ્મન્નહાર્યો રસ: (ઉત્તમ રામચરિત ૧/૩૯)

શ્રી સરસ્વતી માતાજીનું જન્મવૃત્તાંત

એક સમયની વાત છે. ભગવાન શ્રીકૃષ્ણની ચિન્મયી શક્તિ સદાય તેની સાથે નિવાસ કરતી હતી. બ્રહ્નતેજથી સો મન્વંતર સુધી તેજોમય સ્થિતિમાં હતી. શ્રીકૃષ્ણ પ્રાણોથી પણ અધિક તેને પ્યાર કરતા હતા. શ્રી કૃષ્ણનું વૃક્ષ:સ્થલ એ જ તેનું નિત્ય નિવાસ્થાન હતું. આ દેવીએ અનુકૂળ સમયે સુવર્ણ સમાન બાળક ઉત્પન્ન કર્યું. આ બાળક સુંદર હતું છતાં પણ આ બાળકનો ત્યાગ કરી દીધો. તુરંત જ કૃષ્ણ ભગવાને આ દેવીને બાળકવિહોણી થઈ જાય તેવો શ્રાપ આપ્યો, ઉપરાંત તારા તેજથી જેટલી સ્ત્રીઓ ઉત્પન્ન થશે તે તારા કરતાં પણ દિવ્ય હશે. તે તમામ સ્ત્રીઓ સંતાનવિહોણી હશે. તુરંત જ આ દેવીના જીભના અગ્રભાગથી એક મનોહર કન્યા પ્રકટ થઈ. શ્યામ વર્ણ હતો, શ્વેત વર્ણનાં વસ્ત્ર ધારણ કર્યા હતાં. તેના એક હાથમાં વીણા તથા

બીજા હાથમાં પુસ્તક ધારણ કર્યું હતું. સંપૂર્ણ શાસ્ત્રોની અધિષ્ઠાત્રી દેવી રત્નમય આભૂષણોથી વિભૂષિત હતી.

શ્રીકૃષ્ણ દ્વારા પ્રથમ પૂજા તથા વિશેષ વરદાન

ભગવાન શ્રીકૃષ્ણે સર્વપ્રથમ પૂજા આ સ્વરૂપની કરી છે. આ માતાજીનું પૂજાવિધાન કરવાથી મૂર્ખ વ્યક્તિ પંડિત બની જાય છે. એ સમયે સરસ્વતી માતાએ શ્રી કૃષ્ણને પતિ તરીકે સ્વીકારવા દરખાસ્ત મૂકી ત્યારે શ્રીકૃષ્ણે લોકહિતાથે જણાવતા કહ્યું, તમે ભગવાન શ્રી નારાયણ પાસે પધારો, તે મારા જ અંશ છે. નારાયણ પાસે લક્ષ્મીજી ઉપરાંત આપ પણ નિત્ય નિવાસ કરો. ઉપરાંત સમગ્ર બ્રહ્નાંડમાં મહા સુદ-પાંચમના દિવસે વિદ્યારંભ કરવા માટે ગૌરવપૂર્વક તમારી પૂજા થશે. આજથી જીવનપયઁત માનવ, મનુગણ, દેવતા, મોક્ષકામી વસુઓ, યોગીઓ, સિદ્ધો, નાગો, ગંધર્વો, રાક્ષસો વગેરે ષોડ્શોપચારથી તમારી પૂજા આરાધના કરશે. કુંભમાં તથા પુસ્તકમાં તમને આહવાહિત કરશે. તમારા કવચને ભોજપત્રમાં લખી તેને સોનાની ડબ્બીમાં રાખી તેના ઉપર અષ્ટગંધ-કેસર-ચંદન વિ.થી પૂજા કરી વ્યક્તિ-વિદ્યાર્થી પોતાના ગળામાં અથવા જમણા હાથમાં ધારણ કરવાથી વિશેષ વિદ્યા પ્રાપ્ત કરશે.

આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સરસ્વતી માતાને વરદાન આપ્યું ત્યારથી આ દેવી સવિશેષ પૂજાવા લાગ્યાં. આજે પણ તમામ શાળાઓ, કલાસંસ્થાઓમાં સર્વત્ર સરસ્વતી માતાજીની મૂર્તિ છબી પરની વિશેષ પૂજા આરાધના થાય છે.

યાજ્ઞવલ્કયજી દ્વારા સરસ્વતી પૂજા

કોઈ કારણોસર યાજ્ઞવલ્કયજી ગુરુના શાપથી વિદ્યાર્થી નષ્ટ થઈ ગયા હતા. તેમની તમામ વિદ્યા જીર્ણ થઈ ગઈ. તે સમય આ ઋષિ લોલાર્ક કુંડ ઉપર જઈ સૂર્યદેવની સ્તુતિ કરી. સૂર્યદેવે વેદ-વેદાંગોનું જ્ઞાન આપ્યું. સૂર્યદેવની સૂચના પ્રમાણે સરસ્વતી માતાની વિશેષ પૂજા તેના કવચનું અનુષ્ઠાન તથા સ્તુતિ કરવા જણાવ્યું યાજ્ઞવલ્કયજીએ સૂર્યદેવની ભલામણ મુજબ સરસ્વતી કવચથી તેમજ વિશેષરૂપમાં સ્તુતિ કરી. સરસ્વતી માતાજીને પ્રસન્ન કર્યાં અને વિશેષરૂપથી કૃપાપાત્ર બન્યા. ગુરુદેવ બ્úહસ્પતિ સમાન તેજોમય ધારણ કર્યું. યાજ્ઞવલ્કયજીએ જે સ્તક્ષેત્ર ગાયું તે સ્તક્ષેત્ર એક વર્ષ સુધી જો કોઈ વ્યક્તિ ગાય ક ે પાઠ કરે તો મૂર્ખમાં મૂર્ખ વ્યક્તિ પંડિત થઈ સુશ્રુત બની જાય છે.

વિદ્યારંભ તિથિએ સવિશેષ આરાધના

આ દિવસે વિદ્યાર્થીએ શુભ સંકલ્પ કરી ભગવાન શ્રીકૃષ્ણે કવશાખામાં બતાવ્યા પ્રમાણે ષોડ્શોપચારથી પૂજા કરવી. આરાધકે વસંત પંચમીના દિવસે પ્રાત:કાળમાં ઊઠી સ્નાન આદિ પૂર્ણ કરી શુભમૂહુર્તમાં બાજઠ અથવા પાટલા ઉપર સફેદ આસન પાથરી તેના ઉપર માતાજીની મૂર્તિ અથવા છબી મૂકવી, ત્યારબાદ કુંભમાં અથવા પુસ્તકમાં માતાજીનું આહ્વાન કરવું. ભોજપત્ર ઉપર સરસ્વતી યંત્ર તૈયાર કરવો. તેની ષોડ્શોપચારથી પૂજાવિધિ કર્યા બાદ સ્ફટિક મોતીની માળાથી નીચેના કોઈપણ મંત્રનું અનુષ્ઠાન કરી શકાય.

ઓમ શ્રી હ્રીં સરસ્વત્યૈ સ્વાહા

ઓમ વિદ્યાદેવી સરસ્વતી વરદે કામરૂપિણી
વિદ્યારંભ કરીશ્યામી સિદ્ધિર ભવતુ મે સદા

ઓમ સરસ્વતી મયા દ્રષ્ટવા વિણા પુસ્તક ધારિણી
હંસ વાહનં સંયુક્તાં વિદ્યાદાનં કરી તું મે

જ્ઞાનાનન્દ મયં દેવં નિર્મલ સ્ફટિકા કૃતિમ
આધારં સર્વ વિદ્યાનાં હયગ્રીવમુપાસ્મહે

આ ઉપરાંત નીચેનો મંત્ર બોલતાં તુલસી અને કેસર નિશ્વિત જળથી સરસ્વતી મંત્ર ઉપર અભિષેક કરી તે જળ વિદ્યાર્થીએ તીર્થનાં રૂપમાં ધારણ કરવું. મંત્ર

એક દંત મહાબુદ્ધિ સર્વ સૌભાગ્ય દાયક :

સર્વ વિદ્યા પ્રાપ્તિ કરો દેવા ગૌરીપુત્રો વિનાયક:

(૧૦૮ વખત મંત્ર બોલવો)

આ રીતે અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ સરસ્વતી કવચના પાઠ તેમજ પ્રાર્થના અને સ્તુતિ કરવી.
 
શ્રી સરસ્વતી સ્તુતિ

યા કન્દેન્દુ તુષાર હાર ધવલા યા શુભ વસ્ત્રાવૃતા
યા વિણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના


આ રીતે યૌવન અને સંયમ, આશા અને સિદ્ધિ, કલ્પના અને હકીકત, જીવન અને કવન, ભક્તિ અને શક્તિ, સર્જન અને વિસર્જન આ સર્વેનો સમન્વય સાધતો, આપણા જીવનમાં સૌંદર્ય, સંગીત, સ્નેહ, પ્રેમ અને વિદ્યા તથા તેજિસ્વતા પ્રગટાવતો વસંત આપણા જીવનમાં ખીલે અથવા તો આ વસંત ખીલવવા આપણે હંમેશાં પ્રયત્નશીલ રહીએ ત્યારે જ વસંતને આપણે જાણી છે અને માણી છે. અસ્તુ...


વસંત પંચમી: માતા સરસ્વતીને શા માટે ચઢાવાય છે ચોખાનો ભોગ?
વસંત પંચમીના દિવસેને માતા સરસ્વતીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે.

તેની સાથે જ આ દિવસ અબૂઝ (વણજોયેલુ) મૂરતના નામે પણ ઓળખાય છે. વસંત પંચમીના દિવસે કોઈ નવું કામ પ્રારંભ કરવાનું અતિ શુભ માનવામાં આવે છે. આ કારણે જ ઋષિઓએ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાની પ્રથા ચાલું કરી હતી. કોઈ પણ કલા અને સંગીતના શિક્ષણની શરૂઆત કરતા પહેલા માતા સરસ્વતીની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે.

જે વિદ્યાર્થીઓ મહેનતની સાથે સરસ્વતીની આરાધના કહે છે તેમને જ્ઞાનની સાથે-સાથે સન્માન પણ પ્રાપ્ત થાય છે. વસંત પંચમીના દિવસે સૌ પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશની પૂજા પછી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. શિક્ષા, ચતુરાઈ ઉપર વિવેકનો અંકુશ લગાવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના ભોગમાં વિશેષ કરીને ચોખાનો ભોગ લગાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે, માતા સરસ્વતીને શ્વેત રંગ ખૂબ જ પ્રિય હોય છે. તેની સાથે જ ચોખાને હકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, ચોખાનો ભોગ લગાવવાથી ઘરના બધા જ સભ્યોને માતાના આશીર્વાદની સાથે હકારાત્મક બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.

વસંત પંચમી પર માતા સરસ્વતીની આરાધનનાનું વિશેષ મહત્વ કેમ?

મા સરસ્વતી વિદ્યા અને બુદ્ધિ પ્રદાન કરનારી છે.

- વસંત પંચમીનો દિવસ મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે.

વસંત પંચમી આ વખતે (28 જાન્યુઆરી, શનિવારે) વિશેષ રૂપથી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. તેના પાછળ ઘણી ધાર્મિક કિવદંતીઓ છે જેમાંથી એક આ પ્રકારે છે -

કહેવાય છે કે, બ્રહ્માએ વિષ્ણુની આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન કર્યું અને તેમાંય માનવીની રચના કર્યા પછી જ્યારે બ્રહ્માએ પોતાના સર્જનને જોયું ત્યારે તેમને લાગ્યું કે કંઈક ખામી રહી ગઈ છે. જેના લીધે ચારેય તરફ મૌન-મૌન લાગે છે. વિષ્ણુ ભગવાન પાસેથી અનુમતિ મેળવી તેમને ચતુર્ભુજી સ્ત્રીની રચના કરી જેના એક હાથમાં વીણા અને બીજો હાથ વર મુદ્રામાં હતો. બીજા બે હાથમાં પુસ્તક અને એક માળા હતી.

બ્રહ્માએ દેવીને વીણા વગાડવાનો અનુરોધ કર્યો. દેવીએ જેવી વીણા વગાડવાનું શરૂ કર્યું, વીણાના મધુર નાદ(અવાજ)થી સંસારના બધા જ જીવ-જંતુઓને વાણી પ્રાપ્ત થઈ ગઈ. જલધારામાં ચેતના આવી ગઈ. પવન સડસડાટ આવવા લાગ્યો. ત્યારે બ્રહ્માએ આ દેવીને વાણીની “દેવી સરસ્વતી” એવું નામ આપ્યું.

સરસ્વતીને ભગવતી, શારદા, વીણાવાદીની અને વાગ્દેવી સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આ દેવી વિદ્યા અને બુદ્ધિ પ્રદાન કરનાર છે. સંગીતની ઉત્પત્તિ કરવાને લીધે તેને સંગીતની દેવી પણ કહેવાય છે. વસંત પંચમીના દિવસે તેનો જન્મોત્સવ- પ્રાગટ્ય દિનના રૂપમાં મનાવવામાં આવે છે. ઋગ્વેદમાં ભગવતી સરસ્વતીનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની સમૃદ્ધિ અને સ્વરૂપનો વૈભવ અદભુત છે. પુરાણો પ્રમાણે શ્રીકૃષ્ણએ સરસ્વતીથી ખુશ થઈ વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તમારી પણ આરાધના કરવામાં આવશે. વસંત પંચમીનો દિવસ માતા સરસ્વતીનો જન્મદિવસ માનવામાં આવે છે એટલે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.
 
સરળ સરસ્વતી મંત્રોથી તમારું બાળક ભણવામાં બનશે અવ્વલ

શાસ્ત્રોમાં વિદ્યાને ધન માનવામાં આવે છે કારણ કે વિદ્યા જ માણસને સંસ્કાર, મર્યાદા, ગુણોથી જોડીને તેના ચરિત્ર વ્યવહાર અને કર્મને પણ સાધે છે. જેનાથી માણસ કુશળ અને દક્ષ બનાવીને જીવનને સરળ બનાવી શકાય છે.

દરેક મા-બાપની ઝંખના હોય છે કે તેમના સંતાનો વધારેમાં વધારે વિદ્યા મેળવીને ઉજ્જવળ ભવિષ્યને પામી શકે. પરંતુ ઘણીવાર પ્રાકૃતિક દોષના પ્રભાવથી માનસિક નબળાઇને કારણે ભણવામાં મન લાગતું નથી અથવા યાદશક્તિ નબળી હોય છે.

બાળકોમાં રહેલા માનસિક દોષોને દૂર કરવા માટેના ઉપાયોમાં પારિવારિક વાતાવરણમાં સુધાર અને ઉપાયો સિવાય ધાર્મિક દ્રષ્ટિએ માતા સરસ્વતીનું ધ્યાન બહુ જ સરળ અને પ્રભાવી માનવામાં આવે છે.

- આ માટે અમુક નાના- નાના સરસ્વતી મંત્રોનું સ્મરણ બાળકોથી કરાવડાવાનું મહત્વ આપવામાં આવ્યું છે.

હિંદુ પંચાંગ પ્રમાણે મહા સુદ પાંચમની તિથિ એટલે કે વસંત પંચમી (28 જાન્યુઆરી) એ સ્નાન કર્યા બાદ ખાસ કરીને બાળકોના હાથથી માતા સરસ્વતીની મૂર્તિને સફેદ ફૂલ, ચોખા ચઢાવો.

- સફેદ મિઠાઇનો ભોગ લગાડીને ધૂપ,દીવો પ્રગટાવીને પૂજા કરાવડાવો અને આ મંત્ર બોલાવડાવો.

જો બાળકના ના બોલતા હોય કે ચંચળ હોય તો મા-બાપ પોતે સંતાનની પ્રખર બુદ્ધિની કામના સાથે આ મંત્ર બોલવા

ॐ महाविद्यायै नम:

ॐ वाग्देव्यै नम:

ॐ ज्ञानमुद्रायै नम:

- મંત્ર સ્મરણ બાદ દેવીની આરતી કરી હથેળીઓથી દીવાની જ્યોતિ લઇને બાળકના માથા પર સ્પર્શ કરાવડાવો. દેવીને અર્પણ કરી પ્રસાદ બાળકોને ખવડાવો.
 

બોલો મા સરસ્વતીનો આ મંત્ર,મળશે મનગમતી પ્રગતિ અને સફળતા

જીવનમાં કોઇપણ કામ માટે કે શ્રેષ્ઠ લક્ષ્યમાં મળતી સફળતા સકારાત્મક વિચારો અને ઊર્જાની સાથે સારા કામ માટે પણ પ્રેરે છે.
શાસ્ત્રો પ્રમાણે આવા જ સફળ જીવન માટે મુખ્ય અને નિર્ણાયક હોય છે – બુદ્ઘિ અને જ્ઞાન બળ.


સરળ શબ્દોમાં કહીએ તો શિક્ષા અને જાણકારી કે આવી બુદ્ધિ, વિદ્યા અને વિવેક થકી તે દરેક ડગલે સફળતા પામે છે. ધાર્મિક ઉપાયોમાં તેના માટે જ્ઞાનની અધિષ્ઠાત્રી માતા સરસ્વતીનું ધ્યાન શ્રેષ્ઠ માનવામાં આવે છે.

- મા સરસ્વતીની ઉપાસના વાણી, કળા અને વૈભવથી સંપન્ન બનાવે છે.

દેવીની ઉપાસના માટે શુભ દિવસ છે વસંત પંચમી. આ દિવસે સવારે દેવી સરસ્વતીનું વિશેષ મંત્રથી સ્મરણ શિક્ષણ હો કે કાર્યક્ષેત્ર દરેકમાં મનગમતી સફળતા અને પ્રગતિની કામનાને પુરી કરે છે. પૌરાણિક માન્યતામાં આ દેવી મંત્રની સ્તુતિ પતંજલિ મુનિને દેવી ભક્ત કાત્યાયનને શાસ્ત્રાર્થમાં હરાવ્યો અને દુર્ગા સપ્તશતીના ઉત્તર ચરિત્રની મહિમા સ્થાપિત થયી.

- દેવી ઉપાસનાના વિશેષ દિવસે સ્નાન બાદ યથાસંભવ સફેદ વસ્ત્ર પહેરીને દેવી સરસ્વતીની સફેદ પૂજા સામ્રગીઓ જેમાં સફેદ ચંદન, સફેદ ફૂલ અને ફૂલ માળા, ચોખા, સફેદ વસ્ત્ર અને દૂધની મિઠાઇઓનો સમાવેશ હો, તે અર્પણ કરો.

- ધૂપ અને દીવો પ્રગટાવીને સફેદ આસન પર બેસીને દેવીને નીચે લખેલા મંત્રનું ધ્યાન કરો.

नमो देव्यै महामूर्त्र्यै सर्वमूर्त्र्यै नमो नम:।

शिवायै सर्वमाङ्गल्यै विष्णुमाये च ते नम:।।

त्वमेव श्रद्धा बुद्धिस्त्वं मेधा विद्या शिवंकरी।

शान्तिर्वाणी त्वेमवासि नारायणि नमो नम:।।

- પૂજા અને મંત્ર સ્મરણ બાદ દેવી સરસ્વતીની ધૂપ,દીવાથી આરતી કરો. સુખ- સફળતા અને પ્રગતિની કામના સાથે દેવીના ચરણોમાં વંદન કરો.


No comments:

Post a Comment