Monday 15 October 2012

દુર્ગા માતાની આરાધનાનું પર્વ નવરાત્રિ

નવરાત્રિ શાસ્ત્રો અનુસાર જણાવવામાં આવેલા ઉપાય કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
 
નવરાત્રિના ઉપાયોઃ નહીં રહે મૃત્યુનો ડર, નહીં આવે પૈસામાં કમી

- જે જાતકોની કુંડળીમાં અલ્પાયુ કે દુર્ઘટનાના યોગ હોય, તેને દેવીની આરાધનાની સાથે, દેવી કવચનો રોજનો પાઠ કરવો જોઈએ

- જે જાતકોની કુંડળીમાં અસાધ્ય રોગનો યોગ હોય કે જે રોગગ્રસ્ત હોય, તેમણે દેવી કવચની સાથે આ મંત્રનો જાપ કરો અને રાઈની આહુતિ આપો, ઝડપથી લાભ થશે. મંત્ર -

रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान्।

त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्याश्रयतां प्रयान्ति।।

- દૂર્ગા સપ્તશતિના ચોથા, પાંચમા, અને 11માં અધ્યાયના રોજ પાઠ કરવાથી સંકટ દૂર થઈ જાય છે. મનોવાંછિત સિદ્ધિ, ધન, વૈભવ, સુખ, શાંતિ તથા સંતાન સુખ પ્રાપ્ત થાય છે.  

- જે પુરુષોની કુંડળીના સાતમા ભાવમાં ક્રૂર ગ્રહ હોય કે તેના પર ક્રૂર ગ્રહની દ્રષ્ટિ હોવાથી વિવાહમાં વાર લાગી રહી હોય તો દેવી અર્ગલાનો આ મંત્ર ખાસ બોલો –

पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्। तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्।।

- કુંડળીના દશમા ભાવમાં સ્થિત ગ્રહો કે આ ભાવ પર અન્ય ગ્રહોની દ્રષ્ટિથી જો કામમાં વિઘ્નો આવી રહ્યા હોય તો સફલતા માટે આ મંત્ર જપો -

सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्र्यम्बके गौरि नारायणी नमोस्तु ते।।


- આ ઉપાયોની સાથે જ વ્યક્તિને પોતાનો પ્રયાસ પણ કરવો જોઈએ. જો કોઈ બીમારીથી પરેશાન હોય તો ડોક્ટર ઉપાય જણાવવામાં આવેલા ઉપાયો પણ જરૂર કરાવો.

No comments:

Post a Comment