Tuesday 7 February 2012

જમતી વખતે જરૂર કરી લેજો

જમતી વખતે જરૂર કરી લેજો આ કામ, કેમ કે...!


ભોજન કે ખાવાનું આપણને જીવિત રાખે છે. ઊર્જાવાન બનાવી રાખે છે, સ્વસ્થ્ય રાખે છે પરંતુ ભોજન દૂષિત હોય તો તેના અનેક ખરાબ પ્રભાવ સહન કરવા પડી શકે છે. આને લીધે આપણે કેવું ભોજન લેવું જોઈએ અને કેવું નહી? અને જમતી વખતે શું શું કરવું જોઈએ? આ બાબતે પણ અનેક નિયમ બતાવ્યા છે. જમવાનું જમતી અનેક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

શાસ્ત્રો પ્રમાણે ભોજન પણ પૂજનીય માનવામાં આવે છે આને લીધે જમતા પહેલા ભોજનને પ્રણામ કરવામાં આવે છે. પછી અન્ન દેવતા પાસે પ્રાર્થના કરવી જોઈએ. પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરતી વખતે પર્યાપ્ત ભોજન ઉપલબ્ધ કરાવવા બદલ તેમને ધન્યવાદ આપવા જોઈએ. તેની સાથે જ દિવ્ય મંત્રનો જાપ કરવો જોઈએ.

આમ તો શાસ્ત્રોમાં અનેક ભોજન મંત્ર બતાવવામાં આવ્યા છે જેને જમતા પહેલા બોલવામાં આવે છે તે સિવાય આપણે ગાયત્રીમંત્ર, ऊँ नम: शिवाय જેવા મંત્ર પણ બોલીને જ ભોજન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ મંત્રોના પ્રભાવથી આપણે હંમેશા જ ભોજન પ્રાપ્ત થાય છે અને દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

મંત્રોની શક્તિથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ. ભોજન પહેલા મંત્ર બોલવાથી વ્યક્તિને ભૂખ સારી રીતે લાગે છે, જમવાનું પચવામાં કોઈ સમસ્યા નથી રહેતી. સાથે જ મંત્રોની શક્તિથી ભોજનથી અસીમ ઊર્જા પ્રાપ્ત થાય છે.

ભોજન સમયે ભિક્ષુક આવે તો આ રીતે વર્તવું

જીવનની ત્રણ મૂળભૂત જરૂરિયાતો છેઃ રોટી, કપડા અને મકાન. એ પૂરી કરવા માટે બધા દિવસ-રાત ખૂબ મહેનત કરે છે, છત્તા પણ કેટલાક લોકો આ ત્રણ જરૂરિયાતોને પૂરી નથી કરી શકતા.આ કારણે જે લોકો કશું કરી નથી શકતા તે ભિખ માંગવાનું શરૂ કરી દે છે. આજે લગભગ સાર્વજનિક સ્થળ પર મોટી ચંખ્યામાં ભિખારીઓ જોવા મળે છે.

મોટાભાગે એવું થતું હોય છે કે તમે કોઈ જાહેર સ્થળ પર કંઈક ખાય રહ્યા છો ત્યારે કોઈ ભિખારી એ સમયે આવી પડે ત્યારે ઘણા લોકો તેની અવગણના કરતા હોય છે. શાસ્ત્રો અનુસાર તેની અવગણના કરવી જોઈએ નહીં . પરંતુ આપણે જે આરોગી રહ્યા હોય તેમાંથી કેટલોક ભાગ તેને આપી દેવો જોઈએ.

જો કોઈ ભિખારી સતત તમારા ભોજન સામે જોઈ રહ્યો છે તો તેની ખરાબ નજર લાગી શકે છે. જેનાથી જમવાનું બરાબર પચતું નથી અને પેટ સંબંધી બીમારી થવાની સંભાવના રહે છે, માટે જયારે સામુહિક સ્થળો પર ભોજન લો ત્યારો જો ત્યાં ભિક્ષુક હોય તો તેને થોડો ભાગ આપવો. શાસ્ત્રોમાં ભિક્ષુકનું મહત્વ બતાવવામાં આવ્યું છે. તેને ભોજન આપવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. તે માનવધર્મ પણ બતાવાયો છે કે ભુખ્યાને ટુકડો તો પ્રભુ ઢુકડો.
 

આ રીતે પીરસો જમવાનું તો નહીં લેવી પડે પેન કિલર

આયુર્વેદ ભોજન તથા અન્નને જીવન માટે શ્રેષ્ઠ માનતું રહ્યું છે અને આપણે પણ સાંભળ્યું છે કે નિરોગી તન માટે નિરોગી અન્ન જરૂરી છે- અને જો તે પ્રેમથી બનાવી, પીરસવામાં આવે તો શું કહેવું, એ માટે આપણને મોટાભાગે ઘરના ખાવામાં આ ગુણો બતાવ્યા છે, હવે જો વિજ્ઞાનિકોની વાત માનો તો જો ભોજન પ્રેમથી બનાવી ને પીરસીને જમાડવામાં આવે તો એ દર્દને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

હવે વિજ્ઞાનિકોએ એ જ વાત કહી છે જેને વર્ષોથી આપણે આપણા દાદી-નાની-મા અને પત્ની દ્વારા બનાવામાં આવતી રસોઈ દ્વારા ભોજનમાં મેળવતા આવ્યા છે. કદાચ એ આપણી પરમ્પરા અને સંસ્કૃતિની શોધયુક્ત ટેકનિક રહી છે, જેને આપણી પાછળ-પાછળ આજના વિજ્ઞાનિકો શોધ દ્વારા પ્રમાણ આપી રહ્યા છે, એ માટે જ આપણે એક મહાન સંસ્કૃતિના સંવાહક કહેવાઈએ છે.

-યૂનિવર્સિટી ઓફ મેરીલૈંડના શોધકર્તાનું માનો તો દર્દથી પીડાતા રોગીઓને જો પ્રેમથી બનાવેલું ભોજન જમાડવામાં આવે તો એ ઉપાય તેના દર્દને દૂર કરવામાં સહાયરૂપ થાય છે.
-વિજ્ઞાની કર્ટ ગ્રેનું કહેવું છે કે, આપણી ભાવનાઓ આ દુનિયાના ભૌતિક અનુભવ પર સારો કે ખરાબ પ્રભાવ પાડતી હોય છે. તેનું કહેવું છે કે સારી ભાવના પીડાને ઘટાડવા, ખુશી વધારવા અને સ્વાદને વઘારવા માં સહાયકારક નિવડે છે. આ અભ્યાસ જર્નલ સોશિયલ સાઈકોલોજીકલ એન્ડ પર્સનાલિટી સાઈન્સમાં પ્રકાશિત થયો છે.
 


 
 

No comments:

Post a Comment