Thursday 19 April 2012

સાંઈ મંત્ર

આ મંત્ર બોલી મેળવો સાંઈનો દુલાર, ઝટમાં થશે તકલીફો દૂર


ગુરુવારે આ મંત્રોથી સાંઈ પૂજા કરો, તો પરિવાર, કારોબાર કે નબળાઈ સાથે જોડાયેલી બધી તકલીફો થશે દૂર

જીવનમાં ઘણુ બધુ મેળવવા માટે પહેલા છોડવાની ભાવનાનું મહત્વ આપવું સાંઈ બાબાના ચરિત્ર તરફથી મળે છે. વાસ્તવમાં, ત્યાગનું સૂત્ર ધર્મ અને ઈન્સાનિયતની દ્રષ્ટિએ સુખ, પ્રતિષ્ઠા, યશ અને સફળતા પ્રાપ્ત કરવા માટે બધા કલેશ દૂર કરવામાં શ્રેષ્ઠ અને બેજોડ સાબિત થાય છે.

ભેગુ કરવાને બદલે વહેંચવાનો ભાવ સ્વાર્થને દૂર રાખી ભલાઈ માટે પ્રેરિત કરે છે. પરોપકાર જ વ્યક્તિ, પરિવાર કે સમાજ માટે સુખ-શાંતુનું કારણ બને છે.

આ સંદેશને મગજમાં ઉતારવા માટે જગતગુરુ સાંઈબાબાના કેટલાક વિશેષ મંત્ર સ્મરણ કરવામાં આવે તો આસ્થા છે કે તેનાથી સાંઈબાબાની ખૂબ પ્રસન્નતા અને દુલાર અર્થાત્ કૃપા પ્રાપ્ત થાય છે, જે જીવન સાથે જોડાયેલી દરેક તકલીફોને દૂર કરનારી માનવામાં આવે છે. જાણો, આ સાંઈ મંત્ર...

-સ્નાન કર્યા પછી ઘર કે મંદિરમાં સાઁઈબાબાની યથા સંભવ પીળી પૂજા સામગ્રીઓથી પૂજા કર્યા પછી ઘીના દીવાથી આરતી કરી બુંદી કે ગળ્યા પકવાનોનો પ્રસાદ અર્પિત કરો. પછી આસાન ઉપર બેસી પવિત્ર ભાવોથી નીચે લખલે સાંઈ મંત્ર બોલો અને આરતી કરો...

- ॐ श्री साईं ज्ञानवैराग्यपदाय नमः

(જ્ઞાન અને વૈરાગ્ય આપવાનારા શ્રી સાંઈબાબાને નમન)

- ॐ श्री साईं धनमांगल्यप्रदाय नमः

(દોલત અને મંગળદાતા શ્રી સાંઈબાબાને નમન)

- ॐ श्री साईं आरोग्यक्षेमदाय नमः

(નિરોગી અને સુખી રાખનાર શ્રીસાંઈ બાબાને નમન)

- ॐ श्री साईं प्रेममूर्तये नमः

(પ્રેમ, દયા અને કરુણાની મૂર્તિ શ્રી સાંઈબાબને નમન)

- ॐ श्री साईं असहायसहायाय नमः

(બેસાહારાઓના મદદગાર શ્રીસાંઈબબાને નમન)


Tuesday 17 April 2012

શનિશ્ચરી અમાસ

શનિશ્ચરી અમાસઃ આ મંત્રથી મેળવો સમસ્યાઓથી મુક્તિ


 લક્ષ્યોને પ્રાપ્ત કરવાના સંકલ્પમાં તન, મન કે ધન સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓથી પરેશાન થવું પડે છે. જેનાથી અનેક મોકે મનોબળ નબળુ પણ થાય છે. ધાર્મિક દ્રષ્ટિએ આવી કઠોર પરિસ્થિતિમાં લક્ષ્ય તરફ આગળ વધવા અને ઈચ્છાશક્તિને મજબૂત રાખવા માટે રુદ્રાવતાર શ્રીહનુમાનનું સ્મરણ શક્તિ, સંયમ અને ઊર્જા આપનારું માનવામાં આવ્યું છે.

શ્રીહનુમાન ચરિત્ર પાક્કા હોસલા અને સંકલ્પ શક્તિની તાકાતથી સફળતાની પ્રેરણા આપે છે. એટલા માટે શનિવારે શનિદોષ કે મંગળવારે મંગળદોષથી આવતી બધી મુશ્કેલીઓ મુક્તિ મેળવવા માટે કોઈપણ પ્રકારે શ્રીહનુમાનનું સ્મરણ સફળ જીવનની ઈચ્છા રાખનારા દરેક માણસ માટે ખૂબ જ શુભ છે. શાસ્ત્રોમાં પણ સ્વયં શનિદેવે વાણી કરી હતી કે શ્રીહનુમાનની ઉપાસના કરનાર વ્યક્તિને શનિપીડા ક્યારેય નહીં સતાવે.

આ કારણ છે કે 21મી એપ્રિલે શનિવારની સાથે જ બનેલ અમાસનો યોગ અર્થાત્ શનિશ્વરી અમાસ ઉપર અહીં બતાવેલ શ્રીહનુમાન ઉપાસનાના નાના પરંતુ અસરદાર મંત્રનો જાપ આપણી દરેક મુશ્કેલીઓમાં માનસિક એકાગ્રતા, ઊર્જા અને હૌસલા વધારનારો છે.

-સવારે વહેલા ઊઠી યથાસંભવ લાલ કે સિંદૂરી વસ્ત્ર પહેરી શ્રીહનુમાનની મૂર્તિની સિંદૂર, કંકુ, અક્ષત, ફૂલ, નારિયળ ચઢાવી પૂજા કરો. શ્રીહનુમાનને ગોળ, ચણા કે ઘઉંના લોટ અને ઘીથી બનેલ ચૂરમા કે લાલ દાડમનો ભોગ લાગાવો.

-પૂજા પછી લાલ આસન ઉપર દક્ષિણ દિશામાં મુખ કરી રુદ્રાક્ષની જાપમાળાથી શ્રીહનુમાન મંત્રનો યથાશક્તિ જાપ કરો.

ॐ नमो भगवते आन्जनेयाय महाबलाय स्वाहा।।

-મંત્ર જાપ પછી શ્રીહનુમાનની ધૂપ, ઘીના દીવા અને કર્પૂરથી આરતી કરો.

-પૂજા અને મંત્ર જાપમાં થયેલી ભૂલો માટે ક્ષમા પ્રાર્થના અને સફલ જીવનની કામના કરો.


 શનિશ્વરી અમાસે ચાલતા-ફરતા સરળ ઉપાય કરી મનાવો શનિને
જો તમે પણ શનિ દોષ તથા પીડા, સાડા સાતી કે અઢીયાને કારણે ઉત્પન્ન અનિષ્ટથી બચીને ખુશહાલ જીવનની કામના રાખો છો તો અહીં જણાવવામાં આવે છે શનિ પૂજાના ઉપાયો 21 એપ્રિલ ના બને છે અમાસ તથા શનિવારનો સંયોગ એટલે કે શનિશ્વરી અમાસ પર જરૂર અપનાવો. આ ઉપાય એટલા સરળ પણ છે કે ઘર કે બહાર કામ દરમ્યાન આપ ચાલતા-ચાલતા પણ અપનાવી શકો છો.

- શનિવારના સવારે સ્નાન કરી સ્વચ્છ કાળા કે નિલા વસ્ત્રો પહેરો.

- નવગ્રહ મંદિરમાં શનિદેવને શુદ્ધ ગંગા જળથી સ્નાન કરાવો.

- તલ કે સરસવનું તેલ ચઢાવો.

- કાળા વસ્ત્ર, કાળી દાળ, કાળા તલ, કાળા ફૂલથી પૂજા કરો. તેનો દિવો લગાવો.

- શનિ મંત્ર ॐ शं शनैश्चराय नम: નો જપ કરો.

- હનુમાન ચાલીસાનો પાઠ કરો.

- લોખંડની વસ્તુ ચઢાવોકે દાન કરો.

- શનિને તલની મિઠાઈઓ કે તેલના પકવાનનો ભોગ ચઢાવો.

- કોઈ મંદિરમાં પીપળાના વૃક્ષમાં શુદ્ધ જળ કે ગગાજળ ચઢાવો. પીપળાની સાત પરિક્રમા કરો. અગરબત્તી, તલના તેલનો દિવો લગાવો. તે સમયે ગજેન્દ્રમોક્ષ સ્તવનનો પાઠ કરો.

- આ રીતે કોઈ મંદિરની બહાર બેઠી ભિક્ષુકને તેલમાં બનેલી વસ્તુઓ જેવી કે કચોરી, સમોસા, સેવ, પકોડી યથા શક્તિ ખવડાવો કે એ નિમિત્તે ધન દાન કરો. 

Thursday 12 April 2012

જાઈએ છે સારી સેલેરીતથા જીવનસાથી તો કરો આ ગુરુવારે ઉપાય

ભારતીય જ્યોતિષ અને ધર્મશાસ્ત્રોના મતે ગુરુ બૃહસ્પતિની વિવાહ સાથે આજિવિકાનો યોગ બનાવવા માટે પણ મહત્વની ભૂમિકા છે. આ રીતે ધાર્મિક જ નહીં સામાજિક દ્રષ્ટિએ પણ વધારે સારી નોકરી તથા દાંપત્ય જીવન સ્ત્રી અને પુરુષ બન્નેને સફળ જીવનમાં મોટી ભૂમિકા નિભાવે છે. પરંતુ ગુરુ દોષથી વિશેષ કરીને સ્ત્રીના વિવાહમાં અનેક વિઘ્નો આવી શકે છે.

જો આપ પણ આજીવિકા કે વિવાહ વિઘ્નોનો સામનો કરી રહ્યા છો તો શાસ્ત્રોમાં ગુરુવારના દિવસે બૃહસ્પતિ પૂજાની સાથે આ સરળ ઉપાય અપનાવીને પણ ગુરુ દોષ શાંત કરી શકો છો. આ ઉપાય છે ગુરુની વિશેષ વસ્તુઓનું દાન. જાણો આ સરળ ઉપાય –

ગુરુવારના દિવસે ગુરુ બૃહસ્પતિની પૂજા ગંધ, પુષ્પ, ચોખા, ધૂપદિપથી કરી યથા શક્તિ આ વસ્તુઓને કે તેમાંથી કોઈ પણ એકનું દાન કરો –

- પીળા ચોખા

- ચણાની દાળ

- પીળા કપડા

- પીળા ફળ જેવું કે કેરી, કેળા

- કાંસાનું પાત્ર

- હળદર

- લસણ

- પુખરાજ

- ઘી

- ઘોડા

- મધ

- સાકર

- ધર્મગ્રંથ

- સોનું

- પીળી મિઠાઈ

- દક્ષિણા