Thursday 22 March 2012

મની પ્લાંન્ટ છોડ

પૈસા વધારવાનો આ સૌથી સરળ રસ્તો, લગાવો પૈસાનો છોડ!

આપને એ જામીને આશ્ચર્ય થશે કે ઈનકમ અને પ્રોફિટ બન્ને વધારવા માટે પૈસાનો છોડ લાવવો જોઈએ. જી હાં, આ સાચું છે સાથે જ સરળ અને અનોખી આવી રીત કોઈક જ હશે.

જ્યોતિષમાં પૈસા દેનારા અને દરેક શોખને પુરા કરનારા છોડ બતાવવામાં આવ્યા છે જેને ઘરમાં રાખવાથી પૈસા વધવા લાગે છે.

ખરેખર આ એક પ્રકારની વેલ હોય છે જેને મની પ્લાંન્ટ છોડ કહેવામાં આવે છે. લાલ કિતાબ અનુસાર આ શુક્ર ગ્રહનો કારક છોડ છે. કોઈ પણ જમીન પર આગળ વધનારી પથરાયેલી વેલ શુક્રની જ કારક હોય છે.

લાલ કિતાબમાં વૃક્ષોનું કેવું મહત્વ છે અને જાતકની કુંડળી પ્રમાણે કેવું વૃક્ષ લાભકારી છે કે નહીં, આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કુંડળીના શુક્રને મજબુત બનાવી લેવામાં આવે તો આપના ઘરમાં પૈસા અને એશ આરામના સાધનોની કોઈ કમી રહેશે નહીં. ઘરમાં મની પ્લાંટ રાખવાથી વધારે શુભ ફળ આપનાર થાય છે.

આજના જમાનામાં ઘર અંદરથી પૂરી રીતે પાકા હોય છે. આ માટે ઘરમાં શુક્રનું સ્થાન થઈ શકતું નથી, કારણ કે શુક્ર કાચી જમીનનો કારક છે. આ માટે ઘરમાં ક્યાંય પણ કાચી જમીન ન હોય તો મની પ્લાંટ રાખવું શુભ ફળનું કારક છે. 

No comments:

Post a Comment