Showing posts with label કડુ. Show all posts
Showing posts with label કડુ. Show all posts

Wednesday, 29 February 2012

કડુ



હાથમાં ધાતુનું કડુ કેમ પહેરવું જોઇએ?

હાથમાં કડાં પહેરવાનું ચલણ ઘણાં સમય પહેલાથી ચાલી આવે છે.શીખ ધર્મમાં કડાને ધારણ કરવું જરૂરી માનવામાં આવે છે.આથી તો મોટાભાગનાં શીખ લોકોનાં હાથમાં ચાંદી કે અષ્ટધાતુનું કડુ ધારણ કરે છે. કડાને શીખ લોકોનાં પાંચ ક કારોમાંથી એક માનવામાં આવે છે.વાસ્તવમાં કડા પહેરવા પાછળ વૈજ્ઞાનિક કારણ છે. માનવામાં આવે છે કે હાથમાં કડુ પહેરવાથી ઘણા પ્રકારની બીમારીઓથી રક્ષા થાય છે. જ્યોતિષ અનુસાર ચંદ્રને મનનો કારક ગ્રહ માનવામાં આવે છે.ચાંદીને ચંદ્રની ધાતુ માનવામાં આવે છે. આ માટે માનવામાં આવે છે કે ચાંદીનું કડુ ધારણ કરવાથી બીમારીઓ દુર થવાની સાથે ચંદ્રથી જોડાયેલા ઘણાં દોષ જાતે જ સમાપ્ત થઇ જાય છે અને એકાગ્રતા વધે છે.

શું તમારું બાળક મોટાભાગે બીમાર રહે છે. તેનો ઈલાજ કરાવ્યા પછી પણ તેના સ્વાસ્થ્યમાં પરિવર્તન નથી આવતું કે પછી ડરેલું-ડરેલું રહે છે. જો તમારા બાળકની પણ આવી જ સમસ્યા હોય તો નીચે લખેલ ઉપાય કરી જુઓ.

જે વ્યક્તિ વારંવાર બીમાર રહેતુ હોય તેને સીધા(જમણા) હાથમાં અષ્ટધાતુનું કડુ પહેરવુ જોઇએ.મંગળવારે અષ્ટધાતુનું કડુ બનાવડાવો. તેના પછી શનિવારે તે કડુ લઇને આવો. શનિવારે કોઇપણ હનુમાન મંદિરમાં જઇ તે કડુ હનુમાનજીનાં ચરણોમાં રાખી દો. હવે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાં પછી કડામાં હનુમાનજીનું થોડું સિંદુર લગાડીને બીમાર વ્યક્તિ જાતે જ પોતાનાં જમણા હાથમાં પહેરી લે. ધ્યાન રાખો કે આ કડુ હનુમાનજીનાં આશીર્વાદરૂપ છે આથી પુરી પવિત્રતા બનાવી રાખો. કોઇપણ અપવિત્ર કાર્ય કડુ પહેરીને નાં કરો. નહીતર કડાનો પ્રભાવ નિષ્ફળ જશે.