Wednesday 21 November 2012

मां. श्री. बाळा साहेब ठाकरे यांला भावपूर्ण श्रद्धांजली

हिंदुहृदयसम्राटाला मां. श्री. बाळा साहेब ठाकरे यांला
आम्ही बरौडेकर! तर्फुन भावपूर्ण श्रद्धांजली
સુખ અને દુઃખમાં સૌને દીધો સાથ
જીવન એવું જીવી ગયાકે
ભુલાતી નથી તમારી વાત
આપનો હસમુખો ચહેરો અને
મિલનસાર સ્વભાવ
સદાય અમને યાદ આવશે
પરમકૃપાળુ પરમાત્મા આપના
દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એજ પ્રાથના
આમ્હી બરૌડેકર તરફથી
માં. શ્રી. બાળાસાહેબ ઠાકરે ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

બાળા સાહેબ ઠાકરે હમેશા યાદ રહશે

गेली पाच दशके मराठी मनावर अधिराज्य गाजवणारे, तमाम महाराष्ट्राचे लाडके नेते शिवसेना प्रमुख बाळासाहेब ठाकरे रविवारी अनंतात विलीन झाले.
या हिंदुहृदयसम्राटाला अखेरचा निरोप देण्यासाठी मुंबईसह राज्यभरातून लाखो चाहत्यांनी हजेरी लावली.
शिवाजी पार्कवर शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या पार्थिवाचे अंतिम दर्शन घेताना बॉलीवूडमधील अनेक तारे-तारकांनी अंत्यदर्शन घेतले.हिंदुहृदयसम्राटाला मां. श्री. बाळा साहेब ठाकरे यांला
आम्ही बरौडेकर! तर्फुन भावपूर्ण श्रद्धांजली

Monday 12 November 2012

દિવાળી લક્ષ્મી પૂજા


લક્ષ્મીપૂજનની પૂજાવિધિ


દિવાળીના દિવસે મોટાભાગે દરેક લોકો લક્ષ્મીપૂજન કરે છે. લક્ષ્મીપૂજનની અલગઅલગ પૂજાવિધિ હોય છે પણ મોટાભાગે લક્ષ્મીનો બાજોઠ દરેક ઘરે સ્થાપવામાં આવે છે. તેમાં નવગ્રહ અને માતૃકાબાજોઠનું પણ સ્થાપન કરવામાં આવે છે. આ સ્થાપનથી ઘણા લાભ થાય છે. વર્ષમાં એક દિવસ દિવાળીના દિવસે લક્ષ્મીજીની પધરામણી તમારા ઘરમાં થાય છે, તો તેની પધરામણીમાં જો શણગાર રાખવામાં આવે તો તે વધારે પ્રસન્ન થાય છે.

આ પ્રકારમાં લક્ષ્મીના બાજોઠને સજાવાથી ભક્તને વર્ષભર લાભ રહે છે. ગરીબ હોય તેને ધન મળે છે. ધનમાં વૃદ્ધિ કરવા ઈચ્છતા હોય તેને અચાનક ધનલાભ થવા લાગે છે. નોકરીયાતને મોટા હોદ્દા પ્રાપ્ત થશે. વેપારીઓને વેપારમાં નફો થવા લાગશે. રોગી હોય તે નિરોગી બની શકે છે. આવું અદ્ભૂત અને અમૂલ્ય ફળ આપનાર લક્ષ્મીપૂજાની વિધિ માટેના બાજોઠ શણગારવાનો ઉપાય છે.


લક્ષ્મી માતાના બાજોઠ વિધિ-વિધાનથી સજાવવો જોઈએ. જે પણ ભક્ત માતા લક્ષ્મીની પૂજા માટે વિધિવત વ્યવસ્થા કરે છે, તેને ક્યારે પણ ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

- દિવાળી પૂજન માટે બાજોઠ પર લક્ષ્મી તથા ગણેશની મૂર્તિઓ આ પ્રકારે રાખો કે તેનું મુખ પૂર્વ અને પશ્ચિમમાં રાખો. લક્ષ્મીજી, ગણેશજીને ડાબી તરફ સ્થાપિત કરો. કળશને લક્ષ્મીજીની પાસે ચોખા પર રાખો. નારિયળને લાલ વસ્ત્રમાં વિંટાળી ને નારિયળના આગળનો ભાગ જોવા મળે તે રીતે કળશ પર રાખો. આ કળશ વરૂણદેવનું પ્રતિક છે. 

- કળશ સ્થાપિત કર્યા પછી મોટા દીવાઓ રાખો. એક દીવો ઘીનો તથા બીજો દીવો તેલનો કરો. એક દીવો બાજોઠની ડાબી બાજુ રાખો તથા બીજો મૂર્તિના ચરણમાં, આ ઉપરાંત એક દીવો ગણેશજીની પાસે રાખો.
લક્ષ્મીની કૃપા માટે કેવી રીતે સજાવશો નાનો બાજોઠ


- ગણેશજી તરફ ચોખાની સોળ ઢગલી બનાવો. આ સોળ ઢગલી માતૃકા (2)નું પ્રતિક છે. જેવી રીતે ચિત્રમાં ચિહ્ન (2) પર જોવા મળે છે. નવગ્રહ તથા સોળ માતૃકાની વચ્ચે સ્વસ્તિક (3)નું ચિહ્ન બનાવો. તેની વચમાં સોપારી (4) રાખો તથા ચારેય ખૂણા પર ચોખાની ઢગલી રાખો.

- લક્ષ્મીજી બાજુ શ્રીનું ચિહ્ન (5) બનાવો. ગણેશજી અને ત્રિશુળ (6) બનાવો. એક ચોખાની ઢગલી (7) બનાવો જે બ્રહ્માજીનું પ્રતિક છે. સૌથી નીચે ચોખાની નવ ઢગલી બનાવો (8) જે માતૃકાનું પ્રતિક છે.


- લક્ષ્મી તથા ગણેશ તથા અન્ય દેવી-દેવતા મૂર્તિઓ વાળા બાજોઠની સામે નાનો બાજોઠ રાખી તેના પર લાલ વસ્ત્ર પાથરી દો. પછી કળશની આસપાસ એક મૂઠ્ઠી ચોખાથી લાલ વસ્ત્ર પર નવગ્રહના પ્રતિક રૂપ નવ ઢગલી ત્રણ લાઈનમાં બનાવો. તેને તમે ચિત્રમાં (1) ચિહ્નથી જોઈ શકો છો.

- સૌથી ઉપર ऊँ નું ચિહ્ન બનાવો. આ બધા ઉપરાંત પેન, વહીખાતા તથા સિક્કાની થેલી પણ રાખી દો. આ રીતે બાજોઠ શણગારવાનું એક પ્રતિક ફોટામાં અમે દર્શાવ્યું છે, તે જોઈને પણ કરી શકાય છે.

- આ પ્રકારે લક્ષ્મીના બાજોઠને સજાવાથી ભક્તને વર્ષભર લાભ રહે છે. ગરીબ હોય તેને ધન મળે છે. ધનમાં વૃદ્ધિ કરવા ઈચ્છતા હોય તેને અચાનક ધનલાભ થવા લાગે છે. નોકરીયાતને મોટા હોદ્દા પ્રાપ્ત થશે. વેપારીઓને વેપારમાં નફો થવા લાગશે. રોગી હોય તે નિરોગી બની શકે છે. 

 
દિવાળીની રાતે આ આઠ સ્થાન પર કરો દીવો, દૂર થશે સમસ્યાઓ
દિવાળીની રાતે મહાદેવી લક્ષ્મીજીને મનાવવાનો સૌથી સારી તક છે. શાસ્ત્રો અનુસાર જણાવવામાં આવે છે કે દિવાળીની રાતે કંઈક વિશેષ સ્થાને દીવો કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. અહીં જાણો દિવાળીની રાતના કઈ-કઈ જગ્યાએ દીવો કરવો જોઈએ, જેથી તમારી પૈસાની સમસ્યાઓનો ઉકેલાઈ જશે.

શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે દિવાળીની રાતે દેવી મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. આથી  રાતના દેવીને પ્રસન્ન કરવા માટે ઉપાય જણાવવામાં આવે છે....

- જો શક્ય હોય તો રાતના સમયે કોઈ સ્મશાનમાં દીવો કરો. પૈસા પ્રાપ્ત કરવા માટે આ એક ચમત્કારી તંત્રોપાય છે.

- ધનપ્રાપ્તિની કામના કરનાર વ્યક્તિને દિવાની રાતે મુખ્ય દરવાજાના ઉંબરા પર બન્ને બાજુ દીવો જરૂર કરવો જોઈએ.

- ઘરના આંગણામાં દીવો કરવો જોઈએ. ધ્યાન રાખો આ દીવો બંધ થવો જોઈએ નહીં. આવું કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

- આપણા ઘરની આસપાસ વાળા વિસ્તારમાં ચૌદસ પર રાતના સમયે દીવો કરવો જોઈએ. એવું કરવાથી પૈસાથી જોડાયેલી સમસ્યા ઉકેલાઈ જાય છે.

- ઘરનાં પૂજા સ્થાનમાં દીવો કરવો, જે આખી રાત ચાલું રહેવો જોઈએ. આ રીતે કરવાથી મહાલક્ષ્મીજી  પ્રસન્ન થાય છે.

- કોઈ બિલ્વપત્રના ઝાડની નીચે દિવાળીની સાંજે દીવો કરવો જોઈએ. બિલ્વપત્ર ભગવાન શિવનું પ્રિય વૃક્ષ છે. આથી અહીં દીવો કરવાથી તેની કૃપા પ્રાપ્ત થાય છે.

- ઘરની આસપાસ જે પણ મંદિર હોય ત્યાં રાતના સમયે દીવો જરૂર કરવો જોઈએ, તેથી તમારી પ્રતિષ્ઠા અને ધન પ્રાપ્તિ થાય છે.

- પીપળાના ઝાડની નીચે દિવાળીની રાતે એક દીવો જરૂર કરો. એવું કરવાથી આપની ધન સંબંધી દરેક સમસ્યા દૂર થઈ જશે. 


દેવી મહાલક્ષ્મીની વિધિ અનુસાર પૂજન

આસો વદ અમાસના ભગવતી શ્રી મહાલક્ષ્મી તથા ભગવાન ગણેશની નવી પ્રતિમાઓનું પ્રતિષ્ઠાપૂર્વક વિશેષ પૂજન કરવામાં આવે છે. દિવાળી પર દેવી મહાલક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે નીચે લખેલી વિધિ અનુસાર પૂજન કરો.
 
પૂજન માટે બાજોઠ  પર લીલું કે લાલ આસન પાથરો, ડાબી બાજુ ગણેશને અને જમણી બાજુ માતા મહાલક્ષ્મીની મૂર્તિને સ્થાપિત કરો. પૂજનના દિવસે ઘરને સ્વચ્છ કરી પૂજા-સ્થાનને પણ પવિત્ર કરી લો તથા પોતે પણ પવિત્ર થઈને શ્રદ્ધા-ભક્તિપૂર્વક સાંજના સમયે મહાલક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશનું પૂજન કરો.....


શ્રી મહાલક્ષ્મીજીની મૂર્તિની પાસે જ પવિત્ર પાત્રમાં કેસરયુક્ત ચંદનથી અષ્ટદલ કમળ બનાવીને તેના પર રૂપીયો રાખો તથા એક સાથે જ બન્નેની પૂજા કરો. સૌથી પહેલા પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખી આચમન, પવિત્રી ધારણ, માર્જન-પ્રાણાયામ કરી, તેની ઉપર તથા પૂજા-સામગ્રી પર નીચેનો મંત્ર વાંચીને જળ છાંટો –
ऊँ अपवित्र: पवित्रो वा सर्वावस्थां गतोपि वा।
य: स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर: शुचि:।।


તે પછી જળ, ચોખા લઈને પૂજનનો સંકલ્પ કરો –


संकल्प- ऊँ विष्णुर्विष्णुर्विष्णु: अद्य मासोत्तमे मासे आसोमासे कृष्णपक्षे पुण्यायाममावास्यायां तिथौ.......... वासरे............गोत्रोत्पन्न: (गोत्र का उच्चारण करें)/ गुप्तोहंश्रुतिस्मृतिपुराणोक्तफलावाप्तिकामनया ज्ञाताज्ञातकायिकवाचिकमानसिक सकलपापनिवृत्तिपूर्वकं स्थिरलक्ष्मीप्राप्तये श्रीमहालक्ष्मीप्रीत्यर्थं महालक्ष्मीपूजनं कुबेरादीनां च पूजनं करिष्ये। तदड्त्वेन गौरीगणपत्यादिपूजनं च करिष्ये।


આવું કહીને સંકલ્પનું જળ નીચે છોડી દો. પૂજન પહેલા નવી પ્રતિમાની નીચે પ્રમાણે પ્રાણ-પ્રતિષ્ઠા કરો –

પ્રતિષ્ઠા – ડાબા હાથમાં ચોખા લઈને નીચે લખેલ મંત્રો બોલી જમણા હાથથી તે ચોખાને પ્રતિમા પર છાંટતા જાઓ.


ऊँ मनो जूतिर्जुषतामाज्यस्य बृहस्पतिर्यज्ञमिमं तनोत्वरिष्टं यज्ञ समिमं दधातु।
विश्वे देवास इह मादयन्तामोम्प्रतिष्ठ।।

ऊँ अस्यै प्राणा: प्रतिष्ठन्तु अस्यै प्राणा: क्षरन्तु च।
अस्यै देवत्वमर्चायै मामहेति च कश्चन।।


સર્વપ્રથમ ભગવાન ગણેશનું પૂજન કરો. તે પછી કળશ પૂજન તથા સોળશ માતૃકા (સોળદેવીઓનું) પૂજન કરો. તત્પશ્ચાત પ્રધાન પૂજામાં મંત્રો દ્વારા ભગવતી મહાલક્ષ્મીનો સોળશોપચાર પૂજન કરો.
ऊँ महालक्ष्म्यै नम:- આ નામ મંત્રથી પણ ઉપચારો દ્વારા પૂજન કરવામાં આવી શકે છે.


પ્રાર્થના – વિધિપૂર્વક શ્રીમહાલક્ષ્મીનું પૂજન કર્યા પછી હાત જોડીને પ્રાર્થના કરો –
सुरासुरेंद्रादिकिरीटमौक्तिकै-
र्युक्तं सदा यक्तव पादपकंजम्।
परावरं पातु वरं सुमंगल
नमामि भक्त्याखिलकामसिद्धये।।
भवानि त्वं महालक्ष्मी: सर्वकामप्रदायिनी।।
सुपूजिता प्रसन्ना स्यान्महालक्ष्मि नमोस्तु ते।।
नमस्ते सर्वदेवानां वरदासि हरिप्रिये।
या गतिस्त्वत्प्रपन्नानां सा मे भूयात् त्वदर्चनात्।।
ऊँ  महालक्ष्म्यै नम:, प्रार्थनापूर्वकं समस्कारान् समर्पयामि।

પ્રાર્થના કરીને નમસ્કાર કરો. –


સમર્પણ - પૂજનના અંતમાં कृतोनानेन पूजनेन भगवती महालक्ष्मीदेवी प्रीयताम्, न मम।
આ વાક્ય ઉચ્ચારણ કરી સમસ્ત પૂજન કર્મ ભગવતી મહાલક્ષ્મીને સમર્પિત કરો તતા જળ મૂકી દો.


દિવાળીના પૂજનના શુભ મુહૂર્ત –
ઓફિસ, દુકાન, ફેક્ટ્રી વગેરે વ્યાપારિક સ્થાનો માટે –

-સવારે 9 થી 10:30 વાગા સુધી- ચર

-સવારે 10:30 થી બપોરના 12 વાગા સુધી- લાભ

ઘર પર પૂજન માટેના મુહૂર્ત –

- સાંજે 7:30 થી રાત 9 વાગા સુધી

- રાતે 10:30 થી 12 વાગા સુધી- લાભ

- રાતે 12 થી 1:30 વાગા સુધી- અમૃત


આ પૂજન પછી વિનાયક ગણેશ, પેન, સરસ્વતી, કુબેર, તોલકાંટો તથા દીવાની પૂજા કરી અંતમાં આરતી કરવામાં આવે છે.


દિવાળી પર દેવી મહાલક્ષ્મી તથા ભગવાન શ્રી ગણેશની સાથે જ વિનાયક, પેનની પૂજા કરવાનું વિધાન પણ કરવામાં આવે છે. તેની વિધિ નીચે આપેલ છે –

વિનાયક ગણેશ પૂજા - દુકાન કે ઓફિસમાં દિવાલો પર ऊँ श्रीगणेशाय नम:।, સાથીયો, શુભ-લાભ વગેરે માંગલિક તથા કલ્યાણકારી શબ્દ સિંદૂરથી લખવામાં આવે છે. તેને શબ્દો પર ऊँ देहलीविनायकाय नम:। આ નામમંત્ર દ્વારા ગંધ-પુષ્પાદિથી પૂજન કરો.


શ્રી મહાકાળીનું પૂજન – શાહી વાળી કલમને ભગવતી મહાલક્ષ્મીની સામે ફૂલ તથા ચોખા ઉપર રાખીને તેના પર સિંદૂરથી સ્વસ્તિક બનાવી દો તથા મળી લપેટી દો.


ऊँ श्रीमहाकाल्यै नम: - આ નામ મંત્રથી ચંદન-પુષ્પાદિ પંચોપચારોથી કે સોળશોપચારથી કલમ તથા ભગવતી મહાકાળીનું પૂજન કરો અને અંતમાં આ પ્રકાર પ્રાર્થના પૂર્વક તેને પ્રણામ કરો –


कालिके त्वं जगन्मातर्मसिरूपेण वर्तसे।
उत्पन्ना त्वं च लोकानां व्यवहारप्रसिद्धये।।
या कालिका रोगहरा सुवन्द्या
भक्तै: समस्तैव्र्यवहारदक्षै:।
जनैर्जनानां भयहारिणी च सा लोकमाता मम सौख्यदास्तु।।


કલમનું પૂજન -  પેન પર મળી બાંધીને સામે રાખી દો અને

लेखनी निर्मिता पूर्वं ब्रह्मणा परमेष्ठिना।
लोकानां च हितार्थय तस्मात्तां पूज्याम्यहम्।।

ऊँ लेखनीस्थायै देव्यै नम:


- આ નામમંત્ર દ્વારા ગંધ, પુષ્પ, ચોખા વગેરેથી પૂજન કરી આ પ્રકાર પ્રાર્થના કરો.


शास्त्राणां व्यवहाराणां विद्यानामाप्युयाद्यात:।
अतस्त्वां पूजयिष्यामि मम हस्ते स्थिरा भव।।


દેહવિનાયક, કમલની પૂજા કર્યા પછી વહીખાતા, કુબેર પૂજન તથા તોલકાંટાનું પૂજન કરવામાં આવે છે.

 
દીવાળી પર વહીખાતા પૂજન, કુબેર પૂજન, તોલકાંટાનું પૂજન તથા દીપમાળાનું પૂજન પણ કરવામાં આવે છે. તેનું પૂજન વિધિ આ પ્રકારે છે –

વહીખાતાનું પૂજન – વહી, વાસણ તથા થેલીમાં રોળી કે કેસરયુક્ત ચંદનથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો તથા થેલીમાં પાંચ હળદરની ગાંઠ, ધાણા, કમળના ફૂલ, દૂર્વા અને થોડાંક રૂપીયાના સિક્કા રાખીને તેનાથી સરસ્વતીનું પૂજન કરો. સર્વપ્રથમ સરસ્વતીનું ધ્યાન આ પ્રકારે કરો –


या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवै: सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती नि:शेषजाड्यापहा।।
ऊँ वीणापुस्तकधारिण्यै श्रीसरस्वत्यै नम:


-આ નામમંત્રથી ચંદન વગેરે ચઢાવી પૂજન કરો.


કુબેર પૂજન – તીજોરી અથવા રૂપીયા રાખવાના સંદૂક ઉપર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને પછી ભગવાન કુબેરનું આહ્વાન કરો –

आवाहयामि देव त्वामिहायाहि कृपां कुरु।
कोशं वद्र्धय नित्यं त्वं परिरक्ष सुरेश्वर।।


આહ્વાન પછી ऊँ कुबेराय नम:। આ નામમંત્રથી ગંધ, ફૂલ વગેરેથી પૂજન કરી અંતમાં આ પ્રકારે પ્રાર્થના કરો

 

धनदाय नमस्तुभ्यं निधिपद्माधिपाय च।
भगवान् त्वत्प्रसादेन धनधान्यादिसम्पद:।।

 

આ પ્રકારે પ્રાર્થના કરી પહેલા હેલ્દી, ધાણા, કમળફૂલ, રૂપીયા, દૂર્વા વગેરેથી યુક્ત થેલી તિજોરીમાં રાખો.
તાલકાંટાનું પૂજન – સિંદૂરથી તોલમાપ કાંટા પર સાથીયો કરો. નાડાછડી તુલા દેવતાના આ પ્રકારે ધ્યાન કરો –

 

नमस्ते सर्वदेवानां शक्तित्वे सत्यमाश्रिता।
साक्षीभूता जगद्धात्री निर्मिता विश्वयोनिना।।

 

ધ્યાન પછી ऊँ तुलाधिष्ठातृदेवतायै नम:।
આ નામમંત્રથી ગંધ, ચોખા વગેરે ઉપચારો દ્વારા પૂજન કરી નમસ્કાર કરો.

દિપમાળા (દીપક) પૂજન – કોઈ પાત્રમાં અગીયાર, એક્કીસ કે તેનાથી વધારે દીવાને પ્રજ્વલિત કરી મહાલક્ષ્મીની બાજુમાં રાખી તેને દીપકજ્યોતિના ऊँ दीपावल्यै नम:। આ નામમંત્રથી ચંદન વગેરે દ્વારા પૂજન કરી આ પ્રકારે પ્રાર્થના કરો –

 

त्वं ज्योतिस्त्वं रविश्चनद्रो विद्युदग्निश्च तारका:।
सर्वेषां ज्योतिषां ज्योतिर्दीपावल्यै नमो नम:।।

 

દિપમાળાનું પૂજન કરી સંતરા, શેરડી, ધાણા વગેરે પદાર્થ ચઢાવો. ગણેશ, મહાલક્ષ્મી તતા અન્ય બધા દેવી-દેવતાઓને પણ અર્પિત કરો. અંતમાં અન્ય બધા દીવાને પ્રગટાવી દો. આ બધા પછી દેવી મહાલક્ષ્મીની આરતી કરવામાં આવે છે.  



દિવાળી પર દેવી મહાલક્ષ્મી, ભગવાન શ્રી ગણેશ, વિનાયક, કલમ, વહીખાતા, કુબેર, તુલા તથા દિપમાળાનાં પૂજન પછી મહાલક્ષ્મીની આરતી કરવામાં આવે છે.

આરતી માટે આ થાળીમાં સાથીયા વગેરે માંગલિક ચિહ્નો બનાવી ચોખા તથા પુષ્પોનું આસન પર શુદ્ધ ઘીનો દીવો કરો. એક પૃથક પાત્રમાં કપૂર પણ પ્રજ્વલિત કરી તે પાત્ર પણ થાળીમાં યથાસ્થાને રાખી લો,

આરતી – આસન પર ઉભા રહી પરિવાર સાથે ઘંટનાદ કરતાં-કરતાં મહાલક્ષ્મીજીની મંગળ આરતી કરો –

 

श्रीलक्ष्मीजी की आरती
ऊँ जय लक्ष्मी माता, जय लक्ष्मी माता।
तुमको निसिदिन सेवत हर विष्णु-धाता।। ऊँ।।
उमा, रमा, ब्रह्माणी, तुम ही जग माता।
सूर्य-चंद्रमा ध्यावत, नारद ऋषि गाता।। ऊँ।।
दुर्गारूप निरंजनि, सुख-सम्पत्ति दाता।
जो कोई तुमको ध्यावत, रिद्धि-सिद्धि धन पाता।। ऊँ।।
तुम पाताल-निवासिनि, तुम ही शुभदाता।
कर्म-प्रभाव-प्रकाशिनी, भवनिधिकी त्राता।। ऊँ।।
जिस घर तुम रहती, तहँ सब सद्गुण आता।
सब संभव हो जाता, मन नहिं घबराता।। ऊँ।।
तुम बिन यज्ञ न होते, वस्त्र न हो पाता।
खान-पान का वैभव सब तुमसे आता।। ऊँ।।
शुभ-गुण-मंदिर सुंदर, क्षीरोदधि-जाता।
रत्न चतुर्दश तुम बिन कोई नहिं पाता।। ऊँ।।
महालक्ष्मी(जी) की आरती, जो कोई नर गाता।
उर आनन्द समाता, पाप उतर जाता।। ऊँ।।


મંત્ર પૂષ્પાંજલી – બન્ને હાથમાં ફૂલ લઈને હાથ જોડીને નીચેનો મંત્ર બોલો –

ऊँ या श्री: स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी:
पापात्मनां कृतधियां ह्रदयेषु बुद्धि:।
श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा
तां त्वां नता: स्म परिपालय देवि विश्वम्।।
ऊँ श्रीमहालक्ष्म्यै नम:, मंत्रपुष्पांजलिं समर्पयमि।

આમ આ મંત્ર બોલી હાથના પૂલ લક્ષ્મીજીન પર ચઢાવી દો. પ્રદક્ષિણા કરી પ્રણામ કરો, ફરી હાથ જોડીને ક્ષમા પ્રાર્થના કરો –

आवाहनं न जानामि न जानामि विसर्जनम्।
पूजां चैव न जानामि क्षमस्व परमेश्वरि।।
यत्पूजितं मया देवि परिपूर्णं तदस्तु मे।।
सरजिजनिलये सरोजहस्ते धनलतरांशुकगंधमाल्यशोभे।
भगवति हरिवल्वभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्।।

ફરીથી પ્રણઆમ કરીને  ऊँ अनेन यथाशक्त्यर्चनेन श्रीमहालक्ष्मी: प्रसीदतु।

આમ કહીને પાણી નીચે મૂકી દો. બ્રાહ્મણ તથા ગુરુજનોને પ્રણામ કરી ચરણામૃત તથા પ્રસાદ વિતરણ કરો.


વિસર્જન – પૂજનના અંતમાં ચોખા લઈને ગણેશ તથા મહાલક્ષ્મીની પ્રતિમાને છોડીને અન્ય બધાને આવાહિત, પ્રતિષ્ઠિત તથા પૂજિત દેવતાઓ પર ચોખા છોડીને નીચેનો મંત્રથી વિસર્જન કરો –

यान्तु देवगणा: सर्वे पूजामादाय मामकीम्।
इष्टकामसमृद्धयर्थं पुनरागमनाय च।। 


આમ્હી બરૌડેકર પરિવાર તરફથી વ્હાલા વાચક મિત્રો, ભાઈ, બહેન તથા શુભેચ્છકો આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની હાર્દિક શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

Thursday 8 November 2012

દિવાળી પર આ 10 ચીજો અપાવે છે સ્થાયી લક્ષ્મી

દિવાળી પર આ 10 ચીજો અપાવે છે સ્થાયી લક્ષ્મી

દિવાળી-પૂજનમાં ઉપયોગ કરવામાં આવેલી વસ્તુઓ ભક્તને લક્ષ્મીની સ્થાયી કૃપા અપાવે છે. સ્થાયી લક્ષ્મીનો અર્થ આ છે કે આપના ઘરમાં હંમેશા મહાલક્ષ્મીનો વાસ રહેશે અને ક્યારે પણ ધનની કમી નહીં રહેશે. અહીં જાણો સામાન્ય પૂજન સામગ્રી (દીવો, પ્રસાદ, કંકુ, ફળ-ફૂલ વગેરે) ઉપરાંત એવી દસ ચીજો જે આપને લક્ષ્મીની સ્થાયી કૃપા અપાવે છે

પાન અને ચોખા – તે દિવાળીના પર્વ માટે શુભ અને માંગલિક ચિહ્ન છે. પાન ઘરની શુદ્ધિ કરે છે તથા ચોખા ઘરમાં કોઈ ખરાબ ઘટના થવા દેતા નથી.

રંગોળી – લક્ષ્મી પૂજનના સ્થાન તથા પ્રવેશ દ્વારા તથા આંગણામાં રંગોનું સંયોજન દ્વારા ધાર્મિક ચિહ્નઃ કમળ, સ્વસ્તિક, કળશ, ફૂલ વગેરે અંકિત કરી રંગોળી બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે, કે દેવી લક્ષ્મી રંગોળી તરફ ઝડપથી આકર્ષિત થાય છે. વાસ્તુ પણ કહે છે કે રગોળી ઘરમાં પોઝિટિવિટી લાવે છે.

જવારા – દિવાળીના દિવસે જવારા ધરમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે, તથા વર્ષભર કોઈ પણ પ્રકારના અનાજની કમી આવશે નહીં. મહાલક્ષ્મીના પૂજન સમય જવારના પૂજન કરવાથી ઘરમાં હીરા-મોતી જેવી બહુમૂલ્ય વસ્તુઓ આવે છે.

શેરડી – લક્ષ્મીના ઐરાવત હાથીની પ્રિય ખાદ્ય-સામગ્રી શેરડી છે. દિવાળીના દિવસે પૂજનમાં શેરડી સામેલ કરવાથી કે તુલસી ક્યારે શેરડી ધરવથી ઐરાવત પ્રસન્ન રહે છે અને તેની શક્તિ તથા વાણીની મિઠાશ આપણા ઘરમાં ફેલાયેલી રહે છે.


પતાશા કે ગોળ – આ પણ દિવાળી પર્વના માંગલિક ચિહ્ન છે. લક્ષ્મી-પૂજન પછી ગોળ – પતાશાનું દાન કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. ઘર-પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો વિસ્તાર થાય છે.

તિલક – પૂજનના સમયે તિલક કરવામાં આવે છે જેથી મસ્તિષ્કમાં વૃદ્ધિ, જ્ઞાન અને શાંતિનો પ્રસાર થાય. કોઈ પણ પૂજન કર્મ તિલક વગર પૂરું નથી થતું.

નાડાછડી -  તે માંગલિક ચિહ્ન તથા સંગઠનની નિશાની છે, જેને પૂજાના સમયે હાથ પર બાંધવામાં આવે છે.

કોડી – લક્ષ્મી પૂજનની સજાવેલી થાળીમાં કોડી રાખવાની જુની પરંપરા છે, કારણ કે આ ધન અને શ્રીનું પ્રતિક છે. કોડીને તિજોરીમાં રાખવાથી લક્ષ્મીની કૃપા હંમેશા જળવાઈ રહે છે.

સ્વસ્તિક – કોઈપણ પૂજનમાં સ્વસ્તિકનું  ચિહ્ન જરૂર કરો. સ્વસ્તિકની ચાર ભૂજા ઉત્તર, દક્ષિણ, પૂર્વ,પશ્ચિમ ચારે દિશાઓ દર્શાવે છે. તેની સાથે જ આ ચાર ભૂજાઓ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ આશ્રમોનું પ્રતિક પણ માનવામાં આવે છે. આ ચિહ્ન કેસર, હળદર, સિંદૂરથી બનાવવામાં આવે છે.

વંદનવાર – આંબા કે પીપળાના કોમળ પાનની માળાને વંદનવાર કહેવામાં આવે છે. તેને દિવાળીના દિવસે પૂર્વદ્વારે કે મુખ્યદ્વાર પર બાંધવામાં આવે છે. આ એ વાતનું પ્રતિક છે કે સમસ્ત દેવી-દેવતા આ પાનની સુગંધથી આકર્ષિત થઈને આપના ઘરમાં પ્રવેશ કરે છે. એવી માન્યાતા છે કે દિવાળીના વંદનવારને  31 દિવસ સુધી બાંધી રાખવી જોઈએ.

Wednesday 7 November 2012

દિવાળી - ૨૦૧૨નાં શુભમુહૂર્તો

દિવાળીનાં શુભમુહૂર્તો

ધનપૂજન- ધનતેરસ- ધન્વંતરિ પૂજન
આસો વદ ૧૨ને રવિવાર તા. ૧૧-૧૧-૨૦૧૨
શુભ સમય: બપોરના ૧-૩૫ થી ૩-૦૫ સુધી
સાંજના ૬-૧૫ થી ૧૦-૩૭ સુધી
મોડી રાત્રે ૧-૩૫ થી ૩-૧૫ સુધી
વહેલી સવારે ૫-૨૫ થી ૬-૧૫ સુધી
ઉપરોકત સમયગાળામાં ધનપૂજા કરી શકાય. ચોપડા પણ લાવી શકે.

કાળીચૌદસ- નરક ચતુર્દશી
આસો વદ ૧૩ને સોમવાર તા. ૧૨-૧૧-૨૦૧૨
શુભ સમય: બપોરના ૨-૩૦ થી ૬-૩૦ સુધી
સાંજના ૬-૧૫ થી ૭-૩૫ સુધી
રાત્રે ૧૦-૩૦ થી ૧૨-૦૫ સુધી
મોડી રાત્રે ૧-૩૫ થી વહેલી સવારે ૬-૦૫ સુધી
ભૈરવ, બટુક, વીર હનુમાન, મહાકાલી તથા દસ મહાવિધાની આરાધના અને તાંત્રિક
વિધિ-વિધાન માટે ઉત્તમ ગણાય. મશીનોની
મહાપૂજા પણ આ દિવસે કરવી શ્રેષ્ઠ ગણાય.

દિવાળી-ચોપડા-લક્ષ્મી-શારદાપૂજન
આસો વદ ૧૪ ને મંગળવાર તા. ૧૩-૧૧-૨૦૧૨
શુભ સમય: સવારના ૯-૪૦ થી ૧૩-૪૫ સુધી
બપોરના ૩-૧૫ થી ૬-૫૩ સુધી
સાંજના ૭-૩૨ થી ૯-૧૦ સુધી
રાત્રે ૧૦-૫૦ થી ૩-૩૦ સુધી
વહેલી સવારે ૫-૫૫ થી ૬-૩૦ સુધી

 વિક્રમ સંવત ૨૦૬૯ નૂતન વર્ષ

પેઢી ખોલવાનાં મુહૂર્તો
કારતક સુદ ૧ ને બુધવાર તા. ૧૪-૧૧-૨૦૧૨
શુભ સમય: સવારના ૭-૦૦ થી ૯-૩૦ સુધી
સવારના ૧૧-૨૫ થી ૧૨-૨૦ સુધી

લાભપાંચમ-જ્ઞાનપંચમી
કારતક સુદ ૫ ને રવિવાર તા. ૧૮-૧૧-૨૦૧૨
શુભ સમય : સવારના ૮-૩૦ થી ૧૨-૨૧ સુધી
આ સમયગાળામાં ધંધાકીય શુભકાર્યનો
મંગલ પ્રારંભ શ્રેષ્ઠ ગણાય.

 માનવને સુખ, સંપત્તિ અને સુર ાા પ્રાપ્ત થાય તેથી આ પર્વમાં શ્રી મહાલક્ષ્મી ઉપાસના ઉત્તમ છે. તેમની ઉપાસના કરતાં પહેલાં લક્ષ્મીજીનાં સ્વરૂપો સમૃદ્ધિના પ્રકારો આ તમામ પ્રકારની લક્ષ્મી કઇ રીતે પ્રાપ્ત થાય તે સમજવું જરૂરી છે.

શ્રી
લક્ષ્મીજીનાં મુખ્ય આઠ સ્વરૂપો: ૧. શ્રી દ્રવીભૂજાલક્ષ્મી, ૨. શ્રીમહાલક્ષ્મી, ૩. શ્રીદેવી, ૪. શ્રીવરલક્ષ્મી, ૫. અષ્ટભૂજા વીરલક્ષ્મી, ૬. પ્રસન્ન લક્ષ્મી, ૭. ગજલક્ષ્મી, ૮. દ્વિવભૂજા લક્ષ્મી.

વાસ્તવિક જીવનમાં અષ્ટ
લક્ષ્મીનાં સ્વરૂપો

આજકાલ આપણે સમૃદ્ધિને તથા ભૌતિક સુખ-સંપત્તિને
લક્ષ્મી કહીએ છીએ. ખરેખર સમૃદ્ધિ એક વ્યાપક અર્થવાળો શબ્દ છે. સમૃદ્ધિ (લક્ષ્મી)નાં મુખ્ય આઠ સ્વરૂપ છે. આઠેય પ્રકારની સમૃદ્ધિ તો માત્ર ભગવાન નારાયણમાં જ છે. ભગવાન નારાયણની કૃપાથી જ મનુષ્યને આંશિક રૂપમાં લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ સમૃદ્ધિ (લક્ષ્મી)ના આઠ પ્રકારો આ મુજબ છે. ધનલક્ષ્મી, વિધાલક્ષ્મી, સૌભાગ્યલક્ષ્મી, અમૃતલક્ષ્મી, કામલક્ષ્મી, સત્યલક્ષ્મી, ભોગલક્ષ્મી, યોગલક્ષ્મી. સંસારમાં કોઇ વ્યકિત પાસે આઠેય સ્વરૂપો હોતાં નથી. લગભગ એક રૂપથી જ તેનું કલ્યાણ થતું હોય છે.

૧. ધન
લક્ષ્મી: વ્યકિત આ રૂપને વધારે ચાહે છે. ભૂમિ-વાહન-મકાન ઘર-ખેતીથી તેનો સંચય થાય છે. ઉધોગ-વાણિજય વ્યવસાયથી ઉત્પન્ન થાય છે. ગાય-અશ્વ-હાથી-સોનું-ધાતુ-રત્ન-ઉપરત્ન-હીરામાણેક આ તમામ તેનાં રૂપો છે.

૨. વિધા
લક્ષ્મી: લક્ષ્મીજીનું બીજું સ્વરૂપ એટલે જ્ઞાન-વિજ્ઞાન કેળવણી-શિક્ષણ વગેરે કહેવાય છે. ભર્તુહરિએ તેને ગુપ્ત ધન કહ્યું છે.

વિધા નામ નરસ્ય રૂપમધિકં પ્રરછન્નં ગુપ્તં ધનમ્!

મનુષ્યનું કર્તવ્ય છે કે તે વિધાભ્યાસ કરે યથાસંભવ કલાઓ શીખી લે. જીવનમાં એવા અનેક સંજોગો આવે છે ત્યારે ધન
લક્ષ્મીને બદલે વિધાલક્ષ્મી સાથ આપે છે અને માનવીનું કામ સરળ થાય છે.

૩. સૌભાગ્ય
લક્ષ્મી: જન્મોજન્માંતરના પુણ્યબળે ભાગ્યની પ્રાપ્તિ થાય છે. કપરા સમયમાં ભાગ્ય જ આપણને મદદ કરે છે. જયારે ભાગ્ય સાથ નથી આપતું ત્યારે ધન-વિધા પણ કોઇ કામનાં નથી હોતાં. જીવનમાં સારી પત્ની, સારા પુત્રો, સારો પતિ, જ્ઞાનીગુરુ આ બધું સૌભાગ્યથી જ મળે છે. આ શ્રીલક્ષ્મીજીનું ત્રીજું સ્વરૂપ છે.

૪. અમૃત
લક્ષ્મી: ઉત્તમ સ્વાસ્થ્ય સાથે દીઘાર્યુ એટલે અમૃતલક્ષ્મી. અમૃતલક્ષ્મીથી માનવ તેના જીવનમાં ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ સિદ્ધ કરી શકે છે. આયુર્વેદમાં તેને આરોગ્યલક્ષ્મી કહેવાય છે. જીવનમાં આ લક્ષ્મીની પ્રાપ્તિ માટે શરીર-મન તથા ઘર આંગણની સ્વરછતાથી સભાન રહેવું જોઇએ.

૫. કામ
લક્ષ્મી: કામલક્ષ્મીની કપાથી અને તેની પ્રાપ્તિથી માનવ સંતોષપૂર્વક જીવનયાપન કરે છે. તથા તેની ઘર ગૃહસ્થીનાં તમામ કાર્યોકકળાટ વિના સારી રીતે ચાલતાં રહે છે.

૬. સત્ય
લક્ષ્મી: દ્દઢતાપૂર્વક સત્ય પાલનથી આ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. સત્ય પાલન કરનાર વ્યકિતની આબરૂ-પ્રતિષ્ઠા સારી રીતે બંધાય છે. જેના કારણ તેના વ્યવહારો-ધંધા રોજગાર ખૂબ જ ફૂલેફાલે છે.

૭. ભોગ
લક્ષ્મી: સ્વાદિષ્ટ ભોજન-સારા પોષક ભોજનની ઉપલબ્ધિ તથા તેને પચાવવાની શકિત હોવી-દાન દેવાનું સામથ્ર્ય-શ્રેષ્ઠસ્ત્રીની પ્રાપ્તિ આ તમામ ભોગલ મીની કપાનાં ચિહ્નો છે.

૮. યોગ
લક્ષ્મી: આ પ્રકારની લક્ષ્મી યોગ અને સાધનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. માનવીને કોઇ વસ્તુની ઈચ્છા નથી હોતી પરંતુ જરૂર પડયે તમામ સુખ-સુવિધા હાજર થઇ જાય છે.

કોઇ વ્યકિત પાસે આઠે સ્વરૂપો હોતાં નથી. ભગવાન નારાયણની
કૃપા થી
મનુષ્યને આંશિક લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

અષ્ટ
લક્ષ્મીની કરો ઉપાસના ધનપૂજા

Thursday 1 November 2012

પતિ પત્નીના અમર પ્રેમનું પ્રતિક છે- કડવા ચોથ

પતિ પત્નીના અમર પ્રેમનું પ્રતિક છે- કડવા ચોથ

આસો વદ સંકષ્ટ ચોથ ~ કડવા ચોથ
ચન્દ્રોદય રાત્રે ૮.૪૨

હિન્દુ ધર્મમાં અખંડ સુહાગ માટે કરવા ચોથનું વ્રત જાણીતું છે, આ તહેવાર પતિ પત્નીના અમર પ્રેમની તથા પતિ પ્રતિ પત્નીના સમર્પણનું પ્રતિક છે. વાસ્તવમાં કડવા ચોથનો તહેવાર સંસ્કૃતિના પવિત્ર બંધનનું પ્રતિક છે જે પતિ પત્ની બંને વચ્ચે રહે છે.

ભારતીય સંસ્કૃતિમાં પતિને પરમેશ્વરની સંજ્ઞા આપવામાં આવી છે. કડવા ચોથનું વ્રત રાખનારી પત્ની પોતાના પતિ પ્રતિ એ જ ભાવ પ્રદર્શિત કરે છે. સ્ત્રીઓ શણગાર સજીને ઈશ્વર સમક્ષ દિવસ દરમ્યાન વ્રત રાખીને એ જ વચન લે છે તે પૂર્ણ નિષ્ઠાથી પોતાના પતિ પ્રત્યે સમર્પણની ભાવના રાખશે. હિંદુ ધર્મમાં પુરાતન કાળથી કડવા ચોથની પરંપરા ચાલી આવે છે. આ વ્રતમાં પરિણીત સ્ત્રીઓએ દિવસ દરમ્યાન પાણી અને અન્ન વગર રહેવું પડે છે. તેમ છતાં મહિલાઓને આ વ્રતનો ઈંતજાર રહે છે. આ જ પત્નીનો પોતાના પતિ પ્રત્યેનો સમર્પણ ભાવ છે.

આ વ્રત સવારે સૂર્યોદય પહેલા એટલે કે સવારે ૪ વઘ્યા પહેલા શરુ થાય છે અને. રાત્રે ચંદ્ર ના દર્શન કરી ને પૂર્ણ થાય છે. દિવસ દરમ્યાન ઉપવાસ રાખી ને રાત્રે ચંદ્ર ના દર્શન કાર્ય બાદ ભોજન લેવા નું વિધાન છે. કડવા ચોથ ના તહેવાર પર પત્નીઓ આજ ના પવિત્ર દિવસે તેમના પતિ ના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખે છે. ચાળણીમાં ચંદ્રમા પતિના મુખારવિંદના દર્શન કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરતી મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરતી હોય છે.

વ્રતની વિધિ: વ્રતના દિવસે પરિણીત સ્ત્રીઓ સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન આદિથી પરવારીને, સોળ શણગાર સજીને પ્રભુ પાસે પોતાના અખંડ સુહાગની પ્રાર્થના કરે છે. સ્ત્રીઓએ ચંદ્રમા, શિવજી, પાર્વતીજી, કાર્તિકેય તથા ગણેશજીની મૂર્તિ બનાવીને તેમની ષોડશોપચાર પૂજા કરવાની હોય છે. એક તાંબાના કે માટીના પાત્રમાં ચોખા, અડદની દાળ, સુહાગની સામગ્ર (સિંદૂર, બંગડી, અરીસો, કાંસકો, રિબન અને રૂપિયો) મૂકીને કોઇ શ્રેષ્ઠ સૌભાગ્યવતી સ્ત્રી અથવા પોતાની સાસુના ચરણ સ્પર્શ કરીને તેમને ભેટ આપવી જોઇએ.

સાંજના સમયે બ્રાહ્મણને બોલાવીને કરવા ચોથની વાર્તા-કથા અવશ્ય સાંભળીને બ્રાહ્મણને દાન-દિ ાણા આપવી જોઇએ. બાદમાં રાત્રિના જયારે ચંદ્ર બરાબર ઊગ્યો હોય ત્યારે ચંદ્રમાનાં ચાળણીમાંથી દર્શન કરીને ચંદ્રમાને અઘ્ર્ય આપીને તેની આરતી ઉતારવી. ત્યારબાદ પતિનાં દર્શન કરીને તેમને તિલક કરીને તેમની પૂજા કરવી. આથી પતિની ઉમર-આયુ વધે છે અને સ્વાસ્થ્ય નિરોગી રહે છે. છેલ્લે પતિના હાથે પાણી પીને વ્રતનું પારણું કરવું. 

 
આ વ્રતને ઊજવવાની દરેક પ્રાંતની પોતાની પરંપરા હોય છે. કયાંક કયાંક તો મહિલાઓ ચંદ્રમાનું પ્રતિબિંબ પાણી ભરેલી થાળીમાં જુએ છે ત્યાર બાદ તે જ થાળીમાં પતિના ચહેરાનું પ્રતિબિંબ જુએ છે. કયાંક ચાળણીમાંથી પતિનાં દર્શન કરવાનો રિવાજ છે તો કયાંક પતિની આરતી ઉતારવામાં આવે છે.
કરવા ચોથની કથા: ઇન્દ્રપ્રસ્થ નામની નગરીમાં વેદ શર્મા નામનો એક બ્રાહ્મણ પોતાના સાત પુત્રો અને એક પુત્રી સાથે રહેતો હતો. તેની પુત્રીનું નામ વીરાવતી હતું. વીરાવતીનાં લગ્ન સુદર્શન નામના એક બ્રાહ્મણ સાથે થયાં હતાં. એક વાર વીરાવતી પોતાના પિયરમાં આવી હતી. આ દરમિયાન કરવા ચોથનું વ્રત આવતું હતું. સાંજે બધા ભાઇઓ ?આવ્યા એટલે બધા ભોજન કરવા બેઠા. તેમણે બહેનને પણ ભોજન કરવાનું કહ્યું પણ વીરાવતીએ કહ્યું કે, આજે મારું વ્રત છે. રાત્રે ચંદ્રમાનાં દર્શન અને પૂજા કરીને જ હું જમીશ. તે દિવસે ચંદ્ર પણ વાદળોમાં છુપાયેલો હોવાથી દેખાતો નહોતો. જયારે આ બાજુ વીરાવતી આખા દિવસના ઉપવાસને લીધે અશકત થઇ ગઇ હતી. ભાઇઓને તેની દયા આવતાં તેઓએ નકલી ચંદ્ર દેખાડીને તેનાં દર્શન કરાવીને તેનું વ્રત ખંડિત કરાવ્યું. વીરાવતીએ અન્ન-જળ ગ્રહણ કયાô. વ્રત ખંડિત થવાથી પોતાનો પતિ ખૂબ જ બીમાર પડી ગયો. તે ખૂબ જ દુ:ખી થઇ ગઇ. ભાઇઓને પણ ભારે પશ્ચાત્તાપ થયો. ભાઇઓએ બહેનની માફી માગતાં
કહ્યું કે અમે તને નકલી ચંદ્ર બતાવીને તારા વ્રતનો ભંગ કર્યોછે તેથી અમે તારા દોષી છીએ.

ઇન્દ્રાણી દ્વારા તેને વરદાન આપવામાં આવ્યું કે ફરીથી તું વિધિવિધાન અનુસાર આ વ્રત કરજે જેથી તારો પતિ સાજો થઇ જશે અને વીરાવતીએ ફરીથી આ વ્રત શાસ્ત્રોકત વિધિવિધાન સાથે કર્યું. તે દિવસથી કરવા ચોથનું વ્રત મનાવવામાં આવે છે.

કરવા ચોથના વ્રતની પૃષ્ઠભૂમિમાં સત્યવાન અને સાવિત્રીની કથા પણ છે જે પતિ પ્રત્યે અતૂટ આત્મીયતા પ્રગટ કરે છે. લોકવાયકા મુજબ યમરાજા સત્યવાનનો જીવ લઇ જવા માટે આવ્યા ત્યારે સાવિત્રીએ યમરાજને વિનંતી-આજીજી કરી પરંતુ તેઓ ન માન્યા. તેથી સાવિત્રીએ અન્નજળનો ત્યાગ કર્યો, છેવટે યમરાજાએ સત્યવાનને જીવનદાન આપવું પડયું. આ કથાઓથી સિદ્ધિ થાય છે કે પત્ની પોતાના પતિની રક્ષા માટે હંમેશાં તત્પર રહે છે.

આસો વદ ચોથે આવતું આ વ્રત પરિવારમાં આનંદ અને આત્મીયતા ભરી દે આમ્હી બરૌડેકર તરફથી સર્વ ને કડવા ચોથ ની હાર્દિક શુભ કામના
.