Friday 12 October 2012

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કરો આટલો ફેરફાર અને પછી જુઓ

શું તમને ખબર છે કે ભલે તમારો બેડરૂમ વાસ્તુ અનુસાર ડેકોરેટ ન કર્યો હોય, પરંતુ જો તમારે સૂવાનો નિયમ ન ખબર હોય તો તમારું જીવન તણાવગ્રસ્ત રહેતું હોય છે.
અહીં અમે તમને સૂવાના કેટલાક નિયમો જણાવીએ છીએ.

1- બેડ અથવા પલંગ આરામદાયક હોવો જોઈએ, પરંતુ બેડની વચ્ચોવત કોઈ લેમ્પ, પંખો કે ઈલેકટ્રોનિક ઉપકરણ વગેરે ન હોવું જોઈએ. નહીંતર આની પર સૂઈ રહેનારનું પાચન ખરાબ થઈ શકે છે.

2- ઘડિયાળને ક્યારે પણ માથાની નીચે અથવા બેડની પાછળ રાખીને ન સૂવું જોઈએ. ઘડિયાળને કદી બેડની સામે પણ ન લગાવો. નહીંતર બેડ પર સૂનાર હંમેશાં ચિંતાગ્રસ્ત  અથવા તણાવમાં રહેશે. ઘડિયાળને બેડની જમણી કે ડાબી બાજુએ લગાવવી હિતકર છે.

3- બેડ પર સાદી ડિઝાઈનના ઓશિકા અને ચાદર રાખવા જોઈએ. કદી પણ ભડકાઉ અને રંગબેંરગી રંગની ડિઝાઈનનો ઉપયોગ ન કરવો જોઈએ.

4- બેડરૂમમાં મંદિર અથવા પૂર્વજોની છબિઓ ન રાખો.

5- બેડરૂમમાં હલ્કા ગુલાબી રંગનો પ્રકાશ હોવો જોઈએ જેનાથી પતિ અને પત્નીની વચ્ચે પરસ્પર પ્રેમ યથાવત્ રહે.

6- બેડરૂમના દરવાજાની સામે પગ રાખીને સૂવું અશુભ માનવામાં આવે છે.

7- વાસ્તુ અનુસાર, હંમેશા દક્ષિણ દિશામાં માથુ અને પશ્ચિમ દિશામાં પગ રાખીને સૂવું જોઈએ. જેથી કરીને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પ્રમાણે તમે દીર્ઘાયુ એને ગાઢ નિંદ્રા માણી શકો. 

No comments:

Post a Comment