Thursday 19 April 2012

સાંઈ મંત્ર

આ મંત્ર બોલી મેળવો સાંઈનો દુલાર, ઝટમાં થશે તકલીફો દૂર


ગુરુવારે આ મંત્રોથી સાંઈ પૂજા કરો, તો પરિવાર, કારોબાર કે નબળાઈ સાથે જોડાયેલી બધી તકલીફો થશે દૂર

જીવનમાં ઘણુ બધુ મેળવવા માટે પહેલા છોડવાની ભાવનાનું મહત્વ આપવું સાંઈ બાબાના ચરિત્ર તરફથી મળે છે. વાસ્તવમાં, ત્યાગનું સૂત્ર ધર્મ અને ઈન્સાનિયતની દ્રષ્ટિએ સુખ, પ્રતિષ્ઠા, યશ અને સફળતા પ્રાપ્ત કરવા માટે બધા કલેશ દૂર કરવામાં શ્રેષ્ઠ અને બેજોડ સાબિત થાય છે.

ભેગુ કરવાને બદલે વહેંચવાનો ભાવ સ્વાર્થને દૂર રાખી ભલાઈ માટે પ્રેરિત કરે છે. પરોપકાર જ વ્યક્તિ, પરિવાર કે સમાજ માટે સુખ-શાંતુનું કારણ બને છે.

આ સંદેશને મગજમાં ઉતારવા માટે જગતગુરુ સાંઈબાબાના કેટલાક વિશેષ મંત્ર સ્મરણ કરવામાં આવે તો આસ્થા છે કે તેનાથી સાંઈબાબાની ખૂબ પ્રસન્નતા અને દુલાર અર્થાત્ કૃપા પ્રાપ્ત થાય છે, જે જીવન સાથે જોડાયેલી દરેક તકલીફોને દૂર કરનારી માનવામાં આવે છે. જાણો, આ સાંઈ મંત્ર...

-સ્નાન કર્યા પછી ઘર કે મંદિરમાં સાઁઈબાબાની યથા સંભવ પીળી પૂજા સામગ્રીઓથી પૂજા કર્યા પછી ઘીના દીવાથી આરતી કરી બુંદી કે ગળ્યા પકવાનોનો પ્રસાદ અર્પિત કરો. પછી આસાન ઉપર બેસી પવિત્ર ભાવોથી નીચે લખલે સાંઈ મંત્ર બોલો અને આરતી કરો...

- ॐ श्री साईं ज्ञानवैराग्यपदाय नमः

(જ્ઞાન અને વૈરાગ્ય આપવાનારા શ્રી સાંઈબાબાને નમન)

- ॐ श्री साईं धनमांगल्यप्रदाय नमः

(દોલત અને મંગળદાતા શ્રી સાંઈબાબાને નમન)

- ॐ श्री साईं आरोग्यक्षेमदाय नमः

(નિરોગી અને સુખી રાખનાર શ્રીસાંઈ બાબાને નમન)

- ॐ श्री साईं प्रेममूर्तये नमः

(પ્રેમ, દયા અને કરુણાની મૂર્તિ શ્રી સાંઈબાબને નમન)

- ॐ श्री साईं असहायसहायाय नमः

(બેસાહારાઓના મદદગાર શ્રીસાંઈબબાને નમન)


No comments:

Post a Comment