Friday 12 October 2012

અશોક વૃક્ષ (આસોપાલવ)

અશોક વૃક્ષ (આસોપાલવ)ને ઘરમાં ઉત્તર દિશામાં ઊગાડવું. જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરમાં અશોક વૃક્ષને લીધે સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે, તેમજ અકાળે મૃત્યુ નથી આવતું. 

પરિવારની મહિલાઓને શારીરિક અને માનસિક ઊર્જાઓમાં વધારો થાય છે. જો મહિલાઓ આસોપાલવનાં વૃક્ષ પર પ્રતિદિન જળ ધરાવતી હોય તો તેની તમામ મનોકામના અને વૈવાહિક જીવનમાં સુખ શાંતિ યથાવત્ રહે છે.


જે વિદ્યાર્થીઓ ભણતા ખૂબ હોય છે તેમજ વાંચતા વધુ હોય છે છતાં તેમને વાંચેલું યાદ ન રહેતું હોય તો આસોપાલવની છાલ લઈને બ્રાહી સમાન મેળવીને ચૂર્ણ બનાવી લેવું આ ચૂર્ણને 1-1 ચમચી સાંજે ગિલાશમાં દૂધની સાથે આપવાથી જલ્દીથી લાભ મળશે. 


આસોપાલવના અન્ય પ્રયોગો-

1-
જે જાતકને નિરંતર વ્યવસાયમાં હાનિ થઈ રહી હોય  આ ઉપરાંત તેમનો વ્યવસાય બંધ થવાની અણી પર હોય તો તેમને નીચે દર્શાવેલ પ્રયોગ કરીને લાભ મેળવવો. આસોપાલવનાં બીજને મેળવીને તેને સ્વચ્છ કરીને ધૂપ અને અગરબત્તી કરવી.

આંખો બંધ  કરીને પોતાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરવી. આ બીજમાંથી એક બીજને કોઈ લૉકેટ બનાવીને પોતાના ગળામાં ધારણ કરવું જોઈએ. અન્ય બીજને અનાજ રાખવાના સ્થાન પર રાખવા. આ ઉપાય શુક્લપક્ષના પ્રથમ બુધવારે કરવાથી સારો લાભ થાય છે.


2-
કોઈપણ શુભ મુહૂર્તમાં આસોપાલવ (અશોકવૃક્ષ)ની જડને ખોદીને લાવવી. તે સમયે તમારે મૌન ધારણ કરવું જોઈએ. ઘરમાં લાવીને તિજોરી અથવા ધન રાખવાના સ્થાનમાં રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં ધનની સ્થિતિ પહેલાં કરતા સારી થાય છે.

3-
જો કોઈ કન્યાનાં લગ્ન ન થઈ રહ્યા હોય. તેમજ પરિવારનાં લોકો પણ ખૂબ ચિંતામાં હોય તો આ ઉપાય કરવો જોઈએ. અશોક વૃક્ષની જડ તથા પાંદડા મેળવીને આ કન્યાના સ્નાન કરવાના પાણીમાં નાંખી દો. બાદમાં આ પાણીથી કન્યાએ સ્નાન કરવું જોઈએ. ધ્યાન રાખવું કે જડ પાણીમાંથી બહાર ન પડવી જોઈએ.

4-
અશોક વૃક્ષ (આસોપાલવ)નાં ફળને મંગળવારના દિવસે હનુમાનજીને ધરાવવા જોઈએ જેથી મંગળ ગ્રહની પીડામાંથી મુક્તી મળી જાય છે.

સ્નાન કર્યા પછી આ પાંદડાને પરિવારનાં કોઈ પણ સભ્ય પીપલનાં વૃક્ષનાં નાંખી દે. આ પ્રયોગ ઓછામાં ઓછા 41 દિવસ સુધી જરૂરથી કરો. આ ઉપાય શુક્લપક્ષના પ્રથમ સોમવારના રોજ શરૂ કરો. આવું કરવાથી જલ્દી જ તે કન્યાના લગ્ન નક્કી થઈ જશે.

No comments:

Post a Comment