Showing posts with label રુદ્રાક્ષ. Show all posts
Showing posts with label રુદ્રાક્ષ. Show all posts

Wednesday, 29 February 2012

રુદ્રાક્ષ

રુદ્રાક્ષ પહેરો પછી જુઓ ચમત્કાર!

શિવ પુરાણ પ્રમાણે શિવજીને જ આ સૃષ્ટિના નિર્માણ બ્રહ્માજી દ્વારા કરાવ્યું હતું. આને લીધે દરેક યુગમાં બધી મનોકાનાઓનો પૂરી કરવા માટે શિવજીની પૂજા સર્વેશ્રેષ્ઠ માનવામાં આવે છે અને તે સૌથી સરળ ઉપાય છે. તેની સાથે જ શિવજીનું પ્રતીક રુદ્રાક્ષને માત્ર ધારણ કરવાથી જ ભક્તોના બધા દુઃખ દૂર થઈ જાય છે અને બધી મનોકામના પૂરી થઈ જાય છે.

રુદ્રાક્ષ અનેક પ્રકારના હોય છે. બધાનું અલગ-અલગ મહત્વ હોય છે. મોટાભાગના ભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. તેને ધારણ કરવા માટે અનેક પ્રકારના નિયમ બતાવ્યા છે, નિયમોનું પાલન કરીને રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો ઝડપથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થવા લાગે છે. રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેનું વિધિવત પૂજન કરવું જોઈએ ત્યારબાદ મંત્ર જાપ કરી તેને ધારણ કરવું જોઈએ.

એક મુખી રુદ્રાક્ષ, બે મુખી રુદ્રાક્ષ, ત્રણ મુખી રુદ્રાક્ષ, ચાર મુખી રુદ્રાક્ષ કે પાંચ મુખી રુદ્રાત્ર ધારણ કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. સામાન્ય રીતે પંચમુખી રુદ્રાક્ષ આસાનીથી ઉપલબ્ધઝ થઈ જાય છે. જાણો કયું રુદ્રાક્ષ શા માટે અને કયા મંત્રથી ધારણ કરવું જોઈએ...

એક મુખી રુદ્રાક્ષઃ-

-જે લોકોને લક્ષ્મીની કૃપા જોઈએ અને બધી સુખ-સુવિધાઓ જોઈએ તો તેમને આ રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. આ રુદ્રાક્ષનો મંત્ર છે. -ऊँ ह्रीं नम:।।

બે મુખીઃ
-

-બધા પ્રકારની મનોકામનાઓ પૂરી કરવા માટે તેને ધારણ કરવું જોઈએ. તેનો મંત્ર છે. -ऊँ नम:।।


ત્રણ મુખીઃ-

-જે લોકોને વિદ્યા પ્રાપ્તિની અભિલાષા હોય તેમને (ऊँ क्लीं नम:) ની સાથે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ.

ચાર મુખી રુદ્રાક્ષઃ-

-આ રુદ્રાક્ષ ધારણ કરનારાઓને ભક્તને ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. -ऊँ ह्रीं नम:।।

પંચ મુખીઃ-


-જે ભક્તોએ બધી પ્રકારની પરેશાનીઓથી મુક્તિ જોઈતી હોય અને મનોવાંછીત ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો તેમને પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ- તેનો મંત્ર છે.- ऊँ ह्रीं नम:।।