Sunday 4 March 2012

ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે એક વ્રત એટલે પ્રદોષ.

ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે એક વ્રત એટલે પ્રદોષ.
ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે એક વ્રત એટલે પ્રદોષ. દરેક માસની તેરસની તીથીના આ વ્રત કરવામાં આવે છે. જેયારે તેરસ સોમવારે આવે છે ત્યારે તેને સોમ પ્રદોષ કહેવામાં આવે છે. સોમવાર તથા તેરસનો સંયોગ વિશેષ ફળદાયી હોય છે.

પંચાંગ ભેદના કારણે આ વખતે સોમ પ્રદોષ (5 માર્ચ)તથા મંગળ પ્રદોષ(6 માર્ચ)નો યોગ બની રહ્યો છે. ભક્તઆ બન્નેમાંથી કોઈ પણ પ્રદોષ વ્રત કરીશકે છે. તેની વિધિ એક સમાન રહેશે. પ્રદોષ વ્રતના પાલન માટે શાસ્ત્રોક્ત્ત વિધિ આ પ્રમાણે છે. કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે આ કાર્ય કરાવવું શ્રેષ્ઠ રહે છે.

વિધિ –

- પ્રદોષ વ્રતમાં પાણી પીધા વગર આ વ્રત કરવાનું હોય છે. સવારે સ્નાન કરીને ભગવાન શંકર, પાર્વતિ અને નંદીને પંચામૃત તથા ગંગાજળથી સ્નાન કરાવી બિલ્વપત્ર, ચંદન, ચોખા, ફૂલ, ધૂપ, દિપ, નૈવેદ્ય, ફળ, પાન, સોપારી, લવિંગ, એલચી ભગવાનને ચઢાવો.

- સાંજના સમયે ફરી સ્નાના કરી આ રીતે શિવજીનું પૂજન કરવું. શિવજીની ષોડશોપચાર પૂજન કરવું.

- ભગવાન શિવને ઘી અને સાકર ભેળવેલા જવનો ભોગ ચઢાવવો.

- આઠ દિપક આઠ દિશામાં પ્રગટાવો. દરેક દિપક રાખતા પ્રણામ કરો. શિવ આરતી, મંત્ર, જાપ, સ્તોત્ર કરવો.

- રાત્રિના જાગરણ કરવું.

આ પ્રકારે દરેક મનોકામના પુર્ણ થાય છે. વ્રત કરનારે વ્રતને પૂરા ધાર્મિક વિધાન અને સંયમથી કરવું જોઈએ.

No comments:

Post a Comment