Tuesday 12 June 2012

શુભ મૂહુર્તઃ જાણો ઘરમાં ક્યારે કરાવવી વાસ્તુશાંતિ માટે પૂજા?

શુભ મૂહુર્તઃ જાણો ઘરમાં ક્યારે કરાવવી વાસ્તુશાંતિ માટે પૂજા?
 
નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા વાસ્તુશાંતિ અર્થાત યજ્ઞાદિ ધાર્મિક કાર્ય જરૂર કરાવવા જોઈએ. વાસ્તુશાંતિ કરાવવાથી ભવનની નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જાય છે અને ઘર શુભ પ્રભાવ આપવા લાગે છે. તેનાથી જીવનમાં ખુશીઓ અને સુખ-સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંગળાચરણ સહિત વાધ્ય ધ્વનિ કરાવીને કુળદેવની પૂજા અને અગ્રજોનું સન્માન કરીને બ્રાહ્મણોને પ્રસન્ન કરી ગૃહ પ્રવેશ કરવો જોઈએ.
ગૃહ પ્રવેશ કરતા પહેલા વાસ્તુશાંતિ કરાવવું શુભ હોય છે. તેની માટે શુભ નક્ષત્ર તથા તિથિ આ પ્રકારે છે...

શુભ વારઃ- સોમવાર, બુધવાર, ગુરુવા તથા શુક્રવાર શુભ છે.

શુભ તિથિઃ-
શુક્લપક્ષની બીજી, ત્રીજ, પાંચમ, સપ્તમી, દશમી, અગિયારસ, બારસ, તથા તેરસ

શુત્ર નક્ષત્રઃ- અશ્વિની, પુનઃર્વસુ, પુષ્ય, હસ્ત, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઠ, ઉત્તરાભાદ્રપદ, રોહિણી, રેવતી, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, સ્વાતિ, અનુરાધા તથા મઘા.

અન્ય વિચારઃ- ચંદ્રબળ, લગ્ન, શુદ્ધિ તથા ભદ્રાદિનો વિચાર કરી લેવો જોઈએ.
 

શુભ મૂહુર્તઃ ક્યારે કરવું પુનઃનિર્મિત ઘરમાં પ્રવેશ?

ક્ષતિગ્રસ્ત ઘરને તોડીને જ્યારે તેને ફરીથી નવા સ્વરૂપમાં બનાવવામાં આવે છે તો તેને પુનઃનિર્મિત ઘર કહે છે જ્યારે આ ઘરમાં પ્રવેશ કરવામાં આવે તો તેનો જીર્ણોદ્ધાર ગૃહ પ્રવેશ કહે છે. અર્થાત્ જો કોઈ કારણવશ ઘર તૂટી ગયું હોય, તોડાવીને નવું બનાવ્યું હોય કે જૂના મકાનનો વિસ્તાર કર્યો હોય તેવી સ્થિતમાં. જીર્ણોદ્ધાર ગૃહપ્રવેશ માટે આ વાત ધ્યાન રાખો...

શુભ નક્ષત્રઃ- શતભિષા, પુનર્વસુ, સ્વાતિ, ઘનિષ્ઠા, અનુરાધા, રોહિણા, મૃગશિરા, રેવતી, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાપ્રપદ નક્ષત્ર શુભ છે.

શુભ વારઃ- સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર.

શુભ તિથિઃ- શુક્લપક્ષ દ્વિતિયા, તૃતીય, પંચમી, સપ્તમી, દશમી, એકાદશી, દ્વાદશી તથા ત્રયોદશી.

શુભ માસઃ- કારતક, માગશર, શ્રાવણ, મહા, ફાગણ, વૈશાખ અને જેઠ.

શુભ લગ્નઃ- વૃષભ, સિહં, વૃશ્ચિક અને કુંભ રાશિના લગ્ન ઉત્તમ હોય છે. મિથુન, કન્યા, ધન અને મીન રાશિના લગ્ન મધ્યમ છે. લગ્નેશ બલી, કેન્દ્ર-ત્રિકોણમાં શુભ ગ્રહ અને 3, 6, 10 અને 11માં ભાવમાં પાપ ગ્રહ હોવા જોઈએ.

No comments:

Post a Comment