Tuesday 25 October 2011

दिवाळीनिमित तुम्हा सर्वान्ला खूप खूप शुभेच्छा

दिवाळीनिमित तुम्हा सर्वान्ला खूप खूप शुभेच्छा


 दिवाळी पूजा
मंगलमय रांगोळी
 
 मंगलमय रांगोळी
 मंगलमय रांगोळी

 मंगलमय रांगोळी
मंगलमय रांगोळी
 मंगलमय रांगोळी
यशाची रोशनी
यशाची रोशनी
आकर्षक आकाश कंदील
आकर्षक आकाश कंदील
आकर्षक आकाश कंदील
फराळ
 फराळ
मठीये
चोराफाली
चक्री
चेवडा
शक्करपाडे
करंजी
काजुकात्री

पेडा
मिठाई
 
 मालपुवा
फटाके
 
 फटाके
 फटाके
 फटाके
फटाके
आकाश उजव्णारे फटाके
अमावस्येच्या अंधारात दिव्यांना आज प्रकाशित करा
तुम्ही अशेज तेजोमय व्हा आणि संकटावर मत करा
विजय्पाताकाचा तुमचीच आशेल फ़क़्त थोडा प्रयत्न करा...
नवा दिवस
नवे वर्ष
नवी आशा
नवा हर्ष
नवे विचार
नवी कल्पना
नवे पाउल
 नवी चेतना
 मनापाशून हि एक इच्छा
दीपावलीच्या हार्दिक शुभेच्छा
विकासघोळकर आणि  कुटुंब

Monday 24 October 2011

धन समृध्दि यश वैभव सुख शांति प्राप्ति हेतु अनुकूल मंत्र :





सर्व सुख समृध्दिं देहि देहि ह्रीं ॐ नमः ||



God Kuber’s Mantras

Happy Dhanteras


श्री धन्वंतरी देवाय नमः
May Dhanteras Festival
Wishing you with Wealth & Prosperity
As you journey towards greater success
Happy Dhanteras
May this Dhanteras Celebrations
endow you with opulence and prosperity...
Happiness comes at your steps
Wishing many bright future in your life
Shubh Dhanteras

Happy Dhanteras

Saturday 22 October 2011

કુબેર દેવ

માત્ર આ સરળ પૂજાથી કુબેરજી તમારા પર ખજાનો લુંટાવશે, જાણો

ધનતેરસ એ મહાલક્ષ્મીનું પર્વ મનાય છે.ધનતેરસ પાછળ માન્યતા છે કે મહાલક્ષ્મી આ દિવસે ભ્રમણમાં નીકળે છે અને જ્યાં તેની પૂજા થતી હોય છે ત્યાં નિવાસ કરે છે. તે સાથે ધનતેરસ પર ધનના દેવ કુબેરનું પણ પૂજન કરવાનો મહિમા છે કારણ કે કુબેર દેવ રાશિ અનુસાર પૂજાથી ખુશ થાય છે અને જીવનમાં ધનની રેલમછેલ આપે છે.
ધનતેરસ, એ પૂજાનો દિવસ છે જો આ દિવસે રાશિ અનુસાર કુબેરની પૂજા કરવામાં આવે તો કુબેર ભગવાન પોતે ખજાનો લુંટાવે છે.
જાણો, રાશિ અનુસાર કેવી પૂજા કરો -

મેષ (અ. લ. ઇ.)
- આ રાશિના લોકોએ કુબેર પૂજા માટે લાલ ફૂલનો ઉપયોગ કરવો. આ લાલ ફૂલમાં ઇત્તર નાખીને કુબેલને ફૂલ ચઢાવો અને તે સાથે તાંબાનો દીવો લગાડો.
વૃષભ (બ. વ. ઉ.)
- આ રાશિના લોકો અબીલ, ગુલાલ અને મોગરાના ફૂલ ચઢાવવા અને ચાંદીનો દીવો પૂજા સ્થાન પર લગાડવો.
મિથુન (ક. છ. ઘ.)
- મિથુન રાશિના લોકોએ કેવડાનુ ઇત્તર નાખીને કુબેર દેવને લગાડવુ અને લીલા કાંસામાં દીવો પ્રગટાવવો.
કર્ક (ડ. હ.)
- કર્ક રાશિવાળા પોતાની રાશિ અનુસાર કુબેર દેવને કાચુ દુધ અને ગંગાજળ ચઢાવીને ચાંદીનો દીવામાં દીવો પ્રગટાવવો.
સિંહ (મ. ટ.)
– સિંહ રાશિના લોકો જળમાં ગોળ નાખીને તે જળથી કુબેરદેવનો અભિષેક કરવો તથા તાંબાના દીવામાં દીવો પ્રગટાવીને ગુલાબનું ફૂલ ચઢાવવું.
કન્યા (પ. ઠ. ણ.)
- આ રાશિનાં લોકો કોથમીર અને અબીલ- ગુલાલ ચઢાવો. આ રાશિનાં લોકો ઇત્તર લગાડીને ચાંદીનો સિક્કો કુબેર દેવને ચઢાવવો.
તુલા (ર. ત.)
- આ રાશિના લોકો કોઇપણ સુગંધિત ઇત્તર કુબેરદેવને ચઢાવો અને સફેદ પલાશના ફૂલ ચઢાવો. પૂજા કર્યા બાદ આ રાશિના લોકો ચાંદીના દીવામાં દીવો પ્રગટાવો.
વૃશ્વિક (ન. ય.)
- આ રાશિના લોકો ગુલાબનાં ફૂલ ચઢાવો, તાંબાના ઘીનો દીવો લગાડો અને ગુગળનુ ધુપ કરો.
ધન (ધ. ફ. ભ. ઢ.)
- આ રાશિના લોકો કુબેર દેવને હળદર અને કેસર ચઢાવો. પૂજા બાદ પીળી મીઠાઇનો ભોગ લગાડી અને દીવો પ્રગટાવો.
મકર(ખ. જ.)
- મકર રાશિના લોકો કુબેર દેવને ખુશ કરવા માટે પીળા ચોખા, કંકુ,સુગંધિત ફૂલ અને પીળી મિઠાઇનો ભોગ લગાડો અને તેલનો દીવો લગાડો.
કુંભ (ગ. શ. ષ. સ.)
– આ રાશિના લોકોએ કુબેર દેવને ખુશ કરવા માટે કુશ અને ગંગાજળથી કુબેરદેવને સ્નાન કરાવો અને મિઠાઇનો ભોગ લગાડીને તેલનો દીવો પ્રગટાવવો.
મીન (દ. ચ. ઝ. થ.)
- મીન રાશિના લોકો કુબેર દેવને ખુશ કરવા માટે પીળા કપડા, કેસર અને હળદર ચઢાવો પછી ચંદનનું ઇત્તર લગાડો અને ગાયના ઘીનો દીવો લગાડો.

Thursday 20 October 2011

શ્રીઅષ્ટલક્ષ્મી સ્ત્રોત

 રોજ પાઠ કરો શ્રીઅષ્ટલક્ષ્મી સ્ત્રોતનો, જીવનભર મળતા રહેશા રૂપિયા

મહાલક્ષ્મીની કૃપા વગર લાભ પ્રયત્નો કરવા છતાં પણ પૈસા કે ધન પ્રાપ્ત નથી થતું. આથી મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દરરોજ શ્રીઅષ્ટલક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનભર રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાઓ નથી સહન કરવી પડતી. વિડીયોમાં જુઓ શ્રીઅષ્ટલક્ષ્મી સ્ત્રોતનો પાઠ.

Wednesday 19 October 2011

દીપોત્સવી મહાપર્વના શુભ મુહૂર્તો

દીપોત્સવી મહાપર્વના શુભ મુહૂર્તો


૨૪ ઓક્ટોબરે ધનતેરશ, ૨૬મીએ દિવાળી અને ૨૭ ઓક્ટોબરે નૂતન વર્ષ ઉજવાશે

રમા એકાદશી : ગોવત્સ દ્વાદશી વાધબારશ - પોડા બારશ

આસો વદ અગીયારશ રવિવાર તા. ૨૩-૧૦-૨૦૧૧ નાં રોજ રમા એકાદશી છે. ચાતુર્માસની એકાદશી કરતા હોય એમણે ઉપવાસ કરવો તથા કેળા નો પ્રસાદ ધરીને ભગવાન શ્રીધરનું પુજન કરવુ.

ધન તેરશ - ધન પુજન ધનવંતરી પુજન :

આસો વદ બારશ સોમવાર તા. ૨૪-૧૦-૨૦૧૧ નાં રોજ બપોરના ૧૨-૩૨ સુધી બારશ છે. ત્યાર પછી તેરશ તિથી શરૂં થાય છે. પ્રદોષ યુક્ત તેરશ હોવાથી તિથી પર્વ મુજબ શાસ્ત્રાજ્ઞા અનુસાર આજે જ ધન તેરશની ઉજવણી કરવી. ધન પુજન, ધનવંતરી પુજન યમદીપદાન કરવા. ધનતેરસે ચોપડા ખરીદવા. આજે સોનુ, ચાંદી તથા હીરાનાં આભૂષણો નવા વાહન ખરીદવા અને જમીન, મકાનનાં દસ્તાવેજ કરવા તથા બાનુ આપવા માટે પણ ઉત્તમ દિવસ છે.

સમય : સવારે : ૬-૪૨ થી ૮-૧૨ સુધી - સવારે : ૯-૪૨ થી ૧૧-૧૧ સુધી - બપોરે : ૨-૧૨ થી ૬-૪૪ સુધી - સાંજે : ૬-૪૭ થી ૮-૧૮ સુધીના સમયમાં શુભ કાર્યો, પુજન, અર્ચન, ભકિત, ખરીદી કરવી.

કાળી ચૌદશ - નરક ચતુર્દશી યંત્ર - મશીન પુજન :

આસો વદ તેરશ મંગળવાર તા. ૨૫-૧૦-૨૦૧૧નાં રોજ તેરશ અને ચૌદશ તિથી ભેગા છે. ચૌદશ તિથીનો ક્ષય છે. સવારે ૦૯-૦૩ પછી ચૌદશ તિથી શરૂ થઇ જાય છે. તેથી આ જ દિવસે કાળી ચૌદશ, નરક ચતુgદશી, રૂપ ચૌદશ છે. રાત્રીનાં ભાગની સ્પષ્ટ ચૌદશ તિથી હોવાથી માસીક શિવરાત્રી છે. કાળી ચૌદશની રાત્રીએ સાધના, ઉપાસના, તંત્ર સાધના તથા અધોર ઉપાસનાનું મહાત્મય છે. હનુમાનજીની મહાપુજા, મહામૃત્યુંજયનાં જાપ તથા જેમને શનિ મહારાજની નાની કે મોટી પનોતિ ચાલતી હોય એમણે ઓમ્ હનુમંતાય નમ : અથવા શનિ મંત્ર ની ઉપાસના કરવી. યથાશકિત મંત્ર જાપ કરવા. જન્મકુંડળીમાં શનિ નિર્બળ થયો હોય એમણે હનુમાનચાલીશાનાં પાઠ કરવા. જૈન શાસ્ત્ર મુજબ ભગવાન ધંટાકર્ણ મહાવીરની ઉપાસના પણ ફળદાયી બતાવેલ છે. આજે યંત્ર પુજન, મશીન પુજન અને વાહન પુજન કરવાનો મહિમા છે. લોખંડ એ શનિની ધાતુ છે. તેથી લોખંડ ધાતુ ઉપર શનિ મહારાજનું પ્રભુત્વ છે.

દિવાળી - લક્ષ્મીપુજન
ચોપડા પુજન - શારદા પુજન :

આસો વદ અમાસ બુધવાર તા. ૨૬-૧૦-૨૦૧૧ નાં રોજ દિવાળી - દપિાવલીનું મહાપર્વ ઉજવાશે. આ દિવસે અમાસ સવારે સૂર્યોદયથી શરૂ થઇ રાત્રીનાં ૨૯-૧૭ સુધી એટલે કે બીજા દિવસે વહેલી સવારે ૫-૧૭ સુધી રહે છે. લગભગ ૨૪ કલાકની પૂર્ણ તિથી છે. સાયંકાળ વ્યાપીની અમાવાસ્યા છે. ચિત્રા નક્ષત્ર રાત્રીનાં ૨૧-૪૪ સુધી છે. ત્યાર પછી સ્વાતિ નક્ષત્ર શરૂં થાય છે.
સમય : સવારે : ૦૬-૪૩ થી ૦૯-૪૪ સુધી - બપોરે : ૧૧-૧૪ થી ૧૨-૪૪ સુધી - સાંજે : ૪-૦૫ થી ૭-૦૭ સુધી સાંજે : ૦૮-૩૧ ૧૨-૫૫ સુધી નાં સમયમાં ચોપડા પુજન કરવું.

વિક્રમ સંવત ૨૦૬૮ શુભારંભ બેસતું વર્ષ :

કારતક શુદ એકમ ગુરૂવાર તા. ૨૭-૧૦-૨૦૧૧ નાં રોજ પ્રતપિદા (એકમ) તિથી છે. સૂર્યોદયાત સ્પષ્ટ એકમ તિથી હોવાથી નવા વર્ષનું મુહૂર્ત કરી શકાય. જૈન વીર સંવત ૨૫૩૮ નો શુભારંભ થશે. બેસતા વર્ષે પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રીધર કે જેઓ આ સચરાચર સૃિષ્ટનું પાલન-પોષણ કરી રહ્યા છે તેમને અંત:કરણ પૂર્વક નવા વર્ષમાં સુખ-સમૃધ્ધિ અને શાંતિ તથા સ્વાસ્થય માટે પ્રાર્થના કરવી. માતા-પિતાને ચરણસ્ર્પશ કરવા, વડિલોનાં શુભાશિવૉદ મેળવવા. દાન-પૂણ્ય કરવુ. એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવી.

ભાઇ બીજ - યમ બીજ :

કારતક શુદ બીજ શુક્રવાર તા. ૨૮-૧૦-૨૦૧૧ નાં રોજ (બીજ) તિથી છે. ભાઇ બીજ, યમ બીજ ઉજવવી. આ દિવસે ગંગાનું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવ્યું છે. ભાઇ-બહેનનાં પરમ અને પવિત્ર આ પર્વ છે.

લાભ પાંચમ - જ્ઞાન પંચમી પાંડવ પંચમી :

કારતક શુદ પાંચમ સોમવાર તા. ૩૧-૧૦-૨૦૧૧નાં રોજલાભ પાંચમ છે. આ જ દિવસે જ઼ન જ્ઞાન પંચમી, સૌભાગ્ય પંચમી તથા પાંડવ પંચમી છે. મુહુર્તનો સમય : સવારે : ૦૬-૪૭ થી ૦૮-૧૭ તથા ૦૯-૪૫ થી ૧૧-૧૬ સુધી છે.

Tuesday 18 October 2011

ચોપડા ખરીદવા માટેનો શ્રેષ્ઠ દિવસ

20 ઓક્ટોબર ચોપડા ખરીદવા માટેનો શ્રેષ્ઠ દિવસ,
દિવાળીનાં મૂહુર્ત જાણો
નૂતન વર્ષ-૨૦૬૮નું નૂતન વર્ષ, તા.૨૭મી ઓક્ટોબરના રોજ આવશે. જ્યારે તા.૨૬મી ઓક્ટોબરના રોજ દિવાળી આવે છે. સાથે જ આ વર્ષે પડતર દિવસ નથી. તા.૨૦મી ઓક્ટોબરના રોજ ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ છે, જે ચોપડા ખરીદવા માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે.

દિવાળી અને માર્ચ એન્ડના ચોપડા નોંધાવવાના મુહૂર્ત

૧. આસો સુદ-૧૦, તા.૬ ઓક્ટોબરે રવિયોગ ઉત્તમ. વિજયાદશમીએ સવારે ૬.૩૪થી ૦૮.૦૨ શુભ ચોઘડિયું, બપોરે ૧૧.૦૦થી ૧૫.૨૫ ચલ-લાભ-અમૃત ચોઘડિયું.
૨. આસો સુદ-૧૧, તા.૭ ઓક્ટોબર, સવારે ૬.૩૪થી ૧૦.૫૯ સુધી ચલ-લાભ-અમૃત ચોઘડિયા. બપોરે ૧૨.૨૭થી ૧૫.૩૪નો સમય ઉત્તમ.
૩. આસો સુદ-૧૩, ૯ ઓકટો.ના રોજ સવારે ૯.૩૧ થી ૧૨.૨૭ લાભ અને અમૃત ચોઘડિયા ઉત્તમ.

નવા વર્ષના અને માર્ચ એન્ડના ચોપડા લાવવા(ખરીદવા) મુહૂર્ત

૧.આસો વદ-૮, તા.૨૦ ઓક્ટોબર, સિદ્ધિ યોગ સવારે ૧૦.૪૬ સુધી. ગુરુ પુષ્યામૃતસિદ્ધિયોગ સવારે ૧૦.૪૬થી ઉત્તમ. આ દિવસે ૧૦.૪૬ પછી રાત્રિ સુધી સોનુ-ચાંદી-ઘરેણા-ઝવેરાત ખરીદવા વગેરે માટે ઉત્તમ.
૨. આસો વદ-૯, તા.૨૧ ઓક્ટોબર બળવાન પુષ્યનક્ષત્ર સવારે ૧૦.૪૭ સુધી ઉત્તમ. સવારે ૬.૪૦થી ૧૦.૪૭ સુધી ચલ-લાભ-અમૃત ચોઘડિયા ઉત્તમ.

ધનતેરશ આસો વદ-૧૨, તા.૨૪ ઓક્ટોબર, સોમવાર

આ દિવસે સવારે ૬.૪૧થી ૮.૦૭ સુધી અમૃત ચોઘડિયુ-ચંદ્રની હોરા. ૯.૩૨થી ૧૦.૫૮ ગુરુની હોરા, શુભ ચોઘડિયું. સવારે ૧૧.૪૧થી ૧૪.૪૧ શુક્ર-બુધ-ચંદ્રની હોરા ઉત્તમ. બપોરે ૧૫.૧૫થી ૧૮.૦૬ લાભ-અમૃત ચોઘડિયા-ગુરુની હોરા શ્રેષ્ઠ. સવારે ૧૮.૦૬ થી ૨૧.૪૧ સુધી ચલ ચોઘડિયું તેમજ શુક્ર-બુધ-ચંદ્રની હોરા ઉત્તમ. રાત્રે ૨૨.૪૯ થી ૨૪.૨૪ લાભ ચોઘડિયું, ગુરુની હોરા ઉત્તમ. ૨૫.૪૧થી ૨૮.૪૧ શુક્ર-બુધ-ચંદ્રની હોરા ઉત્તમ. આ સમયમાં વૈધ્યો અને તબીબોએ ધન્વન્તરિ પૂજન કરવું. આ સમયગાળા દરમિયાન મહાલક્ષ્મી-ધન પૂજન, શ્રીયંત્ર, કુબેરયંત્ર અથવા કનકધારા યંત્રનું પૂજન કરવું અથવા નવા યંત્રોનું સ્થાપન કરી શકાય.

ઉપાસના મંત્ર - આ દિવસે ‘ઓમ્ શ્રીં હ્રીં શ્રીં કંમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમ:’ - મંત્રનો જાપ કરવાથી દરિદ્ર અવસ્થા દૂર થાય છે.

કાળી ચૌદશ આસો વદ-૧૩, તા.૨૫ ઓક્ટોબર, મંગળવાર. ભાગી તિથિ.

કાળી ચૌદશની રાત્રિએ મહાકાળી, ભૈરવ, હનુમાન, નરસિંહ, ઘંટાકર્ણ મહાવીર, માણભિદ્ર વીર, નાકોડા ભૈરવ તથા સમસ્ત વીર-પીર તમામ દેવોની મહાપૂજા, આરાધના કરવાથી આધિ-વ્યાધિ-ઉપાધિ અને નડતરો દૂર થાય છે. આ દિવસે મશીનરી-યંત્રની પૂજા કરવી. આ દિવસે સવારે ૯.૦૧થી રાત્રિ પયઁત ઉગ્રદેવોની આરાધના કરવી સિદ્ધપ્રદ ગણાય છે.

ઉપાસના મંત્રઃ

૧. ‘ઓમ્ ક્રીં, કાલી કાલી મહાકાલી, કાલિકે પરમેશ્વરી, સર્વદુ:ખ હરેદેવી, મહાકાલી નમોસ્તુતે’

૨. ‘ઓમ્ હરિમર્કટ મર્કટાય સર્વકાર્ય સિદ્ધિકરાય હું હનુમતે નમ:’

દિવાળી, શારદા-ચોપડા પૂજન, આસો વદ-અમાસ, તા.૨૬ ઓક્ટોબર, બુધવાર

ધનતેરશે મહાલક્ષ્મીજીની રાત્રિ, બીજી કાળીચૌદશ મહાકાળીજીની રાત્રિ અને ત્રીજી દિવાળીએ મહાસરસ્વતીજીની રાત્રિ. ત્રણ દિવસ મહાશક્તિઓનું મહાપૂજન કરવું. જો ત્રણ દિવસ પૂજન ન થાય તો દિવાળીના દિવસે, ત્રણે દેવીઓનું પૂજન કરવું, જેથી નવું વર્ષ સફળ રહે છે. જેના શુભ સમય આ મુજબ છે :

આ દિવસે શુદ્ધ દર્શ અમાસ છે.

૧. સવારે ૬.૪૨થી ૮.૨૩ સુધી વેપાર માટે ઉત્તમ તુલા લગ્ન, લાભ ચોઘડિયુ, બુધ-ચંદ્રની હોરા, બુધ-શુક્ર-ગુરુ કેન્દ્રમાં યોગકર્તા(મેષ-સિંહ-ધન સિવાય) શ્રેષ્ઠ.
૨. સવારે ૮.૨૭થી ૧૦.૩૯ સ્થિર વૃશ્વિક લગ્ન. અમૃત ચોઘડિયું. ગુરુની હોરા ઉત્તમ. (મેષ-સિંહ-ધન સિવાય)
૩. સવારે ૧૦.૫૧ થી ૧૨.૨૧ સુધી ધન લગ્ન. શુભ ચોઘડિયું ઉત્તમ. (વૃષભ-કન્યા-મકર રાશિ સિવાય)
૪. બપોરે ૧૨.૪૫થી ૧૪.૩૧ મકર લગ્ન. શુક્ર-બુધની હોરા શ્રેષ્ઠ. ગુરુ-ચંદ્ર-બુધ-શુક્રનો કેન્દ્રમાં રાજ્યોગ. (કુંભ-તુલા-મિથુન રાશિ સિવાય)
૫. બપોરે ૧૪.૪૭થી ૧૬.૦૪ સ્થિર બળવાન કુંભ લગ્ન.વેપારમાં વૃદ્ધિ કર્તા (કર્ક-વૃશ્વિક-મીન રાશિ સિવાય)
૬. સાંજે ૧૬.૦૭થી ૧૭.૩૭ મીન લગ્ન. લાભ ચોઘડિયું-ગુરુની હોરા (મેષ-સિંહ-ધન સિવાય)
૭. સાંજે ૧૭.૩૭થી ૧૯.૧૫ સુધી ગુરુ-શુક્ર-ચંદ્ર-બુધ કેન્દ્રમાં રાજ્યોગ કર્તા(વૃષભ-કન્યા-મકર રાશિ સિવાય)
૮. રાત્રે ૧૯.૧૫થી ૨૧.૧૩ સ્થિર બળવાન વૃષભ લગ્ન, શુભ ચોઘડિયું, શુક્ર-બુધની હોરા(મિથુન-તુલા-કુંભ રાશિ સિવાય)
૯. રાત્રે ૨૧.૧૩થી ૨૩.૨૬ મિથુન લગ્ન. અમૃત અને ચલ ચોઘડિયા. બુધ-ચંદ્રની હોરાઓ.(કર્ક-વૃશ્વિક-મીન સિવાય)
૧૦. રાત્રે ૨૩.૩૧થી ૨૫.૪૩ કર્ક લગ્ન. ગુરુની હોરા(સિંહ-ધન-મેષ સિવાય)
૧૧. રાત્રે ૨૫.૪૫થી ૨૭.૫૫ સ્થિર બળવાન સિંહ લગ્ન. ધન સ્થાને શનિ યોગ કર્તા.(કન્યા-મકર-વૃષભ સિવાય)
૧૨. રાત્રે ૨૮.૦૦થી ૩૦.૦૦ કન્યા લગ્ન. લાભ. બુધ-ચંદ્રની હોરાઓ(તુલા-કુંભ-મિથુન સિવાય).

વિક્રમ સંવત-૨૦૬૮, નૂતન વર્ષે પેઢી ખોલવાના મુહૂર્ત

૧. કારતક સુદ-૧, તા.૨૭ ઓક્ટોબર, ગુરુવાર સવારે ૬.૪૩થી ૮.૦૮ વેપારનું ઉત્તમ સ્વાતિ નક્ષત્ર, શુભ ચોઘડિયું તથા સવારે ૧૦.૫૮થી ૧૨.૫૮ ચલ-લાભ ચોઘડિયા.
૨. કારતક સુદ-૩, તા.૨૯ ઓક્ટોબર, સવારે ૦૮.૦૯થી ૯.૩૪ અનુરાધા નક્ષત્ર, વિંછુડો પેટે ઉત્તમ. શુભ ચોઘડિયું અને ગુરુની હોરા શ્રેષ્ઠ હોવાથી મુહૂર્ત કરવું.
૩. કારતક સુદ-૫, તા.૩૧ ઓક્ટોબર, લાભ પાંચમ-જ્ઞાન પંચમી સવારે ૧૦.૫૪ સુધી કુમાર યોગ ઉત્તમ. ત્યારબાદ રવિયોગ શ્રેષ્ઠ. સવારે ૬.૪૫થી ૮.૧૦ સુધી અમૃત ચોઘડિયું, ચંદ્રની હોરા શ્રેષ્ઠ. સવારે ૯.૩૫થી ૧૧.૦૦ શુભ ચોઘડિયું. સવારે ૧૧.૪૫થી ૧૨.૪૫ સુધી શુક્રની હોરા શ્રેષ્ઠ. રવિયોગ ઉત્તમ.

Sunday 16 October 2011

ઘરમાં ક્યાં કેવો કલર

દિવાળી: ઘરમાં ક્યાં કેવો કલર રાખશો જેથી નવું વર્ષ ખૂશીઓથી ભરેલું રહે
ચેન અને શાંતિ મેળવવા માટે યાદ આવતી પોતીકી જગ્યા એટલે ઘર.

ઘર કે જ્યાં અનેરી શાંતિ અને દિલને ઠંડક આપે છે. ઘરનું વાતાવરણ આપણાં મન અને વિચારોને પ્રભાવિત કરે છે.આપણા ઘરનું વાતાવરણ પ્રમાણે જ આપણા વિચારો હોય છે.
ઘણાં ઘરમાં લડાઇ-ઝઘડા, કલેશ વગેરે થાય છે, ઘણી વાર આ સમસ્યાઓ પાછળ વાસ્તુદોષ મહત્વનો ભાગ ભજવે છે

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુ આપણને પુરેપુરી રીતે પ્રભાવિત કરે છે. ઘરની ભીંતોનો રંગ પણ આપણા વિચારો અને કાર્યપ્રણાલીને પ્રભાવિત કરે છે. વાસ્તુ શાસ્ત્રનાં નિયમ પ્રમાણે આપણાં ઘરમાં જે રંગ હોય છે તે રંગના સ્વભાવ જેવો જ આપણો સ્વભાવ પણ થવા લાગે છે. આ જ કારણથી ઘરની ભીંતો પર વાસ્તુ પ્રમાણે બતાવેલા રંગ રાખવા જોઇએ.

રંગ આપણા સંબંધો પર ખાસ અસર લાવે છે. ઘરની ભીંતો માટે આછો ગુલાબી, આછો વાદળી, બ્રાઉનીશ ગ્રે અથવા ગ્રેઇશ યલો રંગનો જ પ્રયોગ કરો. આ રંગ શાંત અને પ્રેમ વધારનારો હોય છે.

ક્યાં, કેવો રંગ રાખશો.ડ્રોઈંગ રૂમમાં સફેદ, પિંક, ક્રીમ કે બ્રાઉન રંગ શ્રેષ્ઠ રહે છે.
બેડરૂમમાં આસમાની, પિંક કે આછો લીલો રંગ કરવો જોઇએ.
ડાઇનીંગ રૂમમાં પિંક,આસમાની કે આછો લીલો રંગ શુભ ફળ આપે છે.
રસોડામાં સફેદ રંગ સૌથી સારો રહે છે.