Tuesday 8 May 2012

પૂજામાં ધોતી શા માટે પહેરવામાં આવે છે

પૂજામાં ધોતી શા માટે પહેરવામાં આવે છે, જાણો

હિન્દૂ ધર્મમાં કોઈ પણ પ્રકારની પૂજા-અર્ચનાના સમયે શ્રદ્ધાળુંઓને ધોતી પહેરવાનું અનિવાર્ય કરવામાં આવે છે. આમ તો આજકાલ ધોતી પહેરવાનું ચલણ ખૂબ ઓછું થઈ ગયું છે અને આ બ્રાહ્મણો સુધી રહી ગઈ છે.

આધુનિક ફેશનના આ જમાનામાં પૂજામાં પણ ખૂબ ઓછા લોકો ધોતી પહેરે છે. પ્રાચીન સમયમાં ધોતી પહેર્યા વગર પૂજા વગેરે કર્મકાંડ પૂર્ણ માનવામાં ન આવતા. આ કારણે ધોતીને પવિત્ર માનવામાં આવે છે. ધોતી પહેરવાની અનિવાર્યતા પાછળ વૈજ્ઞાનિક મહત્વ પણ છે.

- પૂજા-અર્ચના જેવા કાર્યોમાં ઘણી વાર સુધી એક વિશેષ અવસ્થામાં શ્રદ્ધાળુંને બેઠી રહેવું પડે છે, તે દશામાં ધોતીથી સારું કોઈ પરિધાન ન હોઈ શકે. આજકાલ લોકોને જીંન્સ, પેન્ટ વગેરે પહેરીને જ પૂજા કરે છે જેથી બેઠવા-ઉઠવામાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

- શરીરના રોમ છીદ્રો આપણને શુદ્ધ પ્રાણવાયુ આપે છે. તંગ કપડા ન માત્ર તેમાં પરેશાની થાય છે પણ રક્ત પ્રવાહ પર પણ ખરાબ રીતે અસર પહુંચાડે છે.

- આ માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ધોતી લાભદાયક છે. ધોતી બારીક સૂતરના કાપડમાંથી બનેલી હોય છે જે હવાદાર અને સુવિધાજનક રહે છે.

- સિવડાવેલા કપડા આપણે રોજ બરોજની જિંદગીમાં પહેરતા હોય છે માટે તે દૂષિત ગણવામાં આવે છે અને ધોતી એ માટે રખાય છે કે તે ખાસ પૂજા માટે રાખવાથી તેની પવિત્રતા જળવાઈ રહે છે.

  - વળી, ધોતી છે એ સૂતરમાંથી જ બનેલી મોટાભાગે પહેરવી વધારે સારી ચે કારણ કે તે રૂ જેવા કુદરતી વસ્તુમાંથી બનાવવામાં આવે છે માટે પહેરાય છે.

   - પૂજા-પાઠ, કર્મકાંડ આ બાબતો જેટલી દૈહિક છે તેનાથી વધારે મનોભાવાત્મક છે અને આ કારણે તેના એક પ્રકારના પવિત્ર વાઈબ્રેટિંગ વેવ્સ ઉભા કરવા માટે આવા રિવાજો અસ્તીત્વમાં રખાયા છે.
  
- તમે ધોતી પહેરો છો ત્યારે તમારું મન પ્રાર્થના માટે પ્રેરણા પામે છે અને તેથી વધુ ધ્યાન આપી શકાય છે.

No comments:

Post a Comment