Thursday 22 March 2012

શ્રીરામ દરબાર

શ્રીરામ દરબાર


 સવારમાં આવો ફોટો જુઓ, પરિવાર ધનિક બનવા લાગશે
ઘર-પરિવારમાં મોટાભાગે નાની-નાની વાતો ઉપર મોટા વિવાદ થઈ જાય છે. તેની પાછળ અનેક કારણ હોઈ શકે છે. ક્યારેક-ક્યારેક એક-બીજા સદસ્યો પ્રત્યે જલનની ભાવના પેદા થાય છે અને ત્યાંથી જ મનમુટાવ(કુમેળ) વધવા લાગે છે. જ્યાં સંયુક્ત પરિવાર રહે છે ત્યાં મોટાભાગે સાસુ-વહુ, દેરાણી-જેઠાણી અને ભાઈઓની વચ્ચે તૂ-તૂ, મૈ-મૈ રહે છે. આ પ્રકારની સ્થિતિઓ ઘણા પરિવારમાં બને છે.

શાસ્ત્રોમાં પરિવારને આ પ્રકારની માનસિકતાથી દૂર કરવા માટે અનેક ઉપાય, નાની-મોટી પરંપરાઓ બતાવી છે. તેનું પાલન કરવાથી પરિવારના બધા સદસ્યોનો આપસી પ્રેમ બની રહે છે અને કોઈ પ્રકારનો કલેશ નથી પેદા થતો. પરિવારના બધા સદસ્યોમાં પરસ્પર પ્રેમ અને સ્નેહ બની રહે અને તેની માટે ઘરમાં શ્રીરામ દરબારનો ફોટો લગાવવો જોઈએ. રામ દરબારમાં શ્રીરામ, સીતા, લક્ષ્મણ સહિત હનુમાનજી સામેલ હોય છે.

શ્રીરામ દરબારના દરરોજ દર્શન કરો. આ એવા સ્થાને લગાવવો જોઈએ જ્યાં બધા સદસ્યો આસાનીથી ભગવાનના દર્શન કરી શકો. શ્રીરામના પરિવારના દેવતાઓ માનવામાં આવે છે. શ્રીરામના પૂજન અને દર્શન માત્રથી પરિવારના વચ્ચે બધા મનમુટાવ અને વાદ-વિવાદ સમાપ્ત થઈ જાય છે.

શ્રીરામના દર્શનથી પરિવારના બધા સદસ્યોની વિચારસરણી સકારાત્મક બનશે અને તે બધા એકબીજા માટે સારું વિચારશે. દરરોજ દર્શન કરવાથી પરિવાર ઉપર કોઈ પ્રકારની કોઈ વિપત્તી પણ નથી આવે. ઘરની આર્થિક સ્થિતિ સુદ્રઢ બની રહેશે અને રૂપિયાની તંગી પણ નહીં આવે.

No comments:

Post a Comment