Friday 12 October 2012

ઘરનાં મુખ્યદ્વાર પર વાસ્તુદોષ અને તેના ઉપાય

ઘરમાં અશાંતિ તેમજ રોગ જેવી સમસ્યાઓને લઈને તમે કંટાળી ગયા હોવ તો હવે સાવધ થઈ જવાની જરૂર છે. અહીં આપેલ ટીપ્સ તેમજ ઉપાયોથી તમારા ઘરના વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. વાસ્તુશાસ્ત્ર પર આધારિત આ ટિપ્સથી અનેક ફાયદા લઈ શકો છો

1- જો ઘરનાં મુખ્યદ્વારની બંને બારીઓ હોય તો આને વાસ્તુશાસ્ત્ર અનુસાર, અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં બંને તરફથી ફૂંકાતો પવન સકારાત્મક ઊર્જાને દૂર ધકેલી દે છે. જેના લીધે ઘરનાં માલિકને આર્થિક સંકડામણ અનુભવાય છે.

ઉપાય-
1-  આ બંને બારીઓ પર ગોળ પાંદડાવાળા રોપ (છોડ) લગાવવા. કાંટાદાર તેમજ અણીદાર છોડ નહીં.
2- આ સ્થાન પર મનીપ્લાન્ટનો છોડા લગાડવો જોઈએ જેનાથી લાભદાયક રહે છે.

2- ઘરના દરવાજાની સામે ઝાડ હોય તો વાસ્તુ પ્રમાણે અશુભ મનાય છે. આનાથી ઘરમાં બીમારી સદાય રહે છે. ઘરના માલિકને વારંવાર અનેક બીમારી થતી જ રહે છે. જેનાથી આર્થિક પાયમાલ થઈ જાય છે. પરિવારમાં અચાનક સમસ્યાઓ આવતી જ જાય છે. કોર્ટ-પોલીસ સંબંધી સમસ્યાઓ નડતી રહે છે.

ઉપાય.-
1 -ઘરના સામે ઉપર બહારની તરફ અષ્ટકોણીય દર્પણ લગાડવો જોઈએ જેનાથી નકારાત્મક ઊર્જાથી બચાવાય.
2- નવ ઈંચનો સ્વસ્તિક ઘરના દરવાજા પર બનાવવો જોઈએ.

3- જો ઘરનું મુખ્યદ્વાર કોઈ અન્ય નિર્માણના લીધે અવરોધાય, આ ઉપરાંત અન્ય મકાનને લીધે મુખ્યદ્વાર ઢંકાઈ જાય તો આને અશુભ માનવામાં આવે છે. આને લીધે ઘરનાં મુખ્ય માલિકને હૃદય રોગ થવાની શક્યતા રહે છે.

ઉપાય-
1-મુખ્યદ્વાર ઘરનાં ઉમરા નીચે છ સોનેરી સિક્કાની પોટલીમાં બંધ કરીને દબાવી દેવું જોઈએ.
2- ઘરનાં મુખ્યદ્વારના ઉમરા પર છ ઈન્ચની લાલ રંગની પટ્ટી રાખવી.

No comments:

Post a Comment