Tuesday 31 January 2012

મંગળદોષ

મંગળદોષ

 

 મંગળાદેવી
અશુભ મંગળનું ફળ બહુ ભોગવ્યું, મંગળદોષ શાંતિ કરો આ રીતે
પુરાણોમાં મંગળ ગ્રહનું જન્મ સ્થાન ઉજ્જેનને માનવામાં આવે છે. તેથી મંગળ ગ્રહની શાંતિ માટે અહિંયા આવેલા મંગળનાથ મંદિર અને અંગારેશ્વર મહાદેવની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ પ્રકારની પૂદાથી મંગળ ગ્રહ દોષની શાંતિ થાય છે અને લગ્ન યોગ્ય યુવક-યુવતીઓના લગ્નમાં માંગલિક દોષોના કારણે આવી રહેલી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

-મંગળવારના દિવસે મંગળ દેવની પ્રસન્નતા માટે સાધના અને ઉપાસના આ શાસ્ત્રોક્ત વિધિથી કરવી જોઈએ.

- આ દિવસે સૂર્યોદય થયા પહેલા ઉઠો. નિત્યકર્મ કરીને સ્નાન કરી પવિત્ર થઈ જાઓ.

- ઘરમાં પણ પવિત્રતા માટે ગંગાજળનો છંટકાવ કરો.

- આ દિવસે વ્રત રાખો. વ્રતી લાલ રંગના સ્વચ્છ કપડા પહેરો.

- બાદમાં ઘરના દેવસ્થાન અથવા તો મંદિરમાં લાલ રંગના અક્ષત એટલે કે ચોખા પર આઠ પાંદડીઓ વાળા ફૂલની આકૃતિ બનાવીને તેના પર સોનાથી બનાવવામાં આવેલી મંગળની મૂર્તિની સ્થાપના કરો.

- મંગળ દેવના આ 21 નામોનું ધ્યાન કરો. મંગળ, ભૂમિપત્ર, ઋણહર્તા, ધનપ્રદા, સ્થિરાસન, મહાકાય, સર્વકામાર્થ સાધક, લોહિત, લોહિતાક્ષ, સામગાનંકૃપાકર, ધરાત્મજ, કુજ, ભૂમિજા, ભૂમિનંદન, અંગારક, ભૌમ, યમ, સર્વરોગહારક, વૃષ્ટિકર્તા, પાપહર્તા અને સર્વકામફલદાતા. 

- ઓમ અંગારકાય નમ: મંત્રનો જપ પૂરી પૂજા દરમિયાન મનમાંને મનમાં ચાલુ રાખો.
- મંગળ દેવની લાલ રંગીની પૂજાની સામાગ્રીથી પૂજા કરો. લાલ ગંધ, ફૂલ, લાલ કમળ સહિત સોળ પૂજન સામગ્રિ અર્પિત કરો. લાલ કપડુ મંગળ દેવને અર્પણ કરો. ભગવાન મંગળદેવને અર્દ્ય આપવા માટે આ મંત્રનું ઉચ્ચારણ કરો, 

ભૂમિપુત્રો મહાતેજા: કુમારો રક્ત વસ્ત્રક:।
ગૃહાણાધ્યં મયા દત્તમૃણશાન્તિ પ્રયચ્છ હે।।
 
- બાદમાં ચાર દિવેટનો દિવો પ્રગટાવો. મંગળ દેવને લાલ પદાર્થ અથવા તેનાથી બનનારી ભોજન સામગ્રીનો ભોગ ધરાવો. તેમાં ગોળ, ઘંઉ અને ઘીથી બનાવેલી સામગ્રી હોઈ શકે છે. કંસાર પણ અર્પણ કરો. 21 લાડુઓનો પણ ભોગ લગાવો. તથા યથાશક્તિ ભોગ પણ ધરાવી શકો છો.

- તમારી મનોકામના અને ઈચ્છાઓ માટે મંગળ દેવને પ્રાર્થના કરો.

- વ્રત કથાનો પઠન કરો અથવા અન્ય પાસે કરાવો. કથા અને પૂજા બાદ હવન કરો. જેમાં હવન સામગ્રી તલ, ઘી અને સાકરથી બનાવેલી હોય. હવમાં ઓમ કુજાય નમ: સ્વાહા બોલીને આહૂતિ આપો.

- અંતમાં મંગળવારની આરતી કરો. પ્રસાદ વહેંચો. પોતાના જાણ્યા અજાણ્યા ખરાબ કર્મો માટે મંગળ દેવની ક્ષમા માંગો.

- પૂજા-હવન બાદ બ્રાહ્મણોને ભોજન કરાવો. વ્રતી સમગ્ર દિવસ વ્રત રાખીને રાત્રે એક સમયે ભોજન કરો.
 
- આ પ્રકારે વિધિ-વિધાનથી પૂજા પ્રત્યેક મંગળવારે કરો. નિયત સંખ્યામાં મંગળવારે વ્રત કરો અને કામનાપૂર્તિ થયા બાદ વ્રતનું ઉજવણું કરો. ઉજવણીના દિવસે યથા શક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવો. મંગળ દેવની મૂર્તિ, 21 લાડુ અને બની શકે તો કોઈ વિદ્વાન અને યોગ્ય બ્રાહ્મણને લાલ બળદનું દાન કરો.

આ પ્રકારે મંગળવારે વ્રત વિધાનનું પાલન કરવાથી મંગળ ગ્રહની વિપરીત દશાથી મળતી પીડાઓ અને વ્યાધિઓ દૂર થઈ જાય છે. વ્રતી મહિલા અને પુરૂષની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

કુંડળીમાં મંગળ અમંગળ તો સમજો લગ્નમાં અડચણ, ઉપાય કરો

જેની કુંડળીમાં મંગળદોષ હોય તેને જીવનભર અનેક સમસ્યાઓને સમાનો કરવો પડે છે. જેમ કે, ધનની સમસ્યા, ઘર, જમીન, મિલકત વગેરે. તે સિવાય તેના લગ્નમાં પણ ઘણી જ અડચણો આવે છે. મોટાભાગના મામલાઓમાં એવા લોકોના લગ્નમાં ઘણુ મોડુ થતું હોય છે કારણ કે, માંગલિકના લગ્ન માંગલિક સાથે જ કરવાનું વિધાન છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો નીચે આપેલ ઉપાયો કરવાથી ઝડપી તમારી સમસ્યાઓનું સમાધાન થઈ જશે તથા લગ્નને લગતી પરેશાનીઓ પણ દૂર થઈ જશે.

ઉપાયઃ-
-મંગળવાના દિવસે મંગળદેવના નિમિત્તે વ્રત કરો તથા દરરોજ મંગળદેવના મંત્રોનો આસ્થાપૂર્વક જાપ કરો.

મંત્રઃ-
ऊँ क्रां क्रीं क्रौं स:भौमाय नम:


-મંગળદેવનો બીજો મંત્ર પણ ઝડપથી ફળ આપનાર છે. તેનો જાપ કરવાથી મંગળદેવ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.

ऊँ अंगारकाय विद्महे शक्तिहस्ताये धीमहि तन्नौ भौम: प्रचोदयात्।

-12 દિવસ સુધી રોજ વહેતા પાણીમાં ગોળ નાંખો.


-દરરોજ સવારે થોડું મધ ખાઓ.

-સિંદૂર રંગના ગણપતિની પૂજા અને જાપ કરો.

-છોકરા કે છોકરી, જેના લગ્ન ન થઈ રહ્યા હોય તે છોકરીના લગ્ન પીપળા સાથે અને છોકરાની લગ્ન ખેજડી(એક પ્રકારનો છોડ) સાથે કરાવી મંગળદોષ ઓછો કરી શકાય છે.

-મંગળ શાંતિ માટે મગંળનું દાન(લાલ રંગના બળદ, સોનુ, તાંબુ, મસૂરની દાળ, બતાશા, લાલ વસ્ત્ર વગેરે) કોઈ ગરીબ કે જરૂરીયાતવાળી વ્યક્તિને દાન કરો.

-મંગળ પરમ માતૃભક્ત છે. તે બધા માતા-પિતાની સેવા કરનાર ઉપર ખાસ પ્રસન્ન રહે છે તેથી મંગળવારે તમારી માતાને લાલ રંગની કોઈ વસ્તુ ઉપહારમાં આપો.

-લાલ રંગ મંગળનો વિશેષ પ્રિય રંગ છે, આથી કમ સે કમ મંગળવારના દિવસે એવી વસ્તુ જ ખાઓ જેનો રંગ લાલ હોય જેમ કે મસૂરની દાળ, ઇમરતી, સફરજન વગેરે.

આ ઉપાયો કરવાથી મંગળદોષનું નિવારણ થાય છે અને લગ્ન પણ ઝડપથી થાય છે.

મંગળ દોષ દૂર થશે, કરો શિવપૂજાનો આ સરળ ઉપાય
જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે માણસના જીવનમાં નવગ્રહોની ગતિ અને શુભ- અશુભ પ્રભાવથી થનારી ઉથલ-પાથલ કે ઉતાર- ચઢાવમાં સુખ- શાંતિ અને સ્થિરતા માટે મહાકાળ એટલે કે શિવ પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.

મંગળવારના દિવસે મંગળ ગ્રહથી આવનારા વિવાહ, સંતાન, જમીન, ધન વગેરે મુશ્કેલીઓને દૂર કરવા માટે શિવ પૂજાનો એક સરળ ઉપાય બહુ જ કારગર માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે મંગળ ગ્રહ શિવનો અંશ હોવાથી શિવ પૂજા મંગળદોષને દૂર કરનારી હોય છે.

જાણો શિવપૂજાનો નાનો અને સરળ ઉપાય

- સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી સ્વચ્છ લાલ વસ્ત્ર પહેરીને દેવાલયમાં સૌથી પહેલા શિવલિંગ પર જળ અને તેના પછી ક્રમથી દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ ચઢાવો. દરેક સામ્રગી બાદ શિવલિંગને જળથી સ્નાન કરાવો.

-પૂજા દરમિયાન ऊँ नम: शिवाय મંત્ર બોલતા રહો.

- પંચામૃત સ્નાન બાદ ગંગાજળ કે શુદ્ધજળથી સ્નાન કરાવડાવો.

- પંચામૃત સ્નાન અને પૂજા બાદ પંચોપચાર પૂજા કરો.

- તેના પછી શિવલિંગને ખાસ કરીને ભસ્મમાં ત્રિપુંડ લગાડતા નીચે લખેલો શિવ મંત્ર બોલો અને મંગળદોષથી આવી રહેલ સમસ્યાઓના અંતની કામના કરો - 



महादेवाय भीमाय त्र्यम्बकाय च शान्तये ।

ईशानाय मखघ्नाय नमोऽस्त्वन्धकघातिने ॥


- તે પછી ગંધ, ચોખા, સફેદ ફૂલ અને બિલિપત્ર ચઢાવો. નૈવેધ અર્પણ કરો. શિવને ધૂપ કે અગરબત્તી અને દીવાથી આરતી કરો.

- શિવ રુદ્રાષ્ટક, શિવમહિમ્ન સ્ત્રોત, પંચાક્ષરી મંત્રનો પાઠ અને જાપ કરો કે કરાવડાવો.

- આરતી બાદ પૂજામાં થયેલ ભુલો માટે ક્ષમા માંગો અને કામના કરો.

-બ્રાહ્મણોને દાન- દક્ષિણા ભેંટ કરો. ગાયને ઘાસ વગેરે ખવડાવો.

મંગળ દોષની બધી પરેશાનીઓ દૂર કરવા કરો આ ઉપાય

શાસ્ત્રોના મત અનુસાર મંગળ ગ્રહ શિવના તેજ થી ઉત્પન્ન થયેલો છે. જેનું પાલન પોષણ પૃથ્વીએ કર્યું છે. જેથી તે ભૂનિ પૂત્ર તરીકે પણ ઓળખાય છે.

મંગળવારે તથા અમાસના પૂજા કરવાથી મંગળ દોષને કારણે આવનાર વિઘ્નો જેવાકે વિવાહ, સ્વાસ્થ્ય કે આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. અહીં જાણીએ મંગળ પૂજાની સરળ વિધિની સાથે શિવ તથા મંગળ મંત્ર

મંગળવારે દેવાલયમાં લિંગ રૂપ મંગળ દેવની પૂજા લાલ ચંદન, લાલ ફૂલ અને ચોખાથી કરો અને નીચે લખેલા મંત્રોથી ધ્યાન તથા જપ કરો -

ધ્યાન મંત્ર -

धरणीगर्भसंभूतं विद्युत्कांति समप्रभम्। कुमारं शक्तिहस्तं च भौममावाह्यम्।
મંગળ મંત્ર -

ॐ सिद्ध मंगलाय नम: ॐ धरात्मजाय नम:
આ મંગળ મંત્રોની સાથે દેવાલયમાં શિવને જળ તથા બિલિ પત્ર અર્પણ કરો. નીચે લખેલ મંત્રોથી શિવનું સ્મરણ કરો મંગળદોષથી રક્ષાની કામના કરો -

ॐ त्रिलोकेशाय नम: ॐ अम्बिकानाथाय नम:
પૂજા તથા મંત્ર જપ પછી મંગળ તથા શિવને યથા શક્તિ નૈવેદ્ય અર્પણ કરો. ધૂપ, દિપ તથા કપૂરથી આરતી કરો.

મંગળના 3 મંત્રો દૂર કરે ધન, રોગ, વિવાહની મુશ્કેલીઓ

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં મંગળ ગ્રહ નવગ્રહોનો સેનાપતિ ગણવામાં આવે છે. તે શિવના તેજથી ઉત્પન્ન થયેલ છે અને પૃથ્વીએ તેનું પોષણ કર્યું છે. માટે તેને ભૂમિપૂત્ર પણ કહે છે.

જ્યોતિષ શાસ્ત્રોમાં જો કે મંગળ ક્રુર ગ્રહ માનવામાં આવે છે. પરંતુ શિવ અંશ હોવાથી મંગળને શુભ અને સાંસારિક સુખ આપનાર મળે છે. પરંતુ અશુભ હોય તો સંતાન, ભૂમિ, ધન, વિવાહ, પુત્ર, વિદ્યા, રોગ વગેરેથી જોડાયેલી પીડાનો સામનો કરવો પડે છે.

મંગલ દોષ શાંતિ માટે જ મંગળવાર કે શિવ કે હનુમાન ઉપાસનાના કોઈ પણ વિશેષ દિવસે વધારે શુભ માનવામાં આવે છે. જાણો, મંગળદોષ શાંતિ માટે 3 મંત્ર અસરકારક સાબિત થાય છે.

મંગળવારના દિવસે સ્નાન પછી નવગ્રહ મંદિરે લાલ પૂજા સામગ્રીઓથી મંગળની પૂજા કરવી. પૂજા પછી મંગળ દોષ શાંતિની કામના કરતા નીચે લખેલ 3 સરળ મંત્રોમાંથી કોઈ પણ એકનો જાપ કરી શકો છો.

શાસ્ત્રોના મત અનુસાર આ મંગળ મંત્રોની જપ સંખ્યા 10000 થવી જોઈએ. પરંતુ એટલા કરવા શક્ય ન હોય તો યથા શક્તિ આ મંત્રોનો જપ સવાર સાંજ કરવા જોઈએ.

બીજ મંત્ર –

ॐ क्रां क्रीं क्रौं स: भौमाय नम:।

સામાન્ય મંત્ર -

ॐ अं अंगारकाय नम:

પૌરાણિક મંત્ર -

धरणीगर्भसंभूतं विद्युत्कांति समप्रभम्।

कुमारं शक्तिहस्तं च भौममावाह्यम्।


Friday 27 January 2012

વસંત પંચમી


વસંત પંચમી

 




વસંત પંચમી પર મા સરસ્વતીની વિશેષ રૂપે પૂજા કરવામાં આવે છે. મા સરસ્વતીને વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન, સંગીત અને કળાની દેવી માનવામાં આવે છે.વ્યવહારિક રૂપે વિદ્યા તથા બુદ્ધિ વ્યક્તિત્વ વિકાસ માટે જરૂરી છે. શાસ્ત્રોના અનુસાર વિદ્યાથી વિન્રમતા, વિનમ્રતાથી પાત્રતા, પાત્રતાથી ધન અને ધનથી સુખ મળે છે.

વસંત પંચમીના દિવસે જો વિધિ- વિધાનથી દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે તો વિદ્યા અને બુદ્ધિની સાથે સફળતા પણ નિશ્ચિત મળે છે.

વસંત પંચમી પર મા સરસ્વતીની પૂજા આ પ્રકારે કરો -

- સવારે સ્નાન કરી પવિત્ર આચરણ, વાણીના સંકલ્પની સાથે મા સરસ્વતીની પૂજા કરો.

- પૂજામાં ગંધ, ચોખાની સાથે ખાસ કરીને સફેદ અને પીળા ફૂલ, સફેદ ચંદન તથા સફેદ વસ્ત્ર દેવી સરસ્વતીને ચઢાવો.

- પ્રસાદમાં ખીર, દૂધ, દહીં, માખણ, સફેદ તલના લાડુ, ઘી, નાળિયેર, ખાંડ અને મોસમી ફળ ચઢાવો.

- તેના પછી માતા સરસ્વતીની આ સ્તુતિથી બુદ્ઘિ અને સફળતા કામના કરી ઘીનો દીવો પ્રગટાવીને માતા સરસ્વતીની આરતી કરો 

આરતી

जय सरस्वती माता, मैया जय सरस्वती माता।
सद्गुण वैभव शालिनी, त्रिभुवन विख्याता।। जय सरस्वती...।।
चंद्रवदनि पद्मासिनी, द्युति मंगलकारी।
सोहे शुभ हंस सवारी, अतुल तेजधारी।। जय सरस्वती...।।
बाएँ कर में वीणा, दाएं कर माला।
शीश मुकुट मणि सोहे, गल मोतियन माला।। जय सरस्वती...।।
देवि शरण जो आए, उनका उद्धार किया।
पैठि मंथरा दासी, रावण संहार किया।। जय सरस्वती...।।
विद्या ज्ञान प्रदायिनि ज्ञान प्रकाश भरो।
मोह, अज्ञान और तिमिर का, जग से नाश करो।। जय सरस्वती...।।
धूप दीप फल मेवा, मां स्वीकार करो।
ज्ञानचक्षु दे माता, जग निस्तार करो।।।। जय सरस्वती...।।
मां सरस्वती जी की आरती, जो कोई नर गावे।
हितकारी सुखकारी, ज्ञान भक्ति पावे।। जय सरस्वती...।।

વિવેક બુદ્ધિ મેળવવા રોજ સવારે બોલો આ સરસ્વતી મંત્ર
સરસ્વત્યૈ નમો નિત્યં ભદ્રકાલ્યૈ નમો નમઃ|
વેદ વેદાન્ત વેદાંગ વિદ્યાસ્થાનેભ્ય એવ ચ ||
સરસ્વતિ મહાભાગો વિદ્યે કમલલોચને |
વિદ્યારૂપે વિશાલાક્ષી વિદ્યાં દેહિ નમોસ્તુતે ||

સંત પંચમી પર્વ, વિદ્યા અને બુદ્ધિના દેવી સરસ્વતીનું પર્વ છે. એ માટે મહા સુદ પાંચમના બધા લોકો પોતાના જ્ઞાનને વધારવા અને બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે મા સરસ્વતીનું પુજન કરે છે. પંચમીનું આ પર્વ વિદ્યાર્થીઓ દ્વારા ખાસ પ્રકારે ઉજવવામાં આવે છે. જો આ પર્વ પર જે લોકો પોતાની રાશિ પ્રમાણે કંઈક અચુક પ્રયોગ કરે તો તેને વિદ્યાના હરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.

જાણો કઈ રાશિના લોકો એ ક્યા ઉપાયો કરવા –

મેષ – આ રાશિના લોકો પોતાની રાશિ પ્રમાણે આ પર્વ પર વિદ્યા અને બુદ્ધિ માટે શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીની પૂજા કરે અને ડાબા પગનો સિંદૂર લઈ તિલક કરવું.

વૃષભ – આમલીના 22 પાન લઈ અને એમાંથી 11 માં સરસ્વતીને ચઢાવો અને બાકીના પાન પોતાની પાસે રાખવા. આ પ્રયોગથી આપને હરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

મિથુન – વિદ્યા અને બુદ્ધિ માટે આપ આપની રાશિ અનુસાર ભગવાન ગણેશજીને 21 દૂર્વા ચઢાવવો.

કર્ક – આ રાશિના વ્યકિતઓએ સફળતા માટે વિદ્યાના દેવી મા સરસ્વતીને કેરીના ફૂલ (મોર) ચઢાવવા જોઈએ.

સિંહ - આ વસંત પર્વ પર સિંહ રાશિવાળાએ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.

કન્યા – કોઈ કન્યાને પૂસ્તક અને સ્ટેશનરી દાન આપવું જોઈએ. આથી આપ પર માતા સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

તુલા – સરસ્વતીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તુલા રાશિના જાતકો એ કોઈ બ્રાહ્મણ કન્યાને સફેદ વસ્ત્રનું દાન કરવું.

વૃશ્ચિક - આ રાશિના વિદ્યાર્થી સફેદ ફૂલોથી મા સરસ્વતીની પૂજા કરે તો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.

ધન - ધનરાશિના જાતકોએ સળતા માટે દેવી સરસ્વતીને સફેદ ચંદન ચઢાવવું જોઈએ.

મકર – સૂર્યોદય પહેલા બ્રાહ્મી ઔષધિનું સેવન કરવાથી મકર રાશિ ધરાવનારને હરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

કુંભ - માં સરસ્વતીને પ્રસન્ન કરવા માટે કુંભ રાશીના વિદ્યાર્થીએ સરસ્વતી પૂજન કરી કન્યાઓને ખીરનો પ્રસાદ આપવો.

મીન – વસંત પંચમી પર્વ પર વિધારા અથવા અપામાર્ગના મૂળ જમણા હાથ પર બાંધવાથી આ રાશિવાળા હરેક ક્ષેત્રમાં સફળ થશે.


વસંતઋતુમાં પ્રકૃતિ ખીલવાથી માણસ તેની તરફ આકર્ષાય
- પ્રકૃતિ ખીલવાથી જાણે પૃથ્વીએ યૌવન ધારણ કરી લીધું ન હોય તેવું લાગે
- શ્રીકૃષ્ણે ગીતાજીના વિભૂતિ યોગમાં કહ્યું છે ‘ઋતુઓમાં વસંત હું છું
- માતાજીનું પૂજાવિધાન કરવાથી મૂર્ખ વ્યક્તિ પંડિત બની જાય છે

ઋતુકાળ પ્રમાણે આ દિવસથી વસંત પ્રવૃત્ત થાય છે. પ્રકૃતિ ખીલવાથી માણસ તેની તરફ આકષૉય છે. પ્રકૃતિ ખીલવાથી જાણે પૃથ્વીએ યૌવન ધારણ કરી લીધું ન હોય તેવું લાગે. જ્યાં જ્યાં નજર જાય ત્યાં ત્યાં હરિયાળી, રંગબેરંગી ફૂલો, વાતાવરણમાં પ્રફુલ્લિતતા, ફૂલગુલાબી ઠંડી. ખરેખર આ દિવ્ય વાતાવરણથી અસ્વસ્થ માનવ સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરતો જણાય છે.

ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ શાસ્ત્ર અને વેદોનાં વચન પ્રમાણે, એક એક દિવસનું મૂલ્ય સમજાવ્યું છે. આવો જ એક પવિત્ર અવસર એટલે મહા સુદ-પાંચમ, જેને આપણે વસંત પંચમી કહીએ છીએ.

વસંત પંચમી એટલે માનવી માટે કલ્યાણકારી ઉત્સવ. આ દિવસ એટલે વસંતઋતુનો પ્રારંભ, શ્રી સરસ્વતી માતાજીનો પ્રાદુભૉવ (જન્મ) તથા વિદ્યારંભ માટે ઉત્તમ તિથિ, એવો ત્રિવેણી સંગમ ઉત્સવ એટલે માનવજાતને, વિદ્યાર્થીને પ્રફુિલ્લતતા પ્રદાન કરનારો ઉત્સવ.

વસંતનો વૈભવ

ઋતુકાળ પ્રમાણે આ દિવસથી વસંત પ્રવૃત્ત થાય છે. પ્રકૃતિ ખીલવાથી માણસ તેની તરફ આકર્ષાય છે. પ્રકૃતિ ખીલવાથી જાણે પૃથ્વીએ યૌવન ધારણ કરી લીધું ન હોય તેવું લાગે. જ્યાં જ્યાં આપણી નજર જાય ત્યાં ત્યાં હરિયાળી, રંગબેરંગી ફૂલો, વાતાવરણમાં પ્રફુિલ્લતતા, ફૂલગુલાબી ઠંડી, ટાઢની વિદાય. ખરેખર આ દિવ્ય વાતાવરણથી અસ્વસ્થ માનવ સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરતો જણાય છે. જરૂર છે માત્ર આ નિસર્ગ સામે મીઠી દ્રષ્ટિ કરવાની.

વસંતમાં સરલતા, સહજતા અને નિખાલસતા છે. આવા પ્રાકૃતિક ગુણને કારણે જ માનવીને તે પ્રિય છે. શ્રીકૃષ્ણે ગીતાજીના વિભૂતિ યોગમાં કહ્યું છે ‘ઋતુઓમાં વસંત હું છું.’ આ વિધાન અનુસાર ભગવાન પોતે જ આ સમય દરમિયાન પૃથ્વી ઉપર આવીને માનવજાતને આનંદ આપવા પ્રકૃતિના રૂપમાં સર્વત્ર ફેલાઈ જાય છે.

વાલ્મીકિ રામાયણમાં પણ વસંતઋતુનું મનમોહક વર્ણન છે. આપણા કવિઓએ પણ વસંતને યૌવન તરીકે આલેખી છે. ‘યૌવન એ માનવજીવનની વસંત છે તો, વસંત એ સૃષ્ટિનું યૌવન છે.’ અથૉત્ પ્રભુસ્પર્શી જીવનમાં નિત્ય એક જ ઋતુ હોય છે અને તે વસંત! અથૉત્ જે વ્યક્તિએ જીવનમાં આખરી ધ્યેય તરીકે પ્રભુને સ્વીકારી લીધા છે તેના જીવનમાં હંમેશાં વસંત છે. અને તે વ્યક્તિ જ્ઞાનમાં હંમેશાં યૌવન ધારણ કરે છે.

વસંતમાં અનેક નવયુવાનો જીવનસાથીની પસંદગી કરીને લગ્નગ્રંથિથી જોડાય છે. આ રીતે નવપરિણીતોમાં સહજ આનંદ-પ્રેમનો ઊભરો આવે છે. આવો જ પ્રેમ ઉત્તમ રામચરિત માનસમાં શ્રીરામ અને સીતાજીનો વર્ણવ્યો છે. કહે છે કે રામ અને સીતાજીનો પ્રેમ સુખ અને દુ:ખ સર્વ અવસ્થામાં અદ્વૈત સાધનારો હતો. જ્યાં હૃદયને વિશ્રામ મળે તેમજ વાર્ધકય પણ જેના રસને હરી ન લે એવો તે પ્રેમ હતો.

અદ્વૈત સુખદુ:ખયોરનુગુણં સવૉષ્વવસ્થાષુ યદ્
વિશ્રામો હૃદયસ્ય યત્ર જરસા યિસ્મન્નહાર્યો રસ: (ઉત્તમ રામચરિત ૧/૩૯)

શ્રી સરસ્વતી માતાજીનું જન્મવૃત્તાંત

એક સમયની વાત છે. ભગવાન શ્રીકૃષ્ણની ચિન્મયી શક્તિ સદાય તેની સાથે નિવાસ કરતી હતી. બ્રહ્નતેજથી સો મન્વંતર સુધી તેજોમય સ્થિતિમાં હતી. શ્રીકૃષ્ણ પ્રાણોથી પણ અધિક તેને પ્યાર કરતા હતા. શ્રી કૃષ્ણનું વૃક્ષ:સ્થલ એ જ તેનું નિત્ય નિવાસ્થાન હતું. આ દેવીએ અનુકૂળ સમયે સુવર્ણ સમાન બાળક ઉત્પન્ન કર્યું. આ બાળક સુંદર હતું છતાં પણ આ બાળકનો ત્યાગ કરી દીધો. તુરંત જ કૃષ્ણ ભગવાને આ દેવીને બાળકવિહોણી થઈ જાય તેવો શ્રાપ આપ્યો, ઉપરાંત તારા તેજથી જેટલી સ્ત્રીઓ ઉત્પન્ન થશે તે તારા કરતાં પણ દિવ્ય હશે. તે તમામ સ્ત્રીઓ સંતાનવિહોણી હશે. તુરંત જ આ દેવીના જીભના અગ્રભાગથી એક મનોહર કન્યા પ્રકટ થઈ. શ્યામ વર્ણ હતો, શ્વેત વર્ણનાં વસ્ત્ર ધારણ કર્યા હતાં. તેના એક હાથમાં વીણા તથા

બીજા હાથમાં પુસ્તક ધારણ કર્યું હતું. સંપૂર્ણ શાસ્ત્રોની અધિષ્ઠાત્રી દેવી રત્નમય આભૂષણોથી વિભૂષિત હતી.

શ્રીકૃષ્ણ દ્વારા પ્રથમ પૂજા તથા વિશેષ વરદાન

ભગવાન શ્રીકૃષ્ણે સર્વપ્રથમ પૂજા આ સ્વરૂપની કરી છે. આ માતાજીનું પૂજાવિધાન કરવાથી મૂર્ખ વ્યક્તિ પંડિત બની જાય છે. એ સમયે સરસ્વતી માતાએ શ્રી કૃષ્ણને પતિ તરીકે સ્વીકારવા દરખાસ્ત મૂકી ત્યારે શ્રીકૃષ્ણે લોકહિતાથે જણાવતા કહ્યું, તમે ભગવાન શ્રી નારાયણ પાસે પધારો, તે મારા જ અંશ છે. નારાયણ પાસે લક્ષ્મીજી ઉપરાંત આપ પણ નિત્ય નિવાસ કરો. ઉપરાંત સમગ્ર બ્રહ્નાંડમાં મહા સુદ-પાંચમના દિવસે વિદ્યારંભ કરવા માટે ગૌરવપૂર્વક તમારી પૂજા થશે. આજથી જીવનપયઁત માનવ, મનુગણ, દેવતા, મોક્ષકામી વસુઓ, યોગીઓ, સિદ્ધો, નાગો, ગંધર્વો, રાક્ષસો વગેરે ષોડ્શોપચારથી તમારી પૂજા આરાધના કરશે. કુંભમાં તથા પુસ્તકમાં તમને આહવાહિત કરશે. તમારા કવચને ભોજપત્રમાં લખી તેને સોનાની ડબ્બીમાં રાખી તેના ઉપર અષ્ટગંધ-કેસર-ચંદન વિ.થી પૂજા કરી વ્યક્તિ-વિદ્યાર્થી પોતાના ગળામાં અથવા જમણા હાથમાં ધારણ કરવાથી વિશેષ વિદ્યા પ્રાપ્ત કરશે.

આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સરસ્વતી માતાને વરદાન આપ્યું ત્યારથી આ દેવી સવિશેષ પૂજાવા લાગ્યાં. આજે પણ તમામ શાળાઓ, કલાસંસ્થાઓમાં સર્વત્ર સરસ્વતી માતાજીની મૂર્તિ છબી પરની વિશેષ પૂજા આરાધના થાય છે.

યાજ્ઞવલ્કયજી દ્વારા સરસ્વતી પૂજા

કોઈ કારણોસર યાજ્ઞવલ્કયજી ગુરુના શાપથી વિદ્યાર્થી નષ્ટ થઈ ગયા હતા. તેમની તમામ વિદ્યા જીર્ણ થઈ ગઈ. તે સમય આ ઋષિ લોલાર્ક કુંડ ઉપર જઈ સૂર્યદેવની સ્તુતિ કરી. સૂર્યદેવે વેદ-વેદાંગોનું જ્ઞાન આપ્યું. સૂર્યદેવની સૂચના પ્રમાણે સરસ્વતી માતાની વિશેષ પૂજા તેના કવચનું અનુષ્ઠાન તથા સ્તુતિ કરવા જણાવ્યું યાજ્ઞવલ્કયજીએ સૂર્યદેવની ભલામણ મુજબ સરસ્વતી કવચથી તેમજ વિશેષરૂપમાં સ્તુતિ કરી. સરસ્વતી માતાજીને પ્રસન્ન કર્યાં અને વિશેષરૂપથી કૃપાપાત્ર બન્યા. ગુરુદેવ બ્úહસ્પતિ સમાન તેજોમય ધારણ કર્યું. યાજ્ઞવલ્કયજીએ જે સ્તક્ષેત્ર ગાયું તે સ્તક્ષેત્ર એક વર્ષ સુધી જો કોઈ વ્યક્તિ ગાય ક ે પાઠ કરે તો મૂર્ખમાં મૂર્ખ વ્યક્તિ પંડિત થઈ સુશ્રુત બની જાય છે.

વિદ્યારંભ તિથિએ સવિશેષ આરાધના

આ દિવસે વિદ્યાર્થીએ શુભ સંકલ્પ કરી ભગવાન શ્રીકૃષ્ણે કવશાખામાં બતાવ્યા પ્રમાણે ષોડ્શોપચારથી પૂજા કરવી. આરાધકે વસંત પંચમીના દિવસે પ્રાત:કાળમાં ઊઠી સ્નાન આદિ પૂર્ણ કરી શુભમૂહુર્તમાં બાજઠ અથવા પાટલા ઉપર સફેદ આસન પાથરી તેના ઉપર માતાજીની મૂર્તિ અથવા છબી મૂકવી, ત્યારબાદ કુંભમાં અથવા પુસ્તકમાં માતાજીનું આહ્વાન કરવું. ભોજપત્ર ઉપર સરસ્વતી યંત્ર તૈયાર કરવો. તેની ષોડ્શોપચારથી પૂજાવિધિ કર્યા બાદ સ્ફટિક મોતીની માળાથી નીચેના કોઈપણ મંત્રનું અનુષ્ઠાન કરી શકાય.

ઓમ શ્રી હ્રીં સરસ્વત્યૈ સ્વાહા

ઓમ વિદ્યાદેવી સરસ્વતી વરદે કામરૂપિણી
વિદ્યારંભ કરીશ્યામી સિદ્ધિર ભવતુ મે સદા

ઓમ સરસ્વતી મયા દ્રષ્ટવા વિણા પુસ્તક ધારિણી
હંસ વાહનં સંયુક્તાં વિદ્યાદાનં કરી તું મે

જ્ઞાનાનન્દ મયં દેવં નિર્મલ સ્ફટિકા કૃતિમ
આધારં સર્વ વિદ્યાનાં હયગ્રીવમુપાસ્મહે

આ ઉપરાંત નીચેનો મંત્ર બોલતાં તુલસી અને કેસર નિશ્વિત જળથી સરસ્વતી મંત્ર ઉપર અભિષેક કરી તે જળ વિદ્યાર્થીએ તીર્થનાં રૂપમાં ધારણ કરવું. મંત્ર

એક દંત મહાબુદ્ધિ સર્વ સૌભાગ્ય દાયક :

સર્વ વિદ્યા પ્રાપ્તિ કરો દેવા ગૌરીપુત્રો વિનાયક:

(૧૦૮ વખત મંત્ર બોલવો)

આ રીતે અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ સરસ્વતી કવચના પાઠ તેમજ પ્રાર્થના અને સ્તુતિ કરવી.
 
શ્રી સરસ્વતી સ્તુતિ

યા કન્દેન્દુ તુષાર હાર ધવલા યા શુભ વસ્ત્રાવૃતા
યા વિણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના


આ રીતે યૌવન અને સંયમ, આશા અને સિદ્ધિ, કલ્પના અને હકીકત, જીવન અને કવન, ભક્તિ અને શક્તિ, સર્જન અને વિસર્જન આ સર્વેનો સમન્વય સાધતો, આપણા જીવનમાં સૌંદર્ય, સંગીત, સ્નેહ, પ્રેમ અને વિદ્યા તથા તેજિસ્વતા પ્રગટાવતો વસંત આપણા જીવનમાં ખીલે અથવા તો આ વસંત ખીલવવા આપણે હંમેશાં પ્રયત્નશીલ રહીએ ત્યારે જ વસંતને આપણે જાણી છે અને માણી છે. અસ્તુ...


વસંત પંચમી: માતા સરસ્વતીને શા માટે ચઢાવાય છે ચોખાનો ભોગ?
વસંત પંચમીના દિવસેને માતા સરસ્વતીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે.

તેની સાથે જ આ દિવસ અબૂઝ (વણજોયેલુ) મૂરતના નામે પણ ઓળખાય છે. વસંત પંચમીના દિવસે કોઈ નવું કામ પ્રારંભ કરવાનું અતિ શુભ માનવામાં આવે છે. આ કારણે જ ઋષિઓએ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાની પ્રથા ચાલું કરી હતી. કોઈ પણ કલા અને સંગીતના શિક્ષણની શરૂઆત કરતા પહેલા માતા સરસ્વતીની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે.

જે વિદ્યાર્થીઓ મહેનતની સાથે સરસ્વતીની આરાધના કહે છે તેમને જ્ઞાનની સાથે-સાથે સન્માન પણ પ્રાપ્ત થાય છે. વસંત પંચમીના દિવસે સૌ પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશની પૂજા પછી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. શિક્ષા, ચતુરાઈ ઉપર વિવેકનો અંકુશ લગાવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના ભોગમાં વિશેષ કરીને ચોખાનો ભોગ લગાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે, માતા સરસ્વતીને શ્વેત રંગ ખૂબ જ પ્રિય હોય છે. તેની સાથે જ ચોખાને હકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, ચોખાનો ભોગ લગાવવાથી ઘરના બધા જ સભ્યોને માતાના આશીર્વાદની સાથે હકારાત્મક બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.

વસંત પંચમી પર માતા સરસ્વતીની આરાધનનાનું વિશેષ મહત્વ કેમ?

મા સરસ્વતી વિદ્યા અને બુદ્ધિ પ્રદાન કરનારી છે.

- વસંત પંચમીનો દિવસ મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે.

વસંત પંચમી આ વખતે (28 જાન્યુઆરી, શનિવારે) વિશેષ રૂપથી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. તેના પાછળ ઘણી ધાર્મિક કિવદંતીઓ છે જેમાંથી એક આ પ્રકારે છે -

કહેવાય છે કે, બ્રહ્માએ વિષ્ણુની આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન કર્યું અને તેમાંય માનવીની રચના કર્યા પછી જ્યારે બ્રહ્માએ પોતાના સર્જનને જોયું ત્યારે તેમને લાગ્યું કે કંઈક ખામી રહી ગઈ છે. જેના લીધે ચારેય તરફ મૌન-મૌન લાગે છે. વિષ્ણુ ભગવાન પાસેથી અનુમતિ મેળવી તેમને ચતુર્ભુજી સ્ત્રીની રચના કરી જેના એક હાથમાં વીણા અને બીજો હાથ વર મુદ્રામાં હતો. બીજા બે હાથમાં પુસ્તક અને એક માળા હતી.

બ્રહ્માએ દેવીને વીણા વગાડવાનો અનુરોધ કર્યો. દેવીએ જેવી વીણા વગાડવાનું શરૂ કર્યું, વીણાના મધુર નાદ(અવાજ)થી સંસારના બધા જ જીવ-જંતુઓને વાણી પ્રાપ્ત થઈ ગઈ. જલધારામાં ચેતના આવી ગઈ. પવન સડસડાટ આવવા લાગ્યો. ત્યારે બ્રહ્માએ આ દેવીને વાણીની “દેવી સરસ્વતી” એવું નામ આપ્યું.

સરસ્વતીને ભગવતી, શારદા, વીણાવાદીની અને વાગ્દેવી સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આ દેવી વિદ્યા અને બુદ્ધિ પ્રદાન કરનાર છે. સંગીતની ઉત્પત્તિ કરવાને લીધે તેને સંગીતની દેવી પણ કહેવાય છે. વસંત પંચમીના દિવસે તેનો જન્મોત્સવ- પ્રાગટ્ય દિનના રૂપમાં મનાવવામાં આવે છે. ઋગ્વેદમાં ભગવતી સરસ્વતીનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની સમૃદ્ધિ અને સ્વરૂપનો વૈભવ અદભુત છે. પુરાણો પ્રમાણે શ્રીકૃષ્ણએ સરસ્વતીથી ખુશ થઈ વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તમારી પણ આરાધના કરવામાં આવશે. વસંત પંચમીનો દિવસ માતા સરસ્વતીનો જન્મદિવસ માનવામાં આવે છે એટલે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.
 
સરળ સરસ્વતી મંત્રોથી તમારું બાળક ભણવામાં બનશે અવ્વલ

શાસ્ત્રોમાં વિદ્યાને ધન માનવામાં આવે છે કારણ કે વિદ્યા જ માણસને સંસ્કાર, મર્યાદા, ગુણોથી જોડીને તેના ચરિત્ર વ્યવહાર અને કર્મને પણ સાધે છે. જેનાથી માણસ કુશળ અને દક્ષ બનાવીને જીવનને સરળ બનાવી શકાય છે.

દરેક મા-બાપની ઝંખના હોય છે કે તેમના સંતાનો વધારેમાં વધારે વિદ્યા મેળવીને ઉજ્જવળ ભવિષ્યને પામી શકે. પરંતુ ઘણીવાર પ્રાકૃતિક દોષના પ્રભાવથી માનસિક નબળાઇને કારણે ભણવામાં મન લાગતું નથી અથવા યાદશક્તિ નબળી હોય છે.

બાળકોમાં રહેલા માનસિક દોષોને દૂર કરવા માટેના ઉપાયોમાં પારિવારિક વાતાવરણમાં સુધાર અને ઉપાયો સિવાય ધાર્મિક દ્રષ્ટિએ માતા સરસ્વતીનું ધ્યાન બહુ જ સરળ અને પ્રભાવી માનવામાં આવે છે.

- આ માટે અમુક નાના- નાના સરસ્વતી મંત્રોનું સ્મરણ બાળકોથી કરાવડાવાનું મહત્વ આપવામાં આવ્યું છે.

હિંદુ પંચાંગ પ્રમાણે મહા સુદ પાંચમની તિથિ એટલે કે વસંત પંચમી (28 જાન્યુઆરી) એ સ્નાન કર્યા બાદ ખાસ કરીને બાળકોના હાથથી માતા સરસ્વતીની મૂર્તિને સફેદ ફૂલ, ચોખા ચઢાવો.

- સફેદ મિઠાઇનો ભોગ લગાડીને ધૂપ,દીવો પ્રગટાવીને પૂજા કરાવડાવો અને આ મંત્ર બોલાવડાવો.

જો બાળકના ના બોલતા હોય કે ચંચળ હોય તો મા-બાપ પોતે સંતાનની પ્રખર બુદ્ધિની કામના સાથે આ મંત્ર બોલવા

ॐ महाविद्यायै नम:

ॐ वाग्देव्यै नम:

ॐ ज्ञानमुद्रायै नम:

- મંત્ર સ્મરણ બાદ દેવીની આરતી કરી હથેળીઓથી દીવાની જ્યોતિ લઇને બાળકના માથા પર સ્પર્શ કરાવડાવો. દેવીને અર્પણ કરી પ્રસાદ બાળકોને ખવડાવો.
 

બોલો મા સરસ્વતીનો આ મંત્ર,મળશે મનગમતી પ્રગતિ અને સફળતા

જીવનમાં કોઇપણ કામ માટે કે શ્રેષ્ઠ લક્ષ્યમાં મળતી સફળતા સકારાત્મક વિચારો અને ઊર્જાની સાથે સારા કામ માટે પણ પ્રેરે છે.
શાસ્ત્રો પ્રમાણે આવા જ સફળ જીવન માટે મુખ્ય અને નિર્ણાયક હોય છે – બુદ્ઘિ અને જ્ઞાન બળ.


સરળ શબ્દોમાં કહીએ તો શિક્ષા અને જાણકારી કે આવી બુદ્ધિ, વિદ્યા અને વિવેક થકી તે દરેક ડગલે સફળતા પામે છે. ધાર્મિક ઉપાયોમાં તેના માટે જ્ઞાનની અધિષ્ઠાત્રી માતા સરસ્વતીનું ધ્યાન શ્રેષ્ઠ માનવામાં આવે છે.

- મા સરસ્વતીની ઉપાસના વાણી, કળા અને વૈભવથી સંપન્ન બનાવે છે.

દેવીની ઉપાસના માટે શુભ દિવસ છે વસંત પંચમી. આ દિવસે સવારે દેવી સરસ્વતીનું વિશેષ મંત્રથી સ્મરણ શિક્ષણ હો કે કાર્યક્ષેત્ર દરેકમાં મનગમતી સફળતા અને પ્રગતિની કામનાને પુરી કરે છે. પૌરાણિક માન્યતામાં આ દેવી મંત્રની સ્તુતિ પતંજલિ મુનિને દેવી ભક્ત કાત્યાયનને શાસ્ત્રાર્થમાં હરાવ્યો અને દુર્ગા સપ્તશતીના ઉત્તર ચરિત્રની મહિમા સ્થાપિત થયી.

- દેવી ઉપાસનાના વિશેષ દિવસે સ્નાન બાદ યથાસંભવ સફેદ વસ્ત્ર પહેરીને દેવી સરસ્વતીની સફેદ પૂજા સામ્રગીઓ જેમાં સફેદ ચંદન, સફેદ ફૂલ અને ફૂલ માળા, ચોખા, સફેદ વસ્ત્ર અને દૂધની મિઠાઇઓનો સમાવેશ હો, તે અર્પણ કરો.

- ધૂપ અને દીવો પ્રગટાવીને સફેદ આસન પર બેસીને દેવીને નીચે લખેલા મંત્રનું ધ્યાન કરો.

नमो देव्यै महामूर्त्र्यै सर्वमूर्त्र्यै नमो नम:।

शिवायै सर्वमाङ्गल्यै विष्णुमाये च ते नम:।।

त्वमेव श्रद्धा बुद्धिस्त्वं मेधा विद्या शिवंकरी।

शान्तिर्वाणी त्वेमवासि नारायणि नमो नम:।।

- પૂજા અને મંત્ર સ્મરણ બાદ દેવી સરસ્વતીની ધૂપ,દીવાથી આરતી કરો. સુખ- સફળતા અને પ્રગતિની કામના સાથે દેવીના ચરણોમાં વંદન કરો.


Wednesday 25 January 2012

Happy Republic Day - 2012


Let us Remember the Golden Heritage of
Our Country and Feel Proud to be a Part of India.
Happy Republic Day



























ए मेरे वतन के लोगो ....

आओ ख़ुद को देश से जोड़े
देश नही तो हम क्या हैं ?
राष्ट्र प्रेम में जो न समर्पित
फ़िर हम भारतवासी क्या हैं ?
दुःख दरिद्र मिटाए इससे
आतंक के साये का नाश करे,
भ्रष्ट , तंत्र के रखवालों से
अब सत्ता को आजाद करे |
जन जन से ही मिलकर बनता
प्रजातंत्र का ये नारा है ,
तो फ़िर हमने ही क्यों इसको
भूल, देश को दुत्कारा है ?
नए जोश से ओत-प्रोत हो
छब्बीस जनवरी खूब मनाई,
अब खेनी है देश की नौका
जाग युवा, अब बारी आई |
अब पुनः विचार जरूरी है
कुछ नव निर्माण जरूरी है,
जन मानस को आज जगा कर
फूंकना प्राण जरूरी है |
उठो!आज फ़िर इस अवसर पर
पुनः एक संकल्प करें ,
जब तक देश खुशहाल न होवे
तब तक ना विश्राम करें |
गणतंत्र दिवस की हार्दिक शुभकामनायें...

Thursday 12 January 2012

Uttarayan - 2012

સૂર્ય નારાયણ
૧૪ ~ ૧૫ જાન્યુઆરી ~ ૨૦૧૨ ના દિવશે મકરસંક્રાંતિ છે. જેને ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિને દેવતાઓનો દિવસ કહેવામાં આવે છે. સમગ્ર ગ્રહોમાં સૂર્ય ગ્રહ મુખ્ય છે, તેથી મકરસંક્રાંતિના દિવસે સૂર્ય દેવતાની પૂજા-આરાધના કરવાથી તેમની કૃપાદૃષ્ટિ થાય છે અને આખું વર્ષ શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

સૂર્ય ગ્રહ દરેક રાશિમાં ભ્રમણ કરતાં કરતાં બાર માસમાં બારે રાશિઓમાં ભ્રમણ કરી લે છે. તેથી દરેક માસની એક સંક્રાંતિ હોય છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરતો હોય ત્યારે સૂર્યના આ સંક્રમણને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. એ દિવસનું મહત્ત્વ એટલા માટે છે કે આ દિવસે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે. ઉત્તરાયણ કાળને જ પ્રાચીન ઋષિ-મુનિઓએ સાધના કરવા માટેનો સિદ્ધિકાળ તથા પુણ્યકાળ કહ્યો છે. ભીષ્મ પિતામહે પણ આ જ કારણથી ઉત્તરાયણ કાળમાં પોતાના પ્રાણ ત્યાગ્યા હતા. મકરસંક્રાંતિ સૂર્યદેવની આગેવાનીનું પર્વ છે, કારણ કે એવું કહેવામાં આવે છે કે કર્ક સંક્રાંતિના સમયે સૂર્યનો રથ દક્ષિણ તરફ વળી જાય છે. તેને કારણે સૂર્યનું મુખ દક્ષિણ તરફ તથા પીઠ આપણી (પૃથ્વી)તરફ હોય છે.
તેનાથી ઉલટું મકરસંક્રાંતિના દિવસે સૂર્યનો રથ ઉત્તરની તરફ વળી જાય છે એટલે કે સૂર્યનું મુખ આપણી (પૃથ્વી) તરફ થઈ જાય છે.
જેથી સૂર્યનો રથ ઉત્તરાભિમુખ થઈને આપણી તરફ આવવા લાગે છે. સૂર્ય દેવ આપણી એકદમ નજીક આવવા લાગે છે. તેથી આનાથી મોટા ઉત્સવનો અવસર બીજો કોઈ હોઈ જ ન શકે. મકરસંક્રાંતિ સૂર્ય ઉપાસનાનો મહત્ત્વપૂર્ણ, વિશિષ્ટ તથા એકમાત્ર મહાપર્વ છે. આ એક એવું પર્વ છે જે સીધું સૂર્ય દેવ સાથે સંબંધિત છે. મકરથી મિથુન સુધીની છ રાશિઓમાં છ મહિના સુધી સૂર્ય ઉત્તરાયણ રહે છે તથા કર્કથી ધન સુધીની છ રાશિઓમાં છ મહિના સુધી સૂર્ય દક્ષિણાયન રહે છે. કર્કથી મકર તરફ સર્યનું પ્રયાણ દક્ષિણાયન તથા મકરથી કર્ક તરફનું પ્રયાણ ઉત્તરાયણ કહેવાય છે.
તેનાથી ઉલટું મકરસંક્રાંતિના દિવસે સૂર્યનો રથ ઉત્તરની તરફ વળી જાય છે એટલે કે સૂર્યનું મુખ આપણી (પૃથ્વી) તરફ થઈ જાય છે. જેથી સૂર્યનો રથ ઉત્તરાભિમુખ થઈને આપણી તરફ આવવા લાગે છે. સૂર્ય દેવ આપણી એકદમ નજીક આવવા લાગે છે. તેથી આનાથી મોટા ઉત્સવનો અવસર બીજો કોઈ હોઈ જ ન શકે. મકરસંક્રાંતિ સૂર્ય ઉપાસનાનનું મહત્ત્વપૂર્ણ, વિશિષ્ટ તથા એકમાત્ર મહાપર્વ છે. આ એક એવું પર્વ છે જે સીધું સૂર્ય દેવ સાથે સંબંધિત છે. મકરથી મિથુન સુધીની છ રાશિઓમાં છ મહિના સુધી સૂર્ય ઉત્તરાયણ રહે છે તથા કર્કથી ધન સુધીની છ રાશિઓમાં છ મહિના સુધી સૂર્ય દક્ષિણાયન રહે છે. કર્કથી મકર તરફ સર્યનું પ્રયાણ દક્ષિણાયન તથા મકરથી કર્ક તરફનું પ્રયાણ ઉત્તરાયણ કહેવાય છે.

મકરસંક્રાંતિ તથા સૂર્ય સાધના

મકરસંક્રાંતિ સૂર્ય ભગવાનનું પ્રિય મહાપર્વ છે. મકરસંક્રાંતિમાં સૂર્ય દેવની આરાધના વિશેષ મહત્ત્વ ધરાવે છે. સૂર્ય સાધનાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશની સાધના કરવાનું ફળ મળે છે. સૂર્ય નારાયણને સંક્રાંતિ સમયના દેવતા તથા સંસારની આત્મા કહેવાય છે. સૂર્યપ્રકાશ વગર જીવન અશક્ય છે. જ્ઞાન, વિવેક, વિદ્વતા, યશ, સમ્માન અને આર્થિક સમૃદ્ધિનું ફળ પ્રદાન કરનારા ભગવાન સૂર્ય જ છે. સૂર્ય દેવતા સમગ્ર ગ્રહોના રાજા છે, તેથી તેમની ઉપાસના કરવામાં આવે તો બધા જ ગ્રહોના કુપ્રભાવ ઓછા થવા લાગે છે. તેમની ઉપાસનાથી આપણાં તેજ, બળ, આયુષ્ય તથા નેત્રજ્યોતિમાં વૃદ્ધિ થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્ય સમસ્ત રોગોમાંથી મુક્તિ અપાવે છે. મકરસંક્રાંતિ એવો સમય છે, જે દિવસે ભગવાન સૂર્ય પૃથ્વીની એકદમ નજીક આવીને પોતાનાં કિરણોના માધ્યમથી સમસ્ત રશ્મિઓનો સંપૂર્ણ પ્રભાવ પૃથ્વી પરના સઘળાં જીવો પર પાડે છે. તેથી મનુષ્યો સૂર્ય દેવતાની કૃપા પોતાની ઉપર વરસે તે માટે તેમની ઉપાસના કરે છે.
આપણાં વેદ, પુરાણ, શાસ્ત્રોમાં સૂર્ય ભગવાનની પૂજા, અર્ચના, ઉપાસના, વંદના, આરાધનાનાં અનેક વિધાનો આપવામાં આવેલાં છે. જપ, તપ, વ્રત તથા દાનના અનેક ઉપાયો છે, જેના માધ્યમથી સૂર્ય સાધના સંપન્ન કરવામાં આવે છે. કેટલાંક માધ્યમ કે ઉપાયો આ પ્રમાણે છે.
* મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલાં ઊઠીને તલ કે અન્ય તેલની શરીર પર માલિશ કરીને ત્યાર બાદ સ્નાન કરવું જોઈએ. લાલ વસ્ત્ર પહેરીને, લાલ આસન પાથરીને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમય ગાળામાં સૂર્ય સાધના પૂરી કરવી જોઈએ.
* નીચે જણાવેલા મંત્રોનો જપ ૨૮ હજારની સંખ્યામાં કરવો જોઈએ.
બીજ મંત્રઃ ૐ ધૃણિ સૂર્યાય નમઃ ।
તાંત્રિક મંત્રઃ ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ ।
વૈદિક મંત્રઃ ૐ આકૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન મૃતમ્મર્ત્યંશ્ચ હિરણ્યેન સવિતા રથેના દેવો યાતિ ભપવનાનિ પશ્યન્ ।
પુરાણોક્ત મંત્રઃ જપાકુસુમ સંકાશં કાશ્યપેયં મહાદ્યુતિમ । તમોડરિં સર્વપાપઘ્નં પ્રણતોડસ્મિ દિવાકરમ્ ।।
* કળશમાં પવિત્ર જળ ભરીને તેમાં ચંદન, અક્ષત તથા લાલ ફૂલ નાખીને બંને હાથોને ઊંચા કરીને પૂર્વાભિમુખ થઈને નીચેના મંત્રથી ઉદયમાન સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો.
મંત્રઃ એહિ સૂર્ય સહસ્ત્રાંશો તેજોરાશે જગત્પતે । અનુકમ્પયમાં ભક્તયા ગૃહાણાર્ધ્ય દિવાકર ।।
* સૂર્ય સાથે સંબંધિત સ્તોત્ર, કવચ, સહસ્ત્ર નામ, દ્વાદશનામ, સૂર્ય ચાલીસા વગેરેના પાઠ કરવા જોઈએ.
* સૌર સૂક્ત, સૂર્ય અથર્વશીર્ષ, સૂર્યાકષ્ટકમ્, આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવો ખૂબ જ ઉત્તમ છે.
* સત્યનારાયણની વ્રત કથાનો પાઠ તથા હરિવંશપુરાણનો પાઠ કરવો લાભદાયક રહે છે.
* જો સંક્રાંતિ રવિવારના દિવસે હોય તો રવિવારનું વ્રત કરવું જોઈએ. આ દિવસે વ્રતમાં મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ.
* આ મહાપર્વ પર પોતાના પૂજાઘરમાં સિદ્ધ સૂર્ય યંત્રની સ્થાપના કરવી જોઈએ.
* સૂર્યરત્ન માણેક તથા ઉપરત્ન પહેરવાનું તથા સૂર્યના અંક યંત્રને ગળામાં ધારણ કરવાનું શ્રેષ્ઠ મુહૂર્ત મકરસંક્રાંતિ છે.
* સૂર્ય દેવતાના મંદિરે જઈને સૂર્ય દેવની મૂર્તિનાં દર્શન, પૂજન-અર્ચન કરવાં તથા દાન અને સ્નાન કરવું કલ્યાણકારી છે.

સંક્રાંતિ રાશિફળ
* આ વર્ષે મકરસંક્રાંતિ મેષ રાશિના લોકો માટે અનિષ્ટ.
* વૃષભ, મિથુન, કર્ક રાશિના લોકો માટે શુભ.
* સિંહ અને કન્યા રાશિના લોકો માટે કષ્ટપ્રદ.
* તુલા, વૃશ્ચિક, ધન અને મકર રાશિના લોકો માટે નુકસાનદાયક.
* કુંભ અને મીન રાશિના લોકો માટે લાભકારક છે.

સૂર્ય દેવતાને જાણો

* ભારતીય જ્યોતિષમાં સૂર્ય દેવતાને આત્માના કારક માનવામાં આવ્યા છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે.
* સૂર્ય સાથે સંબંધિત નક્ષત્ર કૃતિકા, ઉત્તરાષાઢ અને ઉત્તરાફાલ્ગુની છે.
* સૂર્ય પિતાનું પ્રતિનિધિત્વ કરે છે.
* સૂર્યના દેવતા ભગવાન શંકર છે.
* મંદિર, સુંદર મહેલ, જંગલ, કિલ્લો તથા નદીનો કિનારો સૂર્ય દેવનું નિવાસ સ્થાન છે.
* સૂર્ય પેટ, આંખ, હૃદય અને ચહેરાનું પ્રતિનિધિત્વ કરે છે.
* હાડકાંઓનું બંધારણ પણ સૂર્યના ક્ષેત્રમાં જ આવે છે.
* સૂર્યનું અયન છ માસનું હોય છે. છ મહિના દક્ષિણાયન અને છ મહિના ઉત્તરાયણ.
* સૂર્યની ઋતુ ઉનાળો છે.
* સૂર્ય દેવતાનો શુભ દિવસ રવિવાર છે.
* સૂર્ય દેવતાનો રંગ કેસરી માનવામાં આવે છે.
* સૂર્ય ગ્રહનું રત્ન માણેક અને ધાતુ તાંબું છે.
* સૂર્ય ગ્રહની દિશા પૂર્વ છે.
* સૂર્યના મિત્ર ગ્રહ ચંદ્ર, મંગળ અને ગુરુ છે.
* સૂર્યના શત્રુ ગ્રહ શનિ અને શુક્ર છે.
* સૂર્યની વિંશોત્તરી દશા ૬ વર્ષની હોય છે.
* સૂર્ય ઘઉં, પત્થર, ઘી, દવા અને માણેક પર પોતાની અસર પાડે છે.
* સૂર્ય ગ્રહના દુષ્પ્રભાવમાંથી બચવા માટે ઘઉં, લાલ વસ્ત્ર, સોનું, મીઠાઈ, કપિલા ગાય, ગોળ અને તાંબાનું દાન કરવું જોઈએ.
* સોનાનો વેપાર, લાકડાંનો વેપાર, ઇલેક્ટ્રિક સામાનનો વેપાર વગેરે પર સૂર્યનો પ્રભાવ હોય છે.
* કુંડળીમાં સૂર્ય ગ્રહ નબળો હોય તો સૂર્ય દેવતાને તાંબાના લોટામાં જળ ચઢાવવું તથા સૂર્ય સ્તોત્ર, ગાયત્રી મંત્ર વગેરે કરવા શુભ રહે છે.

મારા દરેક મિત્રો અને વાચક મિત્રો ને હેપ્પી ઉત્તરાયણ… આશા રાખું કે બધાજ લોકો ની ઉત્તરાયણ મારા જેમ સરસ જાય, તમને કોઈ ઈજા નહિ પહોચે ને તમારા થી કોઈ ને ઈજા નહિ પહોચે. મારા જેમ તમે લોકો એ પણ ચીકી, તલસાંકળી , બોર, શેરડી, જાત જાત ના પાક અને ઉન્ધ્યું ની મજા માણશો..

2012માં ત્રણ શુભ યોગ એક સાથે, 28 વર્ષ બાદ આ મહાસંયોગ

વર્ષો બાદ સંક્રાતિ પર સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ અને રવિ યોગનો મહાસંયોગ બનશે.
આ ત્રણેય યોગ સૂર્યોદય સવારના 6.19 થી રાતે 12-35 વાગે સુધી લગભગ 18 કલાક રહેશે. એક સાથે આ ત્રણેય શુભ યોગ હોવાથી શ્રદ્ધાળુઓને લાભ મળશે.

આ શુભ પર્વ પર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રહેશે જે કે સૂર્યનું જ નક્ષત્ર છે. આ મકર સંક્રાતિ પર સૂર્ય પોતાના નક્ષત્રમાં રહીને રાશિ બદલશે અને મકર રાશિમાં આવી જશે. આ પર્વ પર ત્રણેય શુભ યોગ અને સૂર્યના પોતાના જ નક્ષત્રમાં હોવાની સાથે જ રવિવાર પણ રહેશે જે કે સૂર્યદેવનો જ દિવસ રહેશે.

 
ક્યારે અને કેટલા વાગે બદલશે સૂર્ય –

14 જાન્યુઆરીની રાતના સૂર્ય 12:58 વાગે મકર રાશિમાં પ્રવેશ કરશે અને 15 જાન્યુઆરીની સવારે 7:14 વાગે સૂર્યોદયથી સ્નાન- દાન માટે પુણ્યકાળ શરૂ થશે, જે સાંજે 4:58 વાગે સુધી રહેશે.


ક્યા ફળ આપે છે આ ત્રણ શુભ યોગઅમૃત સિદ્ધિ યોગ: આ શુભ યોગમાં કરવામાં આવેલા કોઇ પણ કામનું પુરૂ ફળ મળે છે. આ શુભ યોગમાં શરૂ કરવામાં આવેલા કામનું ફળ લાંબા સમય સુધી બનેલું રહે છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ: જ્યોતિષ અનુસાર આ યોગમાં કોઇ પણ કામ કરવાથી દરેક કામ પુરા થાય છે. દરેક કાર્ય સિદ્ધિ માટે અને શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આ યોગ શુભ માનવામાં આવે છે.

આ યોગમાં ખરીદી કરવાનું પણ વિધાન છે. એવું માનવામાં આવે છે કે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખરીદી કરવાથી લક્ષ્મીની કૃપા મળે છે.


રવિ યોગ:
આ યોગ દરેક કામનું પુરૂ ફળ આપનારો હોય છે. આ યોગ અશુભ ફળને નષ્ટ કરીને શુભ ફળ આપનારો માનવામાં આવે છે. આ યોગમાં દાન કર્મ કરવું યોગ્ય માનવામાં આવે છે. આ યોગ રાજકીય અને શાસકીય કાર્ય માટે પણ મહત્વપુર્ણ છે.


આ વખતે મકર સંક્રાતિ પર્વ પર ઘણાં વિશેષ યોગ બની રહ્યા છે, જેના કારણે આ પર્વનું મહત્વ ઘણું વધી ગયું છે. જ્યોતિષાચાર્યો અનુસાર આ વખતે મકર સંક્રાતિએ 15 જાન્યુઆરીએ છે જેના પર ભાનુ સાતમનો યોગ બની રહ્યો છે. આ પહેલા આ યોગ 1951માં બન્યો હતો.

જ્યોતિષવિદો અનુસાર સાતમની તિથિ અને રવિવારે સંક્રાતિ આવવાથી ભાનુ સાતમનો યોગ બની રહ્યો છે. સંક્રાતિ 15 જાન્યુઆરીની રાતના 00:58થી લાગશે. સૂર્યનું રાશિ પરિવર્તન અડધી રાત્રે થયું છે આ માટે મકર સંક્રાતિનું પુણ્યકાળ રહેશે અને સૂર્ય ઉપાસનાથી સો ગણું વધારે ફળ મળશે. મકરસંક્રાતિના પર્વથી સૂર્ય દક્ષિણાયન થશે અને માંગલિક કાર્યોથી શરૂઆત થઇ જશે.


સંક્રાતિએ બોલો સૂર્યના 21 આસાન નામ, વધશે યશ અને ધન

મકર સંક્રાંતિ ઉપર સૂર્યપૂજામાં આ સરળ 21 નામને બોલી પદ, પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ મેળવો
સૂર્ય હિન્દુ ધર્મના પંચદેવોમાં પ્રમુખ દેવતા છે. સૂર્યને પ્રત્યક્ષ દેવતા પણ માનવામાં આવે છે. સંપૂર્ણ જગતની પ્રાણશક્તિ હોવાથી તેઓ જગતપિતા પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓમાં સૂર્યના મહર્ષિ કશ્યપ અને અદિતિના પુત્ર માનવામાં આવ્યા છે. તેમની માતાના માનથી જ તેઓ આદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.

શાસ્ત્રો પ્રમાણે સૂર્યદેવના પુત્ર શનિ અને યમ અને પુત્રી યમુના પણ પ્રમુખ પૂજનીય દેવી-દેવતા છે. એ જ રીતે સંકટમોચક દેવતા શ્રી હનુમાનના ગુરુ પણ સૂર્યદેવ જ છે. આ કારણ છે કે સૂર્યદેવની ઉપાસના શક્તિ, સિદ્ધિ, સ્વાસ્થ્ય, સન્માન, યશ, ઐશ્વર્ય અને સૌંદર્ય આપનાર માનવામાં આવે છે.

સૂર્ય ઉપાસનાની ખૂબ જ શુભ ઘડી મકરસંક્રાંતિને માનવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ પ્રમાણે આ દિવસથી જ સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે. સરળ શબ્દોમાં આ દિવસથી દિવસ મોટો થવા લાગે છે.

એવી શુભ ઘડીમાં સૂર્યના સ્મરણ માટે જ શાસ્ત્રોમાં 21 સૂર્ય નામોનું સ્મરણ ઘણુ મહત્વ બતાવવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા છે કે સ્વયં સૂર્યદેવે આ એકવીસ નામોને જગતકલ્યાણ માટે ઉજાગર કર્યા. આ એકવીસ નામ સ્તવરાજના નામથી પણ ઓળખાય છે. તેનો જાપ સૂર્યદેવના હજાર નામોના સ્મરણ સમાન હોય છે.

ધાર્મિક દ્રષ્ટિએ સૂર્યની પ્રસન્નતા અને અનુકૂળતા માટે આ એકવીસ નામોની સવારે અને સાંજે સ્મરણ કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. જાણો આ એકવીસ નામ...

-ભાસ્કર

-રવિ

-લોકસાક્ષી

-લોક પ્રકાશક

-તપન

-તાપન

-શુચિ પાવન

-લોક ચક્ષુ

-શ્રીમાન

-ત્રિલોકેશ

-કર્તા

-ગૃહેશ્વર

-હર્તા

-બ્રહ્મા

-ગભસ્થિહસ્ત(જેના કિરણ રૂપી હાથ છે)

-તમિસ્ત્રહા(અંધારાનો નાશ કરનાર)

-સપ્તાશ્વવાહન(સાત ઘોડાના વાહન ઉપર બેસનાર)

-વિકર્તન(સંકટને હરનાર કે નાશ કરનાર)

-વિવસ્વાન(તેજરૂપ)

-માર્તન્ડ(જે અંજમાં લાંબા સમય સુધી રહે)

-સર્વદેવનમસ્કૃત


ઉત્તરાયણ : રાશિ પ્રમાણેના દાનથી, મળશે અનેક ગણું ફળ

15 જાન્યુઆરીને સૂર્યની દિશા બદલાશે એટલે કે સૂર્યની ચાલ દક્ષિણથી ઉત્તર તરફ આવશે ત્યારે સૂર્ય ઉત્તરાયણ થઇ જશે.

આ વિશેષ સ્થિતિ સૂર્ય પોતાના જ દિવસ એટલે કે રવિવારના ઉત્તરાયણ થશે. આ દિવસ બહુ જ મહત્વપૂર્ણ રહેશે.

આ ઉપરાંત આ દિવસે સૂર્ય સાતમનો પણ શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે નસીબ ચમકાવવા માટે તમારે રાશિ અનુસાર ઉપાય કરવા જોઇએ.

- ઉત્તરાયણ પર્વ પર દાનનો વિશેષ મહત્વ છે. આ દિવસે દાન કરવાથી અનેકગણું ફળ મળે છે.તેમાં પણ જો રાશિ અનુસાર આ ઉપાય કરવામાં આવે તો તમે પણ માલામાલ થઇ જશો.

જાણો, કઇ રાશિવાળાને કયું દાન કરવું...

મેષ (અ. લ. ઇ.)
આ રાશિના લોકો ઘઉં, મસુર, લાલ, કપડા, ગોળ કે તાંબા વગેરેનું દાન કરો.

વૃષભ (બ. વ. ઉ.)
વૃષભ રાશિના લોકો પોતાની રાશિ અનુસાર હીરા, ઇત્તર, સેંટ, ચોખા, ઘી વગેરે દાન કરો.

મિથુન (ક. છ. ઘ.)
આ રાશિના લોકો પોતાના નસીબને બદલવા માટે લીલું વસ્ત્ર, સ્વર્ણ, લીલા મગનું દાન કરો.

કર્ક (ડ. હ.)
કર્ક રાશિના લોકો પોતાના ગ્રહ અનુસાર ટોપલી (વાંસની) ચોખા, કપુર, સફેદ કપડા, મોતી, ચાંદી, દૂધ, દહીં, ખાંડ, સાકર વગેરેનું દાન કરો.

સિંહ (મ. ટ.)
આ રાશિના લોકો માણેક, ઘઉં, લાલ વસ્ત્ર, લાલ ફૂલ, ગોળ, સ્વર્ણ, તાંબા, લાલ ચંદન વગેરેનું દાન કરો.
કન્યા (પ. ઠ. ણ.)
આ રાશિના લોકોએ નસીબને ચમકાવવા માટે પન્ના, કસ્તુરી વગેરેનું દાન કરો.
તુલા (ર. ત.)

આ રાશિના લોકો ઉત્તરાયણ પર્વ પર રાશિ અનુસાર શુક્રદેવની વસ્તુઓ એટલે કે સફેદ ઘોડા, ગાય- વાછરડાં વગેરે કપુર, સફેદ વસ્ત્ર, ચંદન, ખાંડ કે મિશ્રીનું દાન કરો.

વૃશ્વિક (ન. ય.)
આ રાશિના લોકો રવિવારે લાલ ફૂલ, લાલ ચંદન, કેશર, લાલ બળદ, ભૂમિ કે ચણોઠીનું દાન કરો. નસીબ ચોકક્સ ચમકી જશે.

ધન (ધ. ફ. ભ. ઢ.)
ધન રાશિના લોકોએ નસીબનો સાથ જોઇએ તો પીળું ધાન્ય, પીળા કપડાં, પુખરાજ, સ્વર્ગ વગેરેનું દાન કરો.

મકર(ખ. જ.)
આ રાશિના લોકોએ નસીબને બદલવું હોય તો શનિદેવની વસ્તુઓનું દાન કરો. તેમાં અડદ, તલ, કાળી ગાય કે કાળા વસ્ત્ર પણ કરી શકો છો.

કુંભ (ગ. શ. ષ. સ.)
કુંભ રાશિનો સ્વામી શનિ છે,આ માટે આ રાશિવાળાએ કામળા, સ્વર્ણ, ચંપલ, નીલમ વગેરેનું પણ દાન કરવું જોઇએ.

મીન (દ. ચ. ઝ. થ.)

આ રાશિનો સ્વામી ગુરૂ છે આ માટે મીન રાશિવાળાને મધ, કેસર, હળદર અને પીળા કપડાનું દાન કરવું જોઇએ.

આ વખતે કેમ ખાસ છે મકર સંક્રાંતિ?

જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તો મકરસંક્રાતિનું પર્વ માનવામાં આવે છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયન થઇ જાય છે. ધર્મશાસ્ત્રો અનુસાર ઉત્તરાયણ એ દેવતાઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વિશેષ રૂપે સૂર્યની પૂજા કરવામાં આવે છે. આ વખતે મકર સંક્રાતિના પર્વ પર સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ઘિ યોગની સાથે ભાનુ સાતમ હોવાથી સૂર્યની ઉપાસના કરી સ્નાન- દાન પુણ્ય કરવાથી સો ગણું વધારે ફળ આપશે.



ઉત્તરાયણનો તહેવાર આજે માડ એક દિવસ રહ્યો છે ત્યાં બે દિવસ તો નાના-મોટા શહેરોના દરેક ઘરોની આગાશીઓ આબાલવૃદ્ધથી ઊભરાશે. આપણે ત્યાં તો ઉત્તરાયણ બોલે પતંગ, તલસાંકળી, ઊંધીયું....ને કાપ્યો છે.....કાપ્યો છે...!!!!

ના બોસ, આ દિવસે તો ધાર્મિક કાર્યો માટે પણ ખૂબ જ પવિત્ર અને શુભ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા કાર્યો અને ખાણી-પીણીને લગતી અનેક પરંપરાઓ આપણે ત્યાં વર્ષોથી ચાલી આવે છે. આ પરંપરાઓનું આજે પણ પાલન કરવામાં આવે છે. મકરસંક્રાન્તિમાં બધા લોકો તલસાકળી અને ઊંધીયુ ચોક્કસ આરોગતા હોય છે સાથે સાથે આપણા ગુજરાતમાં તો પતંગ ઉડાવવાનું મહત્વ વધુ છે જો કે આપણા દેશના બીજા રાજ્યોમાં પણ અનેક પતંગો તો ઉડાવવામાં આવે છે પણ ગુજરાતના લોકો જેટલો પતંગોનો ક્રેઝ હોતો નથી.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મકરસંક્રાન્તિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ અને સંક્રાન્તિનો અર્થ છે સૂર્યનું રાશિ પરિવર્તન કરવું. આ જ કારણે આ તહેવારને મકરસંક્રાન્તિ કહેવાય છે. આ દિવસોમાં તલસંકળી, મમરા-ગોળના લાડુ, તલ-સીંગની ચિકી, કચરિયું જેવી આઇટમો તો લોકો ઘરે બનાવે છે પરંતુ ખરીદીને ખાવાનો પણ આપણે ત્યાં ખાસો ક્રેઝ છે.

મકરસંક્રાન્તિમાં તલમાંથી બનાવતી આઇટમોથી આપણા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થતો હોય છે. તલ અને ગોળ જેવા પદાર્થો સ્વભાવે ઊર્જા પેદા કરનારા છે. મકર સંક્રન્તિનો અર્થ એવો થાય છે કે હવે ઠંડીની ઋતુનો જવાનો સમય શરૂ થયો છે. આ દિવસથી જ દિવસનો સમય મોટો અને રાતનો સમય નાનો થવા લાગે છે.

આ સમયમાં તલ-ગોળની વાનગીઓ આપણા શરીરમાં ઠંડીનો પ્રભાવ ઓછો છે. તેનાથી બદલાતી મોસમમાં શરીરમાં પેદા થતા વાત-કપ અને પિત્ત જેવી બીમારીઓથી છૂટકારો મળે છે. નહીંતર મોટાભાગના લોકોને ઋતુ પરિવર્તનથી થતી બીમારીઓ ચોક્કસ પરેશાન કરે છે. આ સમયમાં તલ અને ગોળના આઇટમો ખાવાથી પેટ સાફ રાખવામાં મદદ મળે છે. આ કારણે જ તો ઘણા લોકો ખાધા પછી ગોળ ચોક્કસ ખાતા હોય છે. જ્યારે પણ ઋતુ પરિવર્તન થાય છે ત્યારે એકા એક આપણુ શરીર મોસમને અનુકૂળ થઈ શકતું નથી તેના લીધે આપણે પેટને લગતા રોગો અને કફને લગતી બીમારીઓ થાય છે. આ કારણે જ તો આપણે ત્યાં સદીઓથી તલ-ગોળની આઇટમો ખાવાની પરંપરા છે.

મકરસંક્રાન્તિ ઉપર પતંગ ઉડાવવાનો ફાયદો એ છે કે તેનાથી આપણા શરીર ઉપર થોડા સમય માટે સૂર્યના તડકાનો લાભ મળે છે. તડકામાં પતંગ ઉડાવવાથી સનબાથને લીધે આપણા શરીરને ઘણા લાભ મળે છે.

આ દિવસે મોસમ પરિવર્તન શરૂ થાય છે ઠંડી ઓછી થવા લાગે છે અને ગરમી વધવા લાગે છે એવા સમયે તડકામાં પતંગ ઉડાવવાથી આપણા શરીર આ મોસમમાં આસાનીથી ટેવાવા લાગે છે.

કાપ્યો છે...કાપ્યો છે...થી મન અને દિલના દ્વાર પણ ખોલી નાખે છે......



ઉત્તરાયણે તલસાંકળી-તલ ચિક્કી કેમ ખવાય છે, તમે જાણો છો?

ઉત્તરાયણ પર વિશેષ કરીને તલસાંકળી, તલના લાડુ અને તલની ચીકી વિશેષ કરીને તલના વ્યંજન ખાવાનું મહાત્મય છે. - ઉત્તરાયણના તહેવાર સાથે જોડાયેલી આ પરંપરા વગર ઉત્તરાયણના પર્વમાં અધુરાશ વર્તાય છે.

- તલ અને ગોળની મિઠાઇઓ ખાવા પાછળ ઠંડી સામે શરીરમાં આવશ્યક ગરમી જાળવવાનું વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે.

મકર સંક્રાંતિના (ઉત્તરાયણ) પર વિશેષ રૂપે તલ અને ગોળની મિઠાઇઓ ખાવાની પરંપરા છે. ક્યાંક તલ અને ગોળના સ્વાદિષ્ટ લાડુ બનાવાય છે તો ક્યાંક તેની ચિક્કી બનાવીને તલ અને ગોળનું સેવન કરવામાં આવે છે. મિઠાઇઓમાં તલ અને ગોળની ગજક પણ શોખીનમાં મોખરે હોય છે.

-મકર સંક્રાતિના પર્વ પર તલ અને ગોળના સેવન કરવા પાછળ વૈજ્ઞાનિક આધાર છે.

શરદીની સિઝનમાં જ્યારે શરીરમાં ગરમીની જરૂર હોય છે ત્યારે તલ અને ગોળના વ્યંજન આ કામ બેખુબી રીતે કરે છે. તલમાં તેલની પ્રચુર માત્રા હોય છે જેનું સેવન કરવાથી આપણા શરીરમાં પર્યાપ્ત માત્રામાં તેલ પહોંચે છે જે આપણા શરીરને ગરમાવો આપે છે. આ પ્રકારે ગોળની તાસીર પણ ગરમ હોય છે.

તલ અને ગોળના આ ગુણોને જોઇને જ આપણા વડલાઓએ તહેવારના બહાને તલ મિશ્રિત મિઠાઇઓને તહેવાર સાથે વણી લીધી. જે આપણા શરીરમાં આવશ્યક ગરમી રહે છે. આ જ કારણ છે કે મકરસંક્રાતિના અવસર પર તલ અને ગોળના વ્યંજન પ્રમુખ માનવામાં આવે છે.

ઉત્તરાયણ પછી જ ભીષ્મએ શા માટે પ્રાણ ત્યાગ્યો હતો?


- ઉત્તરાયણને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે.- બાણની શૈયા ઉપર પડેલા ભીષ્મ પિતામહ પોતાના મૃત્યુને તે સમય સુધી ટાળતા રહ્યા હતા
- સૂર્ય દક્ષિણાયન હોય ત્યારે શરીર ત્યાગ કરવાથી પુનર્જન્મ લેવો પડે છે

મકર સંક્રાંતિનો પર્વ આપણા દેશમાં અનેક નામથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ ઉત્તરાયણના નામથી મનાવવામાં આવે છે. ઉત્તરાયણને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે. મહાભારતમાં ઘણીવાર ઉત્તરાયણ શબ્દનો ઉલ્લેખ આવે છે.

સૂર્યના ઉત્તરાયણ થવાનું મહત્વ આ કથાથી સ્પસ્ટ થાય છે કે બાણની શૈયા ઉપર પડેલા ભીષ્મ પિતામહ પોતાના મૃત્યુને તે સમય સુધી ટાળતા રહ્યા, જ્યાં સુધી સુર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ ન થઈ જાય. સૂર્ય ઉત્તરાયણ થયા પછી જ તેમને પોતાના પ્રાણ ત્યાગ્યા હતા.

સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણનું મહત્વ બતાવતા ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ મહિના શુભ કાળમાં, જ્યાંરે સૂર્ય દેવ ઉત્તરાયણ હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ નથી થતો. એવા લોકો બ્રહ્મને પ્રાપ્ત થાય છે. તેની વિપરિત સૂર્ય દક્ષિણાયન હોય ત્યારે પૃથ્વી અંધકારમય હોય છે અને આ અંધકારમાં શરીર ત્યાગ કરવાથી પુનર્જન્મ લેવો પડે છે.

तिळगुळ घ्या गोड गोड बोला,
आमचे तील कधी सांडू नका,
आमच्याशी कधी भांडू नका,
नवीन वर्षाचा नवीन सणाच्या
प्रिया जणांना गोड व्यक्तींना
मकर संक्रांति ची गोड गोड शुभेच्छा
Wish u a happy and cheerful Makar Sankranti 2012…
विकास घोळकर आणि सर्व घोळकर परिवार....