Thursday 12 April 2012

જાઈએ છે સારી સેલેરીતથા જીવનસાથી તો કરો આ ગુરુવારે ઉપાય

ભારતીય જ્યોતિષ અને ધર્મશાસ્ત્રોના મતે ગુરુ બૃહસ્પતિની વિવાહ સાથે આજિવિકાનો યોગ બનાવવા માટે પણ મહત્વની ભૂમિકા છે. આ રીતે ધાર્મિક જ નહીં સામાજિક દ્રષ્ટિએ પણ વધારે સારી નોકરી તથા દાંપત્ય જીવન સ્ત્રી અને પુરુષ બન્નેને સફળ જીવનમાં મોટી ભૂમિકા નિભાવે છે. પરંતુ ગુરુ દોષથી વિશેષ કરીને સ્ત્રીના વિવાહમાં અનેક વિઘ્નો આવી શકે છે.

જો આપ પણ આજીવિકા કે વિવાહ વિઘ્નોનો સામનો કરી રહ્યા છો તો શાસ્ત્રોમાં ગુરુવારના દિવસે બૃહસ્પતિ પૂજાની સાથે આ સરળ ઉપાય અપનાવીને પણ ગુરુ દોષ શાંત કરી શકો છો. આ ઉપાય છે ગુરુની વિશેષ વસ્તુઓનું દાન. જાણો આ સરળ ઉપાય –

ગુરુવારના દિવસે ગુરુ બૃહસ્પતિની પૂજા ગંધ, પુષ્પ, ચોખા, ધૂપદિપથી કરી યથા શક્તિ આ વસ્તુઓને કે તેમાંથી કોઈ પણ એકનું દાન કરો –

- પીળા ચોખા

- ચણાની દાળ

- પીળા કપડા

- પીળા ફળ જેવું કે કેરી, કેળા

- કાંસાનું પાત્ર

- હળદર

- લસણ

- પુખરાજ

- ઘી

- ઘોડા

- મધ

- સાકર

- ધર્મગ્રંથ

- સોનું

- પીળી મિઠાઈ

- દક્ષિણા

No comments:

Post a Comment