Wednesday 21 November 2012

मां. श्री. बाळा साहेब ठाकरे यांला भावपूर्ण श्रद्धांजली

हिंदुहृदयसम्राटाला मां. श्री. बाळा साहेब ठाकरे यांला
आम्ही बरौडेकर! तर्फुन भावपूर्ण श्रद्धांजली
સુખ અને દુઃખમાં સૌને દીધો સાથ
જીવન એવું જીવી ગયાકે
ભુલાતી નથી તમારી વાત
આપનો હસમુખો ચહેરો અને
મિલનસાર સ્વભાવ
સદાય અમને યાદ આવશે
પરમકૃપાળુ પરમાત્મા આપના
દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એજ પ્રાથના
આમ્હી બરૌડેકર તરફથી
માં. શ્રી. બાળાસાહેબ ઠાકરે ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

બાળા સાહેબ ઠાકરે હમેશા યાદ રહશે

गेली पाच दशके मराठी मनावर अधिराज्य गाजवणारे, तमाम महाराष्ट्राचे लाडके नेते शिवसेना प्रमुख बाळासाहेब ठाकरे रविवारी अनंतात विलीन झाले.
या हिंदुहृदयसम्राटाला अखेरचा निरोप देण्यासाठी मुंबईसह राज्यभरातून लाखो चाहत्यांनी हजेरी लावली.
शिवाजी पार्कवर शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या पार्थिवाचे अंतिम दर्शन घेताना बॉलीवूडमधील अनेक तारे-तारकांनी अंत्यदर्शन घेतले.हिंदुहृदयसम्राटाला मां. श्री. बाळा साहेब ठाकरे यांला
आम्ही बरौडेकर! तर्फुन भावपूर्ण श्रद्धांजली

Monday 12 November 2012

દિવાળી લક્ષ્મી પૂજા


લક્ષ્મીપૂજનની પૂજાવિધિ


દિવાળીના દિવસે મોટાભાગે દરેક લોકો લક્ષ્મીપૂજન કરે છે. લક્ષ્મીપૂજનની અલગઅલગ પૂજાવિધિ હોય છે પણ મોટાભાગે લક્ષ્મીનો બાજોઠ દરેક ઘરે સ્થાપવામાં આવે છે. તેમાં નવગ્રહ અને માતૃકાબાજોઠનું પણ સ્થાપન કરવામાં આવે છે. આ સ્થાપનથી ઘણા લાભ થાય છે. વર્ષમાં એક દિવસ દિવાળીના દિવસે લક્ષ્મીજીની પધરામણી તમારા ઘરમાં થાય છે, તો તેની પધરામણીમાં જો શણગાર રાખવામાં આવે તો તે વધારે પ્રસન્ન થાય છે.

આ પ્રકારમાં લક્ષ્મીના બાજોઠને સજાવાથી ભક્તને વર્ષભર લાભ રહે છે. ગરીબ હોય તેને ધન મળે છે. ધનમાં વૃદ્ધિ કરવા ઈચ્છતા હોય તેને અચાનક ધનલાભ થવા લાગે છે. નોકરીયાતને મોટા હોદ્દા પ્રાપ્ત થશે. વેપારીઓને વેપારમાં નફો થવા લાગશે. રોગી હોય તે નિરોગી બની શકે છે. આવું અદ્ભૂત અને અમૂલ્ય ફળ આપનાર લક્ષ્મીપૂજાની વિધિ માટેના બાજોઠ શણગારવાનો ઉપાય છે.


લક્ષ્મી માતાના બાજોઠ વિધિ-વિધાનથી સજાવવો જોઈએ. જે પણ ભક્ત માતા લક્ષ્મીની પૂજા માટે વિધિવત વ્યવસ્થા કરે છે, તેને ક્યારે પણ ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

- દિવાળી પૂજન માટે બાજોઠ પર લક્ષ્મી તથા ગણેશની મૂર્તિઓ આ પ્રકારે રાખો કે તેનું મુખ પૂર્વ અને પશ્ચિમમાં રાખો. લક્ષ્મીજી, ગણેશજીને ડાબી તરફ સ્થાપિત કરો. કળશને લક્ષ્મીજીની પાસે ચોખા પર રાખો. નારિયળને લાલ વસ્ત્રમાં વિંટાળી ને નારિયળના આગળનો ભાગ જોવા મળે તે રીતે કળશ પર રાખો. આ કળશ વરૂણદેવનું પ્રતિક છે. 

- કળશ સ્થાપિત કર્યા પછી મોટા દીવાઓ રાખો. એક દીવો ઘીનો તથા બીજો દીવો તેલનો કરો. એક દીવો બાજોઠની ડાબી બાજુ રાખો તથા બીજો મૂર્તિના ચરણમાં, આ ઉપરાંત એક દીવો ગણેશજીની પાસે રાખો.
લક્ષ્મીની કૃપા માટે કેવી રીતે સજાવશો નાનો બાજોઠ


- ગણેશજી તરફ ચોખાની સોળ ઢગલી બનાવો. આ સોળ ઢગલી માતૃકા (2)નું પ્રતિક છે. જેવી રીતે ચિત્રમાં ચિહ્ન (2) પર જોવા મળે છે. નવગ્રહ તથા સોળ માતૃકાની વચ્ચે સ્વસ્તિક (3)નું ચિહ્ન બનાવો. તેની વચમાં સોપારી (4) રાખો તથા ચારેય ખૂણા પર ચોખાની ઢગલી રાખો.

- લક્ષ્મીજી બાજુ શ્રીનું ચિહ્ન (5) બનાવો. ગણેશજી અને ત્રિશુળ (6) બનાવો. એક ચોખાની ઢગલી (7) બનાવો જે બ્રહ્માજીનું પ્રતિક છે. સૌથી નીચે ચોખાની નવ ઢગલી બનાવો (8) જે માતૃકાનું પ્રતિક છે.


- લક્ષ્મી તથા ગણેશ તથા અન્ય દેવી-દેવતા મૂર્તિઓ વાળા બાજોઠની સામે નાનો બાજોઠ રાખી તેના પર લાલ વસ્ત્ર પાથરી દો. પછી કળશની આસપાસ એક મૂઠ્ઠી ચોખાથી લાલ વસ્ત્ર પર નવગ્રહના પ્રતિક રૂપ નવ ઢગલી ત્રણ લાઈનમાં બનાવો. તેને તમે ચિત્રમાં (1) ચિહ્નથી જોઈ શકો છો.

- સૌથી ઉપર ऊँ નું ચિહ્ન બનાવો. આ બધા ઉપરાંત પેન, વહીખાતા તથા સિક્કાની થેલી પણ રાખી દો. આ રીતે બાજોઠ શણગારવાનું એક પ્રતિક ફોટામાં અમે દર્શાવ્યું છે, તે જોઈને પણ કરી શકાય છે.

- આ પ્રકારે લક્ષ્મીના બાજોઠને સજાવાથી ભક્તને વર્ષભર લાભ રહે છે. ગરીબ હોય તેને ધન મળે છે. ધનમાં વૃદ્ધિ કરવા ઈચ્છતા હોય તેને અચાનક ધનલાભ થવા લાગે છે. નોકરીયાતને મોટા હોદ્દા પ્રાપ્ત થશે. વેપારીઓને વેપારમાં નફો થવા લાગશે. રોગી હોય તે નિરોગી બની શકે છે. 

 
દિવાળીની રાતે આ આઠ સ્થાન પર કરો દીવો, દૂર થશે સમસ્યાઓ
દિવાળીની રાતે મહાદેવી લક્ષ્મીજીને મનાવવાનો સૌથી સારી તક છે. શાસ્ત્રો અનુસાર જણાવવામાં આવે છે કે દિવાળીની રાતે કંઈક વિશેષ સ્થાને દીવો કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. અહીં જાણો દિવાળીની રાતના કઈ-કઈ જગ્યાએ દીવો કરવો જોઈએ, જેથી તમારી પૈસાની સમસ્યાઓનો ઉકેલાઈ જશે.

શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે દિવાળીની રાતે દેવી મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. આથી  રાતના દેવીને પ્રસન્ન કરવા માટે ઉપાય જણાવવામાં આવે છે....

- જો શક્ય હોય તો રાતના સમયે કોઈ સ્મશાનમાં દીવો કરો. પૈસા પ્રાપ્ત કરવા માટે આ એક ચમત્કારી તંત્રોપાય છે.

- ધનપ્રાપ્તિની કામના કરનાર વ્યક્તિને દિવાની રાતે મુખ્ય દરવાજાના ઉંબરા પર બન્ને બાજુ દીવો જરૂર કરવો જોઈએ.

- ઘરના આંગણામાં દીવો કરવો જોઈએ. ધ્યાન રાખો આ દીવો બંધ થવો જોઈએ નહીં. આવું કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

- આપણા ઘરની આસપાસ વાળા વિસ્તારમાં ચૌદસ પર રાતના સમયે દીવો કરવો જોઈએ. એવું કરવાથી પૈસાથી જોડાયેલી સમસ્યા ઉકેલાઈ જાય છે.

- ઘરનાં પૂજા સ્થાનમાં દીવો કરવો, જે આખી રાત ચાલું રહેવો જોઈએ. આ રીતે કરવાથી મહાલક્ષ્મીજી  પ્રસન્ન થાય છે.

- કોઈ બિલ્વપત્રના ઝાડની નીચે દિવાળીની સાંજે દીવો કરવો જોઈએ. બિલ્વપત્ર ભગવાન શિવનું પ્રિય વૃક્ષ છે. આથી અહીં દીવો કરવાથી તેની કૃપા પ્રાપ્ત થાય છે.

- ઘરની આસપાસ જે પણ મંદિર હોય ત્યાં રાતના સમયે દીવો જરૂર કરવો જોઈએ, તેથી તમારી પ્રતિષ્ઠા અને ધન પ્રાપ્તિ થાય છે.

- પીપળાના ઝાડની નીચે દિવાળીની રાતે એક દીવો જરૂર કરો. એવું કરવાથી આપની ધન સંબંધી દરેક સમસ્યા દૂર થઈ જશે. 


દેવી મહાલક્ષ્મીની વિધિ અનુસાર પૂજન

આસો વદ અમાસના ભગવતી શ્રી મહાલક્ષ્મી તથા ભગવાન ગણેશની નવી પ્રતિમાઓનું પ્રતિષ્ઠાપૂર્વક વિશેષ પૂજન કરવામાં આવે છે. દિવાળી પર દેવી મહાલક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે નીચે લખેલી વિધિ અનુસાર પૂજન કરો.
 
પૂજન માટે બાજોઠ  પર લીલું કે લાલ આસન પાથરો, ડાબી બાજુ ગણેશને અને જમણી બાજુ માતા મહાલક્ષ્મીની મૂર્તિને સ્થાપિત કરો. પૂજનના દિવસે ઘરને સ્વચ્છ કરી પૂજા-સ્થાનને પણ પવિત્ર કરી લો તથા પોતે પણ પવિત્ર થઈને શ્રદ્ધા-ભક્તિપૂર્વક સાંજના સમયે મહાલક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશનું પૂજન કરો.....


શ્રી મહાલક્ષ્મીજીની મૂર્તિની પાસે જ પવિત્ર પાત્રમાં કેસરયુક્ત ચંદનથી અષ્ટદલ કમળ બનાવીને તેના પર રૂપીયો રાખો તથા એક સાથે જ બન્નેની પૂજા કરો. સૌથી પહેલા પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખી આચમન, પવિત્રી ધારણ, માર્જન-પ્રાણાયામ કરી, તેની ઉપર તથા પૂજા-સામગ્રી પર નીચેનો મંત્ર વાંચીને જળ છાંટો –
ऊँ अपवित्र: पवित्रो वा सर्वावस्थां गतोपि वा।
य: स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर: शुचि:।।


તે પછી જળ, ચોખા લઈને પૂજનનો સંકલ્પ કરો –


संकल्प- ऊँ विष्णुर्विष्णुर्विष्णु: अद्य मासोत्तमे मासे आसोमासे कृष्णपक्षे पुण्यायाममावास्यायां तिथौ.......... वासरे............गोत्रोत्पन्न: (गोत्र का उच्चारण करें)/ गुप्तोहंश्रुतिस्मृतिपुराणोक्तफलावाप्तिकामनया ज्ञाताज्ञातकायिकवाचिकमानसिक सकलपापनिवृत्तिपूर्वकं स्थिरलक्ष्मीप्राप्तये श्रीमहालक्ष्मीप्रीत्यर्थं महालक्ष्मीपूजनं कुबेरादीनां च पूजनं करिष्ये। तदड्त्वेन गौरीगणपत्यादिपूजनं च करिष्ये।


આવું કહીને સંકલ્પનું જળ નીચે છોડી દો. પૂજન પહેલા નવી પ્રતિમાની નીચે પ્રમાણે પ્રાણ-પ્રતિષ્ઠા કરો –

પ્રતિષ્ઠા – ડાબા હાથમાં ચોખા લઈને નીચે લખેલ મંત્રો બોલી જમણા હાથથી તે ચોખાને પ્રતિમા પર છાંટતા જાઓ.


ऊँ मनो जूतिर्जुषतामाज्यस्य बृहस्पतिर्यज्ञमिमं तनोत्वरिष्टं यज्ञ समिमं दधातु।
विश्वे देवास इह मादयन्तामोम्प्रतिष्ठ।।

ऊँ अस्यै प्राणा: प्रतिष्ठन्तु अस्यै प्राणा: क्षरन्तु च।
अस्यै देवत्वमर्चायै मामहेति च कश्चन।।


સર્વપ્રથમ ભગવાન ગણેશનું પૂજન કરો. તે પછી કળશ પૂજન તથા સોળશ માતૃકા (સોળદેવીઓનું) પૂજન કરો. તત્પશ્ચાત પ્રધાન પૂજામાં મંત્રો દ્વારા ભગવતી મહાલક્ષ્મીનો સોળશોપચાર પૂજન કરો.
ऊँ महालक्ष्म्यै नम:- આ નામ મંત્રથી પણ ઉપચારો દ્વારા પૂજન કરવામાં આવી શકે છે.


પ્રાર્થના – વિધિપૂર્વક શ્રીમહાલક્ષ્મીનું પૂજન કર્યા પછી હાત જોડીને પ્રાર્થના કરો –
सुरासुरेंद्रादिकिरीटमौक्तिकै-
र्युक्तं सदा यक्तव पादपकंजम्।
परावरं पातु वरं सुमंगल
नमामि भक्त्याखिलकामसिद्धये।।
भवानि त्वं महालक्ष्मी: सर्वकामप्रदायिनी।।
सुपूजिता प्रसन्ना स्यान्महालक्ष्मि नमोस्तु ते।।
नमस्ते सर्वदेवानां वरदासि हरिप्रिये।
या गतिस्त्वत्प्रपन्नानां सा मे भूयात् त्वदर्चनात्।।
ऊँ  महालक्ष्म्यै नम:, प्रार्थनापूर्वकं समस्कारान् समर्पयामि।

પ્રાર્થના કરીને નમસ્કાર કરો. –


સમર્પણ - પૂજનના અંતમાં कृतोनानेन पूजनेन भगवती महालक्ष्मीदेवी प्रीयताम्, न मम।
આ વાક્ય ઉચ્ચારણ કરી સમસ્ત પૂજન કર્મ ભગવતી મહાલક્ષ્મીને સમર્પિત કરો તતા જળ મૂકી દો.


દિવાળીના પૂજનના શુભ મુહૂર્ત –
ઓફિસ, દુકાન, ફેક્ટ્રી વગેરે વ્યાપારિક સ્થાનો માટે –

-સવારે 9 થી 10:30 વાગા સુધી- ચર

-સવારે 10:30 થી બપોરના 12 વાગા સુધી- લાભ

ઘર પર પૂજન માટેના મુહૂર્ત –

- સાંજે 7:30 થી રાત 9 વાગા સુધી

- રાતે 10:30 થી 12 વાગા સુધી- લાભ

- રાતે 12 થી 1:30 વાગા સુધી- અમૃત


આ પૂજન પછી વિનાયક ગણેશ, પેન, સરસ્વતી, કુબેર, તોલકાંટો તથા દીવાની પૂજા કરી અંતમાં આરતી કરવામાં આવે છે.


દિવાળી પર દેવી મહાલક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશની સાથે જ વિનાયક, પેનની પૂજા કરવાનું વિધાન પણ કરવામાં આવે છે. તેની વિધિ નીચે આપેલ છે –

વિનાયક ગણેશ પૂજા - દુકાન કે ઓફિસમાં દિવાલો પર ऊँ श्रीगणेशाय नम:।, સાથીયો, શુભ-લાભ વગેરે માંગલિક તથા કલ્યાણકારી શબ્દ સિંદૂરથી લખવામાં આવે છે. તેને શબ્દો પર ऊँ देहलीविनायकाय नम:। આ નામમંત્ર દ્વારા ગંધ-પુષ્પાદિથી પૂજન કરો.


શ્રી મહાકાળીનું પૂજન – શાહી વાળી કલમને ભગવતી મહાલક્ષ્મીની સામે ફૂલ તથા ચોખા ઉપર રાખીને તેના પર સિંદૂરથી સ્વસ્તિક બનાવી દો તથા મળી લપેટી દો.


ऊँ श्रीमहाकाल्यै नम: - આ નામ મંત્રથી ચંદન-પુષ્પાદિ પંચોપચારોથી કે સોળશોપચારથી કલમ તથા ભગવતી મહાકાળીનું પૂજન કરો અને અંતમાં આ પ્રકાર પ્રાર્થના પૂર્વક તેને પ્રણામ કરો –


कालिके त्वं जगन्मातर्मसिरूपेण वर्तसे।
उत्पन्ना त्वं च लोकानां व्यवहारप्रसिद्धये।।
या कालिका रोगहरा सुवन्द्या
भक्तै: समस्तैव्र्यवहारदक्षै:।
जनैर्जनानां भयहारिणी च सा लोकमाता मम सौख्यदास्तु।।


કલમનું પૂજન -  પેન પર મળી બાંધીને સામે રાખી દો અને

लेखनी निर्मिता पूर्वं ब्रह्मणा परमेष्ठिना।
लोकानां च हितार्थय तस्मात्तां पूज्याम्यहम्।।

ऊँ लेखनीस्थायै देव्यै नम:


- આ નામમંત્ર દ્વારા ગંધ, પુષ્પ, ચોખા વગેરેથી પૂજન કરી આ પ્રકાર પ્રાર્થના કરો.


शास्त्राणां व्यवहाराणां विद्यानामाप्युयाद्यात:।
अतस्त्वां पूजयिष्यामि मम हस्ते स्थिरा भव।।


દેહવિનાયક, કમલની પૂજા કર્યા પછી વહીખાતા, કુબેર પૂજન તથા તોલકાંટાનું પૂજન કરવામાં આવે છે.

 
દીવાળી પર વહીખાતા પૂજન, કુબેર પૂજન, તોલકાંટાનું પૂજન તથા દીપમાળાનું પૂજન પણ કરવામાં આવે છે. તેનું પૂજન વિધિ આ પ્રકારે છે –

વહીખાતાનું પૂજન – વહી, વાસણ તથા થેલીમાં રોળી કે કેસરયુક્ત ચંદનથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો તથા થેલીમાં પાંચ હળદરની ગાંઠ, ધાણા, કમળના ફૂલ, દૂર્વા અને થોડાંક રૂપીયાના સિક્કા રાખીને તેનાથી સરસ્વતીનું પૂજન કરો. સર્વપ્રથમ સરસ્વતીનું ધ્યાન આ પ્રકારે કરો –


या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवै: सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती नि:शेषजाड्यापहा।।
ऊँ वीणापुस्तकधारिण्यै श्रीसरस्वत्यै नम:


-આ નામમંત્રથી ચંદન વગેરે ચઢાવી પૂજન કરો.


કુબેર પૂજન – તીજોરી અથવા રૂપીયા રાખવાના સંદૂક ઉપર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને પછી ભગવાન કુબેરનું આહ્વાન કરો –

आवाहयामि देव त्वामिहायाहि कृपां कुरु।
कोशं वद्र्धय नित्यं त्वं परिरक्ष सुरेश्वर।।


આહ્વાન પછી ऊँ कुबेराय नम:। આ નામમંત્રથી ગંધ, ફૂલ વગેરેથી પૂજન કરી અંતમાં આ પ્રકારે પ્રાર્થના કરો

 

धनदाय नमस्तुभ्यं निधिपद्माधिपाय च।
भगवान् त्वत्प्रसादेन धनधान्यादिसम्पद:।।

 

આ પ્રકારે પ્રાર્થના કરી પહેલા હેલ્દી, ધાણા, કમળફૂલ, રૂપીયા, દૂર્વા વગેરેથી યુક્ત થેલી તિજોરીમાં રાખો.
તાલકાંટાનું પૂજન – સિંદૂરથી તોલમાપ કાંટા પર સાથીયો કરો. નાડાછડી તુલા દેવતાના આ પ્રકારે ધ્યાન કરો –

 

नमस्ते सर्वदेवानां शक्तित्वे सत्यमाश्रिता।
साक्षीभूता जगद्धात्री निर्मिता विश्वयोनिना।।

 

ધ્યાન પછી ऊँ तुलाधिष्ठातृदेवतायै नम:।
આ નામમંત્રથી ગંધ, ચોખા વગેરે ઉપચારો દ્વારા પૂજન કરી નમસ્કાર કરો.

દિપમાળા (દીપક) પૂજન – કોઈ પાત્રમાં અગીયાર, એક્કીસ કે તેનાથી વધારે દીવાને પ્રજ્વલિત કરી મહાલક્ષ્મીની બાજુમાં રાખી તેને દીપકજ્યોતિના ऊँ दीपावल्यै नम:। આ નામમંત્રથી ચંદન વગેરે દ્વારા પૂજન કરી આ પ્રકારે પ્રાર્થના કરો –

 

त्वं ज्योतिस्त्वं रविश्चनद्रो विद्युदग्निश्च तारका:।
सर्वेषां ज्योतिषां ज्योतिर्दीपावल्यै नमो नम:।।

 

દિપમાળાનું પૂજન કરી સંતરા, શેરડી, ધાણા વગેરે પદાર્થ ચઢાવો. ગણેશ, મહાલક્ષ્મી તતા અન્ય બધા દેવી-દેવતાઓને પણ અર્પિત કરો. અંતમાં અન્ય બધા દીવાને પ્રગટાવી દો. આ બધા પછી દેવી મહાલક્ષ્મીની આરતી કરવામાં આવે છે.  



દિવાળી પર દેવી મહાલક્ષ્મી, ભગવાન શ્રી ગણેશ, વિનાયક, કલમ, વહીખાતા, કુબેર, તુલા તથા દિપમાળાનાં પૂજન પછી મહાલક્ષ્મીની આરતી કરવામાં આવે છે.

આરતી માટે આ થાળીમાં સાથીયા વગેરે માંગલિક ચિહ્નો બનાવી ચોખા તથા પુષ્પોનું આસન પર શુદ્ધ ઘીનો દીવો કરો. એક પૃથક પાત્રમાં કપૂર પણ પ્રજ્વલિત કરી તે પાત્ર પણ થાળીમાં યથાસ્થાને રાખી લો,

આરતી – આસન પર ઉભા રહી પરિવાર સાથે ઘંટનાદ કરતાં-કરતાં મહાલક્ષ્મીજીની મંગળ આરતી કરો –

 

श्रीलक्ष्मीजी की आरती
ऊँ जय लक्ष्मी माता, जय लक्ष्मी माता।
तुमको निसिदिन सेवत हर विष्णु-धाता।। ऊँ।।
उमा, रमा, ब्रह्माणी, तुम ही जग माता।
सूर्य-चंद्रमा ध्यावत, नारद ऋषि गाता।। ऊँ।।
दुर्गारूप निरंजनि, सुख-सम्पत्ति दाता।
जो कोई तुमको ध्यावत, रिद्धि-सिद्धि धन पाता।। ऊँ।।
तुम पाताल-निवासिनि, तुम ही शुभदाता।
कर्म-प्रभाव-प्रकाशिनी, भवनिधिकी त्राता।। ऊँ।।
जिस घर तुम रहती, तहँ सब सद्गुण आता।
सब संभव हो जाता, मन नहिं घबराता।। ऊँ।।
तुम बिन यज्ञ न होते, वस्त्र न हो पाता।
खान-पान का वैभव सब तुमसे आता।। ऊँ।।
शुभ-गुण-मंदिर सुंदर, क्षीरोदधि-जाता।
रत्न चतुर्दश तुम बिन कोई नहिं पाता।। ऊँ।।
महालक्ष्मी(जी) की आरती, जो कोई नर गाता।
उर आनन्द समाता, पाप उतर जाता।। ऊँ।।


મંત્ર પૂષ્પાંજલી – બન્ને હાથમાં ફૂલ લઈને હાથ જોડીને નીચેનો મંત્ર બોલો –

ऊँ या श्री: स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी:
पापात्मनां कृतधियां ह्रदयेषु बुद्धि:।
श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा
तां त्वां नता: स्म परिपालय देवि विश्वम्।।
ऊँ श्रीमहालक्ष्म्यै नम:, मंत्रपुष्पांजलिं समर्पयमि।

આમ આ મંત્ર બોલી હાથના પૂલ લક્ષ્મીજીન પર ચઢાવી દો. પ્રદક્ષિણા કરી પ્રણામ કરો, ફરી હાથ જોડીને ક્ષમા પ્રાર્થના કરો –

आवाहनं न जानामि न जानामि विसर्जनम्।
पूजां चैव न जानामि क्षमस्व परमेश्वरि।।
यत्पूजितं मया देवि परिपूर्णं तदस्तु मे।।
सरजिजनिलये सरोजहस्ते धनलतरांशुकगंधमाल्यशोभे।
भगवति हरिवल्वभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्।।

ફરીથી પ્રણઆમ કરીને  ऊँ अनेन यथाशक्त्यर्चनेन श्रीमहालक्ष्मी: प्रसीदतु।

આમ કહીને પાણી નીચે મૂકી દો. બ્રાહ્મણ તથા ગુરુજનોને પ્રણામ કરી ચરણામૃત તથા પ્રસાદ વિતરણ કરો.


વિસર્જન – પૂજનના અંતમાં ચોખા લઈને ગણેશ તથા મહાલક્ષ્મીની પ્રતિમાને છોડીને અન્ય બધાને આવાહિત, પ્રતિષ્ઠિત તથા પૂજિત દેવતાઓ પર ચોખા છોડીને નીચેનો મંત્રથી વિસર્જન કરો –

यान्तु देवगणा: सर्वे पूजामादाय मामकीम्।
इष्टकामसमृद्धयर्थं पुनरागमनाय च।। 


આમ્હી બરૌડેકર પરિવાર તરફથી વ્હાલા વાચક મિત્રો, ભાઈ, બહેન તથા શુભેચ્છકો આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની હાર્દિક શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

Thursday 8 November 2012

દિવાળી પર આ 10 ચીજો અપાવે છે સ્થાયી લક્ષ્મી

દિવાળી પર આ 10 ચીજો અપાવે છે સ્થાયી લક્ષ્મી

દિવાળી-પૂજનમાં ઉપયોગ કરવામાં આવેલી વસ્તુઓ ભક્તને લક્ષ્મીની સ્થાયી કૃપા અપાવે છે. સ્થાયી લક્ષ્મીનો અર્થ આ છે કે આપના ઘરમાં હંમેશા મહાલક્ષ્મીનો વાસ રહેશે અને ક્યારે પણ ધનની કમી નહીં રહેશે. અહીં જાણો સામાન્ય પૂજન સામગ્રી (દીવો, પ્રસાદ, કંકુ, ફળ-ફૂલ વગેરે) ઉપરાંત એવી દસ ચીજો જે આપને લક્ષ્મીની સ્થાયી કૃપા અપાવે છે

પાન અને ચોખા – તે દિવાળીના પર્વ માટે શુભ અને માંગલિક ચિહ્ન છે. પાન ઘરની શુદ્ધિ કરે છે તથા ચોખા ઘરમાં કોઈ ખરાબ ઘટના થવા દેતા નથી.

રંગોળી – લક્ષ્મી પૂજનના સ્થાન તથા પ્રવેશ દ્વારા તથા આંગણામાં રંગોનું સંયોજન દ્વારા ધાર્મિક ચિહ્નઃ કમળ, સ્વસ્તિક, કળશ, ફૂલ વગેરે અંકિત કરી રંગોળી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે, કે દેવી લક્ષ્મી રંગોળી તરફ ઝડપથી આકર્ષિત થાય છે. વાસ્તુ પણ કહે છે કે રગોળી ઘરમાં પોઝિટિવિટી લાવે છે.

જવારા – દિવાળીના દિવસે જવારા ધરમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે, તથા વર્ષભર કોઈ પણ પ્રકારના અનાજની કમી આવશે નહીં. મહાલક્ષ્મીના પૂજન સમય જવારના પૂજન કરવાથી ઘરમાં હીરા-મોતી જેવી બહુમૂલ્ય વસ્તુઓ આવે છે.

શેરડી – લક્ષ્મીના ઐરાવત હાથીની પ્રિય ખાદ્ય-સામગ્રી શેરડી છે. દિવાળીના દિવસે પૂજનમાં શેરડી સામેલ કરવાથી કે તુલસી ક્યારે શેરડી ધરવથી ઐરાવત પ્રસન્ન રહે છે અને તેની શક્તિ તથા વાણીની મિઠાશ આપણા ઘરમાં ફેલાયેલી રહે છે.


પતાશા કે ગોળ – આ પણ દિવાળી પર્વના માંગલિક ચિહ્ન છે. લક્ષ્મી-પૂજન પછી ગોળ – પતાશાનું દાન કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. ઘર-પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો વિસ્તાર થાય છે.

તિલક – પૂજનના સમયે તિલક કરવામાં આવે છે જેથી મસ્તિષ્કમાં વૃદ્ધિ, જ્ઞાન અને શાંતિનો પ્રસાર થાય. કોઈ પણ પૂજન કર્મ તિલક વગર પૂરું નથી થતું.

નાડાછડી -  તે માંગલિક ચિહ્ન તથા સંગઠનની નિશાની છે, જેને પૂજાના સમયે હાથ પર બાંધવામાં આવે છે.

કોડી – લક્ષ્મી પૂજનની સજાવેલી થાળીમાં કોડી રાખવાની જુની પરંપરા છે, કારણ કે આ ધન અને શ્રીનું પ્રતિક છે. કોડીને તિજોરીમાં રાખવાથી લક્ષ્મીની કૃપા હંમેશા જળવાઈ રહે છે.

સ્વસ્તિક – કોઈપણ પૂજનમાં સ્વસ્તિકનું  ચિહ્ન જરૂર કરો. સ્વસ્તિકની ચાર ભૂજા ઉત્તર, દક્ષિણ, પૂર્વ,પશ્ચિમ ચારે દિશાઓ દર્શાવે છે. તેની સાથે જ આ ચાર ભૂજાઓ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ આશ્રમોનું પ્રતિક પણ માનવામાં આવે છે. આ ચિહ્ન કેસર, હળદર, સિંદૂરથી બનાવવામાં આવે છે.

વંદનવાર – આંબા કે પીપળાના કોમળ પાનની માળાને વંદનવાર કહેવામાં આવે છે. તેને દિવાળીના દિવસે પૂર્વદ્વારે કે મુખ્યદ્વાર પર બાંધવામાં આવે છે. આ એ વાતનું પ્રતિક છે કે સમસ્ત દેવી-દેવતા આ પાનની સુગંધથી આકર્ષિત થઈને આપના ઘરમાં પ્રવેશ કરે છે. એવી માન્યાતા છે કે દિવાળીના વંદનવારને  31 દિવસ સુધી બાંધી રાખવી જોઈએ.

Wednesday 7 November 2012

દિવાળી - ૨૦૧૨નાં શુભમુહૂર્તો

દિવાળીનાં શુભમુહૂર્તો

ધનપૂજન- ધનતેરસ- ધન્વંતરિ પૂજન
આસો વદ ૧૨ને રવિવાર તા. ૧૧-૧૧-૨૦૧૨
શુભ સમય: બપોરના ૧-૩૫ થી ૩-૦૫ સુધી
સાંજના ૬-૧૫ થી ૧૦-૩૭ સુધી
મોડી રાત્રે ૧-૩૫ થી ૩-૧૫ સુધી
વહેલી સવારે ૫-૨૫ થી ૬-૧૫ સુધી
ઉપરોકત સમયગાળામાં ધનપૂજા કરી શકાય. ચોપડા પણ લાવી શકે.

કાળીચૌદસ- નરક ચતુર્દશી
આસો વદ ૧૩ને સોમવાર તા. ૧૨-૧૧-૨૦૧૨
શુભ સમય: બપોરના ૨-૩૦ થી ૬-૩૦ સુધી
સાંજના ૬-૧૫ થી ૭-૩૫ સુધી
રાત્રે ૧૦-૩૦ થી ૧૨-૦૫ સુધી
મોડી રાત્રે ૧-૩૫ થી વહેલી સવારે ૬-૦૫ સુધી
ભૈરવ, બટુક, વીર હનુમાન, મહાકાલી તથા દસ મહાવિધાની આરાધના અને તાંત્રિક
વિધિ-વિધાન માટે ઉત્તમ ગણાય. મશીનોની
મહાપૂજા પણ આ દિવસે કરવી શ્રેષ્ઠ ગણાય.

દિવાળી-ચોપડા-લક્ષ્મી-શારદાપૂજન
આસો વદ ૧૪ ને મંગળવાર તા. ૧૩-૧૧-૨૦૧૨
શુભ સમય: સવારના ૯-૪૦ થી ૧૩-૪૫ સુધી
બપોરના ૩-૧૫ થી ૬-૫૩ સુધી
સાંજના ૭-૩૨ થી ૯-૧૦ સુધી
રાત્રે ૧૦-૫૦ થી ૩-૩૦ સુધી
વહેલી સવારે ૫-૫૫ થી ૬-૩૦ સુધી

 વિક્રમ સંવત ૨૦૬૯ નૂતન વર્ષ

પેઢી ખોલવાનાં મુહૂર્તો
કારતક સુદ ૧ ને બુધવાર તા. ૧૪-૧૧-૨૦૧૨
શુભ સમય: સવારના ૭-૦૦ થી ૯-૩૦ સુધી
સવારના ૧૧-૨૫ થી ૧૨-૨૦ સુધી

લાભપાંચમ-જ્ઞાનપંચમી
કારતક સુદ ૫ ને રવિવાર તા. ૧૮-૧૧-૨૦૧૨
શુભ સમય : સવારના ૮-૩૦ થી ૧૨-૨૧ સુધી
આ સમયગાળામાં ધંધાકીય શુભકાર્યનો
મંગલ પ્રારંભ શ્રેષ્ઠ ગણાય.

 માનવને સુખ, સંપત્તિ અને સુર ાા પ્રાપ્ત થાય તેથી આ પર્વમાં શ્રી મહાલક્ષ્મી ઉપાસના ઉત્તમ છે. તેમની ઉપાસના કરતાં પહેલાં લક્ષ્મીજીનાં સ્વરૂપો સમૃદ્ધિના પ્રકારો આ તમામ પ્રકારની લક્ષ્મી કઇ રીતે પ્રાપ્ત થાય તે સમજવું જરૂરી છે.

શ્રી
લક્ષ્મીજીનાં મુખ્ય આઠ સ્વરૂપો: ૧. શ્રી દ્રવીભૂજાલક્ષ્મી, ૨. શ્રીમહાલક્ષ્મી, ૩. શ્રીદેવી, ૪. શ્રીવરલક્ષ્મી, ૫. અષ્ટભૂજા વીરલક્ષ્મી, ૬. પ્રસન્ન લક્ષ્મી, ૭. ગજલક્ષ્મી, ૮. દ્વિવભૂજા લક્ષ્મી.

વાસ્તવિક જીવનમાં અષ્ટ
લક્ષ્મીનાં સ્વરૂપો

આજકાલ આપણે સમૃદ્ધિને તથા ભૌતિક સુખ-સંપત્તિને
લક્ષ્મી કહીએ છીએ. ખરેખર સમૃદ્ધિ એક વ્યાપક અર્થવાળો શબ્દ છે. સમૃદ્ધિ (લક્ષ્મી)નાં મુખ્ય આઠ સ્વરૂપ છે. આઠેય પ્રકારની સમૃદ્ધિ તો માત્ર ભગવાન નારાયણમાં જ છે. ભગવાન નારાયણની કૃપાથી જ મનુષ્યને આંશિક રૂપમાં લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ સમૃદ્ધિ (લક્ષ્મી)ના આઠ પ્રકારો આ મુજબ છે. ધનલક્ષ્મી, વિધાલક્ષ્મી, સૌભાગ્યલક્ષ્મી, અમૃતલક્ષ્મી, કામલક્ષ્મી, સત્યલક્ષ્મી, ભોગલક્ષ્મી, યોગલક્ષ્મી. સંસારમાં કોઇ વ્યકિત પાસે આઠેય સ્વરૂપો હોતાં નથી. લગભગ એક રૂપથી જ તેનું કલ્યાણ થતું હોય છે.

૧. ધન
લક્ષ્મી: વ્યકિત આ રૂપને વધારે ચાહે છે. ભૂમિ-વાહન-મકાન ઘર-ખેતીથી તેનો સંચય થાય છે. ઉધોગ-વાણિજય વ્યવસાયથી ઉત્પન્ન થાય છે. ગાય-અશ્વ-હાથી-સોનું-ધાતુ-રત્ન-ઉપરત્ન-હીરામાણેક આ તમામ તેનાં રૂપો છે.

૨. વિધા
લક્ષ્મી: લક્ષ્મીજીનું બીજું સ્વરૂપ એટલે જ્ઞાન-વિજ્ઞાન કેળવણી-શિક્ષણ વગેરે કહેવાય છે. ભર્તુહરિએ તેને ગુપ્ત ધન કહ્યું છે.

વિધા નામ નરસ્ય રૂપમધિકં પ્રરછન્નં ગુપ્તં ધનમ્!

મનુષ્યનું કર્તવ્ય છે કે તે વિધાભ્યાસ કરે યથાસંભવ કલાઓ શીખી લે. જીવનમાં એવા અનેક સંજોગો આવે છે ત્યારે ધન
લક્ષ્મીને બદલે વિધાલક્ષ્મી સાથ આપે છે અને માનવીનું કામ સરળ થાય છે.

૩. સૌભાગ્ય
લક્ષ્મી: જન્મોજન્માંતરના પુણ્યબળે ભાગ્યની પ્રાપ્તિ થાય છે. કપરા સમયમાં ભાગ્ય જ આપણને મદદ કરે છે. જયારે ભાગ્ય સાથ નથી આપતું ત્યારે ધન-વિધા પણ કોઇ કામનાં નથી હોતાં. જીવનમાં સારી પત્ની, સારા પુત્રો, સારો પતિ, જ્ઞાનીગુરુ આ બધું સૌભાગ્યથી જ મળે છે. આ શ્રીલક્ષ્મીજીનું ત્રીજું સ્વરૂપ છે.

૪. અમૃત
લક્ષ્મી: ઉત્તમ સ્વાસ્થ્ય સાથે દીઘાર્યુ એટલે અમૃતલક્ષ્મી. અમૃતલક્ષ્મીથી માનવ તેના જીવનમાં ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ સિદ્ધ કરી શકે છે. આયુર્વેદમાં તેને આરોગ્યલક્ષ્મી કહેવાય છે. જીવનમાં આ લક્ષ્મીની પ્રાપ્તિ માટે શરીર-મન તથા ઘર આંગણની સ્વરછતાથી સભાન રહેવું જોઇએ.

૫. કામ
લક્ષ્મી: કામલક્ષ્મીની કપાથી અને તેની પ્રાપ્તિથી માનવ સંતોષપૂર્વક જીવનયાપન કરે છે. તથા તેની ઘર ગૃહસ્થીનાં તમામ કાર્યોકકળાટ વિના સારી રીતે ચાલતાં રહે છે.

૬. સત્ય
લક્ષ્મી: દ્દઢતાપૂર્વક સત્ય પાલનથી આ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. સત્ય પાલન કરનાર વ્યકિતની આબરૂ-પ્રતિષ્ઠા સારી રીતે બંધાય છે. જેના કારણ તેના વ્યવહારો-ધંધા રોજગાર ખૂબ જ ફૂલેફાલે છે.

૭. ભોગ
લક્ષ્મી: સ્વાદિષ્ટ ભોજન-સારા પોષક ભોજનની ઉપલબ્ધિ તથા તેને પચાવવાની શકિત હોવી-દાન દેવાનું સામથ્ર્ય-શ્રેષ્ઠસ્ત્રીની પ્રાપ્તિ આ તમામ ભોગલ મીની કપાનાં ચિહ્નો છે.

૮. યોગ
લક્ષ્મી: આ પ્રકારની લક્ષ્મી યોગ અને સાધનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. માનવીને કોઇ વસ્તુની ઈચ્છા નથી હોતી પરંતુ જરૂર પડયે તમામ સુખ-સુવિધા હાજર થઇ જાય છે.

કોઇ વ્યકિત પાસે આઠે સ્વરૂપો હોતાં નથી. ભગવાન નારાયણની
કૃપા થી
મનુષ્યને આંશિક લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

અષ્ટ
લક્ષ્મીની કરો ઉપાસના ધનપૂજા

Thursday 1 November 2012

પતિ પત્નીના અમર પ્રેમનું પ્રતિક છે- કડવા ચોથ

પતિ પત્નીના અમર પ્રેમનું પ્રતિક છે- કડવા ચોથ

આસો વદ સંકષ્ટ ચોથ ~ કડવા ચોથ
ચન્દ્રોદય રાત્રે ૮.૪૨

હિન્દુ ધર્મમાં અખંડ સુહાગ માટે કરવા ચોથનું વ્રત જાણીતું છે, આ તહેવાર પતિ પત્નીના અમર પ્રેમની તથા પતિ પ્રતિ પત્નીના સમર્પણનું પ્રતિક છે. વાસ્તવમાં કડવા ચોથનો તહેવાર સંસ્કૃતિના પવિત્ર બંધનનું પ્રતિક છે જે પતિ પત્ની બંને વચ્ચે રહે છે.

ભારતીય સંસ્કૃતિમાં પતિને પરમેશ્વરની સંજ્ઞા આપવામાં આવી છે. કડવા ચોથનું વ્રત રાખનારી પત્ની પોતાના પતિ પ્રતિ એ જ ભાવ પ્રદર્શિત કરે છે. સ્ત્રીઓ શણગાર સજીને ઈશ્વર સમક્ષ દિવસ દરમ્યાન વ્રત રાખીને એ જ વચન લે છે તે પૂર્ણ નિષ્ઠાથી પોતાના પતિ પ્રત્યે સમર્પણની ભાવના રાખશે. હિંદુ ધર્મમાં પુરાતન કાળથી કડવા ચોથની પરંપરા ચાલી આવે છે. આ વ્રતમાં પરિણીત સ્ત્રીઓએ દિવસ દરમ્યાન પાણી અને અન્ન વગર રહેવું પડે છે. તેમ છતાં મહિલાઓને આ વ્રતનો ઈંતજાર રહે છે. આ જ પત્નીનો પોતાના પતિ પ્રત્યેનો સમર્પણ ભાવ છે.

આ વ્રત સવારે સૂર્યોદય પહેલા એટલે કે સવારે ૪ વઘ્યા પહેલા શરુ થાય છે અને. રાત્રે ચંદ્ર ના દર્શન કરી ને પૂર્ણ થાય છે. દિવસ દરમ્યાન ઉપવાસ રાખી ને રાત્રે ચંદ્ર ના દર્શન કાર્ય બાદ ભોજન લેવા નું વિધાન છે. કડવા ચોથ ના તહેવાર પર પત્નીઓ આજ ના પવિત્ર દિવસે તેમના પતિ ના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખે છે. ચાળણીમાં ચંદ્રમા પતિના મુખારવિંદના દર્શન કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરતી મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરતી હોય છે.

વ્રતની વિધિ: વ્રતના દિવસે પરિણીત સ્ત્રીઓ સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન આદિથી પરવારીને, સોળ શણગાર સજીને પ્રભુ પાસે પોતાના અખંડ સુહાગની પ્રાર્થના કરે છે. સ્ત્રીઓએ ચંદ્રમા, શિવજી, પાર્વતીજી, કાર્તિકેય તથા ગણેશજીની મૂર્તિ બનાવીને તેમની ષોડશોપચાર પૂજા કરવાની હોય છે. એક તાંબાના કે માટીના પાત્રમાં ચોખા, અડદની દાળ, સુહાગની સામગ્ર (સિંદૂર, બંગડી, અરીસો, કાંસકો, રિબન અને રૂપિયો) મૂકીને કોઇ શ્રેષ્ઠ સૌભાગ્યવતી સ્ત્રી અથવા પોતાની સાસુના ચરણ સ્પર્શ કરીને તેમને ભેટ આપવી જોઇએ.

સાંજના સમયે બ્રાહ્મણને બોલાવીને કરવા ચોથની વાર્તા-કથા અવશ્ય સાંભળીને બ્રાહ્મણને દાન-દિ ાણા આપવી જોઇએ. બાદમાં રાત્રિના જયારે ચંદ્ર બરાબર ઊગ્યો હોય ત્યારે ચંદ્રમાનાં ચાળણીમાંથી દર્શન કરીને ચંદ્રમાને અઘ્ર્ય આપીને તેની આરતી ઉતારવી. ત્યારબાદ પતિનાં દર્શન કરીને તેમને તિલક કરીને તેમની પૂજા કરવી. આથી પતિની ઉમર-આયુ વધે છે અને સ્વાસ્થ્ય નિરોગી રહે છે. છેલ્લે પતિના હાથે પાણી પીને વ્રતનું પારણું કરવું. 

 
આ વ્રતને ઊજવવાની દરેક પ્રાંતની પોતાની પરંપરા હોય છે. કયાંક કયાંક તો મહિલાઓ ચંદ્રમાનું પ્રતિબિંબ પાણી ભરેલી થાળીમાં જુએ છે ત્યાર બાદ તે જ થાળીમાં પતિના ચહેરાનું પ્રતિબિંબ જુએ છે. કયાંક ચાળણીમાંથી પતિનાં દર્શન કરવાનો રિવાજ છે તો કયાંક પતિની આરતી ઉતારવામાં આવે છે.
કરવા ચોથની કથા: ઇન્દ્રપ્રસ્થ નામની નગરીમાં વેદ શર્મા નામનો એક બ્રાહ્મણ પોતાના સાત પુત્રો અને એક પુત્રી સાથે રહેતો હતો. તેની પુત્રીનું નામ વીરાવતી હતું. વીરાવતીનાં લગ્ન સુદર્શન નામના એક બ્રાહ્મણ સાથે થયાં હતાં. એક વાર વીરાવતી પોતાના પિયરમાં આવી હતી. આ દરમિયાન કરવા ચોથનું વ્રત આવતું હતું. સાંજે બધા ભાઇઓ ?આવ્યા એટલે બધા ભોજન કરવા બેઠા. તેમણે બહેનને પણ ભોજન કરવાનું કહ્યું પણ વીરાવતીએ કહ્યું કે, આજે મારું વ્રત છે. રાત્રે ચંદ્રમાનાં દર્શન અને પૂજા કરીને જ હું જમીશ. તે દિવસે ચંદ્ર પણ વાદળોમાં છુપાયેલો હોવાથી દેખાતો નહોતો. જયારે આ બાજુ વીરાવતી આખા દિવસના ઉપવાસને લીધે અશકત થઇ ગઇ હતી. ભાઇઓને તેની દયા આવતાં તેઓએ નકલી ચંદ્ર દેખાડીને તેનાં દર્શન કરાવીને તેનું વ્રત ખંડિત કરાવ્યું. વીરાવતીએ અન્ન-જળ ગ્રહણ કયાô. વ્રત ખંડિત થવાથી પોતાનો પતિ ખૂબ જ બીમાર પડી ગયો. તે ખૂબ જ દુ:ખી થઇ ગઇ. ભાઇઓને પણ ભારે પશ્ચાત્તાપ થયો. ભાઇઓએ બહેનની માફી માગતાં
કહ્યું કે અમે તને નકલી ચંદ્ર બતાવીને તારા વ્રતનો ભંગ કર્યોછે તેથી અમે તારા દોષી છીએ.

ઇન્દ્રાણી દ્વારા તેને વરદાન આપવામાં આવ્યું કે ફરીથી તું વિધિવિધાન અનુસાર આ વ્રત કરજે જેથી તારો પતિ સાજો થઇ જશે અને વીરાવતીએ ફરીથી આ વ્રત શાસ્ત્રોકત વિધિવિધાન સાથે કર્યું. તે દિવસથી કરવા ચોથનું વ્રત મનાવવામાં આવે છે.

કરવા ચોથના વ્રતની પૃષ્ઠભૂમિમાં સત્યવાન અને સાવિત્રીની કથા પણ છે જે પતિ પ્રત્યે અતૂટ આત્મીયતા પ્રગટ કરે છે. લોકવાયકા મુજબ યમરાજા સત્યવાનનો જીવ લઇ જવા માટે આવ્યા ત્યારે સાવિત્રીએ યમરાજને વિનંતી-આજીજી કરી પરંતુ તેઓ ન માન્યા. તેથી સાવિત્રીએ અન્નજળનો ત્યાગ કર્યો, છેવટે યમરાજાએ સત્યવાનને જીવનદાન આપવું પડયું. આ કથાઓથી સિદ્ધિ થાય છે કે પત્ની પોતાના પતિની રક્ષા માટે હંમેશાં તત્પર રહે છે.

આસો વદ ચોથે આવતું આ વ્રત પરિવારમાં આનંદ અને આત્મીયતા ભરી દે આમ્હી બરૌડેકર તરફથી સર્વ ને કડવા ચોથ ની હાર્દિક શુભ કામના
.

Tuesday 23 October 2012

દશેરા વિજયા દશમી

અસત્ય પર સત્યના વિજયનું પર્વ
દશેરા વિજયા દશમી

શક્તિની આરાધાનાનું પર્વ દશેરાની ઉજવણી સાથે પુર્ણ થાય છે

ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવીને જ્યારે અયોધ્યા પરત આવ્યા હતા ત્યારે પણ આસો સુદ દશમ હતી એટલે આ પર્વને વિજયા દશમી તરીકે પણ ઉજવવામાં આવે છે. હજારો વર્ષ જૂની આ પરંપરા ભારતીય સમાજમા આજે પણ જળવાઇ રહી છે. સાંજે રામલીલા નો કાર્યક્રમ થાય છે અને પછી રાવણ, કુંભકરણ અને મેઘનાથ ના પુતળા નું દહન થાય છે ક્ષત્રિયો દ્વારા દશેરાના દિને અસ્ત્ર, શસ્ત્ર અને મશીનોની પૂજાનો પણ મહિમા હોય છે પોલીસ અને સૈન્યમા પણ શસ્ત્રોની પૂજા હોય છે કુંભારો ચાખડાનુ અને લુહારો ઓજારોનું પૂજન કરે છે અને આજ ના જમાના માં બધા કાર અને મોટરબાઇકનું પણ પૂજન કરે છે દશેરા નું પૂજન હોવાથી ગલગોટાના ફૂલોથી અને આશોપાલવના તોરણ થી શહેરના ફૂટપાથ છલકાઈ જાય છે અને બધા પોત પોતાના ઓજાર થી લય ને ગાડી ની પૂજા કરે છે. 

દશેરા વિજયા દશમીએ ફાફડા-જલેબીનો અને ચોળાફળી ખાવાનો અનેરો મહિમા છે.ભરપૂર આનંદ માણો...દશેરાની ઉજવણી ફાફડા જલેબી વિના અધુરી છે. ગુજરાતમાં દશેરા વિજયા દશમી પર્વ નિમિત્તે ફાફડા-જલેબી ખાવાની અનોખી પરંપરા રહી છે નવમે નવરાત્રીએ મોડી રાત્રે ગરબા પુરા થતાની સાથે યુવક યુવતીઓના ટોળા ફાફડા જલેબીનો નાસ્તો કરવા પહોંચી જાય છે.

ફાફડા જલેબી મોંઘા થયા છે. પરંતુ ઉત્સવપ્રિય વડોદરાવાસીઓ લાઈનોમાં ઉભા રહીને પણ ગરમા ગરમ ફાફડા અને કેસરયુક્ત જલેબી જલેબી ની ખરીદી કરી ને મજા માણે છે દશેરાએ સવાર-સાંજ નાસ્તામાં ફાફડા જલેબીનું ચલણ આજે પણ અકબંધ રહ્યું છે. શહેરમાં પર્વને લઇને એક દિવસ અગાઉથી ફરસાણ નાસ્તા સ્ટોલ અને દુકાનદારોએ મંડપ સજાવટ સાથે ગરમાગરમ ફાફડા અને જલેબી બનાવવાની તૈયારીઓ હાથ ધરી છે દશેરા દરમિયાન ઠેરઠેર ફરસાણની હાટડીઓ લાગી જાય છે.


આમ્હી બરૌડેકર તરફ થી સર્વ  મિત્રોને દશેરા વિજયા દશમીની હાર્દિક  શુભકામના...

Monday 15 October 2012

ભક્તિ અને શક્તિ નો અનોખો સંગમ એટલે નવરાત્રી


ભક્તિ અને શક્તિ નો અનોખો સંગમ એટલે નવરાત્રી
 દુર્ગા માતાની આરાધનાનું પર્વ નવરાત્રિ

નવરાત્રી ની સ્થાપના
પહેલા દિવસે માતા દુર્ગાની પ્રતિમા તથા ગરબાની સ્થાપના કરવામાં આવે છે. તે પછી જ નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થાય છે. માતા દુર્ગા તથા ગરબાની સ્થાપનાની વિધિ તથા શુભ મુહૂર્ત

- એક બાજોઠની સ્થાપના કરો તેના પર જવ અને ઘઉં પાથરો, પછી તેના પર તમારી શક્તિ પ્રમાણે સોના, ચાંદી, તાંબા, પવિત્ર સ્થળની માટીથી બનાવેલો કળશ સ્થાપિત કરો. કળશ ઉપર સોના, ચાંદી, તાંબા કે પછી, પવિત્ર સ્થળની માટીથી બનાવેલ માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરો.

- મૂર્તિ જો કાચી માટી, કાગળ કે સિંદૂરની બનેલી હોય અને સ્નાન કરાવતા તે બગડી શકે તેવી હોય તો શીશું લગાવો. મૂર્તિ ન હોય તો બાજોઠની વચ્ચે ગરબાની સ્થાપના કરો, તેમાં અખંડ જ્યોત રહે તે રીતે દીવાની વ્યવસ્થા કરો, કારણ કે આ જ્યોતને આપણા શાસ્ત્રોમાં મહાશક્તિ - ઊર્જા - નું પ્રતિક માનીને પૂજન કરવાનું વિધાન છે. આ ગરબા પછળની ભીંત પર સ્વસ્તિક કરો. ગરબા પર ફૂલ, કંકુ, ચોખા ચઢાવો.


ગરબાની સ્થાપનાનું શુભ મુહૂર્ત

- સવારે 06:31 થી 08:47 સુધી (ચર લગ્ન તુલા)


- સવારે 08:47 થી 11:02 (સ્થિર લગ્ન વૃશ્ચિક)


- સવારે 09:18 થી 10:45 સુધી (ચરનું ચોઘડીયું)


- સવારે 10:45 થી બપોરે 12:12 સુધી (લાભનું ચોઘડીયું)


- બપોરે 11.49 થી 12:35 (અભિજીત મુહૂરિત)


- બપોરે 12:12 થી 01:38 સુધી (અમૃત ચોઘડીયું)


- સાંજના 07:38 થી રાતના 09:36 સુધી (સ્થિર લગ્ન વૃષભ)

 

- નવરાત્રિ વ્રતના આરંભમાં સ્વસ્તિ વાચન – શાંતિ પાઠ કરીને સંકલ્પ કરો અને સર્વપ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરી માતૃકા, લોકપાલ, નવગ્રહ તથા વરૂણનું સવિધિ પૂજન કરો. પછી મુખ્ય મૂર્તિનું સોળશોપચાર પૂજન કરો.

- દૂર્ગાદેવીની આરાધના- અનુષ્ઠાનમાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું પૂજન તથા માર્કન્ડેયપૂરાણાન્તર્ગત રહેલ શ્રી દૂર્ગાસપ્તશતીનો પાઠ નવ દિવસ સુધી દરરોજ કરવો જોઈએ.  

 નવરાત્રીમાં બધા જ માતાજીની પોતાની રીતે પૂજા કરતાં હોય છે. પરંતુ ઉદેશ એક જ હોય છે માતાની કૃપા મેળવવાનો. કોઈ નવ દિવસ સુધી ઉપવાસ કરે છે તો કોઈ કોઈ પગરખા નથી પહેરતા. જો આ નવરાત્રીમાં તમે માતાજીને પ્રસન્ન કરવા માંગો છો તો તમારી રાશી અનુસાર માતા દુર્ગાની પૂજા કરો. આનાથી તમને વિશેષ કૃપા પ્રાપ્ત થશે, સાથે-સાથે દરેક મુશ્કેલી પણ દૂર થશે.

મેષ (અ.લ.ઈ.) – આ રાશિના લોકોએ માતાની વિશેષ ઉપાસના કરવી જોઈએ. દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાના પાઠ કરો. સ્કંદમાતા કરુણાપ્રિય છે, જે વાત્સલ્યનો ભાવ રાખે છે.

વૃષભ (બ. વ. ઉ.) – આ રાશિના લોકો મહાગૌરી સ્વરૂપની ઉપાસના કરો જે વિશેષ ફળ આપશે. લલીતાસહસ્ત્રનો પાઠ કરો. અવિવાહિત કન્યાઓને આરાધના કરવાથી સારા વરની પ્રાપ્તિ થશે.

મિથુન (ક. છ. ઘ.) – આ રાશિના લોકોએ દેવી યંત્ર સ્થાપિત કરી બ્રહ્મચારિણીની ઉપાસના કરવી જોઈએ. સાથે જ તારાકવચનો રોજ પાઠ કરવો. મા બ્રહ્મચારિણી જ્ઞાન પ્રદાન કરે છે અને અવરોધ દૂર કરે છે.

કર્ક (ડ. હ.) – આ રાશિના લોકોએ શૈલપુત્રીની પૂજા-આરાધના કરવી જોઈએ. લક્ષ્મી સહસ્ત્ર નામનો પાઠ કરવો. ભગવતીની પૂજા અભય દાન આપે છે.

સિંહ (મ. ટ.) – આ રાશિના લોકોએ મા કુષમંડાની આરાધના વિશેષ ફળ આપે છે. દુર્ગા મંત્રનો જાપ કરો. એવું મનાય છે કે દેવીમાના હાસ્યથી જ બ્રહ્માંડની ઉત્પતિ થઇ છે. નવરાત્રીમાં આસુરી શક્તિ એટલે કે ખરાબ પ્રવૃત્તિઓને માના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે.

કન્યા (પ. ઠ. ણ.)
– આ રાશિના લોકોએ માં બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ. લક્ષ્મી મંત્રોને વિધિસર જપ કરવો જોઈએ. વિદ્યાર્થીઓ માટે દેવીની સાધના ફળદાયી છે.

તુલા (ર. ત.) – તુલા રાશિના લોકોને મહાગૌરીની પૂજા આરાધનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. કાળીચાલીસા અથવા સપ્તશતીના પ્રથમ ચરિત્રનો પાઠ કરવો જે લોક-કલ્યાણકારી છે. અવિવાહીત કન્યાને સારા વરની પ્રાપ્તિ થાય છે.

વૃશ્વિક (ન. ય.) – આ રાશિના લોકોમાં સ્કંદમાતાની ઉપાસના શ્રેષ્ટ ફળ આપે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો

ધન (ધ. ફ. ભ. ઢ.) – આ રાશિના લોકોએ મા ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ, સબંધિત મંત્રોનું યોગ્ય અનુષ્ઠાન કરવું. ઘંટા એ બ્રહ્મનાદનું પ્રતિક છે, જે સાધકને ભય તેમજ વિઘ્નોને પોતાના અવાજથી નાશ કરી દે છે.

મકર (ખ. જ.) – મકર રાશિના લોકો માટે કાલરાત્રીની પૂજા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. નર્વાણ મંત્રનો જાપ કરો. અંધકારમાં ભક્તોને માર્ગદર્શન, અને પ્રાકૃતિક પ્રકોપ, તેમજ અગ્નિકાંડ વગેરેનું શમન કરે છે. શત્રુનો નાશ કરે છે.

કુંભ (ગ. શ. ષ. સ.) – કુંભ રાશિના લોકો માટે કાલરાત્રીની ઉપાસના લાભદાયક છે. દેવી કવચનો પાઠ કરો. અંધકારમાં ભક્તોને માર્ગદર્શન, અને પ્રાકૃતિક પ્રકોપને નાશ કરે છે.

મીન (દ. ચ. ઝ. થ.) – મીન રાશિના જાતકો માં ચંદ્રઘંટાની ઉપાસના કરવી જોઈએ. હળદળની માળા વડે સમભાવ હોય તો બગલામુખી મંત્રનો જાપ કરવો. ઘંટા એ બ્રહ્મનાદનું પ્રતિક છે, જે સાધકનો ભય અને વિઘ્નોને પોતાના અવાજ વડે નાશ કરી નાખે છે.

 
નવ દિવસોમાં માતાની ભક્તિ કરવાથી દરેક મનોકામના પૂરી થઈ જાય છે. આ દિવસોમાં ગરબાની પણ રમઝટ રહે છે, પણ આ એક આરાધનાનું પર્વ પણ છે. 
જ્યોતિષ અનુસાર જો માતાની આરાધના કરતા સમયે રાશિ અનુસાર કપડા પહેરો તો વધારે સારું અને શુભ ફળ મળે છે. કઈ રાશિના લોકો કેવા રંગના કપડા પહેરે તો મળે છે લાભ જાણો આ રાશિપ્રમાણે.....
મેષ (અ.લ.ઈ.)

આ નવરાત્રિ પર્વ પર શક્તિ આરાધના માટે તમે તમારી રાશિ અને ગ્રહ અનુસાર લાલ અને પીળા રંગના કપડા પહેરો, જેનાથી તમારી રાશિના ગ્રહ મંગળ અને દૈવીય શક્તિની કૃપાનો પૂરો લાભ મળે છે.

વૃષભ (બ. વ. ઉ.)

વૃષભ રાશિના આ નવ દિવસમાં ધન સંપત્તિ અને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ કરવા માટે આપની રાશિનો ગ્રહ શુક્ર અને દેવી મહાગૌરી માતાને પ્રસન્ન કરો. આ માટે સફેદ અને પિંક કલરના કપડા પહેરો, જેનાથી તમે વિચારેલા બધા કામ પૂરાં થશે.

મિથુન (ક. છ. ઘ.)

આ રાશિના લોકોએ નવરાત્રિ પર્વ પર દેવી ચંદ્રઘંટા માતા અને રાશિ સ્વામી બુધને પ્રસન્ન કરવા માટે લીલા રંગના કપડા પહેરવા જોઈએ. તેનાથી આપના કાર્યોમાં વિઘ્નો નહીં આવે.

કર્ક (ડ. હ.)

આ રાશિવાળા લોકોએ નવરાત્રિ પર્વ પર સફેદ કે આછા રંગના કપડા પહેરવા જોઈએ, જેનાથી રાશિ સ્વામી ચંદ્રની કૃપા થશે.

સિંહ (મ. ટ.)

સિંહ રાશિવાળાને સૂર્યથી સંબંધિત દોષ દૂર કરવા માટે દેવી કૂષ્માણ્ડાને ખુશ કરો. આ માટે પીળા રંગના કપડા પહેરવા જોઈએ.

કન્યા (પ. ઠ. ણ.)

તમે રાશિ સ્વામી બુધ અનુસાર લીલા, સફેદ કે આછા લીલા રંગના વસ્ત્રો પહેરો, જેથી તમારી રાશિના દેવી ભુવનેશ્વરી દેવી પણ ખુશ થશે.

તુલા (ર. ત.)

તુલા રાશિવાળાને ધન લાભ માટે પોતાની રાશિના સ્વામી શુક્ર અનુસાર સફેદ અને આછા રંગના કપડા પહેરવા જોઈએ.

વૃશ્વિક (ન. ય.)

વૃશ્ચિક રાશિવાળાને આ નવરાત્રિ પર્વમાં લાલ રંગ અને કેસરી વસ્ત્ર પહેરવા જોઈએ, જેથી આ રાશિના અધિપતિ દેવતા મંગળ દેવ પ્રસન્ન થશે સાથે જ મા શૈલપુત્રી પણ.

ધન (ધ. ફ. ભ. ઢ.)

ધન રાશિવાળાને રાશિ સ્વામી ગુરુ અનુસાર પીળા રંગના કપડા પહેરવા જોઈએ. દરેક કામ પૂરાં થશે.

મકર (ખ. જ.)

આ રાશિવાળાને નીલા (આકાશી કલર)ના કપડા પહેરવા જોઈએ, જેનાથી કાળકા માતા પ્રસન્ન થશે.

કુંભ (ગ. શ. ષ. સ.)

તમારી રાશિના સ્વામી શનિ દેવને ખુશ કરવા માટે આ નવરાત્રિ પર્વ પર કાળા કે ઘેરા વાદળી રંગના વસ્ત્રો પહેરો, તેનાથી કાલરાત્રિ દેવી અને શનિદેવ ખુશ થશે.

મીન (દ. ચ. ઝ. થ.)

આ રાશિના લોકો કેસરી, પીળા કે હળવા રંગના કપડા પહેરો. તેનાથી મહાલક્ષ્મી તથા આ રાશિના સ્વામી ગુરુ પણ પ્રસન્ન થશે.

માતાજીનું પૂજન અને તેની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ. વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો આ સમયગાળો પ્રાચીન કાળમાં ઉર્જા તત્વને સમજવાનો-આત્મસાત્ કરવાનો સમયગાળો છે. શક્તિ સૃષ્ટિની મહાઉર્જાને આપેલું નામ છે. 'દેવિભાગવત'માં આ અવકાશીય ઉર્જા માટે 'દુર્ગા' એવો શબ્દ પ્રયોગ છે. 'દુર્ગા' એટલે દુર્ગમ જાણવા માટે અલભ્ય. જે તત્વને જોઈ શકાય તેમ નથી. જે તત્વને જાણી શકાય મ્હાણી શકાય, પણ નાણી કે પ્રમાણી ન શકાય તેવું ઉપનિષદ કહે છે તેમ 'અનિર્વચનીય' અર્થાત્ જેને શબ્દથી બયાં ન કરી શકાય તેવું તત્વ એટલે 'દુર્ગા'. વેદવ્યાસે સૌ પ્રથમ આ તત્વને જાણ્યું અને શબ્દ દેહ આપ્યો તેની રોચક કથા દેવિભાગવતમાં છે. આપણે 'મા'ને જાણી શકતાં નથી, અમુક મર્યાદાઓ અને અમુક વિચારયુક્તિની બહારની દશા હોય છે, તેથી જ દુર્ગા તત્વને મા કહેવામાં આવે છે.

નવરાત્રિના વિશેષ અવસર પર આમ્હી બરૌડેકર  તરફથી સૌ વાંચકોને નવરાત્રિના અભિનંદન....


નવરાત્રિમાં કન્યા(કુમારી)પૂજનનું મહત્વ અને વિધિ
 
હિન્દૂ ધર્મ ગ્રંથો મુજબ ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં કન્યા પૂજન(કુવારીઓકા)નું વિશેષ મહત્વ છે. અષ્ટમી અને નવમી તિથિના દિવસે ત્રણથી નવ વર્ષની કન્યાઓનુ પૂજન કરવામાં આવે છે. ધર્મગ્રંથો મુજબ ત્રણ વર્ષથી નવ વર્ષ સુધીની કન્યાઓ સાક્ષાત માતાનુ સ્વરૂપ માનવામાં આવે છે.

શાસ્ત્રો મુજબ એક કન્યાની પૂજાથી એશ્વર્ય, બે કન્યાની પૂજાથી ભોગ અનેમોક્ષ, ત્રણ કન્યાની પૂજાથી ધર્મ, અર્થ અને કામ, ચારની પૂજાથી રાજ્યપદ, પાંચની પૂજાથી વિદ્યા, છની પૂજાથી છ પ્રકારની સિદ્ધિ, સાતની પૂજાથી રાજ્ય, આઠની પૂજાથી સંપદા, નવની પૂજાથી પૃથ્વીના પ્રભુત્વની પ્રાપ્તિ થાય છે.  
કન્યા પૂજાની વિધિ આ મુજબ છે.

પૂજન વિધિ - કન્યા પૂજનમાં ત્રણથી લઈને નવ વર્ષની કન્યાઓનું જ પૂજન કરવુ જોઈએ. આનાથી વધુ કે ઓછી વયની કન્યાઓની પૂજા કરવી વર્જિત છે. તમારા સૌભગ્ય મુજબ નવ દિવસ સુધી અથવા નવરાત્રિના અંતિમ દિવસે કન્યાઓને ભોજન માટે આમંત્રિત કરો. કન્યાઓને આસન પર એક પંક્તિમાં બેસાડો. ૐ કુમાર્યે નમ: મંત્ર દ્વારા કન્યાઓના પંચોપચાર પૂજન કરો. ત્યારબાદ તેમની રૂચિ મુજબનું ભોજન કરાવો. ભોજનમાં ગળ્યુ જરૂર હોય તેનુ ધ્યાન રાખો. ભોજન પછી કન્યાઓના પગ ધોવડાવી વિધિપૂર્વક કુંકુમથી તિલક કરો અને દક્ષિણા આપીને હાથમાં પુષ્પ લઈને આ પ્રાર્થના કરો..

मंत्राक्षरमयीं लक्ष्मीं मातृणां रूपधारिणीम्।
नवदुर्गात्मिकां साक्षात् कन्यामावाहयाम्यहम्।।
जगत्पूज्ये जगद्वन्द्ये सर्वशक्तिस्वरुपिणि।
पूजां गृहाण कौमारि जगन्मातर्नमोस्तु ते।।
પછી એ પુષ્પ કુમારીના ચરણોમાં અર્પણ કઈ તેમને સન્માનપૂર્વક વિદાય આપો.

દુર્ગા માતાની આરાધનાનું પર્વ નવરાત્રિ

નવરાત્રિ શાસ્ત્રો અનુસાર જણાવવામાં આવેલા ઉપાય કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
 
નવરાત્રિના ઉપાયોઃ નહીં રહે મૃત્યુનો ડર, નહીં આવે પૈસામાં કમી

- જે જાતકોની કુંડળીમાં અલ્પાયુ કે દુર્ઘટનાના યોગ હોય, તેને દેવીની આરાધનાની સાથે, દેવી કવચનો રોજનો પાઠ કરવો જોઈએ

- જે જાતકોની કુંડળીમાં અસાધ્ય રોગનો યોગ હોય કે જે રોગગ્રસ્ત હોય, તેમણે દેવી કવચની સાથે આ મંત્રનો જાપ કરો અને રાઈની આહુતિ આપો, ઝડપથી લાભ થશે. મંત્ર -

रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान्।

त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्याश्रयतां प्रयान्ति।।

- દૂર્ગા સપ્તશતિના ચોથા, પાંચમા, અને 11માં અધ્યાયના રોજ પાઠ કરવાથી સંકટ દૂર થઈ જાય છે. મનોવાંછિત સિદ્ધિ, ધન, વૈભવ, સુખ, શાંતિ તથા સંતાન સુખ પ્રાપ્ત થાય છે.  

- જે પુરુષોની કુંડળીના સાતમા ભાવમાં ક્રૂર ગ્રહ હોય કે તેના પર ક્રૂર ગ્રહની દ્રષ્ટિ હોવાથી વિવાહમાં વાર લાગી રહી હોય તો દેવી અર્ગલાનો આ મંત્ર ખાસ બોલો –

पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्। तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्।।

- કુંડળીના દશમા ભાવમાં સ્થિત ગ્રહો કે આ ભાવ પર અન્ય ગ્રહોની દ્રષ્ટિથી જો કામમાં વિઘ્નો આવી રહ્યા હોય તો સફલતા માટે આ મંત્ર જપો -

सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्र्यम्बके गौरि नारायणी नमोस्तु ते।।


- આ ઉપાયોની સાથે જ વ્યક્તિને પોતાનો પ્રયાસ પણ કરવો જોઈએ. જો કોઈ બીમારીથી પરેશાન હોય તો ડોક્ટર ઉપાય જણાવવામાં આવેલા ઉપાયો પણ જરૂર કરાવો.

સર્વપિતૃ અમાસ

હિન્દુ પંચાંગના આસો માસના વદપક્ષની અંતિમ તિથિ કે સર્વપિતૃ અમાસને શ્રાદ્ધપક્ષમાં પિતૃઓની પ્રસન્નતા માટે અંતિમ અવસર પણ માનવામાં આવે છે. ધર્મ પરંપરાઓ અનુસાર જો કોઈ શ્રાદ્ધનો અધિકારી પિતૃપક્ષની બધી તિથિ પર પિતૃઓ શ્રાદ્ધ કે તર્પણ ચૂકી જાય કે પિતૃની તિથિ યાદ ન હોય તો આ તિથિ પર બધા પિતૃઓનું શ્રાદ્ધ કરી શકે છે. આ માટે સર્વપિતૃ અમાસના નામથી પણ ઓળખવામાં આવે છે. 

આ તિથિનો સંયોગ સોમવારના દિવસે થઈ રહ્યો છે. આ માટે આ દિવસે શિવભક્તિની સાથે સોમવતી અમાસ પર કોઈ પણ રૂપમાં દેવ સ્મરણનો ઉપાય તથા શ્રાદ્ધ મોટું મંગળકારી સાબિત થશે. વિશેષ રીતે જે દંપતિઓને 3 પૂત્રીઓ પછી એક પુત્ર જન્મ લે છે કે જુડવા સંતાન પૈદા થાય છે, તેને સર્વપિતૃ અમાસનું શ્રાદ્ધ જરૂર કરવું જોઈએ.

શાસ્ત્રો અનુસાર સર્વપિતૃ અમાસના પિતૃના શ્રાદ્ધથી ઘર-પરિવારમાં સુખ-સૌભાગ્ય વરસે છે. ધાર્મિક માન્યતા છે કે આ તિથિ પર પિતૃઆત્મા પોતાના પરિવારની પાસે વાયુના રૂપમાં બ્રહ્મણોની સાથે આવે છે. તેની સંતુષ્ટિથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. પરિવારના શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવાથી તે તૃપ્ત અને પ્રસન્ન થઈને આશિર્વાદ આપીને જાય છે, પરંતુ તેની અપેક્ષાથી દુઃખી થઈને શ્રાદ્ધ કરનારના જીવનમાં પણ સમસ્યાઓ આવવા લાગે છે.


સર્વપિતૃ અમાસના દિવસે પિતૃની તૃપ્તિથી પરિવારમાં સુખ-શાંતિ સ્થપાય છે. શ્રાદ્ધનો આ અંતિમ અવસર ચૂકી ન જાઓ, આ માટે અહીંથી જાણો કેટલાક એવા ઉપાયો, જે દેવતાઓને તથા દેવ રૂપમાં પિતૃઓનું આહવાન છે. તેને અપનાવવાથી પણ પિતૃઓની તૃપ્તિ થઈ શકે છે. 
પીપળો દેવવૃક્ષ છે. શિવ અને પિતૃરૂપ વિષ્ણુનો વાસ કહેવામાં આવે છે. સર્વપિતૃ અમાસના પીપળાના ઝાડની નીચે ભોજનની સાથે જલેબી અને કાળા ગુલાબજાંબુ રાખો. ધૂપ-દીપ પ્રગટાવો તથા પોતાના કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો. આ મંત્ર બોલો -
 "ऊँ ऐं पितृदोष शमनं हीं ऊँ स्वधा"  
ગાય દેવપ્રાણી અને તેમાં બધા દેવતાઓનો વાસ છે. આ માટે આ દિવસે પાંચ ફળ તથા ઘાસ ખવડાવો. આ મંત્રથી ગાયની પરિક્રમા કરો. 
"गवां दृष्ट्वा नमस्कृत्य कुर्याच्चैव प्रदक्षिणम्। प्रदक्षिणीकृता तेन सप्तद्वीपा वसुन्धरा।। मातर: सर्वभूतानां गाव: सर्वसुखप्रदा:। वृद्धिमाकाङ्क्षता पुंसा नित्यं कार्या प्रदक्षिणा।।"  
આ દિવસે સોમવાર પણ છે શિવજીને સફેદ ચીજો પ્રિય છે. શિવની પંચામૃતથી પૂજા કરો, સફેદ ફૂલ ચઢાવો. ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સફેદ ફૂલથી સજાવો. પિતૃનું ધ્યાન કરી નમસ્કાર કરો. એવું કરવાથી આપ જીવનમાં ખુશીઓ તથા અનપેક્ષિત ફૂલથી સજાવો. પિતૃનું ધ્યાન કરી નમસ્કાર કરો. એવું કરવાથી તમે જીવનમાં સુખ-શાંતિ અને વૈભવનો અનોખો યોગ સર્જાશે. મંત્ર બોલ
"ऊँ नम: शम्भवाय च मयोभवाय च नम: शंकराय च मयस्कराय च नम: शिवाय च शिवतराय च।" 


શ્રી હનુમાન તથા ભૈરવ, શિવઅવતાર છે. તેની ઉપાસના બધા ગ્રહદોષ શાંતિ કરી દે છે. શક્તિસ્વરૂપ બન્ને દેવતાઓને સિંદૂર ચઢાવીને યથાશક્તિ ચીજોથી પૂજન કરો. સરળ મંત્ર બોલો
"हं हनुमते रुद्रात्मकाय हुं फट्" તથા "ऊँ बं बटुकभैरवाय नमः" 

અમાસના દિવસે લક્ષ્મીની ઉપાસનાનો દિવસે પણ છે. દેવીને લાલફૂલ ચઢાવો ઘરની બહાર દીપ પ્રગટાલો. લક્ષ્મી કૃપા માટે આહવાન કરો. આ મંત્ર બોલો
"ऊँ कमलवासिन्यै नमः" 
યથા શક્તિ બ્રહ્મણને ભોજન કરાવો. વસ્ત્ર, દક્ષિણા આપો. બ્રાહ્મણને વિદાય કરો તો તેના ચરણ સ્પર્શ કરો, આશીર્વાદ લો અને તેની પાછળ આઠ પગલા ચાલો. – બ્રાહ્મણો ભોજન માટે આવે તે પહેલા ધૂપ-દીપ જરૂર કરો જેથી વાતાવરણ સુગંધિત બની જાય. - આ પ્રકારે સર્વપિતૃ અમાસના શ્રદ્ધાથી પૂર્વજોનું ધ્યાન, પૂજા-પાઠ, તર્પણ કરી પિતૃદોષના કારણે આવનારા કષ્ટ અને દુર્ભાગ્યને દૂર કરો. આ દિવસના પિતૃઓની પ્રસન્નતાથી વરદાન બનાવીને મંગળમય જીવન વ્યતિત કરી શકો છો.   

Friday 12 October 2012

ઘરનાં મુખ્યદ્વાર પર વાસ્તુદોષ અને તેના ઉપાય

ઘરમાં અશાંતિ તેમજ રોગ જેવી સમસ્યાઓને લઈને તમે કંટાળી ગયા હોવ તો હવે સાવધ થઈ જવાની જરૂર છે. અહીં આપેલ ટીપ્સ તેમજ ઉપાયોથી તમારા ઘરના વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. વાસ્તુશાસ્ત્ર પર આધારિત આ ટિપ્સથી અનેક ફાયદા લઈ શકો છો

1- જો ઘરનાં મુખ્યદ્વારની બંને બારીઓ હોય તો આને વાસ્તુશાસ્ત્ર અનુસાર, અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં બંને તરફથી ફૂંકાતો પવન સકારાત્મક ઊર્જાને દૂર ધકેલી દે છે. જેના લીધે ઘરનાં માલિકને આર્થિક સંકડામણ અનુભવાય છે.

ઉપાય-
1-  આ બંને બારીઓ પર ગોળ પાંદડાવાળા રોપ (છોડ) લગાવવા. કાંટાદાર તેમજ અણીદાર છોડ નહીં.
2- આ સ્થાન પર મનીપ્લાન્ટનો છોડા લગાડવો જોઈએ જેનાથી લાભદાયક રહે છે.

2- ઘરના દરવાજાની સામે ઝાડ હોય તો વાસ્તુ પ્રમાણે અશુભ મનાય છે. આનાથી ઘરમાં બીમારી સદાય રહે છે. ઘરના માલિકને વારંવાર અનેક બીમારી થતી જ રહે છે. જેનાથી આર્થિક પાયમાલ થઈ જાય છે. પરિવારમાં અચાનક સમસ્યાઓ આવતી જ જાય છે. કોર્ટ-પોલીસ સંબંધી સમસ્યાઓ નડતી રહે છે.

ઉપાય.-
1 -ઘરના સામે ઉપર બહારની તરફ અષ્ટકોણીય દર્પણ લગાડવો જોઈએ જેનાથી નકારાત્મક ઊર્જાથી બચાવાય.
2- નવ ઈંચનો સ્વસ્તિક ઘરના દરવાજા પર બનાવવો જોઈએ.

3- જો ઘરનું મુખ્યદ્વાર કોઈ અન્ય નિર્માણના લીધે અવરોધાય, આ ઉપરાંત અન્ય મકાનને લીધે મુખ્યદ્વાર ઢંકાઈ જાય તો આને અશુભ માનવામાં આવે છે. આને લીધે ઘરનાં મુખ્ય માલિકને હૃદય રોગ થવાની શક્યતા રહે છે.

ઉપાય-
1-મુખ્યદ્વાર ઘરનાં ઉમરા નીચે છ સોનેરી સિક્કાની પોટલીમાં બંધ કરીને દબાવી દેવું જોઈએ.
2- ઘરનાં મુખ્યદ્વારના ઉમરા પર છ ઈન્ચની લાલ રંગની પટ્ટી રાખવી.

ઘરમાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે લગાડો વૃક્ષ

ઘરમાં કે ઘરની આજુબાજુ ઝાડ લગાડવાથી ધનમાં વૃદ્ધ થાય છે. આ ઉપરાંત ઘરમાં રહેનાર લોકો હંમેશાં સ્વસ્થ રહેતાં હોય છે. પરંતુ ઘણીવાર તમારા દ્વારા લગાવેલ વૃક્ષ સારા પરિણામ નથી આપતા. હકીકતમાં તેમાં ઘણાં વાસ્તુ દોષ હોય છે. અમે આપને અહીં જણાવી રહ્યા છીએ કે ઘરમાં કયું વૃક્ષ લગાડવું જોઈએ અને કયું વૃક્ષ નહીં. સાથે ઝાડ લગાડો પણ ક્યા તે લગાડવા.

બૃહંતસંહિતા નામના ગ્રંથમાં ઘરમાં ક્યું વૃક્ષ લગાડવાથી સુખ-શાંતિ અને સારું પરિણામ આપશે તે તમામ વિગતો આપી છે. વડલાનું વૃક્ષ પૂર્વમાં, પશ્ચિમમાં પીપળનું વૃક્ષ, ઉત્તરમાં લીમડો અને દક્ષિણ દિશામાં ગુલમહોરનું ઝાડ લગાડવું શુભ માનવામાં આવે છે. આનાથી વિપરિત દિશામાં લગાડાય તો અશુભ પરિણામ આપનારું બની રહે છે. ઘરની નજીક કાંટાવાળા ઝાડ શત્રુતા પેદા કરે છે. આ ઉપરાંત દૂધ ધરાવતા ઝાડ ધનનો નાશ કરે છે. વાસ્તુ રાજવલ્લભ પ્રમાણે કેળ, કેતકી, ચમેલી, ચંપાના  છોડ ઘરની પાસે હોય તો શુભ માનવામાં આવે છે પરંતુ એક પહોર વીત્યા પછી આ તમામનો છાંયડો પડવા લાગે તો આને અશુભ માનવામાં આવે છે. ત્રીજા પહોર પછી તેની છાયા પડે તો એટલું અશુભ નથી માનવામાં આવતું.

શુભ વૃક્ષ-  નાગ કેસર, મોલ શ્રી, સાલ, પુન્નગ, ચમેલી, જયન્તી, ચંદન, અપરાજિતા, ગુલાબ, કેતકી, ચંપો નારિયેળ વગેરે શુભ માનવામાં આવે છે.
અશુભ વૃક્ષ- ગુલમહોર, લીંમડો, પીપળ, આંબલી વગેરેના લાકડાં ઘરમાં ન લાવવા જોઈએ કારણ કે, આને અશુભ માનવામાં આવે છે.

અશોક વૃક્ષ (આસોપાલવ)

અશોક વૃક્ષ (આસોપાલવ)ને ઘરમાં ઉત્તર દિશામાં ઊગાડવું. જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરમાં અશોક વૃક્ષને લીધે સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે, તેમજ અકાળે મૃત્યુ નથી આવતું. 

પરિવારની મહિલાઓને શારીરિક અને માનસિક ઊર્જાઓમાં વધારો થાય છે. જો મહિલાઓ આસોપાલવનાં વૃક્ષ પર પ્રતિદિન જળ ધરાવતી હોય તો તેની તમામ મનોકામના અને વૈવાહિક જીવનમાં સુખ શાંતિ યથાવત્ રહે છે.


જે વિદ્યાર્થીઓ ભણતા ખૂબ હોય છે તેમજ વાંચતા વધુ હોય છે છતાં તેમને વાંચેલું યાદ ન રહેતું હોય તો આસોપાલવની છાલ લઈને બ્રાહી સમાન મેળવીને ચૂર્ણ બનાવી લેવું આ ચૂર્ણને 1-1 ચમચી સાંજે ગિલાશમાં દૂધની સાથે આપવાથી જલ્દીથી લાભ મળશે. 


આસોપાલવના અન્ય પ્રયોગો-

1-
જે જાતકને નિરંતર વ્યવસાયમાં હાનિ થઈ રહી હોય  આ ઉપરાંત તેમનો વ્યવસાય બંધ થવાની અણી પર હોય તો તેમને નીચે દર્શાવેલ પ્રયોગ કરીને લાભ મેળવવો. આસોપાલવનાં બીજને મેળવીને તેને સ્વચ્છ કરીને ધૂપ અને અગરબત્તી કરવી.

આંખો બંધ  કરીને પોતાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરવી. આ બીજમાંથી એક બીજને કોઈ લૉકેટ બનાવીને પોતાના ગળામાં ધારણ કરવું જોઈએ. અન્ય બીજને અનાજ રાખવાના સ્થાન પર રાખવા. આ ઉપાય શુક્લપક્ષના પ્રથમ બુધવારે કરવાથી સારો લાભ થાય છે.


2-
કોઈપણ શુભ મુહૂર્તમાં આસોપાલવ (અશોકવૃક્ષ)ની જડને ખોદીને લાવવી. તે સમયે તમારે મૌન ધારણ કરવું જોઈએ. ઘરમાં લાવીને તિજોરી અથવા ધન રાખવાના સ્થાનમાં રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં ધનની સ્થિતિ પહેલાં કરતા સારી થાય છે.

3-
જો કોઈ કન્યાનાં લગ્ન ન થઈ રહ્યા હોય. તેમજ પરિવારનાં લોકો પણ ખૂબ ચિંતામાં હોય તો આ ઉપાય કરવો જોઈએ. અશોક વૃક્ષની જડ તથા પાંદડા મેળવીને આ કન્યાના સ્નાન કરવાના પાણીમાં નાંખી દો. બાદમાં આ પાણીથી કન્યાએ સ્નાન કરવું જોઈએ. ધ્યાન રાખવું કે જડ પાણીમાંથી બહાર ન પડવી જોઈએ.

4-
અશોક વૃક્ષ (આસોપાલવ)નાં ફળને મંગળવારના દિવસે હનુમાનજીને ધરાવવા જોઈએ જેથી મંગળ ગ્રહની પીડામાંથી મુક્તી મળી જાય છે.

સ્નાન કર્યા પછી આ પાંદડાને પરિવારનાં કોઈ પણ સભ્ય પીપલનાં વૃક્ષનાં નાંખી દે. આ પ્રયોગ ઓછામાં ઓછા 41 દિવસ સુધી જરૂરથી કરો. આ ઉપાય શુક્લપક્ષના પ્રથમ સોમવારના રોજ શરૂ કરો. આવું કરવાથી જલ્દી જ તે કન્યાના લગ્ન નક્કી થઈ જશે.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કરો આટલો ફેરફાર અને પછી જુઓ

શું તમને ખબર છે કે ભલે તમારો બેડરૂમ વાસ્તુ અનુસાર ડેકોરેટ ન કર્યો હોય, પરંતુ જો તમારે સૂવાનો નિયમ ન ખબર હોય તો તમારું જીવન તણાવગ્રસ્ત રહેતું હોય છે.
અહીં અમે તમને સૂવાના કેટલાક નિયમો જણાવીએ છીએ.

1- બેડ અથવા પલંગ આરામદાયક હોવો જોઈએ, પરંતુ બેડની વચ્ચોવત કોઈ લેમ્પ, પંખો કે ઈલેકટ્રોનિક ઉપકરણ વગેરે ન હોવું જોઈએ. નહીંતર આની પર સૂઈ રહેનારનું પાચન ખરાબ થઈ શકે છે.

2- ઘડિયાળને ક્યારે પણ માથાની નીચે અથવા બેડની પાછળ રાખીને ન સૂવું જોઈએ. ઘડિયાળને કદી બેડની સામે પણ ન લગાવો. નહીંતર બેડ પર સૂનાર હંમેશાં ચિંતાગ્રસ્ત  અથવા તણાવમાં રહેશે. ઘડિયાળને બેડની જમણી કે ડાબી બાજુએ લગાવવી હિતકર છે.

3- બેડ પર સાદી ડિઝાઈનના ઓશિકા અને ચાદર રાખવા જોઈએ. કદી પણ ભડકાઉ અને રંગબેંરગી રંગની ડિઝાઈનનો ઉપયોગ ન કરવો જોઈએ.

4- બેડરૂમમાં મંદિર અથવા પૂર્વજોની છબિઓ ન રાખો.

5- બેડરૂમમાં હલ્કા ગુલાબી રંગનો પ્રકાશ હોવો જોઈએ જેનાથી પતિ અને પત્નીની વચ્ચે પરસ્પર પ્રેમ યથાવત્ રહે.

6- બેડરૂમના દરવાજાની સામે પગ રાખીને સૂવું અશુભ માનવામાં આવે છે.

7- વાસ્તુ અનુસાર, હંમેશા દક્ષિણ દિશામાં માથુ અને પશ્ચિમ દિશામાં પગ રાખીને સૂવું જોઈએ. જેથી કરીને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પ્રમાણે તમે દીર્ઘાયુ એને ગાઢ નિંદ્રા માણી શકો. 

ઘરનો મુખ્ય દરવાજો આ દિશામાં ન રાખવો!

'ધરતીનો છેડો એટલે ઘર'
'ધરતીનો છેડો એટલે ઘર' ઘરમાં વ્યકિતને આશરો જ નહિ પરંતુ હૂંફ પણ મળતી હોય છે. ઘર માટે એવું પણ કહેવાય છે કે, ઘર એ તો ધરતી પરનું લઘુ સ્વર્ગ છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર બનાવતી અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તે ઘર માલિક અને તેના કુટુંબીજનોને તમામ પ્રકારનું સુખ-ઐશ્વર્ય અને શાંતિ મળતી હોય છે.

આજે આપણે ઘરની મુખ્ય દ્વારની વાત કરીએ છીએ. મુખ્ય દ્વાર દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ. ઘરનું મુખ્ય દ્વાર કાં તો પૂર્વ કે ઉત્તરમાં હોવો જોઈએ. જો કોઈનો દરવાજો દક્ષિણ દિશામાં હોય તો રોગ, દુખ અને શોકનું કારણ બની જાય છે.


જો કોઈનો દરવાજો દક્ષિણ દિશામાં હોય તો તેના દોષની શાંતિ માટે હળદર અને રમચી મેળવીને મુખ્ય દરવાજાની સામે બંને બાજુ સ્વસ્તિક ચિન્હ બનાવવાથી દોષની શાંતિ થાય છે.



જો ઘરની અંદર પતિ-પત્ની વચ્ચે હમેશાં કલેશ રહેતો હોય તો ઈશાન ખૂણામાં રાધા-કૃષ્ણની છબી ટિંગાડવી અને એ સ્થાન સાફ રાખવું. ધન-ધાન્યમાં વધારો કરવા માટે ઉત્તર દિશામાં એક કળશમાં પાણી ભરીને તેમાં બે-ચાર દાણા ચોખા અને હળદર નાંખવી. દરરોજ તેને બદલતા રહેવું. નજર દોષથી બચવા માટે ઘરની દક્ષિણ દિશામાં તલનાં તેલનો દીવો પ્રગટાવવો.


તમે તે રોગની શાંતિ માટે ઘરની પૂર્વ દિશામાં એક કળશમાં પાણી ભરીને રાખો અને તેમાં ચોખા કે હળદર તેમજ તેમાં પીળું સરસિયું ઉમેરવું. આ ઉપરાંત એક દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.


ઘરનાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં હંમેશાં ભારે રાખો. વાસ્તુના કોઈપણ દોષની શાંતિ માટે ઘરનાં દરેક ખૂણામાં સિંધવ ભરેલો વાટકો રાખવો.


ઘરનાં દક્ષિણ-પશ્ચિમમાં મુખ્ય સૂવાનો ઓરડો બનાવવો જોઈએ કારણ કે આ યમનું સ્થાન છે. યમ શક્તિ અને આરામનું પ્રતીક ગણાય છે. દરવાજાઓ અને બારીઓમાં અવાજ આવવાથી વાસ્તુ દોષ થાય છે. એક સીધી રેખામાં દરવાજા હોવા પણ વાસ્તુ દોષ કહેવાય છે. નીસરણીની સંખ્યા 5,7,9 વિષમ સંખ્યામાં હોવી જોઈએ.

Monday 17 September 2012

વડોદરા ના લક્ષ્મી વિલાસ પેલેસ રાજ દરબાર ના શ્રી ગણેશ

લક્ષ્મી વિલાસ પેલેસ 
રાજ દરબાર ના શ્રી ગણેશ


વડોદરા ના રાજવી પરિવાર ના એટલે સર સયાજીરાવ ગાયકવાડ ના 
શ્રી ગણેશ ની કથા~ઈતિહાસ~પરંપરા~વાર્તા
૭૩ વર્ષ થી એકજ પ્રકાર ના ગણેશજી ની મૂર્તિ માટીથી બનાવા માં આવે છે.

  

શ્રી માનસિંગ કૃષ્ણરાવ ચૌહાણ, શ્રી પ્રદીપ કૃષ્ણરાવ ચૌહાણ અને મંગલા પ્રદીપ ચૌહાણ

શ્રી રાજવી ગણેશજી ૭૩ વર્ષ જૂની એટલે કે ૧૯૩૯ ની વાત છે શ્રી દામાજીરાવ ગાયકવાડ ના કુટુંબથી ગણેશજી ના સ્થાપના ની પ્રથા શરુ થઇ. આ પ્રથા શ્રી દામાજીરાવ ગાયકવાડ, સર સયાજીરાવ ગાયકવાડ, પ્રતાપસિંહ ગાયકવાડ, ખંડેરાવ ગાયકવાડ,  રણજીતસિંહ ગાયકવાડ અને અત્યાર ના શ્રી સમરજીતસિંહ ગાયકવાડ ચાલુ રાખી છે.

ખંડેરાવ ગાયકવાડ મહારાજે ગણેશજી ના સ્થાપના માટે ખેસ ના લાકડા નો પાટલો બનાવ્યો હતો.  ૧૯૩૯ માં ચંદ્રાસુર રાક્ષસ નો વધ કરતા ગણેશજી બેસાડ્યા હતા ત્યારે  સર સયાજીરાવ ગાયકવાડને વિચાર આવ્યો કે આવા ગણપતિ તો ક્રોધિત ગણપતિ લાગે છે અને આપને તેને ૧૦ દિવસ પૂજા કરીએ છે, તો ગણેશજી ની મૂર્તિ પૂજનીય હોય તેવી બનાવી પડે જે શાંત અને સુંદર સ્થાપના મૂર્તિ હોવી જોઈએ. ૧૯૩૯ માં સર સયાજીરાવ ગાયકવાડ દેવલોક થયા ત્યાર બાદ પ્રતાપસિંહ ગાયકવાડ રાજવી થયા તેમને કાશી ના પંડિતો ને વડોદરા બોલાવ્યા અને તેમની સાથે ચર્ચા વિચારના કરી કે અમને ગણેશજી ની પ્રતિમા પૂજનીય હોય તેવી હોવી જોઈએ ત્યાર બાદ વડોદરા ના ગણેશ ના કલાકારોએ વિવિધ પ્રકાર ના ગણેશજી ની પ્રતિમા બનાવે છે અને રાજ મહેલમાં ગણેશજી ની મૂર્તિ મંગાવે છે અને ત્યાર બાદ કાશી ના પંડિતો દરેક ગણેશજી ની મૂર્તિ ધ્યાન પૂર્વક જુવે છે, અને કૃષ્ણરાવ ચૌહાણ દાદા ના ગણેશજી ની પસંદગી થાય છે કાશી ના પંડિત રાજા ને કહે છે કે કૃષ્ણરાવ ચૌહાણ દાદા ના ગણેશજી પૂજ્ય અને શાસ્ત્રોક ગણેશજી છે અને કૃષ્ણરાવ ચૌહાણ એ બનાવેલી મૂર્તિ પસંદ થાય છે.

અખાત્રીજ ના દિવસે શુભ મુર્હત હોય છે.  ૭૩ વર્ષ થી રાજવી ઘરના લોકો અખાત્રીજ ના દિવસે ખેસ ના લાકડા નો પાટલો ધામ ધૂમ થી ચૌહાણ સ્ટુડિયો લાવે છે ત્યાર બાદ રાજગુરુ દ્વારા પાટલા ઉપર માટી રચી ને શાસ્ત્રોક પૂજા કરે છે ત્યાર બાદ ગણેશજી ની મૂર્તિ નું નિર્માણ શરુ થાય છે તે દિવસ થી ગણેશ ચોથ ના દિવસ સુધી મૂર્તિકાર પૂજા કરે છે.

ગણેશ ચતુર્થી ના દિવસે રાજ મહેલ માંથી પાલખી ચૌહાણ સ્ટુડિયો આવે છે તેમની સાથે રાજગુરુ, બેન્ડ બજા, મરાઠી વલ્લાર , અને ગાયકવાડ પરિવાર ના સભ્યો આવે છે.

સવારે ૯:૩૦ કલાકે પાલકી ચૌહાણ સ્ટુડિયો આવી જાય છે અને ૯.૪૫ કલાકે પાલખી નીકળી જાય છે. ૧૧:૩૦ કલાકે ગણેશજી ની પાલખી રાજમહેલ માં પોહચી જાય છે અને બંદુક ની સલામી આપે છે . ત્યાંર બાદ  રાજગુરુ ગણેશજી ની સ્થાપના, પૂજા, અર્ચન અને આરતી કરે છે ત્યાર બાદ મૂર્તિકાર ને નારીયેલ આપી વિદાય કરે છે.

૧૦ દિવસ લક્ષ્મી વિલાસ પેલેસ માં ગણપતિ દાદા ની પૂજા રાજવી પદ્ધતિ થી થાય છે અને વડોદરા ની જનતા માટે ગણેશજી ના દર્શન માટે રાજમહેલ ના દ્વાર ખુલ્લા મુકાય છે ૧૧ માં દિવસે સાંજે વિસર્જન ના સમયે ગાયકવાડ પરિવાર સુરસાગર ખાતે રાજ મહેલ ના તરાપા માં ગણેશજી ને વિસર્જન કરવા આવે છે,
રાજગુરુ અને મૂર્તિકાર તરાપા માં બેસી સુરસાગર ના મધ્યમાં જયને તરાપા ના બરોબર વચ્ચે ગણેશજી ની પ્રતિમા મુકે છે અને તરાપા ના સટરના દ્વાર ખોલે છે અને ગણપતિ બાપ્પા મોરિયા ના આવાજથી ગણેશજી નું વિસર્જન કરે છે, ત્યાર બાદ ગાયકવાડ પરિવાર ને સફેદ રૂમાલ ફરકાવી ને કેહવા માં આવે છે કે ગણપતિ બપ્પાનું વિસર્જન થય ગયું છે ત્યાર બાદ બેન્ડ બજા ની સલામી આપે છે અને ગણેશજી નો પાટ અને તેમની થોડી માટી લય ને પરત રાજમહેલ ફરે છે.

શ્રી કૃષ્ણરાવ ચૌહાણ મૂર્તિકાર વિશેષ
શ્રી કૃષ્ણરાવ ચૌહાણ લક્ષ્મી વિલાસ પેલેસ માં આર્ટીસ્ટ તરીકે ગોલ્ડ મેડલીસ્ટ થયા હતા, ૧૯૩૯ થી એકજ પ્રકાર ની ગણેશજી ની મૂર્તિ તેઓ બનાવતા હતા, શ્રી કૃષ્ણરાવ ચૌહાણે અલકાપુરી માં આવેલું સયાજીરાવ ગાયકવાડ નું સ્ટેચ્યુ,  મ્યુઝીયમ માં મુકેલી તેમની કલાત્મક પ્રતિમા,  કીર્તિ સ્થંભ અને પ્રતાપરાવ ગાયકવાડનું સ્ટેચ્યુ તેમની યાદગાર કલાત્મક રચના ની યાદ અપાવે છે.

૧૯૮૭ માં કૃષ્ણરાવ ચૌહાણ દેવલોક થયા ત્યાર બાદ કૃષ્ણરાવ ચૌહાણના પુત્રો શ્રી માનસિંગ કૃષ્ણરાવ ચૌહાણ, શ્રી લાલસિંગ કૃષ્ણરાવ ચૌહાણ, શ્રી પ્રદીપ કૃષ્ણરાવ ચૌહાણ અને મંગલા પ્રદીપ ચૌહાણે રાજ મહેલ ના ગણેશજી ની મૂર્તિ બનાવાની પરંપરા શરુ રાખેલ છે.

શ્રી માનસિંગ કૃષ્ણરાવ ચૌહાણ સાથે વાતચીત માં આમ્હી બરૌડેકર ના અને 
વડોદરા ગણેશ મહોત્સવના વિકાસ ઘોળકર.