Friday 3 February 2012

ક્યા દેવને કેવા ફૂલ ચઢાવશો

 મનોકામના પૂરી કરવા ક્યા દેવને કેવા ફૂલ ચઢાવશો
 હિન્દુ ધર્મમાં દરેક પુજા-પાઠમાં ફૂલો વિશેષ મહત્વ ધરાવે છે. દરેક ધાર્મિક કાર્યો ફૂલ વગર અધુરા માનવામાં આવે છે. દરેક ભગવાનને અમુક પ્રકારના ફૂલો પ્રિય હોય છે દેવોને પ્રિય ફૂલો ચઢાવવાથી લાભ પ્રાપ્ત થાય છે અને આપની મનોકામના પૂરી થાય છે. ક્યા ભગવાનને કેવા ફૂલ ચઢાવવા એ સંક્ષેપમાં આપણે નીચે પ્રમાણે જોઈએ.

શ્રીગણેશજી આચાર ભૂષણ અનુસાર તુલસીને છોડીને બધા પ્રકારના ફૂલ ચઢાવી શકાય છે.

શંકરજી ધતુરાના ફૂલ, હરસિંગાર તથા નાગકેસરના ફુલ, કમળની કળીઓ, કરેણના ફૂલ, આકડાના ફૂલ, કુશ વગેરે પુષ્પ ચઢાવવાનું કહેવાયું છે.

સૂર્ય નારાયણતેની ઉપાસના કુટજના ફૂલોથી કરવામાં આવે છે. આ ઉપરાંત કરેણ, કમળ, ચંપા, કેસુડા, આકડા, આશોપાલવ વગેરેના ફૂલ પણ પ્રિય છે.

ભગવતિ ગૌરી - શંકરજીને ચઢાવાતા પુષ્પો મા ભગવતીને પણ પ્રિય છે. આ ઉપરાંત બેલા, સફેદ કમળ, કેસુડા, ચંપાના ફૂલો ચઢાવી શકાય છે.

શ્રીકૃષ્ણ પોતાને પ્રિય પુષ્પોનો ઉલ્લેખ મહાભારતમાં કરે છે એ પ્રમાણે – કુમુદ, કરવરી, ચણક, માલતી, નંદિક, કેસુડા તથા વનમાળાના ફૂલ.

લક્ષ્મીજી તેને સૌથી વધુ પ્રિય પુષ્પ કમળ છે.

વિષ્ણુજીતેને કમળ, મૌલસિરિ, જૂહિ, કદમ્બ, કેવડા, ચમેલી, માલતી, વાસંતી, ચંપા, વૈજયંતીના ફૂલ વિશેષ પસંદ છે.

કોઈપણ દેવતાના પૂજનમાં કેતકીના પુષ્પ નથી ચઢાવાતા.

દેવી- દેવતાને ફૂલ ચઢાવતા ધ્યાન રાખજો આ 5 વાતો

ગવાનની પૂજા- અર્ચનામાં ફૂલને અર્પણ કરવું અત્યંત જરૂરી માનવામાં આવે છે. ફૂલ વિના કોઇપણ પૂજન કર્મ પુર્ણ થઇ શકતું નથી. એવી માન્યતા છે કે ભગવાનના પ્રિય ફૂલ અર્પણ કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોને તે મનોવાંછિત ફળ આપે છે.

દરેક માંગલિક કાર્ય અને પૂજન કર્મમાં ફૂલોનું વિશેષ સ્થાન હોય છે. દરેક- દેવી દેવતાઓને અલગ – અલગ ફૂલ પ્રિય હોય છે તે સાથે તેમને અમુક ફૂલ ચઢાવવામાં આવતા નથી. આ જ કારણથી સાવધાની સાથે પૂજા વગેરે માટેના ફૂલોને પસંદ કરવા જોઇએ.

- શિવજીની પૂજામાં માલતી, કુંદ, ચમેલી, કેવડાના ફૂલ વ્રજ્ય ગણવામાં આવે છે.

- સૂર્ય ઉપાસનામાં અગસ્ત્યના ફૂલોનો ઉપયોગ કરવો જોઇએ નહીં.

- સૂર્ય અને ગણેશ સિવાય દરેક દેવી-દેવતાઓને બિલીપત્ર ચઢાવી શકો છો. સૂર્ય અને શ્રી ગણેશને બિલીપત્ર ના ચઢાવો.

-સવારે ન્હાયા બાદ જ ભગવાન માટેના ફૂલોને તોડો કે પસંદ કરો.આમ કરવા પર ભગવાન પ્રસન્ન થાય છે.

મંગળવારે કોને અને કેમ ચઢાવવું જોઇએ લાલ ફૂલ

મંગળની પૂજામાં અમુક વસ્તુઓ જરૂરી માનવામાં આવી છે.ચોખા, લાલ ગુલાલ, કંકુ, લાલ ગુલાબ આ વસ્તુઓ એવી હોય છે જે મંગળની પૂજામાં અનિવાર્ય માનવામાં આવે છે. મંગળને આ વસ્તુઓ ચઢાવવાથી તે વ્યક્તિ પર અનુકૂળ અસર પડે છે.

ફૂલોમાં લાલ ગુલાબ જ મંગળને પ્રિય કેમ હોય છે? જો લાલ ગુલાબ ના હોય તો લાલ રંગનું કોઇપણ અન્ય ફૂલ પણ ચઢાવી શકાય.

મંગળ અગ્નિનો કારક ગ્રહ છે.તેનું સ્વરૂપ લાલ છે.મંગળ લાલ કપડા, લાલ ફૂલ વગેરેથી પ્રસન્ન થાય છે. મંગળ કોઇ રાશિમાં ખરાબ સ્થાન પર બેસેલો હોય,વિપરીત રાશિમાં સ્થિત હોય તો તે વ્યક્તિને તેના ગુસ્સાનો શિકાર થવું પડે છે.મંગળ જ્યારે ઠીક ના હોય, કે દોષ યુક્ત હોય તો તેને શીતલ અથવા ઠંડી વસ્તુઓ ચઢાવવામાં આવે છે જેમ કે ભાત, ગુલાબ, દહીં, ગુલાબ વગેરે. ગુલાબ મંગળ ગ્રહ માટે સૌથી શ્રેષ્ઠ ફૂલ છે.

લાલ રંગ મંગળનો રંગ દર્શાવે છે અને બીજી તેની પ્રકૃત્તિ શીતળ માનવામાં આવી છે. ગુલાબનો રસ અને ગંધ બન્ને જ માનવ શરીરને ઠંડક આપનારા માનવામાં આવે છે. ગુલાબનો રસ અને ગંધ માનવ શરીરને ઠંડક આપનારો માનવામાં આવે છે. મંગળ ગ્રહને લાલ ગુલાબ ચઢાવવાથી તે રંગનો લાભ તો મળે જ છે પણ તે સાથે મંગળના ક્રૂર સ્વભાવમાં શીતળતા આવે છે અને ફૂલ ચઢાવવાથી તેની ક્રૂર દ્રષ્ટિ સૌમ્ય બની જાય છે.

મંગળની પૂજામાં કેટલીક વસ્તુઓ જરૂરી માનવામાં આવી છે. ભાત અર્થાત્ ચોખા, લાલ ગુલાબ, કંકુ, લાલ ગુલાબ આ વસ્તુઓ એવી છે જે મંગળની પૂજામાં અનિવાર્ય માનવામાં આવી છે. કહેવામાં આવે છે કે મંગળની આ વસ્તુઓ ચઢાવવાથી મંગળગ્રહ વ્યક્તિને અનુકૂળ અસર કરે છે. સાથે એ પણ થાય કે ફૂલોમાં લાલ ગુલાબ જ મંગળને શા માટે પ્રિય છે? લાલ ગુલાબ ન હોય તો લાલ રંગના કોઈ બીજા ફળ પણ તેમને ચઢાવી શકાય છે. જાણો લાલ ફૂલ જ મંગળને શા માટે ચઢાવવામાં આવે છે?

મંગળ અગ્નિનો કારક ગ્રહ છે. તેનું સ્વરૂપ લાલ છે. મંગળ લાલ કપડાં, લાલ ફૂલ વગેરેથી પ્રસન્ન થાય છે. મંગળ રાશિમાં ખરાબ સ્થાન ઉપર બેઠો હોય, વિપરિત રાશિમાં બેઠો હોય તો વ્યક્તિને તેમના ક્રોધનો શિકાર થવું પડે છે. મંગળ જ્યારે સારો નથી હોતો તો તેને શીતળ અર્થાત્ ઠંડી પ્રકૃત્તિની વસ્તુઓ ચઢાવવામાં આવે છે. જેમ કે ભાત, ગુલાબ, દહીં, દૂધ વગેરે. ગુલાબ મંગળ ગ્રહ માટે સૌથી શ્રેષ્ઠ ફૂલ છે.

તે લાલ રંગનું હોય છે જે મંગળના રંગને દર્શાવે છે અને બીજું તેમની પ્રકૃત્તિ શીતળ માનવામાં આવી છે. ગુલાબનો રસ અને ગંધ બંને જ માનવ શરીરને ઠંડક આપનાર માનવામાં આવે છે. ગર્મીઓમાં ગુલાબનો શરબત પણ બનાવવામાં આવે છે જે માનવ શરીરમાં શીતળતા પ્રદાન કરે છે. મંગળ ગ્રહને લાલ ગુલાબ ચઢાવવાથી તેમના રંગનો લાભ મળે છે, મંગળ ક્રૂર સ્વભાવમાં શીતળતા આવે છે અને ફૂલ ચઢાવનારા ઉપરથી ક્રૂર દ્રષ્ટિ હટાવવા લાગે છે


 

No comments:

Post a Comment