Friday 12 October 2012

ઘરમાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે લગાડો વૃક્ષ

ઘરમાં કે ઘરની આજુબાજુ ઝાડ લગાડવાથી ધનમાં વૃદ્ધ થાય છે. આ ઉપરાંત ઘરમાં રહેનાર લોકો હંમેશાં સ્વસ્થ રહેતાં હોય છે. પરંતુ ઘણીવાર તમારા દ્વારા લગાવેલ વૃક્ષ સારા પરિણામ નથી આપતા. હકીકતમાં તેમાં ઘણાં વાસ્તુ દોષ હોય છે. અમે આપને અહીં જણાવી રહ્યા છીએ કે ઘરમાં કયું વૃક્ષ લગાડવું જોઈએ અને કયું વૃક્ષ નહીં. સાથે ઝાડ લગાડો પણ ક્યા તે લગાડવા.

બૃહંતસંહિતા નામના ગ્રંથમાં ઘરમાં ક્યું વૃક્ષ લગાડવાથી સુખ-શાંતિ અને સારું પરિણામ આપશે તે તમામ વિગતો આપી છે. વડલાનું વૃક્ષ પૂર્વમાં, પશ્ચિમમાં પીપળનું વૃક્ષ, ઉત્તરમાં લીમડો અને દક્ષિણ દિશામાં ગુલમહોરનું ઝાડ લગાડવું શુભ માનવામાં આવે છે. આનાથી વિપરિત દિશામાં લગાડાય તો અશુભ પરિણામ આપનારું બની રહે છે. ઘરની નજીક કાંટાવાળા ઝાડ શત્રુતા પેદા કરે છે. આ ઉપરાંત દૂધ ધરાવતા ઝાડ ધનનો નાશ કરે છે. વાસ્તુ રાજવલ્લભ પ્રમાણે કેળ, કેતકી, ચમેલી, ચંપાના  છોડ ઘરની પાસે હોય તો શુભ માનવામાં આવે છે પરંતુ એક પહોર વીત્યા પછી આ તમામનો છાંયડો પડવા લાગે તો આને અશુભ માનવામાં આવે છે. ત્રીજા પહોર પછી તેની છાયા પડે તો એટલું અશુભ નથી માનવામાં આવતું.

શુભ વૃક્ષ-  નાગ કેસર, મોલ શ્રી, સાલ, પુન્નગ, ચમેલી, જયન્તી, ચંદન, અપરાજિતા, ગુલાબ, કેતકી, ચંપો નારિયેળ વગેરે શુભ માનવામાં આવે છે.
અશુભ વૃક્ષ- ગુલમહોર, લીંમડો, પીપળ, આંબલી વગેરેના લાકડાં ઘરમાં ન લાવવા જોઈએ કારણ કે, આને અશુભ માનવામાં આવે છે.

No comments:

Post a Comment