Saturday 18 February 2012

મહાશિવરાત્રી

 


મહાશિવરાત્રીઃભોળાનાથને રિઝવવાનો દિવસ
ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ચૌદશના રોજ મહાશિવરાત્રીનો પર્વ મનાવવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે આ રાત્રિ ભગવાન શિવની અતિ પ્રિય રાત છે. ભગવાન શિવની પૂજા તથા જાગરણ કરવું તે જ આ પર્વની વિશેષતા છે. શિવરાત્રિમાં આખી રાત જાગવું અને શિવાભિષેક કરવાનું વિધાન છે.

મહાશિવરાત્રિ હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે. ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્થદશીના રોજ શિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ આ દિવસે જ શિવરાત્રી કેમ મનાવવામાં આવે છે એ ખૂબ જ ઓછા લોકો જાણે છે.

એવું માનવામાં આવે છે કે સૃષ્ટિની રચના આ દિવસે થઈ હતી. મધ્યરાત્રિમાં ભગવાન શિવનું બ્રહ્માના રુદ્ર રૂપમાં અવતરણ થયું હતું. પ્રલયનો સમય આ દિવસે પ્રદોષનો સમયે ભગવાન શિવ તાંડવ કરતાં-કરતાં બ્રહ્માંડને ત્રીજા નેત્રની જ્વાળાથી સમાપ્ત કરી દે છે. એટલે આ પર્વને મહાશિવરાત્રિ અથવા કાલરાત્રિ પણ કહેવામાં આવે છે.

ત્રણેય ભવની અપાર સુંદરી તથા શીલવતી ગૌરીને અર્ધાંગિની બનાવવાનાર શિવ પ્રેતો અને પિચાશોથી ઘેરાયેલા રહે છે. તેમનું રૂપ અજીબ પ્રકારનું છે. શરીર ઉપર સ્મશાનની ભસ્મ, ગળામાં સાંપોનો હાર, કંઠમાં વિષ, જટાઓમાં ગંગા અને બળદ તેમનું વાહન છે. 


ધર્મશાસ્ત્રો પ્રમાણે શિવરાત્રિના મહત્વનું વર્ણન સ્વયં ભગવાન શિવે માતા પાર્વતીએ બતાવ્યું હતું. તેમના પ્રમાણે ભગવાન શિવ રોજે-રોજ અભિષેક, વસ્ત્ર, ધૂપ તથા પુષ્પથી એટલા પ્રસન્ન નથી થતા, જેટલા શિવરાત્રિના દિવસે વ્રત-ઉપવાસ કરવાથી થાય છે.

શિવરાત્રિ ઉપર કેવી રીતે પૂજા કરશો શિવની?

બધાં જ ભોળાનાથને રિઝવવા ઇચ્છતાં હોય છે અને તે માટેનો સૌથી મહત્ત્વનો દિવસ શિવરાત્રિ આવી રહ્યો છે. નીચે પ્રમાણે જણાવેલ પૂજા કરવાથી શિવજીની પ્રસન્નતાને પામી શકાય છે.
  
આપણા જીવનની બધી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે શિવ પૂજા સર્વશ્રેષ્ઠ ઉપાય છે. શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. તેઓ પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. એવું માનવામાં આવે છે કે, મહાદેવ સૌથી ઝડપી પ્રસન્ન થતા ભગવાન છે. જે ભક્તો શિવરાત્રિ ઉપર ભગવાન શંકરની પૂજા કરે છે તેને બધા જ સુખ પ્રાપ્ત થાય છે.


શિવરાત્રીના દિવસે પ્રાતઃકાળે ઊઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને ત્રિદલવાળા સુંદર, સાફ, ક્યાંયથી કપાયેલ ન હોય તેવા કોમળ બિલ્વપત્ર પાંચ, સાત, નવ વગેરે સંખ્યામાં લો. અક્ષત અટલે કે ચોખાના દાણા લો.

સુંદર સાફ લોટા કે કોઈ પાત્રમાં જળ, જો શક્ય હોય તો ગંગાજળ લો, દૂધ લો. ત્યાર બાદ પોતાના સામર્થ્ય અનુસાર ગંધ, ધૂપ-અગરબત્તી, ચંદન વગેરે લો.

આ બધો સામાન સ્વચ્છ પાત્રમાં એકત્રિત કરીને શિવમંદિરમાં જાઓ. જો શિવમંદિર ન હોય તો બિલ્વના વૃક્ષ પાસે જાઓ.

શિવલિંગને સ્વચ્છ જળ અને દૂધથી સ્નાન કરાવો. ત્યાર બાદ તેના પર અક્ષત ચઢાવો, પુષ્પ ચઢાવો. હવે હળદર-ચંદન વડે શિવલિંગ પર લેપ કરો.


ત્યાર બાદ ભગવાનને ધૂપ અર્પણ કરો અને ‘ૐ નમઃ શિવાય’ મંત્ર બોલતાં બોલતાં બિલ્વપત્ર ચઢાવો. સૌથી છેલ્લે પોતાનાં પાપોની ક્ષમાયાચના માગો.


રાતના પ્રથમ પહોરમાં સાંજે 6 વાગ્યાથી શિવ ષોડષોપચાર પૂજા કરો તથા શેરડીના રસથી અભિષેક કરવાથી બધા પ્રકારના ભોગની પ્રાપ્તિ થાય છે. રાત્રે 9 વાગ્યે બીજી પૂજા શરૂ કરો તથા દહીંથી અભિષેક કરો. તેનાથી ભગવાન પ્રસન્ન થતા ધનની પ્રાપ્તિ થાય છે. રાતે 12 વાગે ત્રીજા પહોરમાં ત્રીજુ પૂજન શરૂ કરો તથા દૂધથી અભિષેક કરો. આ પૂજાથી પ્રસન્ન થઈ ભગવાન સોનાનું પ્રદાન કરે છે. રાત્રે 3 વાગ્યે ચોથુ તથા અંતિમ પૂજન કરવાથી શિવ પ્રસન્ન થઈ સમસ્ત ભોગ તથા મોક્ષ પ્રદાન કરે છે. દરેક અભિષેક પૂજા કર્યા બાદ આરતી ચોક્કસપણે કરો. સવારે કોઈ બ્રાહ્મણને ભોજન કરાવી પછી તમારું વ્રત પૂર્ણ કરો.

મહાશિવરાત્રીની ઉજવણી સમગ્ર ભારતમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ભોળાનાથને ભાંગ ચઢાવીને પોતે પ્રસાદ લે છે. રાખી રાત શિવપૂજન કરાય છે અને ભજન ગવાય છે.

 

શિવપૂજામાં કંઈ વસ્તુથી કયું ફળ પ્રાપ્ત થાય છે?



શિવપૂજામાં અનેક પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ભોલેનાથને મનાવવા માટે શિવ અભિષેક સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. અલગ-અલગ મનોકામનાઓ માટે અલગ-અલગ વસ્તુઓથી શિવજીને અભિષેક કરવામાં આવે છે.

-ભગવાન શિવને દૂધની ધારાથી અભિષેક કરવાથી મૂર્ખ પણ બુદ્ધિમાન બની જાય છે. ઘરમાં કલેહ શાંત થઈ જાય છે.

-જળની ધારાથી અભિષેક કરવાથી જુદાં-જુદાં પ્રકારની કામનાઓની પૂર્તિ થાય છે.

-ઘૃત ઘીની ધારાથી અભિષેક કરવાથી વંશ વિસ્તાર, રોગોનો નાશ તથા નપુંસકતા દૂર થાય છે.

-અત્તરની ધારા થી ભોગની વૃદ્ધિ થાય છે.

-મધથી ટીબી જેવા રોગો નાશ થાય છે.

-ઈખ(શેરડીના સાંઠા)થી આનંદ પ્રાપ્તિ થાય છે.

-ગંગાજળથી ભોગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે.



મહામૃત્યુંજય મંત્ર




જીવનયાત્રામાં અનેક અનિશ્ચિત, વિચાર્યા વગરની અને અપ્રિય ઘટનાઓનો સામનો કરવો પડે છે. કોઈ પ્રિયજનનું મૃત્યુ થાય એટલી પીડા આપણે અનેક વાર સહન કરીએ છીએ. સાથે જ રાહત માટે જે ઉપાયો અજમાવવામાં આવે છે તે પણ ક્યારેક કારગત સાબિત નથી થતા. એવી વિકટ સ્થિતીનો સામનો સામાન્ય માણસ કેવી રીતે કરે ? તેનું જ એક અચૂક કારણ ધર્મશાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે.

મહામૃત્યુંજયની ઉપાસના માટે મહામૃત્યુંજય મંત્ર ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ મંત્રના અલગ અલગ સ્વરુપ કષ્ટને દૂર કરનારા તથા મનોરથ પૂર્ણ કરનારા માનવામાં આવે છે. આ કડીમાં જ્યારે જીવ પર સંકટ આવે ત્યારે મહામૃત્યુંજયનો અચૂક મંત્ર, જે પૂર્ણ મહામૃત્યુંજય કહેવામાં આવે છે તેનું ઉચ્ચારણ કે જાપ કરવામાં આવે છે.

આ મંત્રના ઉચ્ચારણ માટે પરિજન મહાદેવનું સ્મરણ કે સમય થતા પૂજા અને સંકલ્પની સાથે સ્વયં કે કોઈ વિદ્વાન બ્રાહ્મણને દાન- દક્ષિણા આપવી જોઈએ.



શિવ રુદ્રાષ્ટક

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક મંત્ર, સ્તુતિ અને સ્ત્રોત્રની રચના કરવામાં આવી છે. તેના જાપ અને ગાન કરવાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થાય છે. શિવ રુદ્રાષ્ટક પણ આમાંથી એક છે. જો દરરોજ શિવ રુદ્રાષ્ટકનો પાઠ કરવામાં આવે તો બધા પ્રકારની સમસ્યાઓનું નિદાન આપમેળે જ થઈ જાય છે. સાથે જ ભગવાન શિવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિ, શ્રાવણ અથવા ચતુર્થદશી તિથીના રોજ આ જાપ કરવામાં આવે તો વિશેષ ફળ મળે છે.

શિવ રુદ્રાષ્ટક

नमामीशमीशान निर्वाण रूपं, विभुं व्यापकं ब्रह्म वेद: स्वरूपम्।

अजं निर्गुणं निर्विकल्पं निरीहं, चिदाकाश माकाशवासं भजेऽहम्॥

निराकार मोंकार मूलं तुरीयं, गिराज्ञान गोतीतमीशं गिरीशम्।

करालं महाकाल कालं कृपालुं, गुणागार संसार पारं नतोऽहम्॥

तुषाराद्रि संकाश गौरं गभीरं, मनोभूत कोटि प्रभा श्री शरीरम्।

स्फुरन्मौलि कल्लोलिनी चारू गंगा, लसद्भाल बालेन्दु कण्ठे भुजंगा॥

चलत्कुण्डलं शुभ्र नेत्रं विशालं, प्रसन्नाननं नीलकण्ठं दयालुम्।

मृगाधीश चर्माम्बरं मुण्डमालं, प्रिय शंकरं सर्वनाथं भजामि॥

प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं, अखण्डं अजं भानु कोटि प्रकाशम्।

त्रय:शूल निर्मूलनं शूलपाणिं, भजे अहं भवानीपतिं भाव गम्यम्॥

कलातीत-कल्याण-कल्पांतकारी, सदा सज्जनानन्द दातापुरारी।

चिदानन्द सन्दोह मोहापहारी, प्रसीद-प्रसीद प्रभो मन्माथारी॥

न यावद् उमानाथ पादारविन्दं, भजंतीह लोके परे वा नाराणम्।

न तावत्सुखं शांति संताप नाशं, प्रसीद प्रभो सर्वभुताधिवासम् ॥

न जानामि योगं जपं नैव पूजा, न तोऽहम् सदा सर्वदा शम्भू तुभ्यम्।

जरा जन्म दु:खौद्य तातप्यमानं, प्रभो पाहि आपन्नमामीश शम्भो॥

रूद्राष्टक इदं प्रोक्तं विप्रेण हरतोषये,

ये पठंति नरा भक्त्या तेषां शम्भु प्रसीदति ॥




શિવ મંત્ર
ઘબરાહટ ભયનું જ રૂપ છે. જેને રોજિંદા જીવનમાં દરેક માણસ કોઈને કોઈ કારણે અનુભવતો હોય છે. શરીરની કમજોરી હોય કે પછી કોઈ સ્પર્ધા હોય, પરીક્ષાની તૈયારી કરવાની હોય કે પરિણામ આવવાનું હોય તે પહેલા થોડો ઘણો ડર તો વ્યક્તિને રહે છે.

એવી મુશ્કેલીના સમયે ધર્મમાં આસ્થાવાન વ્યક્તિ ભગવાનને ચોક્કસ યાદ કરે છે. આને લીધે શાસ્ત્રોમાં મુશ્કેલી ભર્યો સમય પણ ટાળવા અને તેની સામે રક્ષણ મેળવવા કેટલાક દેવતાઓનું સ્મરણ કરવું ખૂબ જ પ્રભાવશાળી ગણવામાં આવ્યું છે.

જો કે મંત્ર દૈવીય શક્તિઓના આહવાનથી શુભફળ મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. એટલે દુઃખહર્તા અને સુખહર્તા ભગવાન શિવના આ મંત્ર તમારી મુસીબતોમાં સહારો બને છે.

શિવના આ મંત્રોનો કોઈ પણ મુશ્કેલીભર્યા સમયે મનોમન બોલવાથી ખરાબ પરિણામોને રોકે છે. શક્ય હોય તો દૂધ અને જળ મેળવી નીચે આપેલા સરળ મંત્રોથી શિવજીને અર્પિત કરો...

ॐ नमो नीलकण्ठाय

ॐ ह्रीं ह्रौं नम: शिवाय
 
 
શિવની આરાધના કયા સમયે કંઈ દિશામાં બેસીને કરવી શુભ અને પ્રભાવશાળી હોય છે. જાણીએ...

-ભગવાન શિવની પૂજા કે આરાધના રાત્રે ઉત્તર દિશા તરફ મોં રાખીને કરવી જોઈએ.

-સવારના સમયે શિવ પૂજા પૂર્વ દિશા તરફ મોં રાખીને કરવી જોઈએ.

-તો સાંજના સમયે શિવ આરાધના પશ્ચિમ દિશા તરફ મો રાખીને કરવાથી સિદ્ધિ માટે શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવી છે.
 

શિવરાત્રિએ બીલીપત્ર ચઢાવવાનું સૌથી મહત્વનું શા માટે?
શિવ આદિ અને અનંત છે. જે વસ્તુઓને સંસારમા બીનઉપયોગી કે ગ્રહણ કરવા યોગ્ય માનવામાં નથી માનતો, જેવા કે ભાંગ, ધતૂરો, આંકડો, બીલીપત્ર તે બધા જ શિવને પ્રિય છે. અર્થાત્ શિવ તો એવા છે કે તેમને શ્રદ્ધાથી અર્પિત કરેલા કાંટાને પણ પ્રેમથી સ્વીકાર કરી લે છે. કહેવાય છે કે શિવની પૂજા કરવાથી દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે.

એવું માનવામાં આવે છે કે, આ દિવસે શિવની પૂજા-અર્ચનાથી ભક્તો ઉપર તેમની વિશેષ કૃપા થાય છે. આ દિવસે શિવજીના પૂજન સમયે બીલીપત્ર વિશેષ રીતે અર્પિત કરવામાં આવે છે. કારણ કે બીલ્વાષ્ટક પ્રમાણે બીલ્વપત્રમાં ત્રણ પાના હોય છે જે ત્રણ શક્તિઓ અર્થાત્ ત્રિદેવનું સ્વરૂપ હોય છે.

એવી માન્યતા છે કે શિવને બીલીપત્ર ચઢાવવાથી ત્રણ જન્મોના આર્થિક, શારીરિક અને માનસિક કષ્ટ નષ્ટ થઈ જાય છે. તેની સાથે બીજુ કારણ એ છે કે બીલીપત્ર એક પ્રકારની ઔષધી છે અને તે અનેક પ્રકારની બીમારીઓને મટાડે છે. તેને શિવના મંત્રોની સાથે અર્પિત કરી ગ્રહણ કરવાથી દિલને લગતી બીમારીઓ અને ડાયાબિટીસ જેવા રોગોમાં પણ લાભ થાય છે.  
 

ક્યા ફૂલ વડે શિવની ઉપાસના કરશો


હિન્દૂ ધર્મમાં ભગવાન શિવને આષુતોશ કહેવામાં આવે છે.તેનો અર્થ એ છે કે તે સાધારણ ઉપાસનાથી પણ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. તેથી જો શિવની ગહન વિધિ-વિધાનથી પૂજા શક્ય ન હોય તો શાસ્ત્રોમાં માત્ર પંચોપચાર પૂજા વડે શિવને અલગ-અલગ જાતના ફૂલો અર્પણ કરી અલગ-અલગ ઇચ્છાઓને પૂરી કરવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે.
 

શિવની ઉપાસના વડે ભૌતિક સુખ-સુવિધાઓ અને કામનાઓને પૂર્ણ કરવા માટે સોમવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસે શિવ પૂજામાં અલગ-અલગ ફૂલો ચઢાવવાનું વિશેષ મહત્વ છે. તમે જાણો છો કે કઇ મનોકામના પૂર્ણ કરવા કયું ફૂલ અર્પણ કરવું.- 

- વાહન સુખ માટે ચમેલીનું ફૂલ ચઢાવવું. - પૈસાદાર બનવા માટે કમળનું ફૂલ, શંખપુષ્પી અથવા બિલિપત્ર.- લગ્નની સમસ્યા દૂર કરવા માટે ચમેલીનું ફૂલ ચઢાવવા આનાથી યોગ્ય વર-કન્યા મળે છે.- પુત્ર પ્રાપ્તિ માટે લાલ ફૂલવાળો ધતુરો શિવને ચઢાવવો. જો આ ન મળી શકે તો સામાન્ય ધતુરો પણ ચઢાવી શકો છો.- માનસિક તણાવ દૂર કરવા માટે શિવને પારિજાત અથવા રાતરાણીના ફૂલ ચઢાવવા.- જૂહીના ફૂલ ચઢાવવાથી અપાર અન્ન-ધનની ખોટ વર્તાતી નથી. - અગસ્ત્યના ફૂલથી શિવની પૂજા કરવાથી પદ, સન્માન મળે છે.- શિવ પૂજામાં કરણના ફૂલો અર્પણ કરવાથી વસ્ત્ર-આભૂષણની ઇચ્છા પૂરી થાય છે.- લાંબા આયુષ્ય માટે ધરો વડે શિવ પૂજન કરો.- સુખ-શાંતિ અને મોક્ષ માટે તુલસીના પાન વડે અથવા સફેદ કમળના ફૂલો વડે શિવની પૂજા કરવી


દરેક મનોકામના પૂર્ણ કરે આ શિવ સ્ત્રોત



ભગવાન શંકરની મહિમાનું વર્ણન અનેક ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યું છે. બધામાં એક જ વાત કહેવામાં આવી છે કે, શિવ પોતાના ભક્તોનું કલ્યાણ કરવા માટે તત્પર રહે છે. જો એક લોટો દરરોજ શિવને ચઢાવવામાં આવે તો પણ શિવ પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શંકરની પૂજાથી બધા પ્રકારના સુખોની પ્રાપ્ત સંભવ છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જો શિવષડક્ષરસ્ત્રોતના નિત્ય જાપ કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે--

શિવષડક્ષરસ્ત્રોચત્રમ્

ऊँकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायंति योगिन:।

कामदं मोक्षदं चैव ओंकाराय नमो नम:।।

नमंति ऋषयो देवा नमंत्यप्सरसां गणा:।

नरा नमंति देवेशं नकाराय नमो नम:।।

महादेवं महात्मानं महाध्यानं परायणम्।

महापापहरं देवं मकाराय नमो नम:।।

शिवं शान्तं जगन्नाथं लोकनुग्रहकारकम्।

शिवमेकपदं नित्यं शिकाराय नमो नम:।।

वाहनं वृषभो यस्य वासुकि: कंठभूषणम्।

वामे शक्तिधरं देवं वकाराय नमो नम:।।

यत्र यत्र स्थितो देव: सर्वव्यापी महेश्वर:।

यो गुरु: सर्वदेवानां यकाराय नमो नम:।।

षडक्षरमिदं स्तोत्रं य: पठेच्छिवसंनिधौ।

शिवलोकमवाप्नोति शिवेन सह मोदते।।



દરેક પળને આનંદિત બનાવશે શિવપૂજા



શું તમે પણ અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલા છો , તમને હંમેશા સમયના અભાવનો અનુભવ થાય છે. તમે માનસિક, શારિરીક કે આર્થિક સ્વરુપે પીડિત છો અને ઈચ્છીને પણ દેવ ઉપાસના કરવાથી દૂર છો અને અહીં દર્શાવવામાં આવ્યા છે દેવપૂજાના કેટલાક સરળ ઉપાય. આ ઉપાયો છે દુખ અને પીડાને દૂર કરનારા. એ ઉપાયો છે ભોલેનાથ એટલે કે શિવની ઉપાસના. સોમવારના દિવસે શિવની ઉપાસની અને પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. સપ્તાહમાં એક વાર સોમવારે શિવની ઉપાસના કરવાથી તમે જીવનમાં આનંદ, પ્રેમ અને વિશ્વાસ તથા શાંતિનો અનુભવ કરી શકશો.

- સોમવારના દિવસે સવારે સમય કાઢીને સવારે જલ્દી સ્નાન કરવું.

- ઘર કે દેવસ્થાનની નજીક શિવ મંદિરમાં યથાસંભવ સફેદ કે સ્વચ્છ વસ્ત્ર પહેરીને જવું. ભગવાન શંકરની પ્રતિમા કે શિવલીંગને પ્રથમ પવિત્ર જળખી, ફક્ત પંચામૃત એટલે કે દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડથી ऊँ नम: शिवाय मंत्र બોલીને અભિષેક કરવો.

- ત્યાર બાદ કેસર મિશ્રિત દૂધથી શિવનો અભિષેક કરવો.

- શિવલીંગને ફરીથી સ્વચ્છ પાણીથી સ્નાન કરાવવું અને ત્યાર બાદ ગંધ, અક્ષત, ફૂલ, શમી , બિલીપત્ર અને ખાસ કરીને સફેદ આંકડો, પીળું સરસવ અને નાગકેસર જરુર ચઢાવવા.

- શિવને વિશેષ સ્વરુપથી દહીં ભેળવીને રાંધેલા ચોખાનો ભોગ ચઢાવવો.

- અંતમાં શિવલિંગ પર ઓમ બનાવીને ઘીના દીપથી શિવની આરતી કરવી.

- ક્ષમાપ્રાર્થના કરીને સુખની કામના કરવી અને પ્રાર્થના કરવી.



રુદ્રાક્ષની ઉત્પતિ પાછળ જોડાયેલ છે, આવું રહસ્ય!
દ્રાક્ષની ઉત્પતિ શિવના આંસૂઓથી થઈ હોવાની માનવામાં આવે છે. આ વિશે પુરાઓમાં એક કથા પ્રચલિત છે. કહેવાય છે કે એકવાર ભગવાન શિવે પોતાના મનને વશમાં કરી દુનિયાના કલ્યાણ માટે સેકંડો વર્ષો સુધી તપ કર્યું. એક દિવસ અચાનક તેમનું મન દુઃખી થઈ ગયું. જ્યારે તેમને પોતાની આંખો ખોલી તો તેમાંથી કેટલાક આંસૂ પડ્યા. તે આંસૂના ટીપા જથી જ રુદ્રાક્ષ નામના ઝાડની ઉત્પતિ થઈ. શિવ ભગવાન હંમેશા પોતાના ભક્તો ઉપર કૃપા કરે છે. તેમની લીલા જ તેમના આંસૂ ઠોસ આકાર(જડ) થઈ ગયા. જનધારણા છે કે જો શિવ-પાર્વતીને પ્રસન્ન કરવા હોય તો રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ.

રુદ્રાક્ષ કેટલા પ્રકારના હોય છેઃ-

રુદ્રાક્ષના આકારના હિસાબે ત્રણ ભાગમાં તેને વહેંચવામાં આવ્યા છે-

1-ઉત્તમ શ્રેણીઃ- જે રુદ્રાક્ષ આકારમાં આમળાના ફળ જેવડા હોય તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

2-મધ્યમ શ્રેણીઃ- જે રુદ્રાક્ષ આકારમાં બોર જેવડા હોય તેને મધ્યમ શ્રેણીમાં આવે છે.

3-નિન્મ શ્રેણી- ચણાના આકારના રુદ્રાક્ષને નિન્મ શ્રેણીના ગણવામાં આવે છે.

જે રુદ્રાક્ષને કીડાઓને ખરાબ કરી દીધા હોય કે તૂટેલા-ફૂટેલા હોય કે ગોળ ન હોય, જેમાં દાણા ઊભરેલા ન હોય. એવું રુદ્રાક્ષ ન પહેરવું જોઈએ.

જે રુદ્રાક્ષમાં આપમેળે જ દોરો પીરવવા માટે છેદ થઈ ગયો હોય તે ઉત્તમ રુદ્રાક્ષ ગણાય છે.



 સોમનાથ ~ ગુજરાત 
માંલ્લીકાર્જુના ~ આન્ધ્રપ્રદેશ 

મહાકાલેશ્વર ~ ઉજ્જૈન,  મધ્ય  પ્રદેશ 

ઓમકારેશ્વર  / મમલેશ્વર ~ મધ્ય  પ્રદેશ

બૈદ્યનાથ ધામ  / વૈડ્યાનાથમ ~ પરલી,  દેઓગર્હ  બિહાર 

ભીમાંસંકારા ~ ધાકીની, મહારાષ્ટ્ર
રામેશ્વરમ ~ સેથુબંધ ~ તમિલ  નાડુ 

નાગનાથ / નાગેશ્વર ~ ગુજરાત 

કાશી વિશ્વનાથ  ~ બનારસ  / વારાણસી  ઉત્તર  પ્રદેશ

ત્ર્યમ્બકેશ્વર ~ ગોદાવરી,  મહારાષ્ટ્ર

કેદારનાથ ~ હિમાંલાયાસ,  ઉત્તરાંચલ 

ગ્રીનેશ્વર ~મહારાષ્ટ્ર



જીવનમાં આ 12 જ્યોતિર્લિંગના દર્શન, ભવસાગર તરી જશો!

ભગવાન શિવજીના જયોતિર્મય સ્વરૂપ એવાં દ્વાદશ જયોતિલિંગો ભારતમાં આઠ રાજ્યોમાં આવેલાં છે. જયોતિલિંગની યાત્રા માત્ર ધાર્મિક કારણોસર જ મહત્વની છે એવું નથી. આ યાત્રા આપણને સૌને ભારતભ્રમણ કરવાની અને તેના દ્વારા ભિન્ન રાજ્યો કે પ્રદેશો, તેમની સંસ્કૃતિ, રીતરિવાજ અને કુદરતી સૌંદર્ય જોવાની પણ તક પૂરી પાડે છે. શિવપુરાણ કોટિરુદ્ર સંહિતામાં દ્વાદશ જયોતિલિંગના સ્થળો અંગેનો ઉલ્લેખ છે.

દ્વાદશ જયોતિલિંગના સ્થાન અંગેની જાણકારી આપતા શિવપુરાણના ઉપરોકત શ્લોકનું અર્થઘટન એવું છે કે...

ગુજરાતના સૌરાષ્ટ્રમાં સોમનાથ,

આંધ્ર પ્રદેશના શ્રી શૈલ પર્વત પર મલ્લિકાર્જુન,

મધ્યપ્રદેશના ઉજજૈનમાં મહાકાળેશ્વર અને ખંડવા પાસે

નર્મદા નદીના કિનારે ઓમકારેશ્વર,

ઉત્તરાખંડના હિમાલયમાં કેદારનાથ,

મહારાષ્ટ્રમાં ડાકિનીક્ષેત્રમાં ભીમાશંકર,

ઉત્તરપ્રદેશના વારાણસીમાં વિશ્વેશ્વર અથવા કાશી વિશ્વનાથ,

મહારાષ્ટ્રમાં નાસિક પાસે ગોમતી નદીના તટ પર ત્રયંબકેશ્વર,

ઝારખંડમાં ચિતાભૂમિમાં વૈજનાથ,

ગુજરાતમાં દારુકાવનમાં નાગેશ્વર,

તામિલનાડુના સેતુબંધમાં રામેશ્વરમ્ અને


-મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે શિવાલયમાં ઘૃણેશ્વર જયોતિલિંગ આવેલાં છે. શિવપુરાણનો આ શ્લોક કહે છે કે દ્વાદશ જયોતિલિંગનું નામસ્મરણ પણ ઘણું ફળદાયી છે.

દ્વાદશ જયોતિલિંગમાં સમુદ્રકિનારે સોમનાથ અને રામેશ્વરમ્, નદીકિનારે મહાકાળેશ્વર, ઓમકારેશ્વર અને કાશી વિશ્વનાથ, પર્વતોની વચ્ચે કેદારનાથ, મલ્લિકાર્જુન, ત્રયંબકેશ્વર અને ભીમાશંકર તથા મેદાની પ્રદેશમાં વૈજનાથ, નાગેશ્વર અને ઘુષ્ણેશ્વર જયોતિલિંગો આવેલાં છે.

દ્વાદશ જયોતિલિંગનાં સ્થળો અંગે વિવિધતા

દ્વાદશ જયોતિલિંગ પ્રત્યેક હિન્દુ શ્રદ્ધાળુ માટે પવિત્ર અને પૂજનીય છે. શિવપુરાણના મૂળ શ્લોક ઉપરાંત તેના સ્થન દર્શાવતો તેના જેવો જ અન્ય શ્લોક પણ પ્રચલિત બન્યો. આ શ્લોક બ્રૃહત્સ્તક્ષેત્રરત્નાકર: નામના ગ્રંથમાં છે. તેમાં નાગેશ્વર, વૈજનાથના ભૌગોલિક સ્થાન અંગે ભિન્ન અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવ્યા છે.

ઉપરોકત શ્લોક પરથી જણાઇ આવશે કે મહારાષ્ટ્રમાં મરાઠવાડા ક્ષેત્રમાં પરલી ગામે આવેલા વૈધ્યનાથને અને ઔઢા ગામે આવેલા નાગનાથને જયોતિલિંગ માનવામાં આવે છે. આ ઉપરાંત, ઉત્તરાખંડના કુમાઉમાં આવેલા જાગેશ્વરને પણ નાગેશ્વર જયોતિલિંગ તરીકે અને આસામમાં ગુવાહાટી પાસે આવેલા ભીમાશંકરને જયોતિલિંગ તરીકે ઓળખવામાં આવે છે.

શા માટે સ્થળોમાં વિવિધતા

દ્વાદશ જયોતિલિંગના ભૌગોલિક સ્થાનો અંગે શા માટે ભિન્ન અભિપ્રાયો ઉદભવ્યા હશે તેનું કોઇ ચોક્કસ કારણ નથી. અભ્યાસુઓનો એક વર્ગ માટે છે કે હિન્દુ ધર્મમાં મોટા ભાગના શ્લોકોની ગ્રંથસ્થના બદલે કંઠસ્થની પરંપરા રહી છે. ભારતીય સંસ્કૃતિમાં શ્લોકરૂપી જ્ઞાન ગ્રંથના બદલે કંઠસ્થ સ્વરૂપે રાખવાની પરંપરા રહી હોવાથી સંભવ છે કે દ્વાદશ જયોતિલિંગના સ્થાનના અર્થઘટન અંગે ભિન્ન અભિપ્રાયો ઉદ્ભવ્યા હોય.

વ્યવહારુ અભિગમ

દ્વાદશ જયોતિલિંગોની યાત્રાએ નીકળતા શ્રદ્ધાળુઓને અહીં પ્રશ્ન થાય છે કે તેમણે ક્યાં સ્થળોની યાત્રા કરવી? વિદ્વાનો તેનો સરળ અને વ્યવહારુ અભિગમ બતાવે છે કે મુખ્ય ૧૨ જયોતિલિંગોની યાત્રા ઉપરાંત જો અનુકૂળતા હોય તો મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ કે આસામના જયોતિિલઁગોની યાત્રા પણ કરવી. આમ ૧૨ના બદલે ૧૪ કે ૧૫ જયોતિલિંગની યાત્રા પણ કરી શકાય.

દ્વાદશ જયોતિલિંગ પછી પશુપતિનાથની યાત્રા

દ્વાદશ જયોતિલિંગની યાત્રા પૂર્ણ કર્યા બાદ પશુપતિનાથની યાત્રાએ જવાની પણ પરંપરા છે. પશુપતિનાથની યાત્રા પાછળનું કારણ પણ રસપ્રદ છે. દ્વાદશ જયોતિલિંગોમાંના એક કેદારનાથમાં જે લિંગ છે, તે અડધું છે. ધાર્મિક કથા પ્રમાણે કેદારનાથનું લિંગ તે શિવજીનું શરીર છે. શિવજીના મસ્તકનો ભાગ પશુપતિનાથમાં છે. આમ, પશુપતિનાથનાં દર્શન બાદ જ જયોતિલિંગ યાત્રા પૂર્ણ થઇ હોવાનું માનવામાં આવે છે.


 શિવ શા માટે લગાવે છે પોતાના શરીર પર ભસ્મ?

ભગવાન શિવ અદભૂત અને અવિનાશી છે તેનાથી વિશેષ આ સંસારમાં કંઈ પણ સત્ય નથી ભગવાન શિવ જેટલા ,રળ છે તેટલા રહસ્યમય પણ છે. તેનું રહેવાનું, પહેરવાનું, ગણ આ બધા ઢંગ કંઈક અલગ છે.

આપણા ધર્મગ્રંથોમાં જ્યારે બીજા દેવી-દેવતાને વસ્ત્રાભૂષણથી સુસજ્જિત બતાવવામાં આવ્યા છે ત્યાં ભગવાન શિવને માત્ર મૃગચર્મ પહેરેલા અને ભસ્મ લગાવેલા બતાવવામાં આવ્યાછે. ભસ્મ શિવજીનું મુખ્ય વસ્ત્ર માનવામાં આવે છે કારણ કે ભસ્મથી શંકરનું પૂરું શરીર ઢંકાયેલું છે. અઘોરી, સંન્યાસી અને અન્ય સાધુઓ પણ તેના શરીર પર માત્ર ભસ્મ લગાવે છે.

શિવજીના ભસ્મ લગાવવા પાછળ વૈજ્ઞાનિક તથા અધ્યાત્મિક કારણ પણ છે. ભસ્મની એક વિશેષતા હોય છે કે તે શરીરના રોમને બંધ કરી દે છે. તેનો મુખ્ય ગુણ છે કે ભસ્મ લગાવવાથી ગરમીમાં ગરમી તથા ઠંડીમાં ઠંડી લાગતી નથી. ભસ્મ ચામડીના રોગો માટે દવાનું કામ કરે છે. ભસ્મ ધરણ કરનાર શિવજી આ સંદેશ આપે છે કે દરેક મનુષ્ય એ પરિસ્થિતિ પ્રમાણે અનુસરવું જોઈએ.


મહામૃત્યુંજય મંત્ર

ૐ નમઃ શિવાય’ મંત્ર

શમ્ભુ શરણે પડી ~ શિવ સ્તુતિ


૧૨ જ્યોતિલિંગ ના દર્શન


૧૨ જ્યોતિલિંગ ના દર્શન



વડોદરા શહેર પ્રાચીન કાળથી વિશિષ્ટ સ્થાપત્યો અને મંદિરોનો વારસો ધરાવે છે. ગાયકવાડી શાસન દરમિયાન જ્યારે શહેર ચાર દરવાજા વિસ્તાર સુધી જ વિકસ્યું હતું. ત્યારે કુદરતી પ્રકોપથી રક્ષણ મેળવવા માટે શહેરની આસપાસ મહાદેવનાં નવ મંદિરોની સ્થાપના થઇ હતી. શહેરમાં આવેલા સૌથી પ્રાચીન નવ શિવમંદિરોમાં શ્રાવણમાસ ઉપરાંત મહાશિવરાત્રિએ પરિક્રમા કરી ઈચ્છિત ફળ મેળવવાનું માહાત્મય લોકોમાં જોવા મળે છે. ત્યારે મહાશિવરાત્રીના પર્વે શહેરના લોકોની આસ્થા સાથે જોડાયેલાં આ નવનાથ મંદિરોની સફર અત્રે રજૂ કરી છે...

આ વર્ષે મહાશિવરાત્રિનું મહાપર્વ વર્ષો બાદ સોમવારે આવ્યું હોઇ આ મહાપર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી માટે શિવભકતોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો છે. શહેરના શિવમંદીરો ઉપરાંત જિલ્લાના કરનાળી સ્થિત શ્રી કુબેરેશ્વર મહાદેવ, કાયાવરોહણ સ્થિત ભગવાન લકુલેશ મહાદેવ અને કાવી-કંબોઇ ખાતેના સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિએ ભકતોનો માનવમહેરામણ ઉમટી પડવાની શક્યતાને લઇ મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરાઈ છે.

મહાશિવરાત્રિ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે શ્રદ્ધાળુઓએ આજે ભોળાનાથનાં પૂજન-અર્ચન માટે દૂધ, બિલ્વપત્ર, ફૂલની ખરીદી કરી હતી. એટલું જ નહીં ફૂલ બજારમાં આજે મોડી સાંજ સુધી શ્રદ્ધાળુઓનો ધસારો રહ્યો હતો. આ સાથે મંદિરોમાં પણ એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું હતું. શહેરનાં શિવાલયોમાં સોમવારે સાંજ પછી ભક્તિ સંધ્યા અને ડાયરાના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

ભાંગના ભાવમાં વધારો છતાં ખરીદી માટે બોલબાલા

ચાલુ વર્ષે ભાંગના ભાવમાં વધારો થયો છે. ૧૦૦ ગ્રામ ભાંગની કિંમત રૂ.૪૦૦ થવા છતાં મહાશિવરાત્રિ પર્વે ભોળાનાથને ભાંગનો પ્રસાદ અર્પણ કરવા માટે ભકતોએ મોંઘા ભાવની ભાંગ ખરીદી હતી. મહાશિવરાત્રિ પર્વે ભાંગની બોલબાલા રહેતી હોઇ આજે શહેરમાં આવેલી સરૈયાની દુકાનો ખાતે ભાંગની ખરીદી માટે લોકોનો ધસારો રહ્યો હતો.

મોટનાથ મહાદેવ

વિશ્વામિત્રીના કાઠે આવેલ આ મંદિરની સ્થાપના ભગવાન
શ્રી રામે કરી હતી. અહીં શિવભકતો ચમત્કારીક શિવલીંગના દર્શન માટે ઉમટી પડે છે.

કામનાથ મહાદેવ

કમાટીબાગ પાસે આવેલ આ મંદિર શિલ્પ અને
સ્થાપત્યની કળાનો અદ્ભૂત નમૂના રૂપ સ્વયભૂં શિવલીંગ પ્રગટ થયેલ છે. જે ભોયતળીયે આવેલ છે.

ભીમનાથ મહાદેવ

સયાજીગંજ નજીક આવેલ આ મંદિર પ્રાચિન કાળમાં હેડમ્બા વનનું સ્થાન હતું. જેની સ્થાપના પાંડવોમાંથી ભીમે કરી હોવાનું
મનાય છે.

ઠેકરનાથ મહાદેવ

અજબડી મીલ પાસે આવેલ આ મંદિરમાં ભીતરા ખેડવાળ જ્ઞાતિએ બે
ધુમ્મટ અને બે શિવલીંગ ધરાવતા મંદિરની સ્થાપના
કરી હતી.

સિધ્ધનાથ મહાદેવ

ખંડેરાવ માર્કેટ પાછળના રસ્તે આવેલા મંદિરમાં મનોવાંિછત કાર્ય શિવજીની માળા કરવાથી સિધ્ધ થાય છે. તેથી તે સિદ્ધનાથ તરીકે ઓળખાય છે.

રામનાથ મહાદેવ

ગાજરાવાડી રામનાથ સ્મશાનન અડીને આવેલ આ મંદિર ઐતહિાસીક ગણવામાં આવે છે. જેની પૂજાની ભકતોમાં વિશેષ માન્યતા હોય છે.

જાગનાથ મહાદેવ

કલાલી ફાટક પાસે આવેલ આ મંદિરનું શિવલીંગ ખેતર ખેડતાં ખેડૂતના હળથી પ્રગટ થયું હતું. જ્યાં દરેક મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે.

કોટનાથ મહાદેવ

શહેરનજીક વડસર ગામમાં આવેલ મંદિર રાજવી મલ્હાર રાવે ધૂળ અને પાંદડામાં દબાયેલ શિવલીંગ બહાર કાઢી નિર્માણ કર્યું હતુ. જે ચમત્કારો માટે જાણીતું છે.

કાશિવિશ્વેર મહાદેવ

પ્રોડિકટવિટી રોડ પર આવેલ આ મંદિરની સ્થાપના મૈરાળેશ્વર દ્વારા થઈ હતી. પૌરાણિક ઢબનું મંદિર અને સ્વયંભૂ શિવલીંગ તેની વિશેષતા છે.


No comments:

Post a Comment