Monday 17 September 2012

વડોદરા ના લક્ષ્મી વિલાસ પેલેસ રાજ દરબાર ના શ્રી ગણેશ

લક્ષ્મી વિલાસ પેલેસ 
રાજ દરબાર ના શ્રી ગણેશ


વડોદરા ના રાજવી પરિવાર ના એટલે સર સયાજીરાવ ગાયકવાડ ના 
શ્રી ગણેશ ની કથા~ઈતિહાસ~પરંપરા~વાર્તા
૭૩ વર્ષ થી એકજ પ્રકાર ના ગણેશજી ની મૂર્તિ માટીથી બનાવા માં આવે છે.

  

શ્રી માનસિંગ કૃષ્ણરાવ ચૌહાણ, શ્રી પ્રદીપ કૃષ્ણરાવ ચૌહાણ અને મંગલા પ્રદીપ ચૌહાણ

શ્રી રાજવી ગણેશજી ૭૩ વર્ષ જૂની એટલે કે ૧૯૩૯ ની વાત છે શ્રી દામાજીરાવ ગાયકવાડ ના કુટુંબથી ગણેશજી ના સ્થાપના ની પ્રથા શરુ થઇ. આ પ્રથા શ્રી દામાજીરાવ ગાયકવાડ, સર સયાજીરાવ ગાયકવાડ, પ્રતાપસિંહ ગાયકવાડ, ખંડેરાવ ગાયકવાડ,  રણજીતસિંહ ગાયકવાડ અને અત્યાર ના શ્રી સમરજીતસિંહ ગાયકવાડ ચાલુ રાખી છે.

ખંડેરાવ ગાયકવાડ મહારાજે ગણેશજી ના સ્થાપના માટે ખેસ ના લાકડા નો પાટલો બનાવ્યો હતો.  ૧૯૩૯ માં ચંદ્રાસુર રાક્ષસ નો વધ કરતા ગણેશજી બેસાડ્યા હતા ત્યારે  સર સયાજીરાવ ગાયકવાડને વિચાર આવ્યો કે આવા ગણપતિ તો ક્રોધિત ગણપતિ લાગે છે અને આપને તેને ૧૦ દિવસ પૂજા કરીએ છે, તો ગણેશજી ની મૂર્તિ પૂજનીય હોય તેવી બનાવી પડે જે શાંત અને સુંદર સ્થાપના મૂર્તિ હોવી જોઈએ. ૧૯૩૯ માં સર સયાજીરાવ ગાયકવાડ દેવલોક થયા ત્યાર બાદ પ્રતાપસિંહ ગાયકવાડ રાજવી થયા તેમને કાશી ના પંડિતો ને વડોદરા બોલાવ્યા અને તેમની સાથે ચર્ચા વિચારના કરી કે અમને ગણેશજી ની પ્રતિમા પૂજનીય હોય તેવી હોવી જોઈએ ત્યાર બાદ વડોદરા ના ગણેશ ના કલાકારોએ વિવિધ પ્રકાર ના ગણેશજી ની પ્રતિમા બનાવે છે અને રાજ મહેલમાં ગણેશજી ની મૂર્તિ મંગાવે છે અને ત્યાર બાદ કાશી ના પંડિતો દરેક ગણેશજી ની મૂર્તિ ધ્યાન પૂર્વક જુવે છે, અને કૃષ્ણરાવ ચૌહાણ દાદા ના ગણેશજી ની પસંદગી થાય છે કાશી ના પંડિત રાજા ને કહે છે કે કૃષ્ણરાવ ચૌહાણ દાદા ના ગણેશજી પૂજ્ય અને શાસ્ત્રોક ગણેશજી છે અને કૃષ્ણરાવ ચૌહાણ એ બનાવેલી મૂર્તિ પસંદ થાય છે.

અખાત્રીજ ના દિવસે શુભ મુર્હત હોય છે.  ૭૩ વર્ષ થી રાજવી ઘરના લોકો અખાત્રીજ ના દિવસે ખેસ ના લાકડા નો પાટલો ધામ ધૂમ થી ચૌહાણ સ્ટુડિયો લાવે છે ત્યાર બાદ રાજગુરુ દ્વારા પાટલા ઉપર માટી રચી ને શાસ્ત્રોક પૂજા કરે છે ત્યાર બાદ ગણેશજી ની મૂર્તિ નું નિર્માણ શરુ થાય છે તે દિવસ થી ગણેશ ચોથ ના દિવસ સુધી મૂર્તિકાર પૂજા કરે છે.

ગણેશ ચતુર્થી ના દિવસે રાજ મહેલ માંથી પાલખી ચૌહાણ સ્ટુડિયો આવે છે તેમની સાથે રાજગુરુ, બેન્ડ બજા, મરાઠી વલ્લાર , અને ગાયકવાડ પરિવાર ના સભ્યો આવે છે.

સવારે ૯:૩૦ કલાકે પાલકી ચૌહાણ સ્ટુડિયો આવી જાય છે અને ૯.૪૫ કલાકે પાલખી નીકળી જાય છે. ૧૧:૩૦ કલાકે ગણેશજી ની પાલખી રાજમહેલ માં પોહચી જાય છે અને બંદુક ની સલામી આપે છે . ત્યાંર બાદ  રાજગુરુ ગણેશજી ની સ્થાપના, પૂજા, અર્ચન અને આરતી કરે છે ત્યાર બાદ મૂર્તિકાર ને નારીયેલ આપી વિદાય કરે છે.

૧૦ દિવસ લક્ષ્મી વિલાસ પેલેસ માં ગણપતિ દાદા ની પૂજા રાજવી પદ્ધતિ થી થાય છે અને વડોદરા ની જનતા માટે ગણેશજી ના દર્શન માટે રાજમહેલ ના દ્વાર ખુલ્લા મુકાય છે ૧૧ માં દિવસે સાંજે વિસર્જન ના સમયે ગાયકવાડ પરિવાર સુરસાગર ખાતે રાજ મહેલ ના તરાપા માં ગણેશજી ને વિસર્જન કરવા આવે છે,
રાજગુરુ અને મૂર્તિકાર તરાપા માં બેસી સુરસાગર ના મધ્યમાં જયને તરાપા ના બરોબર વચ્ચે ગણેશજી ની પ્રતિમા મુકે છે અને તરાપા ના સટરના દ્વાર ખોલે છે અને ગણપતિ બાપ્પા મોરિયા ના આવાજથી ગણેશજી નું વિસર્જન કરે છે, ત્યાર બાદ ગાયકવાડ પરિવાર ને સફેદ રૂમાલ ફરકાવી ને કેહવા માં આવે છે કે ગણપતિ બપ્પાનું વિસર્જન થય ગયું છે ત્યાર બાદ બેન્ડ બજા ની સલામી આપે છે અને ગણેશજી નો પાટ અને તેમની થોડી માટી લય ને પરત રાજમહેલ ફરે છે.

શ્રી કૃષ્ણરાવ ચૌહાણ મૂર્તિકાર વિશેષ
શ્રી કૃષ્ણરાવ ચૌહાણ લક્ષ્મી વિલાસ પેલેસ માં આર્ટીસ્ટ તરીકે ગોલ્ડ મેડલીસ્ટ થયા હતા, ૧૯૩૯ થી એકજ પ્રકાર ની ગણેશજી ની મૂર્તિ તેઓ બનાવતા હતા, શ્રી કૃષ્ણરાવ ચૌહાણે અલકાપુરી માં આવેલું સયાજીરાવ ગાયકવાડ નું સ્ટેચ્યુ,  મ્યુઝીયમ માં મુકેલી તેમની કલાત્મક પ્રતિમા,  કીર્તિ સ્થંભ અને પ્રતાપરાવ ગાયકવાડનું સ્ટેચ્યુ તેમની યાદગાર કલાત્મક રચના ની યાદ અપાવે છે.

૧૯૮૭ માં કૃષ્ણરાવ ચૌહાણ દેવલોક થયા ત્યાર બાદ કૃષ્ણરાવ ચૌહાણના પુત્રો શ્રી માનસિંગ કૃષ્ણરાવ ચૌહાણ, શ્રી લાલસિંગ કૃષ્ણરાવ ચૌહાણ, શ્રી પ્રદીપ કૃષ્ણરાવ ચૌહાણ અને મંગલા પ્રદીપ ચૌહાણે રાજ મહેલ ના ગણેશજી ની મૂર્તિ બનાવાની પરંપરા શરુ રાખેલ છે.

શ્રી માનસિંગ કૃષ્ણરાવ ચૌહાણ સાથે વાતચીત માં આમ્હી બરૌડેકર ના અને 
વડોદરા ગણેશ મહોત્સવના વિકાસ ઘોળકર.