Saturday 25 February 2012

કંકુપગલા


ઘર બહાર કંકુપગલાઃ લક્ષ્મી ઘડો લઈ આવશે તમારા ઘરે!
 ઘરની બહાર મુખ્ય દરવાજા ઉપર લક્ષ્મીજીના પગલાંના નિશાન બનાવવાથી માણસ માલામાલ થઈ જાય છે, પરંતુ પગના નિશાન ખાસ પ્રકારે બનેલા હોવો જોઈએ.

હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે અનેક પ્રકારે શુભ ચિન્હ બનાવવામાં આવે છે. શાસ્ત્રો અને વાસ્તુ પ્રમાણે અનેક ખાસ શુભ ચિન્હ બતાવ્યા છે જે ઘરની બધી પરેશાનીઓને દૂર રાખે છે. આ નિશાનમાં સ્વસ્તિક, ऊँ, ऊँ નમઃ, શ્રી, શ્રીગણેશ વગેરે સામેલ છે.

પરિવારના બધા લોકોને સારા જીવન માટે જરૂરી છે કે ઘરના મુખ્ય દરવાજા ઉપર કોઈ ને કોઈ શુભ ચિન્હ જરૂર લગાવવું જોઈએ. કેટલાક નિશાન મુખ્ય દરવાજા કે દિવાલ ઉપર અસર લગાવવામાં આવે છે પરંતુ કેટલાક ચિન્હ દરવાજાની નીચે પણ લગાવવા જોઈએ.

ઘરમાં રૂપિયા ત્યારે આવવા લાગે છે જ્યારે મહાલક્ષ્મીની કૃપા તમારી ઉપર થાય. માતા લક્ષ્મીને ખુશ કરવા માટે અનેક ઉપાય બતાવ્યા છે, એમાંથી એક છે દેવીના પગલાના નિશાન મુખ્ય દરવાજાની જમીન ઉપર કરવા.

મુખ્ય દરવાજાની બહાર તરફ દેવી લક્ષ્મીના લાલ કે પીળા રંગના પગલાના ચિન્હ બનાવવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે અશુભ ગ્રહોનો ખરાબ પ્રભાવ પણ ઓછો થઈ જાય છે. તે સિવાય આપણા ઘર ઉપર કોઈની પણ ખરાબ નથી લાગતી અને નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. ઘરના બધા સદસ્યોમાં પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે.

No comments:

Post a Comment