Tuesday 31 January 2012

મંગળદોષ

મંગળદોષ

 

 મંગળાદેવી
અશુભ મંગળનું ફળ બહુ ભોગવ્યું, મંગળદોષ શાંતિ કરો આ રીતે
પુરાણોમાં મંગળ ગ્રહનું જન્મ સ્થાન ઉજ્જેનને માનવામાં આવે છે. તેથી મંગળ ગ્રહની શાંતિ માટે અહિંયા આવેલા મંગળનાથ મંદિર અને અંગારેશ્વર મહાદેવની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ પ્રકારની પૂદાથી મંગળ ગ્રહ દોષની શાંતિ થાય છે અને લગ્ન યોગ્ય યુવક-યુવતીઓના લગ્નમાં માંગલિક દોષોના કારણે આવી રહેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

-મંગળવારના દિવસે મંગળ દેવની પ્રસન્નતા માટે સાધના અને ઉપાસના આ શાસ્ત્રોક્ત વિધિથી કરવી જોઈએ.

- આ દિવસે સૂર્યોદય થયા પહેલા ઉઠો. નિત્યકર્મ કરીને સ્નાન કરી પવિત્ર થઈ જાઓ.

- ઘરમાં પણ પવિત્રતા માટે ગંગાજળનો છંટકાવ કરો.

- આ દિવસે વ્રત રાખો. વ્રતી લાલ રંગના સ્વચ્છ કપડા પહેરો.

- બાદમાં ઘરના દેવસ્થાન અથવા તો મંદિરમાં લાલ રંગના અક્ષત એટલે કે ચોખા પર આઠ પાંદડીઓ વાળા ફૂલની આકૃતિ બનાવીને તેના પર સોનાથી બનાવવામાં આવેલી મંગળની મૂર્તિની સ્થાપના કરો.

- મંગળ દેવના આ 21 નામોનું ધ્યાન કરો. મંગળ, ભૂમિપત્ર, ઋણહર્તા, ધનપ્રદા, સ્થિરાસન, મહાકાય, સર્વકામાર્થ સાધક, લોહિત, લોહિતાક્ષ, સામગાનંકૃપાકર, ધરાત્મજ, કુજ, ભૂમિજા, ભૂમિનંદન, અંગારક, ભૌમ, યમ, સર્વરોગહારક, વૃષ્ટિકર્તા, પાપહર્તા અને સર્વકામફલદાતા. 

- ઓમ અંગારકાય નમ: મંત્રનો જપ પૂરી પૂજા દરમિયાન મનમાંને મનમાં ચાલુ રાખો.
- મંગળ દેવની લાલ રંગીની પૂજાની સામાગ્રીથી પૂજા કરો. લાલ ગંધ, ફૂલ, લાલ કમળ સહિત સોળ પૂજન સામગ્રિ અર્પિત કરો. લાલ કપડુ મંગળ દેવને અર્પણ કરો. ભગવાન મંગળદેવને અર્દ્ય આપવા માટે આ મંત્રનું ઉચ્ચારણ કરો, 

ભૂમિપુત્રો મહાતેજા: કુમારો રક્ત વસ્ત્રક:।
ગૃહાણાધ્યં મયા દત્તમૃણશાન્તિ પ્રયચ્છ હે।।
 
- બાદમાં ચાર દિવેટનો દિવો પ્રગટાવો. મંગળ દેવને લાલ પદાર્થ અથવા તેનાથી બનનારી ભોજન સામગ્રીનો ભોગ ધરાવો. તેમાં ગોળ, ઘંઉ અને ઘીથી બનાવેલી સામગ્રી હોઈ શકે છે. કંસાર પણ અર્પણ કરો. 21 લાડુઓનો પણ ભોગ લગાવો. તથા યથાશક્તિ ભોગ પણ ધરાવી શકો છો.

- તમારી મનોકામના અને ઈચ્છાઓ માટે મંગળ દેવને પ્રાર્થના કરો.

- વ્રત કથાનો પઠન કરો અથવા અન્ય પાસે કરાવો. કથા અને પૂજા બાદ હવન કરો. જેમાં હવન સામગ્રી તલ, ઘી અને સાકરથી બનાવેલી હોય. હવમાં ઓમ કુજાય નમ: સ્વાહા બોલીને આહૂતિ આપો.

- અંતમાં મંગળવારની આરતી કરો. પ્રસાદ વહેંચો. પોતાના જાણ્યા અજાણ્યા ખરાબ કર્મો માટે મંગળ દેવની ક્ષમા માંગો.

- પૂજા-હવન બાદ બ્રાહ્મણોને ભોજન કરાવો. વ્રતી સમગ્ર દિવસ વ્રત રાખીને રાત્રે એક સમયે ભોજન કરો.
 
- આ પ્રકારે વિધિ-વિધાનથી પૂજા પ્રત્યેક મંગળવારે કરો. નિયત સંખ્યામાં મંગળવારે વ્રત કરો અને કામનાપૂર્તિ થયા બાદ વ્રતનું ઉજવણું કરો. ઉજવણીના દિવસે યથા શક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવો. મંગળ દેવની મૂર્તિ, 21 લાડુ અને બની શકે તો કોઈ વિદ્વાન અને યોગ્ય બ્રાહ્મણને લાલ બળદનું દાન કરો.

આ પ્રકારે મંગળવારે વ્રત વિધાનનું પાલન કરવાથી મંગળ ગ્રહની વિપરીત દશાથી મળતી પીડાઓ અને વ્યાધિઓ દૂર થઈ જાય છે. વ્રતી મહિલા અને પુરૂષની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

કુંડળીમાં મંગળ અમંગળ તો સમજો લગ્નમાં અડચણ, ઉપાય કરો

જેની કુંડળીમાં મંગળદોષ હોય તેને જીવનભર અનેક સમસ્યાઓને સમાનો કરવો પડે છે. જેમ કે, ધનની સમસ્યા, ઘર, જમીન, મિલકત વગેરે. તે સિવાય તેના લગ્નમાં પણ ઘણી જ અડચણો આવે છે. મોટાભાગના મામલાઓમાં એવા લોકોના લગ્નમાં ઘણુ મોડુ થતું હોય છે કારણ કે, માંગલિકના લગ્ન માંગલિક સાથે જ કરવાનું વિધાન છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો નીચે આપેલ ઉપાયો કરવાથી ઝડપી તમારી સમસ્યાઓનું સમાધાન થઈ જશે તથા લગ્નને લગતી પરેશાનીઓ પણ દૂર થઈ જશે.

ઉપાયઃ-
-મંગળવાના દિવસે મંગળદેવના નિમિત્તે વ્રત કરો તથા દરરોજ મંગળદેવના મંત્રોનો આસ્થાપૂર્વક જાપ કરો.

મંત્રઃ-
ऊँ क्रां क्रीं क्रौं स:भौमाय नम:


-મંગળદેવનો બીજો મંત્ર પણ ઝડપથી ફળ આપનાર છે. તેનો જાપ કરવાથી મંગળદેવ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.

ऊँ अंगारकाय विद्महे शक्तिहस्ताये धीमहि तन्नौ भौम: प्रचोदयात्।

-12 દિવસ સુધી રોજ વહેતા પાણીમાં ગોળ નાંખો.


-દરરોજ સવારે થોડું મધ ખાઓ.

-સિંદૂર રંગના ગણપતિની પૂજા અને જાપ કરો.

-છોકરા કે છોકરી, જેના લગ્ન ન થઈ રહ્યા હોય તે છોકરીના લગ્ન પીપળા સાથે અને છોકરાની લગ્ન ખેજડી(એક પ્રકારનો છોડ) સાથે કરાવી મંગળદોષ ઓછો કરી શકાય છે.

-મંગળ શાંતિ માટે મગંળનું દાન(લાલ રંગના બળદ, સોનુ, તાંબુ, મસૂરની દાળ, બતાશા, લાલ વસ્ત્ર વગેરે) કોઈ ગરીબ કે જરૂરીયાતવાળી વ્યક્તિને દાન કરો.

-મંગળ પરમ માતૃભક્ત છે. તે બધા માતા-પિતાની સેવા કરનાર ઉપર ખાસ પ્રસન્ન રહે છે તેથી મંગળવારે તમારી માતાને લાલ રંગની કોઈ વસ્તુ ઉપહારમાં આપો.

-લાલ રંગ મંગળનો વિશેષ પ્રિય રંગ છે, આથી કમ સે કમ મંગળવારના દિવસે એવી વસ્તુ જ ખાઓ જેનો રંગ લાલ હોય જેમ કે મસૂરની દાળ, ઇમરતી, સફરજન વગેરે.

આ ઉપાયો કરવાથી મંગળદોષનું નિવારણ થાય છે અને લગ્ન પણ ઝડપથી થાય છે.

મંગળ દોષ દૂર થશે, કરો શિવપૂજાનો આ સરળ ઉપાય
જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે માણસના જીવનમાં નવગ્રહોની ગતિ અને શુભ- અશુભ પ્રભાવથી થનારી ઉથલ-પાથલ કે ઉતાર- ચઢાવમાં સુખ- શાંતિ અને સ્થિરતા માટે મહાકાળ એટલે કે શિવ પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.

મંગળવારના દિવસે મંગળ ગ્રહથી આવનારા વિવાહ, સંતાન, જમીન, ધન વગેરે મુશ્કેલીઓને દૂર કરવા માટે શિવ પૂજાનો એક સરળ ઉપાય બહુ જ કારગર માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે મંગળ ગ્રહ શિવનો અંશ હોવાથી શિવ પૂજા મંગળદોષને દૂર કરનારી હોય છે.

જાણો શિવપૂજાનો નાનો અને સરળ ઉપાય

- સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી સ્વચ્છ લાલ વસ્ત્ર પહેરીને દેવાલયમાં સૌથી પહેલા શિવલિંગ પર જળ અને તેના પછી ક્રમથી દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ ચઢાવો. દરેક સામ્રગી બાદ શિવલિંગને જળથી સ્નાન કરાવો.

-પૂજા દરમિયાન ऊँ नम: शिवाय મંત્ર બોલતા રહો.

- પંચામૃત સ્નાન બાદ ગંગાજળ કે શુદ્ધજળથી સ્નાન કરાવડાવો.

- પંચામૃત સ્નાન અને પૂજા બાદ પંચોપચાર પૂજા કરો.

- તેના પછી શિવલિંગને ખાસ કરીને ભસ્મમાં ત્રિપુંડ લગાડતા નીચે લખેલો શિવ મંત્ર બોલો અને મંગળદોષથી આવી રહેલ સમસ્યાઓના અંતની કામના કરો - 



महादेवाय भीमाय त्र्यम्बकाय च शान्तये ।

ईशानाय मखघ्नाय नमोऽस्त्वन्धकघातिने ॥


- તે પછી ગંધ, ચોખા, સફેદ ફૂલ અને બિલિપત્ર ચઢાવો. નૈવેધ અર્પણ કરો. શિવને ધૂપ કે અગરબત્તી અને દીવાથી આરતી કરો.

- શિવ રુદ્રાષ્ટક, શિવમહિમ્ન સ્ત્રોત, પંચાક્ષરી મંત્રનો પાઠ અને જાપ કરો કે કરાવડાવો.

- આરતી બાદ પૂજામાં થયેલ ભુલો માટે ક્ષમા માંગો અને કામના કરો.

-બ્રાહ્મણોને દાન- દક્ષિણા ભેંટ કરો. ગાયને ઘાસ વગેરે ખવડાવો.

મંગળ દોષની બધી પરેશાનીઓ દૂર કરવા કરો આ ઉપાય

શાસ્ત્રોના મત અનુસાર મંગળ ગ્રહ શિવના તેજ થી ઉત્પન્ન થયેલો છે. જેનું પાલન પોષણ પૃથ્વીએ કર્યું છે. જેથી તે ભૂનિ પૂત્ર તરીકે પણ ઓળખાય છે.

મંગળવારે તથા અમાસના પૂજા કરવાથી મંગળ દોષને કારણે આવનાર વિઘ્નો જેવાકે વિવાહ, સ્વાસ્થ્ય કે આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. અહીં જાણીએ મંગળ પૂજાની સરળ વિધિની સાથે શિવ તથા મંગળ મંત્ર

મંગળવારે દેવાલયમાં લિંગ રૂપ મંગળ દેવની પૂજા લાલ ચંદન, લાલ ફૂલ અને ચોખાથી કરો અને નીચે લખેલા મંત્રોથી ધ્યાન તથા જપ કરો -

ધ્યાન મંત્ર -

धरणीगर्भसंभूतं विद्युत्कांति समप्रभम्। कुमारं शक्तिहस्तं च भौममावाह्यम्।
મંગળ મંત્ર -

ॐ सिद्ध मंगलाय नम: ॐ धरात्मजाय नम:
આ મંગળ મંત્રોની સાથે દેવાલયમાં શિવને જળ તથા બિલિ પત્ર અર્પણ કરો. નીચે લખેલ મંત્રોથી શિવનું સ્મરણ કરો મંગળદોષથી રક્ષાની કામના કરો -

ॐ त्रिलोकेशाय नम: ॐ अम्बिकानाथाय नम:
પૂજા તથા મંત્ર જપ પછી મંગળ તથા શિવને યથા શક્તિ નૈવેદ્ય અર્પણ કરો. ધૂપ, દિપ તથા કપૂરથી આરતી કરો.

મંગળના 3 મંત્રો દૂર કરે ધન, રોગ, વિવાહની મુશ્કેલીઓ

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં મંગળ ગ્રહ નવગ્રહોનો સેનાપતિ ગણવામાં આવે છે. તે શિવના તેજથી ઉત્પન્ન થયેલ છે અને પૃથ્વીએ તેનું પોષણ કર્યું છે. માટે તેને ભૂમિપૂત્ર પણ કહે છે.

જ્યોતિષ શાસ્ત્રોમાં જો કે મંગળ ક્રુર ગ્રહ માનવામાં આવે છે. પરંતુ શિવ અંશ હોવાથી મંગળને શુભ અને સાંસારિક સુખ આપનાર મળે છે. પરંતુ અશુભ હોય તો સંતાન, ભૂમિ, ધન, વિવાહ, પુત્ર, વિદ્યા, રોગ વગેરેથી જોડાયેલી પીડાનો સામનો કરવો પડે છે.

મંગલ દોષ શાંતિ માટે જ મંગળવાર કે શિવ કે હનુમાન ઉપાસનાના કોઈ પણ વિશેષ દિવસે વધારે શુભ માનવામાં આવે છે. જાણો, મંગળદોષ શાંતિ માટે 3 મંત્ર અસરકારક સાબિત થાય છે.

મંગળવારના દિવસે સ્નાન પછી નવગ્રહ મંદિરે લાલ પૂજા સામગ્રીઓથી મંગળની પૂજા કરવી. પૂજા પછી મંગળ દોષ શાંતિની કામના કરતા નીચે લખેલ 3 સરળ મંત્રોમાંથી કોઈ પણ એકનો જાપ કરી શકો છો.

શાસ્ત્રોના મત અનુસાર આ મંગળ મંત્રોની જપ સંખ્યા 10000 થવી જોઈએ. પરંતુ એટલા કરવા શક્ય ન હોય તો યથા શક્તિ આ મંત્રોનો જપ સવાર સાંજ કરવા જોઈએ.

બીજ મંત્ર –

ॐ क्रां क्रीं क्रौं स: भौमाय नम:।

સામાન્ય મંત્ર -

ॐ अं अंगारकाय नम:

પૌરાણિક મંત્ર -

धरणीगर्भसंभूतं विद्युत्कांति समप्रभम्।

कुमारं शक्तिहस्तं च भौममावाह्यम्।


No comments:

Post a Comment