Tuesday 8 May 2012

મંત્ર જપ

મંત્રોથી મેળવવી છે દરેક સફળતા તો આ 5 વાત ખાસ યાદ રાખો
 ધાર્મિક ઉપાયોમાં કામનાઓ પૂરી કરવા, કષ્ટોથી રક્ષા, ગંભીર રોગોથી છુટકારો મેળવવા કે આધ્યાત્મિક સુખ મેળવવા જેથી જીવનથી જોડાયેલ અનેક લક્ષ્યોને પામવા માટે મંત્ર જપનું મહત્વ જણાવવામાં આવેલ છે.

ખરેખર, મંત્રોનું અલગ-અલગ રૂપ દેવીય શક્તિનો સ્ત્રોત હોય છે. જનું ઉચ્ચારણ તથા સ્મરણ દૈવી શક્તિઓને જાગૃત કરે છે. જેનો પ્રભાવ તથા લાભ જપ કરનાર વ્યક્તિને જરૂર મળે છે. પણ એ ત્યારે શક્ય છે, જ્યારે મંત્ર જપ દરમ્યાન શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ આચરણ કરવામાં આવે.

શાસ્ત્રોમાં મંત્ર જપ દરમ્યાન આ પાંચ વાતનું પાલન જરૂરી જણાવાવવા માં આવેલ છે. જેના વગર મંત્ર જપ બે અસર થાય છે –

- બ્રહ્મચર્યને પાલન એટલે કે લગ્ન કરેલા હોય કે અવિવાહિત શારીરિક, માનસિક તથા વૈચારિક સંયમ અને પવિત્રતા જરૂર રાખો.

- મંત્ર જપની અવધિમાં ઉપવાસ, વ્રત રાખો કે દૂધ અને વગર નમકનો આહાર લો.

- જમીન, ઓટલો કે લાકડાથી બનેલ પથારીમાં સુવો.

- સંકલ્પો દ્વારા નિયત સંખ્યા કે અવધીમાં હજામત એટલેકે શેવિંગ ટાળો. જો વિવશતા હોય તો કપડા ધોવા તથા શેવિંગ જેવા કાર્યો સ્વયંમ કરો.

- ચામડાના પગરખા પહેરાવાથી બચો.

No comments:

Post a Comment